Tuesday, April 23, 2013

મહાવીર જયંતી વિશેષ!: "અજૈન" નામનો હિંસક શબ્દ અને હિન્દુઓની ગંદકી !


GHELA SOMNATH AND AARADHANA DHAM: જસદણ નજીક આવેલું તીર્થ,
ઘેલા સોમનાથ અને જામનગર જિલ્લાનાં ખંભાળિયા પાસે આવેલું જૈન તીર્થ આરાધના ધામ 



       
અમારી ટીમ એ સમયે ડોક્યુમેન્ટરી, ‘ગોલ્ડન ગુજરાત’ના શુટિંગ માટે આખા ગુજરાતના પ્રવાસે હતી. ‘ગોલ્ડન ગુજરાત’ એક નોન-કમર્શિયલ પ્રોજેક્ટ હતો. ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ થઇ રહ્યા હતા અને અમે એક એવી ડીટેઇલ્ડ ડોક્યુમેન્ટરી બનાવવા માંગતા હતા જેમાં ગુજરાતનો ખૂણેખૂણો કવર થતો હોય. ગુજરાતના તીર્થો, સમુદ્રી બીચ વગેરે તો ખરું જ, સાથેસાથે ગુજરાતના (ગીર અને ડાંગ ઉપરાંતના પણ) અભયારણ્યો, ઇકો ટુરિઝમની વિવિધ સાઇર્ટ્સીં બધું જ અમે કવર કરી રહ્યાં હતા. મારા મિત્ર ડો. શૈલેષ માકડીયાની કંપની ‘રાધે ગૃપ ઓફ એનર્જી’એ આખો પ્રોજેક્ટ સ્પોન્સર કર્યો હતો અને આયોજન એવું હતું  ચારેક ભાગમાં બનેલી આ ડોક્યુમેન્ટરિઝ પછી નિઃશુલ્ક વિતરણ દ્વારા ફેલાવવી, તેની કોપી ગુજરાત ટુરિઝમના દરેક ડેસ્ક પર પર્યટકો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવી. કાર્ય ઉમદા હતું. અંબાજી, સોમનાથ કે દ્વારકા જેવા હાઇ સીક્યુરિટી ધરાવતા તીર્થોમાં શુટિંગ માટે તકલીફ ન સર્જાય એ માટે તે સમયના પ્રવાસન-તીર્થધામ ખાતાના મંત્રી જયનારાયણ વ્યાસએ એક સરસ પત્ર પણ અમને આપ્યો હતો. જેમાં તેમણે અમારી ટીમનો ઉમદા હેતૂ જણાવીને શુટિંગ, બોર્ડિંગ માટે સહકાર આપવા ભલામણ કરી હતી.

‘ગોલ્ડન ગુજરાત’ના શુટિંગ માટે સમગ્ર ગુજરાતમાં ફર્યા. સોમનાથ પણ ગયા અને ડાકોર પણ કંડાર્યુ. કોટેશ્વર પણ પહોંચ્યા, કાયાવરોહણ પણ ગયા. બગદાણા, વિરપુર, નડિયાદ અને સારણેશ્વર ખાતે પણ શુટિંગ કર્યુ. સિદ્ધપુરથી શામળાજી અને નારાયણ સરોવરથી લઇ શબરી ધામ લગી બધી જ જગ્યાએ શુટિંગ માટે સહકાર મળ્યો, રહેવાની વ્યવસ્થા કરવામાં પણ તકલીફ ન પડી. કારણ કે, એ માટેના પૂરેપૂરા પૈસા ચૂકવવા અમે હંમેશા તૈયાર જ રહેતા હતા. હા! અલગ વાત છે કે, ઘણીબધી જગ્યાએ (અમે વિવેક કર્યો હોવા છતાં!) અમારી પાસેથી કશો જ ચાર્જ લેવાયો નહોતો. પરંતુ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમને થયેલો એક અનૂભવ ખરેખર ‘યાદગાર’ હતો! આજે પણ એ બનાવ ભૂલાતો નથી.

અમે એ દિવસે ઉત્તર ગુજરાતનાં વિવિધ સ્થળોએ શૂટિંગ કરી રહ્યા હતા. બહુચરાજી અને મોઢેરામાં શૂટિંગ પતાવી અમે રાત્રે દસ વાગ્યે જૈન તીર્થ શંખેશ્વર પહોંચ્યા. વહેલી સવારથી શંખેશ્વરમાં શૂટિંગ શરૂ કરવાનું હતું એટલે રાતવાસો ત્યાં જ કરીએ તો અમને વધુ અનુકુળ રહે તેમ હતું. અમારી ટીમમાં કુલ છ વ્યક્તિ હતી. સપ્ટેમ્બરનો સમય હતો અને આખુ શંખેશ્વર ઓલમોસ્ટ ખાલી હતું. યાત્રાળુઓની ભીડ ક્યાંય જોવા મળતી નહોતી. તેથી જ અમને ધરપત હતી કે, શંખેશ્વરમાં આસાનીથી જગ્યા મળી જશે. રસ્તામાં અમને એક મહાકાય ધર્મશાળા દેખાઇ. ગાડીમાંથી ઉતરીને ત્યાં રૂમ માટે તપાસ કરી. ધર્મશાળાના સીત્તેર રૂમમાંથી લગભગ પંચાવન રૂમ ખાલી હતા. પરંતુ રિસેપ્શન પર બેઠેલા ભાઇએ પૂછ્યું કે, ‘તમે જૈન છો?’ અમે ‘ના’ કહી, તેમણે કહ્યું કે, ‘અમે ‘અજૈન’ને રૂમ નથી આપતા!’

‘અજૈન’ જેવો ગંદો અને હિંસક શબ્દ મેં ત્યારે પ્રથમ વખત સાંભળ્યો હતો. મારા માટે આ શબ્દ સાવ નવો હતો. કારણ કે, મેં તો કદી અહિન્દુ, અમુસલમાન કે અખ્રિસ્તી જેવા શબ્દો પણ સાંભળ્યા નહોતા/સાંભળ્યા નથી. અમે એ ભાઇને વિનંતી કરી અને કહ્યું કે, ‘અજૈન’ તરીકે અમે વધારાનો ચાર્જ ચૂકવવા પણ તૈયાર છીએ, પણ અમને બે રૂમ કાઢી આપો! આખા દિવસના શૂટિંગ પછી અને સતત પ્રવાસ પછી અમે ખરેખર થાક્યા હતા. અસહ્ય થાકોડા વચ્ચે એ ભાઇ સાથે લમણા લેવાની શક્તિ અમારી પાસે નહોતી. છતાં અમે એમને સમજાવવા પ્રયત્ન કર્યો, અમારા આગમનનો ઉદેશ્ય જણાવ્યો, એક ઉમદા કાર્ય માટે નીકળ્યા છીએ એવું સમજાવવા પ્રયાસ કર્યો, મંત્રીશ્રીનો પત્ર દેખાડ્યો.

કશું જ વળ્યું નહીં. એ ભાઇ ટસના મસ ના થયા. અમે ડઘાઇ ગયા હતા. અમારામાંથી કોઇ ‘પીધેલા’ નહોતા, માંસાહાર અમે કરવાના નહોતા. અમે થાક્યાપાક્યા વટેમાર્ગુ માત્ર હતા-જે એક ઉમદા હેતૂથી યાત્રા પર નીકળ્યા હતા. છતાં અમને ઉતારો-આશરો આપવાની મનાઇ શા માટે? કંઇ સમજાતું ન હતું. અમે બીજી ધર્મશાળાએ ગયા... ત્યાં પણ એ જ કહાનીની રિમેક બની. ત્રીજી, ચોથી, પાંચમી... શંખેશ્વરની એકાદ ડઝન ધર્મશાળાએ અમે સંપર્ક કર્યો. આ દરમિયાન ત્યાં પૂછ્યું પણ ખરું કે, શંખેશ્વરમાં કોઇ હોટલ છે કે નહિં! જવાબ મળ્યો કે, ‘ના.’ ‘નથી. ’ અહીં ધર્મશાળાઓ તો સેંકડો છે પણ (અને કદાચ એટલે જ) હોટેલ નથી. ધર્મશાળામાં ઉતર્યા સિવાય અમારી પાસે બે જ વિકલ્પો બચતા હતા! (1) યા તો ફુટપાથ પર કે ગાડીમાં સુઇ જવું (ર) મહેસાણા કે એવા કોઇ શહેર તરફ ભાગી છૂટવું.

બીજો વિકલ્પ અમારા માટે લગભગ અશક્ય જેવો હતો. એ દિવસે વહેલી સવારથી સાંજ શૂટિંગ કર્યુ હતુ. એ પછી અને એ દરમિયાન કલાકોનું ટ્રાવેલિંગ કર્યુ હતું. એટલે ડ્રાઇવિંગ કે મુસાફરી શક્ય જ નહોતા. વધુ એક ધર્મશાળાએ અમે સંપર્ક કર્યો. ફરી એ જ જવાબ. અમે એમને પરિસ્થિતિ સમજાવવા પ્રયત્ન કર્યો, અમારો ઉદેશ્ય જણાવ્યો અને વિવિધ ભલામણપત્રો પણ દેખાડ્યા. અમેને અમારા પર થોડી દયા આવી હશે એટલે કહ્યું: ‘અમને તો વાંધો નથી, અમારા ટ્રસ્ટી સાથે વાત કરી લો!’ પોતાનાં ફોનમાંથી તેમણે મુંબઇ સ્થિત કોઇ ટ્રસ્ટીને ફોન જોડ્યો અને થોડી પ્રાથમિક ભૂમિકા બાંધીને મને ફોન આપ્યો. મેં કહ્યું, ‘સાહેબ! માત્ર પાંચ-સાત કલાકનો સવાલ છે, તમારી ધર્મશાળામાં એંસી ટકા રૂમ ખાલી છે. તમે કહો તે ચાર્જ ચૂકવવા તૈયાર છીએ...’
મારી વાત કાપીને તેમણે કહ્યું: ‘નહિ મેળ પડે, ભાઇ! અમે અજૈનોને રૂમ આપતા જ નથી!’

*****

અજૈન. જૈનો દ્વારા પ્રયોજાતો સૌથી હિંસક શબ્દ. અને ‘અજૈનો’ સાથેનો તેમનો વ્યવહાર? અમારા જેવા ‘અજૈનો’ની સાથે જે વ્યવહાર થયો, તેનાં કરતા વધુ સારો વ્યવહાર તો તેઓ ગાયો અને કબૂતર સાથે કરે છે! સારૂ છે કે, કબૂતરોમાં જૈન-હિન્દુ કે ઇસ્લામ જેવો ધર્મ નથી હોતો, નહિંતર જૈન તીર્થોનાં ચબુતરાઓમાં માત્ર જૈન કબૂતરોને ચણ મળતું હોત, એ પણ સાંજે છ પહેલા.

વૃત્તિઓને જ્યારે વધુ પડતી દબાવવામાં આવે અને વજનદાર હાથે તેને ડામવામાં આવે ત્યારે હિંસા અને નફરત જેવા ભાવ અલગઅલગ સ્વરૂપે બહાર નીકળતા હોય છે. તેની ધારા રોકી શકી નથી, હા! એ ફંટાઇ જરૂર જાય છે.

*****

અનેક વિચારો આવી રહ્યા હતા મને. ગુસ્સો પણ આવતો હતો. હું સંયમમાર્ગનો પંથી નથી, અહિંસાનો પુજારી નથી અને કરુણાનું નિર્મળ ઝરણું પણ મારી ભીતર વહેતું નથી. મારા જેવા અજૈન અને પામર મનુષ્યનું દિમાગ આવી સ્થિતિમાં જે પ્રકારે રિએક્ટ કરે તેવા જ ભાવો મારી માંહે પણ સર્જાઇ રહ્યા હતા. સમસ્યા એ પણ હતી કે, આખી ટીમની જવાબદારી મારા પર હતી. મારે જ વ્યવસ્થા કરવાની હતી, નિર્ણય લેવાનો હતો. પ્રવાસમાં અમારી સાથે જોડાયેલા મિત્ર હિમાંશુ કલ્યાણી (અજૈન. મોઢ વણિક)ને મેં કહ્યું કે, ‘કંઇક રસ્તો કાઢ, ભાઇ!’

હિમાંશુએ કહ્યું, ‘હવે, જે જગ્યાએ ધર્મશાળા દેખાય ત્યાં ગાડી રોકાવજો!’

ધર્મશાળા દેખાઇ. હું અને એ ગાડીમાંથી ઉતર્યા.
સડસડાટ રિસેપ્શન પર ગયા. હિમાંશુએ કહ્યું:

‘બે રૂમ કાઢી આપો!’

‘શું નામ? ક્યાંથી આવો છો?’ પેલાએ પૂછ્યું.

‘હિમાંશુ શાહ, રાજકોટ’ મારા મિત્રએ જવાબ આપ્યો.

મેં કહ્યું, ‘હવે નવકાર મંત્ર બોલવાનું કહેશો નહિ... લો... નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં...’
મેં નવકાર મંત્ર પૂરો કર્યો ત્ળ્યાં સુધીમાં પેલા ભાઇએ ચાવીક અમને પકડાવી દીધી, ફટાફટ અમને ડીપોઝિટ વગેરેની ફોર્માલિટી ખતમ કરી અને ઝડપભેર રૂમનો કબ્જો લઇ લીધો. અંદર જઇને અહિંસા, સત્ય, કરુણાની વાતો કરતા કરતા અમે સૌ પાપી, પામર અજૈનો થોડી ક્ષણોમાં જ ઊંઘી ગયા.

*****

જૈન ધર્મમાં ‘સાધર્મિક વાત્સલ્ય’ જબરું મહત્વ છે. તીર્થયાત્રાઓની સેવાની પણ તેમાં તીર્થયાત્રા કર્યા બરાબર ગણાવાઇ છે. પણ આખા જૈન ધર્મમાં ક્યાંય ‘વિધર્મિક ઘૃણા’ જેવા શબ્દનો ઉલ્લેખ નથી. સવાલ એ છે કે, પોતાની જાતને સુપીરિયર કે સુપર હ્યુમન સમજવાની અને બાકીનાને તૂચ્છ જાણવાની આ ગંદી ભાવના આવી છે ક્યાંથી? શું જૈન શ્રેષ્ઠીઓ અને મહારાજ સાહેબો આ મનોવૃત્તિને ઉત્તેજન આપી રહ્યાં છે? સવાલો થવા સ્વાભાવિક છે. કારણ કે, આખા ગુજરાતની મારી યાત્રા દરમિયાન મને સોમનાથ, અંબાજી, દ્વારકા જેવા સ્થળોએ ક્યારેય એવો સવાલ નથી પૂછાયો કે, ‘તમે અહિન્દુ તો નથી ને!’ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચાલતી સુવિધાસભર ધર્મશાળાઓમાં હિન્દુઓને પણ રૂમ મળી શકે છે, જૈનોને પણ મળે છે અને મુસ્લીમોને પણ મનાઇ નથી.

શંખેશ્વર પછી આવો જ અનૂભવ અમને પાલિતાણામાં થયો. જો કે, અગાઉના અનૂભવ પરથી ધડો લઇને અમે સૌ અજૈનોએ ત્યાં સલામતી ખાતર આગોતરી વ્યવસ્થા કરી રાખી હતી, એટલે ઝાઝી તકલીફ ન થઇ. આખી વાતનો ટૂંકસાર એ છે કે, માત્ર મહાવીરને ભજવાથીકે પૂજવાથી કોઇ કરુણામય બની જતું નથી. સમતાભાવ અને માણસાઇ એ એક પ્રકારનો નિત્યક્રમ છે. અંદરથી એ ઉગી નીકળે તો એની ડેઇલી પ્રેક્ટિસ થઇ શકે. નહિંતર બધી ઠાલી વાતો છે.
શીખવા માટે કોઇ ઉંમર નાની નથી હોતી, કોઇ તબક્કો અયોગ્ય નથી હોતો. જૈનો જો બહેતર પ્રજા બનવા માંગતા હોય તો ‘અજૈનો’ પ્રત્યેના તેમના અભિગમમાં સુધારો આણવા હિન્દુઓમાંથી પ્રેરણા લઇ શકે છે. અને હિન્દુઓએ જો સુધરવું હોય તો તેઓ જૈનોનાં કેટલાંક સિદ્ધાંતોમાંથી કશુંક પામી શકે છે.

===========

હિન્દુ તીર્થોમાં પંડાઓના જે દૂષણ જોવા મળે છે, એવા અપલખ્ખણ જૈન તીર્થોમાં જોવા મળતા નથી. જૈનોમાં સાધર્મિક વાત્સલ્ય (તેની સામે કોઇ જ વાંધો નથી, તકલીફ છે. અન્ય ધર્મોના લોકોને અછૂત તથા પામર ગણવા સામે અને મિથ્યાભિમાન સામે) નામની એક ઉદાત્ત ભાવનાનો મહિમા ગવાયો છે. એટલે જ જૈન તીર્થો પર યાત્રાળુઓને ભોજન એવી રીતે પીરસવામાં આવે છે-જાણે ઘેર કોઇ મોંઘેરા મહેમાન આવ્યા હોય. બીજી તરફ હિન્દુ તીર્થોમાં ભોજનદિ એવી રીતે અપાય છે જાણે તેઓ યાત્રાળુઓ પર કોઇ ઉપકાર કરી રહ્યા હોય. વીરપુરમાં બે-ત્રણ વખત પ્રસાદ (ખિચડી-કઢી) લીધો છે, પણ પછી ત્યાં જવાનું થાય તો જલારામ બાપના દર્શન કરી નીકળી જવું જ બહેતર માન્યું છે. ત્યાં થાળીમાં ખિચડી-કઢીને રીતસર ફેંકવામાં આવે છે. હેતથી-પ્રેમપૂર્વક જમાડવાની કોઇ ભાવના જ નહિં. જાણે ભિખ આપતા હોય તેમ ફટાફટ બધુ ફેંકી ને યાત્રાળુઓને રવાના કરી દેવાનાં...

માત્ર વિરપુરની જ આ કથા નથી. લગભગ પ્રત્યેક હિન્દુ તીર્થ પર આવી સ્થિતિ છે. ઘેલા સોમનાથ હમણાં જ જવાનું બન્યું. ખિચડી-કઢી-શાક-રોટલીનું મેનુ હતું. પણ વ્યવસ્થા એટલી ખરાબ કે, જમવા માટે ઊભું રહેવું હોય તો જગ્યા જ ન મળે. જમ્યા પછી વાસણ જાતે ઉટકવાનો નિયમ દરેક હિન્દુ તીર્થમાં હોય છે. આ વિચિત્ર નિયમનો ફાયદો શો છે એ સમજાતું નથી. વર્ષે કરોડોનું દાન મેળવતા તીર્થોને બે-પાંચ હજાર પગારવાળા બે-ચાર માણસો શા માટે પરવડતા નહિં હોય! શું વાસણ જાતે માંજવાથી ઇશ્વર પ્રસન્ન થઇ જતા હશે!

ઓ.કે. નિયમ રાખ્યો છે તો કમ સે કમ વ્યવસ્થા તો એવી રાખો કે, યાત્રાળુઓ વાસણ માંજી શકે! દરેક આવા તીર્થો પર એક ટબમાં એઠવાડ ઠાલવવાનો હોય છે. પછી એક સાબુના પાણીનો ટાંકો હોય છે અને ત્યાં વાસણ સાફ કર્યા પછી ચોક્ખા-સાદા પાણીમાં વાસણ ધોવા પડે છે. સમસ્યા એ છ કે, આવા દરેક તીર્થો પર સાબૂનું પાણી પણ ગંદુ હોય છે અને કહેવાતું ચોક્ખું પાણી પણ એટલું ગંદુ હોય છે. ટાંકી જાણે તેલ અને એઠવાડથી ભરી હોય એવું લાગે! આમાં તો પ્રભુનો જો એ તીર્થમાં વાસ હોય તો પણ તેઓ ભાગી છુટે.

લગભગ દરેક જૈન તીર્થમાં વાજબી દામથી અથવા ટોકન દરે (એક રૂપિયાથી લઇને પચાસ રૂપિયા સુધી) ઉત્તમ-હાઇજેનિક ભોજન ઉપલબ્ધ હોય છે. તેની સામે લગભગ દરેક હિન્દુ તીર્થમાં એકદમ વાહિયાત, બિન આરોગ્યપ્રદ ભોજન મળતું હોય છે. નિઃશુલ્ક મળતું આવું ભોજન સરવાળે તો યાત્રાળેઓને મોંઘુ પડે છે. કારણ કે, વ્યક્તિ દાનપેટીમાં પૈસા નાંખ્યા પછી પણ એકદમ ઉતરતી કક્ષાનું ભોજન જ પામે છે. એ પણ એવી રીતે જાણે એ ભિખારી હોય.

હિન્દુ તીર્થોની એક સૌથી નિંદનીય બાબત કોઇ હોય તો એ છે-તેની ગંદકી અને ગેરવ્યવસ્થા. ડાકોરથી દ્વારકા અને હરિદ્વારથી પુરી, રામેશ્વર સુધીના દરેક તીર્થોમાં તમને ભક્તિ અને અંધશ્રદ્ધા તથા શ્રદ્ધાની સાથેસાથે વધુ એક બાબત કોમન જણાશેઃ ગંદકી. હર કી પૌડીની હાલત ગંદી પ્રજાએ એવી કરી છે કે, ત્યાં ઉભા રહેવું મુશ્કેલ હોય છે. હરિદ્વારમાં ગંગાસ્નાન કરતા હોઇએ તો દર બીજી ક્ષણે તમારા શરીર સાથે એકાદ માનવઅસ્થિનો સ્પર્શ થતો રહે. મથુરા જેવા તીર્થો પર જે લોકો યમુનામાં સ્નાન કરી શકે તેમની માનસિક સ્થિતિની ચકાસણી થવી જોઇએ. ભારતભરના લગભગ તમામ હિન્દુ તીર્થો પર આપણને અવ્યવસ્થા, ગંદકી અને ઉઘાડછોગે થતી ભૂંડી લૂંટના દર્શન થાય છે.

વૈષ્ણોદેવી જવાનું અનેક વખત બન્યું છે અને દરેક વખતે ત્યાં વધુ ને વધુ કડવા અનૂભવો થયા છે. એક વખત અમે વૈષ્ણોદેવી પહોંચ્યા. તળેટીમાં આવેલા કટરાથી જો તમારે વૈષ્ણોદેવીનો પહાડ ચડવા જવું હોય તો ત્યાં પાસ-પરમિટની પ્રથા છે. ભીડ ભયંકર હતી. પરમિટની બારી બંધ થઇ ગઇ હતી અને સ્થાનિક ઓથોરિટીના કહેવા મુજબ આવનારા બે દિવસ સુધી બારી ખુલવાની સંભાવના ન હતી. કારણ કે, દોઢ લાખ જેટલા યાત્રાળુઓને ઓલરેડી પરમિટ અપાઇ ચૂકી હતી. અમે નિરાશ થઇને આંટા મારી રહ્યા હતા. ત્યાં જ ચમત્કાર થયો! સિનેમા હોલની બહાર જે રીતે ટિકિટમાં કાળા બજાર થતા હોય છે એમ અહીં પણ પરમિટ વેચવાવાળાની ભરમાર હતી. તમારે પરમિટ જોઇતી હોય તો તેમના સાગરીત તમને કટરા ગામની સાંકડી ગલીઓમાં લઇ જાય-જ્યાં પરમિટ વેંચનારાઓના રીતસર અડ્ડા હોય છે!

બીજી તરફ વૈષ્ણોદેવી ગયા ત્યારે હેલિકોપ્ટર સર્વિસ માટે આવા કાળાબજાર જોયા અને માત્ર વૈષ્ણોદેવીની વા તશા માટે કરવી! દેશભરના  હિન્દુ તીર્થોમાં આ જ સ્થિતિ છે. શિરડી જેવા અપવાદોને બાદ કરતા જમવાની દરેક જગ્યાએ કનિષ્ટતમ્ વ્યવસ્થા હોય છે. ટેબલ-ખૂરસી પર જો હિન્દુ તીર્થમાં ભોજન મળે તો માનવું કે તમારા ઉઘડી ગયા. પ્રત્યેક જૈન તીર્થમાં ભોજનદિ માટે ટેબલ ખૂરસીની વ્યવસ્થા હોય છે અને પ્રેમથી ભોજન પીરસાતું હોય છે. બીજી તરફ લગભગ દરેક હિન્દુ તીર્થમાં જમીન પર બેસવાની વ્યવસ્થા પણ માંડ હોય છે અને ભોજન પીરસાતુ નથી, ફેંકાતુ હોય છે! બેઉ વચ્ચેના મેનુમાં પણ ખાસ્સો ફર્ક હોય છે. હિન્દુ તીર્થોમાં ખિચડી-કઢી કે ખિચડી-બટેટાનું છાલવાળું શાક આપીને વહિવટદારો મોટો મીર માર્યાનો સંતોષ પામી લે છે. જ્યારે જૈન તીર્થોમાં ટોકન દરથી કે પડતર દામથી ઉત્તમ ભોજન અને નાસ્તો વગેરે અપાય છે.



હમણાં રાજસ્થાનના જૈન તીર્થ પાવાપુરી (માઉન્ટ આબુ નજીક) જવાનું થયું. સવારના નાસ્તાનો ચાર્જ 35 રૂપિયા છે ત્યાં. અચ્છા પાંત્રીસ રૂપિયામાં ત્યાં બ્રેકફાસ્ટમાં શું-શું હતું? ચા, કોફી, દૂધ, ફાફડા, મિની ઉત્તખા, ખાખરા, લાચકો મગ અને ગરમાગરમ પુરી. થોડા સમય પહેલા ખંભાળિયા-દ્વારકા નજીક આવેલા જૈન તીર્થ આરાધના ધામ ગયા હતા. 45 રૂપિયાની પાવતી લઇ અમે બપોરનું ભોજન લીધું. કાચા કેળાનું શાક, લીલી ચોળીનું શાક, ચણા, ઢોકળા, પુરી, રોટલી, દાળ-ભાત, ચુરમાના લાડુ અને છાસ તથા સલાડ. ગયા વર્ષે એક ઉત્સવમાં પાલિતાણા ગયા હતા-ત્યાં 60 રૂપિયાનું ટોકન લઇ કેવું ભોજન અપાતું હતું તેની તસવીર-તેના મેનુનો ફોટોગ્રાફ આ સાથે મેં અપલોડ કર્યો છે. જો કે, એ તો કોઇ ભવ્ય ઉજવણી હતી. સવાલ એ છે કે, આરાધના ધામ કે પાવાપુરી જેવી (સાદુ પણ હાઇજેનિક અને શુદ્ધ ભોજનની) વ્યવસ્થા હિન્દુ તીર્થો પર કેમ ના થઇ શકે? શા માટે ન થઇ શકે?

યાત્રાધામો પર વાજબી ભાવથી ભોજન-ઉતારો વગેરે મેળવવાનો યાત્રાળુઓનો અધિકાર છે. એ વાત ભૂલવા જેવી નથી કે, આવા તીર્થધામોની તિજોરીઓ યાત્રાળુઓ જ છલકાવતા હોય છે અને જે-તે તીર્થસ્થાનનું આખુ અર્થતંત્ર યાત્રાળુઓ પર નિર્ભર હોય છે. દરેક પ્રવાસી કે યાત્રાળુ ચિક્કાર નાણાં ખર્ચી શકે એવા હોતા નથી, એમનું ગજું પણ એટલું હોતું નથી. વળી તીર્થસ્થાનોએ મોટાભાગે લોકો સપરિવાર-સમુહમાં નીકળતા હોય છે. આવા સંજોગોમાં તેમને લકઝરિયસ નહિં તો ય સ્વચ્છ અને સુવિધાદાયાક ઉતારો મળે, સેવન કોર્સ ભોજન નહિં પણ સાદું છતાં પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ભોજનદિ મળે એ અનિવાર્ય છે. જૈનો તો આ વાત સારી પેઠે સમજે છે, હિન્દુઓ ક્યારે સમજશે?


નોંધઃ-
*આ પોસ્ટ કોઇ ધર્મનો આંધળો વિરોધ નથી કરતી તેથી તેની પાછળનો ઉમદા ઉદેશ્ય સમજ્યા વગર તેનો આંધળો વિરોધ કરવા દોડ્યા આવવું નહિં.
*મુસ્લીમોના તીર્થોનો અહીં એટલે ઉલ્લેખ નથી કે, એમના તીર્થ સૌથી ગંદા હોય છે. જેમાં કોઇ સુધારો ક્યારેય થશે નહિ એવું હું સ્પષ્ટ માનુ છુ. અજમેર, હાજી પીર, દિલ઼્હીની ખ્વાજાની દરગાહ વગેરે ગયા પછી હવે મેં કસમ લીધા છે કે, શક્ય હોય ત્યાં સુધી એકપણ મુસ્લીમ તીર્થોએ ક્યારેય જવું નહિ.

Friday, January 18, 2013

ગઝની, રોમીલા અને દુષ્ટ સેક્યુલરિયાઓ: વર્તમાનને પણ ટ્વિસ્ટ કરી શકતા લોકો જ્યારે ઈતિહાસ સાથે ખેલ ખેલે છે ...


SOMNATH - GHAZNI - DR. RAJENDRA PRASAD
તસ્વીર - 1: ગઝનીએ સોમનાથમાં મૂર્તિઓનો ધ્વંશ કર્યો હતો એ દર્શાવતું એક ચિત્ર,
તસ્વીર-2: અવિરત આક્રમણો પછી ખંડિત અવસ્થામાં રહેલું સોમનાથ મંદિર,
તસ્વીર-3: જીર્ણોધ્ધાર માટે સોમનાથ આવેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ,
તસ્વીર-4: નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જામ સાહેબ વગેરે,
તસ્વીર-5: વતમાન સમયના સોમનાથ મંદિરનું રાત્રીનું દ્રશ્ય 

સાવધાન! હમારી બીજી કોઈ શાખા નથી! અમને માલુમ થયું છે કે, સોમનાથના નામે  કેટલાક ભળતા - સળતા લોકો પોતાની ડાબેરી વિચારધારાની રેંકડી ચલાવવા નીકળ્યા છે, આવા કાછિયાઓથી ચેતવા સૌને ભલામણ છે. હમારો માલ અસલી છે - ત્યાં સઘળું નકલી છે! મોદી વિરોધ અને હિન્દુત્વ વિરોધની લારી વર્ષોથી ચલાવતા આવા ફેરિયાઓ ઇતિહાસને તોડવા - મરોડવા માટે કુખ્યાત છે, અરે! તેઓ વર્તમાનને પણ તોડી-મરોડી જાણે છે: ગોધરા કાંડ તેમના મતે નરોડા પાટિયાથી શરુ થયો હતો! અને જગતના દરેક પ્રશ્નોનું મૂળ મોદી જ છે, એવું તેઓ ગર્વપૂર્વક માને છે! એમના બ્રેડ એન્ડ બટર આ બે-ત્રણ રેંકડી પર જ ટકેલા છે ... પોતાની અટપટી થીયરી સાબિત કરવા તેઓ કોઈ પણ આલિયામાલિયા ઇતિહાસકારના પુન્છડે ઝૂલી શકે છે! શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપરના સેકંડ હેન્ડ કે થાઉઝંડ્થ હેન્ડ અભિપ્રાયો પર હમારો લેખ આધારિત નથી, વળી હમારા લેખમાં કોમન સેન્સ અને અક્કલ પણ ઇસ્તેમાલ કરવામાં આવેલ છે - જેની લાગતા - વળગતા , ધૂણતા અને ધુણાવતા તત્વોએ નોંધ લેવી. હમારા લેખમાં અલ બેરુનીના અને ઉત્બીના સંદર્ભો ઝાઝા છે અને ઈતિહાસ કહે છે કે,  શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપર ગઝની ભેગા ભારત નહોતા આવ્યા - બેરુની આવ્યો હતો અને ઉત્બી પણ પધાર્યો હતો. હમારા ખ્યાલ મુજબ રોમીલા અને દેસાઈજી ગઝનીના કાળમાં હતા જ નહિ - કાછિયાઓ પાસે એવા સંદર્ભો પણ હશે જેમાં તેઓ થાપર અને દેસાઈનો જન્મ ઇસવીસન પૂર્વે થયો હોવાનું સાબિત કરી શકે! આવા દુષ્ટ તત્વોથી ચેતતા રહેજો - ચેતતો નર અને ચેતતી નારી સદા સુખી! ચૈન સે સોના હૈ તો અબ જાગ જાઓ ... ડાબેરી દુષ્ટો અબ ભાગ જાઓ .... જોતા રહેજો આ બ્લોગ ... કળીયુગના ડાબેરી દૈત્યોનો પર્દાફાશ કરવા આ જ શ્રેણીમાં અન્ય લેખો પણ આવી રહ્યા છે ....


THANESAR - GHAZNI - UTBI - AL BERUNI
થાનેસરના અપભ્રંશ થયેલા નામે ઓળખાતું સ્થાનેશ્વર મંદિર: અલ બેરુની અને ઉત્બી સહીત
અનેક ઈતિહાસકારોએ અહીં થયેલા ભયાનક યુદ્ધનું - કત્લેઆમનું ધ્રુજાવી દેતું વર્ણન લખ્યું છે 

"(હરિયાણાના) થાનેસરમાં હિન્દુઓએ તેને મૂર્તિ ખંડિત નહિ કરવા અને મંદિર નહિ તોડવાની વિનંતી કરી - તેના બદલામાં દર વર્ષે તેને મોટી રકમનો તથા દર વર્ષે હીરા - ઝવેરાત અને પચાસ હાથીઓ આપવાનો પ્રસ્તાવ મુક્યો. મેહમુદએ પ્રસ્તાવ નકાર્યો અને કહ્યું: "મારો ધર્મ મને કહે છે કે, પયગંબર સાહેબના સિદ્ધાંતોનો જેટલો ફેલાવો કોઈ વ્યક્તિ કરશે, વિધર્મીઓની મૂર્તિઓનો વિધ્વંશ કરશે ... એટલા જ પ્રમાણમાં તેને જન્નતમાં વળતર - ઇનામ મળશે!" આ જ તેનું વલણ હતું ... અલ્લાહની મદદથી ભારતની જમીન પરથી મૂર્તિ પુજકોને ભૂંસી નાખવા એ તેનું લક્ષ્ય હતું! તો પછી એ થાનેસરમાં આવી લાલચમાં શા માટે અટવાય? સોમનાથમાં પણ તેને આવી જ રજુઆત થઇ, શિવલિંગ નહિ તોડવાની શરતે તેને વાર્ષિક ધોરણે તગડી રકમ ચુકવવા માટે હિંદુઓ તૈયાર હતા. તેની સેનાના અગ્રણી સલાહકારો વગેરેએ પણ તેને સલાહ આપી કે, આ પ્રસ્તાવ તેણે સ્વીકારી લેવો જોઈએ ... કેમ કે, જેટલી વાર્ષીક રકમ ચુકવવા હિંદુઓ તૈયાર થયા હતા એટલી તો તેને લૂંટ દ્વારા પણ મળે એમ નહોતું! તેનો જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ હતો, તેના માટે તેના ધર્મનો વૈભવનું મુલ્ય લૂંટના માલ કરતા વધુ હતું! તેણે કહ્યું: 
'મને ખ્યાલ છે કે, મૂર્તિ ના તોડું તો મને ફાયદો છે!
પણ હું ઈચ્છું છું કે, કયામતના દિવસે અલ્લાહ મારા વિષે એમ કહીને મને સાદ આપે કે, 'ક્યાં છે એ મેહમુદ - જેણે કાફીરોની મહાકાય મૂર્તિઓ તોડી છે?' 
હું એવું નથી ઈચ્છતો કે, મારા માટે એવું બોલાય કે, 
'ક્યાં ગયો એ મેહમુદ - જેણે થોડા સોના માટે કાફીરોની મૂર્તિ વેંચી નાખી!"


આ બયાન મારું નથી, એ કોઈ કલ્પના નથી પરંતુ મોહમદ ગઝનીએ ભારતમાં મચાવેલા કાળા કેરનો આંખે દેખ્યો અહેવાલ છે. આ વર્ણન છે અબુ નાસર મુહંમદ ઈબ્ન મુહંમદ અલ જબ્બારું - એ - "ઉત્બી"નું. ઉત્બીના નામથી ઓળખાતો આ ઇતિહાસકાર મોહમદ ગઝનીનો મંત્રી હતો, એ ભારત તેની સાથે જ આવ્યો હતો અને પછીથી તેણે "તારીખ-એ-યમની" નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ગઝનીની યુદ્ધશૈલી વિષે અને તેની ધર્માન્ધતા અંગે ઘણું લખ્યું છે. ડફોળ ડાબેરીઓ જ્યારે રોમીલા થાપરના ફાલતું તર્ક અને શંભુપ્રસાદ દેસાઈના વિચારો (એને તથ્ય ના કહી શકાય, એ વિચારો છે!) ટાંક્યા કરે છે, ત્યારે અલ બેરુની વિષે અને ઉત્બી વિષે સિફતપૂર્વક કશું બોલતા નથી - બીજી શક્યતા એ છે કે, તેમને આખા પ્રકરણનો અભ્યાસ નથી! બેઉ સંજોગોમાં તેઓ પાપી અને દુષ્ટ સાબિત થાય છે - કારણ કે, અભ્યાસ ના હોય તો આવા વિષયને સ્પર્શ જ ના કરવો જોઈએ! પોતાનું ખરજવું ખંજવાળવાની તેમની "ઈચ" અને તૃષ્ણા ભાંગવા તેઓ કેટકેટલા તઃયોનો ખાત્મો બોલાવતા હોય છે! એક ભાઈ ગઝનીને સેક્યુલર ઠરાવવા કહે છે કે, "ગઝનીની સેનામાં હિંદુ સેનાપતિ પણ હતા એ આપણે ભૂલવું ના જોઈએ!' તે હોય જ ને! આજે પણ તમે ગઝનીના સેનાપતિ તરીકે ફરજ બજાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી હોય તો એ સમયે પણ તમારા જેવા ગદ્દારો હશે જ ને! હિન્દુઓનો ઈતિહાસ આમ પણ છળકપટ અને પરાજયોની દાસ્તાનથી ઉભરાઈ રહ્યો છે, તેમાં આજે પણ ગઝનીના પાયદળિયા તરીકે સેવા આપતા ગદ્દારોનું પ્રદાન ઓછું નથી.

આજે ગઝનીના દલાલો અને સેક્યુલર સોદાગરો ગઝની વિશે કેરેક્ટર સર્ટિફિકેટ ફાડી રહ્યા છે, આ એ જ રક્તપિપાસુઓ છે જે ઇતિહાસને  હંમેશા તોડતા અને મરોડતા રહ્યા છે. માત્ર ઈતિહાસ જ શા માટે, તેઓ તો વર્તમાન સાથે પણ ચેડા કરતા રહે છે. હા! આ એ જ જમાત છે - જેમના મતે ગુજરાતના હુલ્લડોની શરૂઆત નરોડા પાટીયાથી અને અમદાવાદના તોફાનોથી થઇ હતી, ગોધરા રેલ્વે સ્ટેશનથી નહિ! હિન્દુઓની એક ઐતિહાસિક ભૂલ એ રહી છે કે, તેઓ ડોકયુમેન્ટેશનમાં હમેશા નબળા પુરવાર થયા છે પરંતુ ઇસ્લામિક સ્કોલર્સ બહુ અગાઉથી આવી બાબતોનું દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે. એમની એ આદત અને સદગુણ આજે આપણને કામે લાગે છે. નહીતર દંભી સેક્યુલરિયાઓના આ યુગમાં તો કોઈ એવો દાવો પણ કરી શકે છે કે, મુહંમદ ગઝની નામનો શખ્સ જ હતો નહિ અને ભારત પર કદી આવા હુમલાઓ થયા જ નથી! હા! ઇતિહાસ સાથે ચેડા કરવા અને દિવસને રાતમાં તથા રાતને દિવસમાં ખપાવવી ... એ જ તેમનો રોટલો છે, જો તેમના લખાણમાંથી આવાં કચરા - કસ્તર બાદ કરી નાખો તો કોઠીમાં હેઠે પછી કાદવ પણ વધતો નથી. ઠીક છે, પેટ કરાવે વેઠ ... એવું અમસ્તા જ નથી કહેવાયું!

VAJRESHWARI - NAGARKOT - HIMACHAL - GHAZNI
હિમાચલના નગર કોટમાં આવેલા વજ્રેશ્વરી દેવીના મંદિરને પણ ગઝનીએ છોડ્યું નહોતું





           

બહરહાલ આપણે હવે ઉત્બીના લખાણો તરફ ધ્યાન આપીએ, કારણ કે, એ એટલી હદ્દે ઓથેન્ટિક છે અને સજ્જડ છે કે, દુષ્ટો તેનો ક્યારેય ઉલ્લેખ જ નહિ કરે. ઉત્બી લખે (ત્યારે સંઘ નહોતો એટલે 'આ લખાણ RSS  દ્વારા પ્રાયોજિત છે' એવું સુભાષિત બોલતા પહેલા ઈતિહાસ ચકાસી લેવો, અંગ્રેજી ના સમજાતું હોય તો વડીલોની મદદ લઇ શકાય!)  છે કે,  "મેહમુદ એક ઉત્સાહી અને થનગનતો ઇસ્લામિક દૂત હતો, ઇસ્લામમાં તેને અપાર શ્રધ્ધા હતી. (શાર્વાના યુધ્ધનું વર્ણન કરતા એ લખે છે કે) મુસલમાનોને મન દૌલતનું મહત્વ ત્યાં સુધી નહોતું - જ્યાં સુધી તેઓ કાફીરોની અને સૂર્ય - અગ્નિના પુજકોની કત્લેઆમ દ્વારા ધરાઈ ના જાય. કતલ થયેલા હિંદુઓના શબ ફંફોસી ને તેમના ગજવામાં છૂપાવેલા રત્નો  વગેરે મેળવવામાં ત્રણ દિવસ ગયા - કેમ કે, લાશોના ઢગલા જ એટલા મોટા હતા!  લૂંટમાં માલમાં સોનું, ચાંદી, માણેક અને મોતીઓનો ભંડાર હતો - જેની કીમત ત્રણ હજાર હજાર દિર્હામ (મુસ્લિમો એ સમયે હજાર કરતા આગળની ગણતરી જાણતા ના હતા  અને એ વાત અલ બેરુનીએ પણ નોંધી છે) થતી હતી! ગુલામો એટલા ભેગા થઇ ગયા હતા કે, તેમના ભાવ સાવ ગગડી ગયા હતા, ગઝ્ના નગરની દુકાનોમાં પણ આ જ ગુલામોને કામે રખાયા. એક ગુલામ માત્ર  બેથી દસ દિર્હામમાં વેંચાતો  હતો!"

ગઝની એક ધર્માંધ લૂંટારું હતો અને એ વાત એ સમયના ઈતિહાસકારોએ બહુ ગર્વપૂર્વક કબુલ કરી છે, એમના માટે એ ઘટનાઓ શરમજનક નહોતી પરંતુ ગૌરવપ્રદ હતી! ઈસ્લામને ફેલાવવા બદલ અને હિન્દુઓનો ખાત્મો કરવા બદલ ખલીફા અલ કાદિર બી-ઇલાહએ તેને "કહ્ફું - દ દૌલત વું - ઈ ઇસ્લામ" (રાજ્ય અને ઇસ્લામનો સંરક્ષક) નો ખિતાબ આપ્યો હતો, ઇતિહાસકાર મીન્હાજ - ઈ - સિરાજ (જન્મ; 1193, ઘુરીદ - અફઘાનિસ્તાન)એ પોતાના પુસ્તક 'તબાકત - એ - નાસીરી'માં લખ્યું છે કે, "ગઝની એ ઇસ્લામનો એક મહાયોદ્ધો હતો, તેણે એક હજાર કરતા પણ વધુ હિંદુ મંદિરોને મસ્જીદમાં ફેરવી નાખ્યા હતા!" વર્ણનો અનેક છે, એ સમયના ઈતિહાસકારોએ બધું નોંધ્યું છે, ગઝનીની ભારત લૂંટની દાસ્તાન એ સમયના લગભગ ચૌદ ઈતિહાસકારોએ નોંધી છે અને આ બધાના વર્ણનમાં એક વાત એકસમાન છે કે, "ગઝનીને મૂર્તિ પૂજકો અને સૂર્ય-અગ્નિના ઉપાસકો (હિંદુઓ)ની કત્લેઆમમાં એટલો રસ હતો કે, એ માત્ર લૂંટનો માલ મેળવીને સંતોષ માની લે એમ નહોતો!" ઉત્બીનું બયાન આગળ વધે છે, હવે વાત આવે છે થાનેસર (હરિયાણા)ની કત્લેઆમની: "... નાસ્તિકો (હિંદુઓ)નું લોહી એટલા પ્રમાણમાં વહ્યું હતું કે, ત્યાં વહેણમાં વહેતા પાણીનો રંગ લાલ થઇ ગયો હતો, એ પાણી પીવા લાયક પણ રહ્યું નહોતું! સુલતાન જ્યારે ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેની સાથે અખૂટ સંપત્તિ અને હજ્જારો ગુલામો લાવ્યો હતો, આસપાસના મુલ્ક - ઈરાક, ખુરાસન વગેરે જગ્યાએથી લોકો અહીં ખાસ ગુલામોની ખરીદી કરવા આવતા હતા! નગરકોટ (હિમાચલ - કાંગડા) માં તેને મળેલાં લૂંટના માળનું કુલ વજન સાત લાખ મણ હતું - જેમાં હીરા - માણેક અને સોના ચાંદી, રત્નો તથા ભરતકામ કરેલા વસ્ત્રો અને વાસણ જેવી અનેક વસ્તુઓ હતી!" 

કોઈ ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ અને તેનું વર્ણન કરતુ ફર્સ્ટ હેન્ડ સાહિત્ય જ્યારે હાજર હોય ત્યારે તેની અવગણના કરી, પોતાને મનગમતા લખાણો ક્યાંકથી શોધી લાવી અને પછી તેની પર બાલીશ તર્ક લડાવવા એ દુષ્ટ સેક્યુલરિયાઓની જૂની આદત છે. આ તેમની ગ્રંથી છે - જે છૂટતી નથી, દુષ્ટતા એમના સ્વભાવનું એક અંગ બની ગઈ છે જાણે. ગઝની અને ઇસ્લામિક આક્રમણખોરોના આતંક અંગે તેમનું આ વલણ નવું નથી, આ તેમની જૂની કબજીયાત છે. અહીં આપણે જે માહિતી આપી છે તે એકદમ રેચક છે - એમના માટે અકસીર ઈલાજ ગણાય એવી છે! પરંતુ તેઓ આ ઈસબગુલનું સેવન નહિ કરે, કારણ કે, અવગુણો અને જૂઠની કબજીયાત સાથે જીવવાનું એમને ફાવી ગયું છે - એ વિકૃત લાગણીઓ જ તેમને ટકાવી રાખે છે! વાર્તામાંના પેલા રાક્ષસની જેમ આ બધાનો જીવ પણ ભીતર વસતા દંભના પોપટની ડોકમાં છે, જે ક્ષણે તેઓ સત્ય સ્વીકારશે - એ જ ક્ષણે તેમના શ્વાસ રૂંધાઇ જશે. કારણ કે, તેમની કાયા જ આખી જુઠ્ઠી બનેલી છે, એમાં પાંચ તત્વનો અંશ નથી, છઠ્ઠું તત્વ - નર્યો દંભ અને જુઠ જ તેમની ભીતર ખદબદે છે!









Tuesday, January 8, 2013

ખોડલધામ, નરેશ પટેલ, કેશુભાઈ અને ગુજરાત ઈલેક્શન!!

શું ખોડિયાર માતા લેઉવા પટેલના કુળદેવી છે ??

Narendra Modi, Naresh Patel & Keshubhai Patel 
       
     

ગુજરાતના મતદાન પહેલા રાબેતા મુજબ જ વાતાવરણ થોડું બોઝીલ હતું. ‘શું થશે?’ ‘લેઉઆ ફેક્ટરનું શું લાગે છે?’ સૌની જીભ પર આ જ સવાલ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. લાગતું હતું જાણે આપણે બિહારમાં કે ઉત્તર પ્રદેશના કોઇ પછાત વિસ્તારમાં રહેતા હોઇએ. શું જ્ઞાતિ એ ક્યારેય કોઇ ઇલેકશનનો એકમાત્ર મુદો હોઇ શકે? જો તમે કેશુભાઇ પટેલને આ સવાલ પૂછો (અલબત્ત, ખાનગીમાં!) તો તેઓ ‘હા’ કહેશે! એમના મતે જ્ઞાતિ એક મહાનતમ્ પરિબળ છે અને લેઉઆ પટેલોને હલેસા બનાવી તેઓ ચૂંટણીસમંદર પાર કરવા નીકળ્યા હતા. ગુજરાતના મતદારોએ તેમને આપેલો સંદેશો સ્પષ્ટ છેઃ “ગુજરાતમાં સત્તરમી સદીની આવી માનસિકતા ચાલશે નહિ, કારણ કે, ગુજરાત કોઇ એક જ્ઞાતિની જાગીર નથી.’’

દિવાલ પર લખેલું તમે વાંચી ના શકો તો દોષ તમારો જ ગણાય. ‘અન્યાય’, ‘ભયભીત સમાજ’ અને ‘ખોડલધામ’ જેવાં શબ્દો જ્યારે કેશુભાઇ પટેલ બોલતા હતા ત્યારે ઇત્તર વર્ગ રીતસર હચમચી ઉઠ્યો હતો. તેમનો ગુસ્સો સત્તરમા આસમાને હતો. ઇવીએમ ખુલ્યા ત્યારે તેમાંથી એ ધૂમાડો નીકળતો હોય એવો અનૂભવ ‘બાપા’ને થયો હશે.

શું પ્રજા મુર્ખ છે? જો તમે કેશુભાઇને આ સવાલ (અલબત્ત, ખાનગીમાં) ઇલેકશન પહેલા પૂછ્યો હોત તો તેમણે અચૂકપણે ‘હા’ કહી હોત, પણ હવે પૂછશો તો જવાબ અલગ હશે. જ્યારે તમને કોઇ વ્યક્તિ મૂર્ખ સમજતી હોય અને તમે એ હોવ નહિ ત્યારે તમે ક્યો ડાયલોગ બોલો છો? મુંબૈયા ભાષામાં કહે છેઃ ‘અમને આપ કો જ્યાદા શાના સમજતે હો!?’ અમદાવાદમાં કહે છેઃ ‘અમે કંઇ ડુંગરપુરના નથી હોં!’ અથવા ‘અમે શું કડી-કલોલથી આવીએ છીએ?’ કઠિયાવાડમાં કહે છેઃ ‘ભાઇ, અમને કાગદડીના સમજો છો!’ ‘શું અમારા માથે ચોટલી છે?’ સવાલ એ છે કે, શું કેશુભાઇને બધા લોકો ચોટલીવાળા લાગતા હતા?

ક્યો અન્યાય? ક્યાંનો અન્યાય? લેઉઆને અન્યાય થયો હોય તો એની વિગતો શા માટે આપી નહિ તેમણે? અને ભયભીત થવું એટલે શું? ગુજરાતમાં સમાજ ભયભીત છે, એવું તેમણે શરૂઆતમાં કહ્યું ત્યારે ‘સમાજ’ની તેમની વ્યાખ્યા હતીઃ લેઉઆ પટેલ સમાજ. તકલીફ એ છે કે, બાપાની દૃષ્ટિ ખોડલધામથી શરૂ થાય છે અને નરેશ પટેલ પર ખતમ થઇ જાય છે.

વાસ્તવમાં ગુજરાતમાં લેઉઆ પટેલોને કોઇ જ અન્યાય થયો ન હતો. અત્યારે પણ નથી થતો. અને ભવિષ્યમાં પણ નથી થવાનો. લેઉઆ પટેલ એક શક્તિશાળી અને મહેનતુ પ્રજા છે. તેમને કોઇ અન્યાય કરી શકે નહીં. ગુજરાતનાં સદ્નસીબે અને કેશુભાઇના કમનસીબે લેઉઆ પટેલો ગાડરીયા પ્રવાહમાં તણાતા નથી. કોંગ્રેસે જે રીતે મુસ્લિમોનો દુરૂપયોગ કર્યો છે તે રીતે કેશુભાઇ કે નરેશ પટેલ લેઉઆ પટેલોને વાપરીને ફેંકી દે એવા તેઓ (લેઉઆ પટેલ) ભોળા નથી. સમાજ ભયભીત પણ નથી અને તેમને અન્યાય પણ થતો નથી એ વાત અડધોઅડધ લેઉઆ પટેલો સ્વીકારે છે. હા! કેશુભાઇને સત્તાભ્રષ્ટ કર્યા એ તેમને થયેલો અન્યાય ગણાય, જ્ઞાતિને થયેલો નહીં. ઇનફેક્ટ, કેશુભાઇ સાથે પણ ન્યાય જ થયો છે. એવું કાળક્રમે સાબિત થઇ ચૂક્યું છે. કારણ કે, જ્ઞતિ તેમના અગ્રતા ક્રમમાં સૌથી ઉપર હોવાનો આક્ષેપ એમના કાર્યકાળ દરમિયાન થયો જ હતો. આજે એ સાબિત થયું કે, તેઓ જ્ઞાતિના ગાડામાં સવાર થઇને સત્તા ચલાવતા હતાં. પટેલવાદને તેમણે ભયાનક હદે પોષયો હતો એ પણ હવે પૂરવાર કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.

થોડી વાતો સ્પષ્ટ કરવી જરૂરી છેઃ નરેશ પટેલ અને કેશુભાઇ ખુલ્લેઆમ રાજકીય અખાડામાં ઝંપલાવીને પક્ષના નામે સંમેલનો બોલાવતા હોય તો તેની સામે કોઇને પણ વાંધો ન હોઇ શકે. પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ લેઉઆ પાટીદારોનું અધિવેશન થાય તો પણ કોઇ વ્યક્તિએ વાંધો ન ઉઠાવવો જોઇએ. કારણ કે, ચૂંટણી ટાણે વિવિધ પક્ષો અલગ-અલગ જ્ઞાતિઓ પાસે પોતાની વાત કહેવા પહોંચતા જ હોય છે. સમસ્યા એક જ છેઃ માતાજીના નામે ર1 લાખ લોકો ભેગા કરો અને પછી સ્ટેજ પરથી ‘બાપાજી’ના ભજનો લલકારો તો એ પાપ છે. ખોડલધામની સ્થાપના થઇ ત્યારે જ એવું કહેવાયુ હતું કે, એ કોઇ રાજકીય મંચ નથી. પણ આગળ જતા તેના સ્થાપકોની ભાષા રાજકીય થવા લાગી. બાપાના ગુણગાન ગવાયા અને ખોડિયાર માતાજી ભૂલાયા. માતાજીના નામે લાખો લોકોને ભેગા કરવા અને પછી તેમને શાહી ઇમામની શૈલીમાં ફતવા સંભળાવવા એ શું એક પ્રકારનું છળ ન ગણાય?

બિલકુલ ગણાય. સવાલ એ છે કે, જો પરિવર્તન પાર્ટીના નામે આવું સંમેલન બોલાવાયું હોય તો શું ર1 લાખ લોકોની મેદની ભેગી થઇ શકે. કદાચ ર1 હજારના પણ સાંસા પડી જાય. ચૂંટણી પ્રચાર દરમિયાન કેશુભાઇએ કરેલી અમૂક સભાઓમાં તો બે હજાર માણસો પણ  ભેગા થઇ શક્યા ન હતાં. સત્ય એ છે કે, જ્ઞાતિના નામે કોઇને વ઼્હીપ આપવા એ જ ચૂંટણીના મૂળભૂત ઉદેશ્યનું અને ચૂંટણી પાછળની ભાવનાનું હનન છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો દરેક મતદાતા પોતાની સ્વતંત્ર બુદ્ધિથી મત આપવા સક્ષમ છે. રાજકીય પક્ષો મતદાતા સમક્ષ અપીલ કરી શકે, પોતાના મુદાઓ રજૂ કરી શકે પરંતુ કોઇ ધાર્મિક જગ્યાનો હોદેદાર જ્ઞાતિજનોને ફતવાઓ ન આપી શકે. આવા ફતવા કોઇ આપતું હોય તો એ માત્ર ચૂંટણીઓનું કે લોકશાહીનું અપમાન નથી પરંતુ જે-તે જ્ઞાતિનું પણ ભયંકર અપમાન છે. નરેશ પટેલ અને કેશુભાઇ પટેલએ લેઉઆ પટેલોનું અપમાન કર્યુ છે-એમને ફતવાઓ સંભળાવીને. એમણે માં ખોડિયારનું પણ અપમાન કર્યુ ગણાય. કારણ કે, તેમની આડશમાં આ હોદેદારોએ પોતાનો રાજકીય એજન્ડા પ્રમોટ કર્યો છે. એમની પોતાની કોઇ સ્વતંત્ર હસ્તી નથી, આગવું અસ્તિત્વ નથી એટલે ધર્મસ્થાનોના નામે પોતાના લક્ષ્ય પાર પાડવાના પ્રયત્નો કર્યા છે. દુઃખની વાત એ છે કે, ખુદ લેઉઆ પટેલ સમાજએ આ ઘટનાના આડકતરા પરિણામો સહન કરવા પડે છે.

ચૂંટણી પહેલા અને મતદાન સમયે આખા સૌરાષ્ટ્રમાં જબરો જ્ઞાતિવાદી માહોલ રચાયો હતો. કેશુભાઇ અને નરેશ પટેલના જ્ઞાતિવાદી બયાનોના કારણે ઇત્તર જ્ઞાતિમાં પણ ભયંકર રોષ ફેલાયો હતો. ક્યારેક તેઓ જ્ઞાતિના નામે વધુ બેઠકો માંગતા હતા તો ક્યારેક પોતાની જ્ઞાતિને ચોક્કસ સંદેશાઓ આપતા હતાં. શરૂઆતમાં કેશુભાઇની તરફેણમાં દબાતા સૂરે બધુ કહેવામાં આવ્યું. પણ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હતાં ત્યારે નરેશ પટેલએ લેઉઆ પટેલોને એક સંમેલનમાં કહ્યું કે, ‘84 વર્ષની ઉંમરે બાપાએ હવે લેઉઆ સમાજને ટકોર કરવી ન પડે તેનું ધ્યાન રાખજો!’ બન્યું એવું કે, આ બધા જ્ઞાતિવાદી નિવેદનોથી ગિન્નાયેલા ઇત્તર વર્ગએ મોદીની તરફેણમાં મતો ઠાલવવાનું નક્કી કરી લીધું. જેને પૂછો તે એમ જ કહેતા હતાં કે, આ જ્ઞાતિવાદીઓને સીધાદોર કરી નાંખો. સમાજમાં સ્વયંભૂ જાણે એક પ્રકારનો જૂવાળ ઉભો થયો. ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાન વર્ગના વિસ્તારોમાં જ્યાં હંમેશા મતદાન નીચુ રહેતું હોય છે ત્યાં લોકોએ ઘરમાંથી નીકળી ભાજપની તરફેણમાં મત નાંખ્યા. પાણી અને લેન્ડ ક્રાઇમની સમસ્યાઓ ભૂલીને પણ ઇત્તર વર્ગએ મોદીને ભરપૂર મત આપ્યા. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ભાજપતરફી થયેલું ઉંચુ મતદાન એ વાસ્તવમાં કેશુભાઇ એન્ડ પાર્ટીના જ્ઞાતિવાદી રાજકારણને ઇત્તર વર્ગ દ્વારા અપાયેલો સણસણતો જવાબ છે. ઇત્તર વર્ગનું આ મોબિલાઇઝેશન એક અદ્ભૂત ઘટના છે. જ્ઞાતિવાદી રાજકારણીઓ માટે એ એક સંદેશ છે કે, ગુજરાત એ કોઇ એક જ્ઞાતિની મિલ્કત નથી. અહીં કોઇ એ જ્ઞાતિના કેટલાંક માથાફરેલ લોકો બાકીના વર્ગને બાનમાં લઇ શકે એ દિવસો હવે ગયા. આ મોબિલાઇઝેશન થવાનું છે એ દિવાલ પર લખાયેલું સત્ય હતું. કેટલાંક લોકો નરી આંખે પણ એ નિરખી ન શક્યા એ તેમના નસીબ.

મનસુખ સુવાગિયા
Mansukh Suvagiya
‘વિકાસ થયો જ નથી’, ‘વિકાસની વાતો એ એક છેતરપિંડી છે’ આવા અનેક આક્ષેપોને પણ મતદાતાઓએ યોગ્ય ભાષામાં જવાબ આપ્યો છે. વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢવો એ એક પ્રકારની બેવકૂફી છે. મોદીના રાજમાં પણ સમસ્યાઓ તો રહી જ છે. પણ લોકોપયોગી કાર્યો પણ થયા છે. જે લોકોએ ગુજરાતના વિકાસને પૂર્ણતઃ નકારી કાઢ્યો છે એ તમામ લોકોનો રકાશ થયો છે. કેટલીક વાતો પ્રજાની નજર સમક્ષ હોય છે. તેના માટે અર્જુનભાઇ મોઢવડિયા, શક્તિસિંહ ગોહિલ કે સોનિયા ગાંધીના પ્રમાણપત્રોની જરૂર નથી હોતી. કાર્યો પણ બોલતા હોય છે અને નિક્રિયતા પણ બોલકી જ હોય છે. આ લખનારએ ચૂંટણી પહેલાં જ એક લેખમાં લખ્યુ હતું કે, મોદીને તમે પોઝિટીવ સેન્સમાં એક રક્તબીજ ગણી શકો, જેના પર તમે જેટલા પ્રહારો કરો તેમ તેની શક્તિ વધતી જાય છે. તેના પ્રત્યેક રક્તબિંદુમાંથી એક નવો શક્તિશાળી જીવ ઉત્પન્ન થાય છે. મોદીને ઝખ્મો આપવા એ પોતાના શરીર પર ઉઝરડા કરવા જેવું જોખમી કાર્ય છે. કારણ કે, એમને એવું વરદાન મળ્યું છે કે, એમના શરીર પર જે દુશ્મન એક પ્રહાર કરશે તે દુશ્મનને સો પ્રહારની પીડા મળશે. કેશુભાઇ અને નરેશ પટેલએ જાણી-જાણીને અને જાણતા જ ઝેર પીધા છે. આડકતરી રીતે તેમને નરેદ્ર મોદીને સીધો ફાયદો કરાવ્યો છે. મુદાઓ વગરની આ ચૂંટણીમાં પ્રજાને ઝાઝો રસ ન હતો. પરંતુ જ્ઞાતિવાદની કુકળી ગાંડી કરીને કેશુભાઇ એન્ડ કંપનીએ સામે ચાલીને ફરી એક વખત ગુજરાત મોદીની ઝોળીમાં નાંખી દીધું. છેક 2002થી કહેવાતુ આવ્યું છે કે, મોદી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે કોઇ ગેબી સહાય તેમની ઝોળીમાં ટપકી પડે છે. આ વખતે પણ ઉપરવાળાએ એ ક્રમ જાળવ્યો છે. ઇશ્વરએ સમયસર કેશુભાઇ, નરેશ પટેલ જેવા લોકોને દુર્બુદ્ધિ આપી દીધી.  



જો કે સવાલ એ પણ છે કે, લેઉવા પટેલોના નામે, એમના જોખમે, એમના ખભા પર બંદુક રાખી ફોડનારા લોકોને લેઉવા સમાજ કે ઈત્તર સમાજ શું માફ કરી દેશે? ના. આવા તત્વો સામે ખુદ લેઉવાઓમાં પણ ગુસ્સો છે, અનેક સમજુ લોકો આવા તત્વોની પ્રવૃત્તિથી દુર ભાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા એવા મનસુખ સુવાગીયાએ તો ખોડલધામ અને તેના સ્થાપકો વિષે એક હજાર કરતા વધુ લેઉવા અગ્રણીઓને પત્રો લખ્યા છે - આ પત્ર મુજબ તો ખોડિયાર એ લેઉવા પટેલના કુળદેવી જ નથી! અહીં આ પત્રની સ્કેન્ડ ઈમેજ મૂકી છે - આખું લખાણ વાંચવા જેવું છે 










Friday, December 28, 2012

Somnath Temple, Ghazni, Al Beruni & Naipaul



અખંડ આઠમો અવતાર: આજે પણ "ગઝનીઓ" હયાત છે પરંતુ સોમનાથ હવે સલામત છે!
સોમનાથ પરિસરનો એક અદભુત ફોટોગ્રાફ: તમે સોમનાથના અનેક ફોટોગ્રાફ જોયા હશે
પરંતુ આ એન્ગલથી, આટલું વાઈડ વિઝન ધરાવતો ફોટો ક્યાંય નહિ નિહાળ્યો હોય 



            

બે અવસર આવ્યા છે, આ લેખ અહીં મૂકવા માટેના: એક તો સોમનાથના મંદિરમાં સુવર્ણ થાળું મૂકાઈ રહ્યું છે, બીજું, ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપર અમદાવાદની ધરતીને પ્રદુષિત કરવા આવી રહ્યા છે. આ લેખ મારા પુસ્તક "મહા-ભારતની રામાયણ"માં સમાવિષ્ટ છે, એ મારી નજરે લખાયો છે એવું હરગીઝ ના કહી શકાય . તેમાં જે સંદર્ભો છે એ અલ - બેરુની નામના ઈસ્લામિક સ્કોલરના છે - એ અલ - બેરુની - જે ખુદ ગઝની સાથે ભારત આવ્યો હતો અને ગઝ્નીનો અત્યંત વિશ્વાસુ સાથી હતો !  કેટલાક વિચારો મેધાવી પ્રતિભા એવા વી.એસ. નાયપોલના છે. "કિન્નર આચાર્ય" અહીં ગૌણ બની જાય છે. અહીં એવા તમામ લોકોને જવાબ અપાયો છે - જે ડાબેરી ઈતિહાસકારોને સતત ધાવ્યા કરે છે અને પછી જાહેર માધ્યમોમાં પોતાના વિકારો ઠાલવે છે. સોમનાથ મંદિર ગઝનીએ જેટલી વખત લુંટ્યું તેના કરતા વધુ ઝખ્મો તેને ભારતના દુષ્ટ સેક્યુલર રાક્ષસોએ આપ્યા છે, બૌદ્ધિકોને અમસ્તા જ "બદમાશ"નો ખિતાબ નથી મળ્યો, તેના માટે તેમણે અવિરત સંઘર્ષ કર્યો છે, કૂપ્રચાર અને નાલાયકી કરી છે. પોતાના બાયસ્ડ વિચારોને તથ્યનું નામ આપી ને તેમણે ઈતિહાસ પલટાવવા પ્રયાસો કર્યા છે ... આ બધી જ ગુસ્તાખીઓ સામે આ લેખ એક જવાબ છે, મને એ વાતનો આનંદ છે કે, દળદાર થોથાઓ વચ્ચે દબાયેલા આ સ્ફોટક સત્યો લોકો સમક્ષ મૂકવામાં હું નિમિત્ત બન્યો છું ....

‘ઇસ્લામની સ્થાપના અગાઉ અરબ રાષ્ટ્રોમાં મૂર્તિપુજાની બોલબાલા હતી. એ કાળમાં લાટ, ઉઝઝા અને મનાત નામની ત્રણ દેવીઓની ત્યાં પુજા થતી હતી. દેવી લાટની એક સ્ત્રી પ્રતિમા બનાવી આરાધના થતી, ઉઝઝાનો નિવાસ પવિત્ર વૃક્ષમાં છે એવું માનવામાં આવતું જ્યારે મનાત અથવા તો નિયતીની દેવીની આકૃતિ શ્વેત પત્થરમાં કંડારવામાં આવતી. તેનું દેવસ્થાન સમુદ્ર પાસે આવેલું હતું, મક્કાની યાત્રા મનાતનાં દર્શન વગર અધુરી જ ગણાતી. હિજરી ૬૩૦માં મહંમદ પયગંબરએ કાબાની મસ્જિદમાં જઇ લાટ અને ઉઝઝાની મૂર્તિઓનો નાશ કર્યો. કહેવાય છે કે, એક ચુસ્ત મૂર્તિપૂજક મનાતની મૂર્તિ લઇ એક વ્યાપારી જહાજમાં બેસી ભાગી ગયો. અફાટ સમુદ્ર ઓળંગી એ ગુજરાતનાં સમુદ્રકાંઠે પહોંચ્યો. ત્યાં તેણે મનાતનું એક મંદિર બનાવ્યું. જે આગળ જતા ‘સુમનાત’ તરીકે ઓળખાયું. આ ‘સુ મનાત’ એ જ આપણું સોમનાથ. હા! સોમનાથ એ કોઇ શિવાલય નહોતું, એ એક અરબ દેવીનું મંદિર હતું! પયગમ્બર સાહેબ મનાતની મૂર્તિનો ધ્વંશ નહોતા કરી શક્યા એટલે એમનું અધુરૂં કાર્ય પૂર્ણ કરવા મહંમદ ગઝની સોમનાથ પર ચડી આવ્યો અને ત્યાં રહેલી મનાતની મૂર્તિનો તેણે ધ્વંશ કર્યો!’

માથામેળ વગરના તર્કો  અને બિલકુલ વાહિયાત થીયરી રજુ કરી ને સેક્યુલર બદમાશોના દિલ જીતી લેતા રોમિલા થાપર : આજે પણ કેટલાક દુષ્ટ બૌદ્ધિકો તેને પોતાના આરાધ્ય દેવી માને છે 


  

કેવી લાગી વાર્તા? અજબગજબની વાત એ છે કે આ થિયરી કોઇ આરબ ઇતિહાસવિદ્દની નથી પરંતુ અભ્યાસ અને સંશોધનના રૂડાંરૂપાળા લેબલ તળે વર્ષોથી ઇતિહાસ સાથે ચેડાં કરતાં રહેલાં ડાબેરી ઇતિહાસકાર રોમિલા થાપરનાં છે. રોમિલાને ઇતિહાસકાર કહેવા કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે. કારણ કે પોતાનાં કહેવાતા ઐતિહાસિક લખાણો થકી તેમણે ઇતિહાસનો રીસતર સોથ કાઢ્યો છે. ગઝની જો મૂર્તિભંજક ધર્માંધ લૂંટારૂ હતો તો રોમિલા થાપર ઇતિહાસભંજક લુચ્ચા લેફિટસ્ટ છે. આપણે ક્યાં વળી ગઝનીઓની જરૂર જ છે ! આ દેશ પર પ્રકૃત્તિનાં એવાં આશિષ છે કે સદીઓ પહેલાંથી લઇ આજ દિન લગી અહીંની ધરતીમાં ગઝનીઓ અને ઘોરી બાદશાહો પાકતાં જ રહ્યાં છે. ક્યારેક તેઓ દિગ્વિજસિંહનું રૂપ ધરી પૃથ્વી પર અવતરણ કરે છે તો કોઇ વખત દંભી બિનસાંપ્રદાયિક બની અહીં અવતાર પામે છે. ગાયનાં શરીરમાં 33 કરોડ દેવતાઓનો વાસ હો છે કે કેમ એ તો દેવતાઓ અને ગાયો જ જાણે, પરંતુ આવા લોકોના દિવ્ય શરીરમાં નિત્ય 33 કરોડ લાદેનનો નિવાસ રહે છે. ઈતિહાસ કહે છે કે, સોમનાથ પર અંતિમ આક્રમણ થયાને સદીઓ પસાર થઇ ગઇ પરંતુ હકીકત એ છે કે સોમનાથ પર બૌદ્ધિક આતંકવાદીઓનાં હૂમલા આજે પણ ચાલુ છે. અવિરત. હવે ડાબેરીઓ દ્વારા એવો અપપ્રચાર ચાલે છે કે, ગઝની માત્ર એક લૂંટારૂ હતો, તેને ધર્મ સાથે કશી લેવાદેવી નહોતી. આમ કહી તેઓ ધર્મસ્થાનોની ભવ્યતા વિશે મ્હેણાં મારે છે, હિન્દુઓ પર દોષનો ટોપલો ઢોળે છે અને ઇસ્લામિક આક્રમણખોરોનાં પાપનાં પોટલામાંથી થોડો બોજ ઓછો કરવાની ગુસ્તાખી કરે છે.

પ્રોફેસર રોમિલા થાપર પોતાનાં માર્કસવાદી કુવિચારો માટે જાણીતા છે. પરંતુ અહીં વાત માત્ર વિચારોની નથી. તેમણે પોતાનાં આવાં દૂષીત વિચારો પર ‘વૈજ્ઞાનિક અભ્યાસ’નું આવરણ ચડાવ્યું છે. સોમનાથ પરનાં પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ એટલી ઉટપટાંગ વાતો કરી છે કે તેમની સરખામણીએ તો ખુદ ગઝની પણ આપણને દેવતા લાગે. એમણે એવું સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે, ઇસવિસન ૧૦૨૬માં જ્યારે ગઝની સોમનાથ પર ચડી આવ્યો હતો ત્યારે તેમાં હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ જેવું બિલકુલ ન હતું. એમનાં કહેવા મુજબ સોમનાથનો જે ઇતિહાસ પ્રચલિત છે એ પણ બ્રિટનની સંસદમાં (હાઉસ ઓફ કોમન્સ) ૧૮૪૩માં થયેલી ચર્ચાઓ પછી જ અસ્તિત્વમાં આવ્યો છે. પોતાનાં પ્રેઝન્ટેશનમાં રોમિલાએ કનૈયાલાલ મુન્શીને હળાહળ કોમવાદી ગણાવ્યાં છે અને સરદાર પટેલ સાથે મળી મુન્શીએ સોમનાથનાં જિર્ણોદ્ધારનું જે પગલું ભર્યુ હતું એ પણ ગેરવાજબી હતું એવું તેમનું કહેવું છે! કનૈયાલાલ મુન્શી બહુ સ્પષ્ટપણે કહેતા કે, સોમનાથનું જિર્ણશિર્ણ મંદિર અને તેનાં પર થયેલાં આક્રમણો એ હિન્દુઓ માટે આત્મા પરનાં ઝખ્મો સમાન છે. પણ રોમિલા આ આખી વાતને મૂળથી નકારી કાઢે છે! એમનું કહેવાનું છે કે, હિન્દુઓમાં આવો રોષ કદી હતો જ નહીં, આ તો બ્રિટનનાં ‘હાઉસ ઓફ કોમન્સ’માં ચર્ચા થઇ એ પછી હિન્દુઓમાં દ્વેષ ફેલાયો! પોતાનાં મુદ્દાઓ પુરવાર કરવાં તેમણે એવો દાવો પણ કર્યો કે તેમણે કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજોમાંજી આ માટેનો આધાર લીધો છે! તેમનો આ વાહિયાત શોધ નિબંધ વર્ષો અગાઉ માર્કસવાદઓનાં સામયિક ‘ફ્રન્ટલાઇન’માં પ્રકાશિત થયો હતો. રોમિલાની બાલિશ થિયરીનો છેદ ઉડાડતા દિર્ઘ શોધપત્રો જ્યારે અરૂણ શૌરી અને એન.એસ. રાજારામ જેવા મેઘાવી લોકોએ લખ્યા ત્યારે રોમિલાએ એવો દાવો કર્યો કે, ‘એ બધા કંઇ ઇતિહાસવિદ્ થોડાં ગણાય!’ કે.એસ. લાલ જેવા સમર્થ ઇતિહાસકારોએ મેગેઝિનને પોતાનાં શોધ નિબંધો - જેમાં રોમિલાને દરેક વાહિયાત દલિલોનો જડબાતોડ જવાબ હતો,  સામયિકને મોકલ્યા તો લુચ્ચા ડાબેરીઓએ તે છાપવાનો ઇન્કાર કરી દીધો! પરંતુ આવી બાબતોમાં સત્ય ઢાંક્યુ કેવી રીતે રહી શકે? રોમિલા થાપરની દરેક દલિલનો મૂળથી છેડ ઉડાડતી ચર્ચાઓ વિવિધ પ્રકાશનોમાં પ્રકાશિત થઇ.


(1) મુહંમદ ગઝનીના સમયના ગઝ્ના નગરનું એક ચિત્ર,
(2) આજે પણ ભારતમાં સેક્યુલારો જેના નામના નિર્દોષતાના પ્રમાણપત્રો ફાડતા રહે છે એ ધર્માંધ લુંટારો - ખુદ ગબ્બર - ગઝની
(3) અફઘાનિસ્તાનમાં આવેલું હાલનું ગઝ્ના નગર 



રોમિલા થાપરએ સતત એવો દાવો કર્યો છે કે, એમનું પ્રેઝન્ટેશન વિવિધ ગ્રંથોના હસ્તપ્રતોનાં આધારે બન્યું છે. પરંતુ ઇતિહાસકારોનાં મનમાં જ્યારે પાપ હોય ત્યારે એ જેતે સ્થળેથી પોતાને ગમતું જ ગ્રહણ કરે છે, અણગમતું છોડી દે છે. પ્રોફેસર વી.વી.એસ. શર્માએ રોમિલાના તમામ દાવાઓનાં ચિંથરા ઉડાડતો એક અદ્દભૂત લેખ લખ્યો છે જેમાં તેમણે આ પૂર્વગ્રહપિડિત પ્રોફેસરને બરાબર વેંતરી નાંખ્યા છે. રોમિલાનો અભ્યાસ એટલી હદે અધુરો છે કે પોતાનાં પ્રેઝન્ટેશનમાં તેમણે એટલી સીધીસાદી વિગતો પણ સમાવી નથી કે સોમનાથનું પ્રથમ મંદિર ક્યારે બંધાયું હતું અને તેનો કેટલી વખત ધ્વંશ થયો હતો. રોમિલા જ્યારે એવો દાવો કરે છે કે એ ‘કદાચ દેવી મનાતનું મંદિર પણ હોઇ શકે’ ત્યારે તેઓ આદિ શંકરાચાર્ય રચિત દ્વાદશ જ્યોતિર્લિંગ સ્ત્રોતનો આધાર લેવાનું ભુલી જાય છે. હિન્દુઓને એ યાદ અપાવવાની જરૂર નથી કે એ સ્ત્રોતમાં પ્રથમ ઉલ્લેખ જ સોમનાથ (સૌરાષ્ટ્રે સોમનાથમ્....)નો આવે છે. સોમનાથનું મંદિર ખરેખર દેવી મનાતનું દેવાલય હતું એવું સાબિત કરવા તેમણે એ સમયનાં મુસ્લિમ ક્રોનિકલ્સનો આધાર લીધો છે. એમાં જણાવાયું છે કે, ‘દેવાલયમાં શ્વેત પત્થરની મૂર્તિ હતી તેથી એ મનાતના  હોવાના પ્રમાણો મળે છે.’ ફરી એક વખત રોમિલા થાપર સત્ય સાથે, તથ્યો સાથે બહુ જાગૃતાવસ્થામાં ચેડા કરતા માલુમ પડે છે. એક ભારતીય તરીકે તેમને ખ્યાલ હોવો જોઇએ કે, દરેક શિવાલયમાં અહીં શિવલિંગ  ઉપરાંત દેવી પાર્વતીની મૂર્તિ પણ અચૂક હોય છે.

રોમિલા થાપર બહુ લુચ્ચાઇપુર્વક કેટલાંક જુના જૈન ગ્રંથોને ટાંકે છે અને પોતાની દલિલો સાબિત કરવા હવાતીયાં મારે છે. હકિકત એ છે કે, જૈન નિષ્ણાંતો પોતે જ આવા ગ્રંથોને અધિકૃત ગણતા નથી. જૈન મુનીઓ તો પોતાનાં જુનાં ગ્રંથોનો આધાર લઇ ‘જૈન રામાયણ’ પણ લખી ચૂક્યા છે! એમનાં કહેવા મુજબ સીતાએ જ્યારે પાતાળગમન કર્યુ ત્યારે એ સતત નવકાર મંત્રનો જપ કરી રહી હતી! દ્રૌપદી જૈન હતી તેવું તેમનું કહેવું છે અને બલરામ-વાસુદેવની કુલ નવનવ જોડી પૃથ્વી પર અવતરી હતી એમ પણ તેઓ કહે છે! અમુક જૈન ગ્રંથો મુજબ તો મહાભારતનાં યુદ્ધમાં કૃષ્ણ કદી અર્જુનના સારથી પણ રહ્યાં નહોતાં અને ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ કૃષ્ણએ આપ્યો નહોતો. હજુ કંઇ બાકી રહી ગયું હોય તો જુઓઃ ‘બલરામ અને કૃષ્ણએ પોતાનાં એક પિતરાઇ ભાઇ પાસેથી દિવ્યજ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું અને એ પિતરાઇ એટલેઃ જૈન તિર્થંકર નેમિનાથ!’

ઇતિહાસ બહુ મજેદાર વિષય છે. તમારે જેને નાયક ચીતરવો હોય તેને ચીતરી શકો. કોઇપણને ખલનાયક ગણાવી શકો. પરંતુ આવા વિષયો પર સંશોધન થઇ રહ્યું હોય ત્યારે સાંયોગિક પુરાવાઓનું મહત્વ પણ ઓછું હોતું નથી. ‘મુસ્લિમ આક્રમણખોરો માત્ર લૂંટ માટે આપણાં પર ચડી આવતા હતા’ એવું કહેવું એ માત્ર અકોણાઇ નથી પરંતુ ઇતિહાસ સાથે ચેડા પણ છે અને આવું કહેનારની ગેરલાયકાતનો પુરાવો પણ છે: ઉત્તર ગુજરાતનાં મોઢેરા અને રૂદ્ર મહાલયથી લઇને તારંગા સુધીનાં ધર્મસ્થાનો આ બાબતનો સાક્ષાત ગવાહી આપે છે. જો આક્રમણખોરો માત્ર લૂંટના ઇરાદે આવતા હતા તો મોઢેરાનાં આઠસો શિલ્પોમાંથી એકપણ શિલ્પ અખંડિત શા માટે નથી રહ્યું? શા માટે રૂદ્ર મહાલયનાં ૧૫૯૦ સ્તંભોનો કચ્ચરઘાણ તેમણે વાળી દીધો? પુરાવાઓ અનેક છે. અભ્યાસની દ્રષ્ટિએ અને પ્રામાણિકતાનાં મુદ્દે કનૈયાલાલ માણેકલાલ મુન્શી આવાં રોમિલા થાપરોથી લાખ્ખો પ્રકાશવર્ષ આગળ છે. તેઓ સંઘને વરેલા નહોતા, ભાજપનું ત્યારે અસ્તિત્વ જ નહોતું. મુન્શી એક કોંગ્રેસી હતા અને સોમનાથ અંગે તેમણે કરેલા અભ્યાસને પડકારવાની કોઇની મગદૂર નથી. સોમનાથ અંગે તેમણે જે કંઇ સર્જન કર્યુ છે, સાહિત્ય રચ્યું છે એમાં આવી અનેક બાબતોની સ્પષ્ટતા છે.

સમસ્યા એ છે કે, ડાબેરીઓને અને દંભી સેક્યુલરવાદીઓને આવું વાંચવું નથી. રોમિલા થાપર એમની આરાધ્ય દેવી અને શુરાપુરા છે નેહરૂ. આ એક એવી પ્રજા છે જેને ગઝનીના પરમ સાથીદાર ‘અલ બેરૂની’નું કથન પણ લક્ષ્યમાં લેવું નથી. અલ બેરૂની એક મહાન સ્કોલર હતો. એ સાહિત્ય, લોકજીવન, લલિત કળાઓથી લઇ વૈદક અને ખગોળરસાયણનો પ્રખર અભ્યાસુ હતો. ગઝની તેને પોતાની સાથે જ હિન્દુસ્તાન લાવ્યો હતો. બેરૂની ઉપરાંત એની સાથે ફિરદૌસી નામનો એક કવિ પણ હતો. અને ઉત્બી નામનો ઇતિહાસકાર પણ ખરો. 


(1) ઇસ્લામિક સ્કોલર અલ બેરુની , (2) અલ બેરુનીનું ઉઝબેકિસ્તાનમાં આવેલું સ્મારક,
(3) અલ બેરુનીની ઐતિહાસિક કિતાબ  - અલ બેરુની'સ ઇન્ડિયા - જે રોમિલા થાપરની પસ્તી કરતા ક્યાંય વધુ ઓથેન્ટિક છે 



ગઝનીનાં અવિરત આક્રમણો પછી પર્શિયન કવિ ફિરદૌસીએ ગઝનીની તમામ બાબતો સમાવી લેતું પુસ્તક ‘શાહનામા’ લખ્યું, ઉત્બીએ ‘કિતાબ-ઉદ-યમની’ નામનો ગ્રંથ લખ્યો અને અલ બેરૂનીએ ‘તહકિક - એ - હિન્દ’ સહિત અનેક પુસ્તકો લખ્યા. ભારતની ખૂબીઓ - ખામીઓમાં તેને જબરો રસ પડ્યો હતો. કેટલાંક સંસ્કૃત ગ્રંથોનો તેણે અરબી - ફારસીમાં અનૂવાદ પણ કર્યો. ભારતની એ પરત ગઝના ગયો ત્યારે ઉંટ પર લાદીને પોતાની જોડે સંસ્કૃત સાહિત્ય લેતો ગયો હતો. અલ બેરૂની ખુદ ગઝનીનો સ્ટાફ પર હતો. તેનાંથી વધુ અધિકૃત રીતે આ આખા ઘટનાક્રમની નોંધ બીજું કોણ રાખી શકે? અલ બેરૂનીના સાહિત્યનું અંગ્રેજીમાં ભાષાંતર પણ થયું છે. ‘અલ બેરૂની‘ઝ ઇન્ડિયા’ નામનાં આ ગ્રંથમાં (વોલ્યુમ - ૧, પૃષ્ઠ ૧૧૭ તથા વોલ્યુમ - ૨ પૃષ્ઠ ૧૦૩) જે વિગતો છે એ જોઇએઃ ‘મંદિરમાંના શિવલિંગના તેણે (ગઝનીએ) ટુકડા કરી નાંખ્યા. જેમાંથી એક ટુકડો ગઝનીના સ્થાનિક સ્ટેડિયમમાં દટાવ્યો, બીજો ટુકડો તેણે એ સમયે નિર્માણ પામી રહેલી વિશાળ મસ્જિદનાં પગથિયાં તળે જડાવ્યો. જેથી બેઉ ટુકડા લોકોનાં પગ તળે કચડાતા રહે’ યાદ રહેઃ  આ નિવેદન કોઇ હિન્દુ સંસ્થાના વડાનું કે હિન્દુ ઇતિહાસકારનું નથી, અલ બેરૂનીનું છે. અને તેની ગણના ઇસ્લામનાં સૌથી વિચક્ષણ સ્કોલર તરીકે થાય છે. વિજ્ઞાનનાં ઇતિહાસ બાબતે જેમનું સ્થાન પિતામહની કક્ષાનું રહ્યું છે એવાં જ્યોર્જ સાર્ટનએ અલ બેરૂનીને ઇસ્લામનો સર્વકાલિન મહાન વૈજ્ઞાનિક અને જીનિયસ ગણાવ્યો છે. તેમણે તો બેરૂની વિશે ત્યાં સુધી કહ્યું છે કે, ‘વિશ્વ ઇતિહાસનાં કેટલાંક શ્રેષ્ઠતમ્ દિમાગમાં અલ બેરૂનીને આસાનીથી સમાવી શકાય.’

વટલાયેલા મિયાજી હંમેશા બે ડુંગળી વધારે ખાય છે એ ન્યાયે આપણે ત્યાં ગઝનીનો બચાવ કરવા આધુનિક ગઝનીઓ ઉતરી પડતા હોય છે. ગળામાં તેમણે રોમિલા થાપર અને અન્ય ડાબેરી ઇતિહાસકારોનાં અટપટા સંશોધનોનાં પાટિયાં લટકાવ્યાં હોય છે, જેનો અર્થ - અનર્થ કેવો થાય છે એ ખૂદ તેમને જ માલુમ હોતું નથી. બીજી તરફ પાકિસ્તાનનાં અનેક ઇતિહાસવિદેએ ગઝનીની ધર્માંધતાનો ખુલ્લેઆમ સ્વિકાર કર્યો છે.

પાકિસ્તાનના સૈન્યની પ્રશસ્તિ - વાહવાહ કરતી વેબસાઇટ (defence.pk) પર સ્પષ્ટપણે કેટલીક સ્ફોટક બાબતો લખવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે, ‘શિવલિંગનો એક ટુકડો કાબાનાં પ્રવેશદ્વાર નીચે દાટવા માટે મક્કા મોકલાયો, અન્ય એક ટુકડો પયગમ્બર સાહેબની મદિનાની મસ્જિદ નીચે દટાયો. એક-એક ટુકડો ગઝનીનાં કિલ્લા અને મસ્જિદનાં પ્રવેશદ્વાર નીચે દટાયો’ વધુ ચોંકાવનારી વાત તો હવે આવે છેઃ શું તમે જાણો કે આ વર્ણન ક્યાંથી લેવામાં આવ્યું છે? જાણી લોઃ ખુદ રોમિલા થાપરએ લખેલા પુસ્તક ‘હિસ્ટરી ઓફ ઇન્ડિયા’ (ભાગઃ ૧, પૃષ્ઠઃ ૨૩૨ - ૨૩૩)માંથી! આશ્ચર્ય એ વાતનું છે કે આટલું કબુલ્યા પછી પણ તેઓ ગઝનીને માત્ર લુંટારૂ ગણાવે છે, ધર્માંધ માનવા તૈયાર નથી! લાગે છે એવું કે, અલ બેરૂનીના વર્ણનો પછી ધર્માંધતાની આખી વાતનો છેદ ઉડાવી દેવો એમના અશક્ય કાર્ય હતું એટલે પછી સુ મનાતની ગપગોળા જેવી વાત તેઓ લાવ્યા. આવાં પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે મુખ્યત્વે અલ બેરૂનીનાં પુસ્તકોનો આધાર લેવાતો હોય છે. આપણાં સદ્નસીબે તે હિન્દુ, ગુજરાતી નહોતો અને આર.એસ.એસ.નો એ સભ્ય પણ નહોતો. 

લાહૌરની પંજાબ યુનિવર્સિટીમાં વર્ષો સુધી પ્રોફેસર તરીકે સેવા આપી ચૂકેલા ઇતિહાસકાર મંઝુર ઇજાઝએ આ વિષય પર ઘણું લખ્યું છે અને સોમનાથ - ગઝની વિશેનાં તમામ પાકિસ્તાની રિસર્ચમાં - શોધ નિબંધોમાં તેમના઼ સંશોધનોને અવશ્ય ટાંકેલા જોવા મળશે. અલ બેરૂનીને ટાંકીને તેઓ કહે છેઃ ‘ગઝનીનાં સૈન્યએ ઉત્તરમાંપંજાબમાં એવો કાળો કેર કર્યો હતો કે અનેક સ્કોલર્સ પોતાનું વતન છોડી, દક્ષિણ ભારત તરફ નાસી ગયા. મહંમદએ આ દેશની સમૃદ્ધિ એટલી હદે ખેદાન મેદાન કરી નાંખી હતી કે હિન્દુ સાયન્સ અને સંશોધનો પર પણ તેની ઘેરી અસર થઇ. સ્કોલર્સ બધાં દુરદુરનાં વિસ્તારોમાં નાસી ગયા’ સમાજજીવન પર પણ ગઝનીની અસર કેટલી ઘાતક હતી તેની વાત બેરૂનીએ કરી છે. જે ઇજાઝએ પોતાના રિસર્ચમાં ટાંકી છેઃ ‘અગાઉ પંજાબી પુરૂષો કોઇપણ મહત્વપૂર્ણ નિર્ણય અગાઉ પોતાની પત્નીની સલાહ લેતા હતા, પરંતુ ગઝનીની અસર નીચે પછી સમાજમાંથી સ્ત્રીઓનું સ્થાન નિરંતર નીચું થતું ગયું.’ મંજુર ઇજાઝએ ગઝનીની ગુલામ પ્રત્યેની ચાહના અને તેની સજાતીયવૃત્તિ અંગે તથા ક્રુરતા અને લૂંટફાટ અંગે પણ વિસ્તૃત માહિતીઓ આપી છે. સવાલ એ છે કે, રોમિલાને આપણે સાંભળવા શા માટે!



V. S. Naipaul: આર્ટ બુક અને ઇતિહાસની કિતાબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે.



ગઝનીની ધર્માંધતા અને તેની લુંટારૂવૃત્તિ, ધનલાલસા... બધાની સમયાંતરે નોંધ થતી આવી છે. એ કોઇ લોકવાયકા નથી. આવા આતંકખોરોની ધર્માંધતાની ગવાહી પુરતા ખંડેરો આજે પણ ઉભા છે. એ ભલે બિસ્માર હોય, ખખડધજ હોય, પરંતુ એ આપણને કશુંક કહી રહ્યાં છે. ત્યાં જઇને તમે કાન ધરો તો લાગે છે કે જાણે આકાશવાણી થઇ રહી હોયઃ ‘અમારા ઇતિહાસને કદી ભુલશો નહીં, ‘ચાલો ઇતિહાસ ભુલી આગળ વધીએ’ એવી મધમીઠી વાતો કરશો નહીં. અમારો ઇતિહાસ તમને દિમાગમાં રહેશે તો જ ભવિષ્યમાં કોઇ ભવ્યાતિભવ્ય ઇમારતને ખંડેર બનવાની નોબત નહીં આવે. હા! ઇતિહાસ આપણને ઘણું શીખવતો હોય છે!’ એ સમયે વિદેશી મુસ્લિમ આક્રમણખોરોએ કરેલા કૃત્યોનો દોષ આપણે આજનાં ભારતીય મુસ્લિમોને આપીએ તો ગઝની અને આપણી વચ્ચે કોઇ જ તફાવત ન રહે પરંતુ આવી ઇમારતોનો ઇતિહાસ આપણને અવશ્ય યાદ અપાવે છે કે સરહદોનું અને રાષ્ટ્રીય સુરક્ષાનું, આંતરિક સુરક્ષાનું મહત્વ કેટલું છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આપણે ત્યાં તમે આવા ઇતિહાસની વાત કરો એટલે સીધા જ કોમવાદી તરીકે ખપી જાવ છો. સનાતન સત્ય જેવા કેટલાંક તથ્યોની વાત પણ અમુક લોકોને ગળે ઉતરતી નથી. ખરા અર્થમાં કહીએ તોઃ તેઓ ગળે ઉતારવા માંગતા નથી. ઇતિહાસને યાદ રાખવાનું એક મુખ્ય પ્રયોજન એ હોય છે કે, ભવિષ્યમાં આપણે ભુલોના પુનરાવર્તનથી બચી શકીએ. આપણે સંસદ પરના હૂમલો યાદ રાખ્યો હોત તો ગામેગામ ઇન્ડિયન મુજાહિદ્દીને બોમ્બ બ્લાસ્ટ ન કર્યા હોત. એ બોમ્બ બ્લાસ્ટ આપણે ભુલી ન ગયા હોત તો કદાચ મુંબઇ પર આક્રમણ ન થયું હોય. એવી જ રીતે મુંબઇ હુમલાને આપણે સુતાજાગતાઉઠતાબેસતા યાદ રાખ્યો હોત તો કદાચ આપણે પણ અમેરિકા જેવું ઓપરેશન કરીને સરહદ પાર બેઠેલા કેટલાક નામચીન દુશ્મનોનું શીર વાઢીને હિન્દુસ્તાન લાવી શક્યા હોત. પરંતુ આપણે ભ્રમમાં જીવનારી પ્રજા છીએ. ઇન્ટેલિજન્સ અને પ્રચંડ પ્રતિકારનું મહત્વ આજે પણ આપણને સમજાયું નથી. આજની તારીખે પણ આપણી ગુપ્તચર સંસ્થા (રો) કાબેલ અને સક્ષમ નથી ગણાતી, અને આજે પણ દુશ્મનોને પ્રત્યુત્તર આપવાનો સ્પીરીટ આપણામાં નથી. પ્રોફેસર વી.એસ. નાયપોલે ઇતિહાસ ભુલી જવાની આપણી ગંદી મનોવૃત્તિ વિશે અને ડાબેરી ઇતિહાસકારો દ્વારા થતી તોડમરોડ વિશે અનેક વખત, અનેક જગ્યાએ સ્પષ્ટ ભાષામાં લખ્યું છે. એમના એ લખાણોમાંથી તારવેલી છુટીછવાઇ પર દ્રષ્ટિપાત કરવા જેવું છેઃ "ઇસ્લામિક આતંકના કારણે ભારતની સંસ્કૃતિ પર અનેક ઝખ્મો થયા છે. પાકિસ્તાનને આ વાતનો બરાબર ખ્યાલ છે. ખરેખર તો પાકિસ્તાનીઓએ આ વાત ખુલ્લેઆમ સ્વિકારી પણ છે. માત્ર ભારતના નહેરૂ વંશના રોમિલા થાપર જેવા લોકો ઇસ્લામિક શાસનકાળને કંકુતિલક કરતા રહે છે. આપણે સત્યનો સામનો કરવો જોઇએ. ખ્રિસ્તીઓના શાસન દરમિયાન આપણો સમૃદ્ધ દેશ દારૂણ ગરીબી તરફ ધકેલાયો, જ્યારે મુઘલો વગેરેના શાસનકાળ દરમિયાન આ દેશ જગતની સૌથી સર્જનાત્મક સંસ્કૃતિમાંથી હિંસક વિસ્તાર બની ગયો. ભારત પર ભીષણ હૂમલાઓ થયા અને તેને લૂંટવામાં આવ્યું. માત્ર એક વાર નહીં પરંતુ અનેક વખત વિદેશી આક્રમણો દ્વારા એ લુંટાતુ રહ્યું છે. આશય માત્ર લૂંટ નહોતો પરંતુ આવા લોકો ભયાનક ધાર્મિક કુવિચારો સાથે અને વિધર્મીઓ પ્રત્યેની નફરત લઇને ભારત પર ચડી આવતા  હતાં. ધીમેધીમે ઇસ્લામિક આક્રમણખોરો માટે ભારત એક મોકળુ મેદાન બની ગયું. એમણે ખુલ્લેઆમ લોકોને ગુલામ બનાવ્યા અને અવિરત આતંક મચાવ્યો. આ મિલેનીયમની શરૂઆત જ ભારતમાં ઇસ્લામિક આતંકથી થઇ છે. ઉત્તર ભારતમાં આવેલા હિન્દુબૌદ્ધ સંસ્કૃતિનો તેમણે રકાસ કરી નાંખ્યો. આવી ભયાનક ઘટના માટે પણ આપણે ત્યાં હંમેશા દબાતા સૂરે બોલાતું રહે છે, લખાતુ રહે છે. આર્ટ બુક અને ઇતિહાસની કિતબોમાં મુસ્લિમોનું ભારતમાં ‘આગમન’ (arrival) જેવા શબ્દોનો ઇસ્તેમાલ થાય છે. જાણે  તેઓ ભારતમાં કોઇ ટુરિસ્ટ બસમાં આવ્યા હોય અને પાછા જતા રહ્યા હોય. ભારત પરના આક્રમણો માટેનો ઇસ્લામિક અભિપ્રાય બહુ સ્પષ્ટ છે. એમણે આવા આક્રમણોને પોતાની શ્રદ્ધાની જીત ગણાવી છે. આસ્થાનો વિજયોત્સવ મનાવ્યો છે. મુર્તિઓ અને મંદિરો ખંડિત અવસ્થામાં આપણે ત્યાં ચોતરફ જોવા મળે છે. ખુલ્લેઆમ લુંટ થઇ છે. લોકોને બળદની જેમ હાંકી જવામાં આવ્યા છે અને તેમને ગુલામ બનાવાયા છે. ઉત્તર ભારતમાં અનેક ભારતીય ધર્મસ્થાનોનો સદંતર વિનાશ થયો છે. આ બધુ તેમણે કબુલ્યું છે અને તેની માટે ખુશીઓ મનાવી છે. બીજી તરફ આપણે છીએ. પરાજિત. હારેલા લોકો કદી ઇતિહાસ લખતા નથી. ઇતિહાસ લખવાનું સૌભાગ્ય હંમેશા વિજય સેનાને મળે છે. આપણા પર આક્રમણો થતા રહ્યા અને આપણે કદી તેનો જવાબ આપ્યો નહીં. એક રાષ્ટ્ર તરીકે  વર્તવાનું આપણને ફાવ્યું નથી. જો આપણે આવું બોલીએ તો પેલા ફેશનેબલ યુરોપિયન શબ્દથી આપણા વિચારોને નવાજવામાં આવેઃ ‘ફાસિઝમ.’ ભારતના બૌદ્ધિકોએ હવે  ઇસ્લામિક માનસ વિશે વિચારવાનો સમય હવે પાકી ગયો છે. એના વિશે ચર્ચાઓ થવી જોઇએ. હિન્દુ ફન્ડામેન્ટાલિઝમ અથવા તો હિન્દુ કટ્ટરવાદ જેવો શબ્દ બહુ સંભળાય છે આજકાલ. આ શબ્દ જ અસંગત છે, કારણ કે આવા કોઇ કટ્ટરવાદનું અસ્તિત્વ જ નથી. કારણ બહુ સ્પષ્ટ છે કે હિન્દુ ધર્મમાં કોઇ જ નિયમો નથી, કોઇ એવા બંધનો નથી."



ઉત્તર ગુજરાતના અનેક શિલ્પો  - ખંડિત ધર્મસ્થાનો આજે પણ ઇસ્લામિક આક્રમણકારોના જુલ્મની કહાની બયાં કરે છે, ઉપર આપેલી તસ્વીરોમાંથી કીર્તિ સ્તંભ સલામત છે,
રાણ  કી  વાવ બચી ગઈ - કારણ કે, ભૌગોલિક ફેરફારોને લીધે એ દાયકાઓ સુધી જમીનમાં દટાયેલી રહી,  રુદ્ર મહાલયના 1590 સ્તંભનો ધ્વંશ થયો, તારંગા, હાટકેશ્વર ખતમ થઇ ગયા હતા,
મોઢેરાનું મંદિર તેની ગ્લોરી ગુમાવી બેઠું છે - તેના લગભગ એક હજાર શીલ્પ્માંથી
એકપણ અખંડિત નથી! પાટણનું સહસ્ત્ર લિંગ તળાવ તેના કાંઠે આવેલા એક હજાર
શિવલિંગ માટે વિખ્યાત હતું , આજે એક પણ શિવલિંગ ત્યાં નથી ! 



વી.એસ. નાયપોલ એક જબરદસ્ત મેધાવી પ્રતિભા છે. સાહિત્ય માટે બુકર અને નોબેલ પ્રાઇઝ પણ મેળવી ચૂક્યા છે. વિશ્વભરમાં એમની પ્રતિષ્ઠા છે અને રોમિલા થાપરો કરતાં અનેકગણી તેમની વિશ્વસનીયતા છે. દરેક ભારતીયોને તેમણે વિજયનગરના જર્જરીત ખંઢેરો જોવાની અનેક વખત સલાહ આપી છે. આપણે તેમાં ગુજરાતના જર્જરીત ધર્મસ્થાનોનો ઉમેરો કરી શકીએ. સોમનાથ હવે નવું રૂપ ધરી ચૂક્યું છે, પણ અનેક ધર્મસ્થાનોનો જીર્ણોદ્ધાર હજુ થયો નથી. આવા બોલતા પુરાવાઓની હાજરીમાં પણ સળંગડાહ્યા લોકો વધારાના પુરાવાઓ માંગતા રહે છે. એ સમયે વિડીયો કે મુવી કેમેરા નહોતા એ શું આપણો વાંક છે? પરિસ્થિતિ એવી છે કે, ગઝની કે અલ બેરૂનીનું ભુત આવીને ભારતમાં કહે આ બધા કૃત્યો તેમણે કર્યા છે તો પણ કેટલા કાળોતરાઓ એ સ્વિકારવા તૈયાર ન થાય. પેલુ પલીત જો એ સમયના આક્રમણના દ્રશ્યો તમને દેખાડે તો પણ તેઓ પાસે દલિલ હાજર હોયઃ ‘તમારી આ અદ્રશ્ય ટેપ સાથે અદ્રશ્ય ચેડા થયા છે.’ વિદેશી આક્રમણખોરોને આજે પણ આપણે જડબાતોડ જવાબ આપી શકતા નથી. તેના કારણો દુર શોધવા જવાની જરૂર નથી. સમાજની વચ્ચે જ આવા કારણો દ્રશ્યમાન થતા રહે છે. સોમનાથનું મંદિર સદીઓથી આવા દસ મોઢાળા લોકોના કુપ્રચારનો અને આક્રમણોનો ભોગ બનતું રહ્યું છે.


(મારા પુસ્તક : "મહા-ભારતની રામાયણ"માં પ્રકાશિત લેખ)


Maha-Bharat Ni Ramayan - By: Kinner Aacharya