Showing posts with label Corruption. Show all posts
Showing posts with label Corruption. Show all posts

Monday, October 17, 2011

दिग्विजय सिंह को खुल्ला पत्र ! An Open Letter To Digvijay Singh !

કોંગ્રેસ, મેડમ, રાજકુમાર અને દિગ્ગીનું નવું સૂત્ર: 
પત્રાચાર ચલાવો , ભ્રષ્ટાચાર બચાવો !




અન્નાની શક્તિઓ હણી લેવા, એમને અને સાથીદારોને બદનામ કરવા સરકારે રીતસર ઝુંબેશ શરુ કરી છે. આવી સ્થિતિમાં કોઈપણ છટકામાં ભોળવાયા વગર આપણે આપણો ટેકો આ આંદોલન ને અને તેના સૂત્રધારોને આપ્યા રાખીએ એમાં જ આપણું કલ્યાણ છે. આપણે એક પ્રજા તરીકે બેશક કમજોર છીએ. પરંતુ મામલે કોઈ તકસાધુ, ભ્રષ્ટ રાજકારણી આપણને ડ્રાઈવ કરી પોતાની મેલી મુરાદ પાર પાડી જાય તો આપણે ડૂબી મરવું જોઈએ. દિગ્વિજયે અન્નાને પત્ર લખ્યો હોય તો આખો દિવસ તેનું કવરેજ આવશે પરંતુ અન્નાના જવાબને ઝલક માત્ર દ્વારા નિપટાવી દેવાશે. મીડિયાને આ વખતે બરાબર મેનેજ કરેલું છે કૌરવોએ. જન લોકપાલથી ધ્યાન હટાવી, અન્ના અને તેમના સાથીદારોને રોજ નીતનવા - માથામેળ વગરના વિવાદોમાં ઘસડ્યે રાખવા - એ કામની જ જાણે દિગ્વિજયને સુપારી અપાઈ છે. અન્નાએ ભલે મૌન ધારણ કર્યું, આપણે આ કુપ્રચારનો જડબાતોડ જવાબ આપવો જ રહ્યો. કારણ કે, જન લોકપાલની લડત નિષ્ફળ જશે તો તેનું સૌથી વધુ નુકસાન આપણને જ છે. એટલે જ આ ખુલ્લો પત્ર અહીં હિન્દીમાં લખી રહ્યો છું. કારણ કે, તેનો વધુ ને વધુ ફેલાવો જરૂરી છે. મિત્રો, સામાન્ય રીતે હું જ મારા કોઈ લેખ વગેરેને વધુ ને વધુ સ્પ્રેડ કરવાનું કહું એ સારું ના કહેવાય. પરંતુ આ બાબત જનહિતને સ્પર્શતી છે. આપ સૌને વિનંતી કે, આ પત્રનો મહત્તમ ફેલાવો કરો! ફેસબુકથી લઇ ટ્વીટર અને ગુગલ પ્લસથી માંડી ને ફેન પેઈજ, સ્ટેટસ, વિવિધ બ્લોગ્સ... જ્યાં શક્ય હોય ત્યાં તેને પ્રસરાવી દો...
*********************************

आदरणीय दिग्विजय जी ,

नमस्कार! 

अन्नाजी को आपने जो तीन - तीन पत्र लिखे है उस से प्रेरित होकर यह पत्र आप को लिख रहा हूँ.

कुछ मुद्दे है - जो इस देश के आम आदमी होने के नाते मेरे दिमाग में सुई बनकर चुभ रहे है, कुछ सवाल है - जो आज तक निरुत्तर है.

आप ने अन्नाजी को कहा की वोह गलत लोगो से घिरे हुए है और अन्नाजी को उन का साथ छोड़ देना चाहिए. अन्नाजी के बारे में आप को चिंता है यह जानकार ताज्जुब भी हुआ और अच्छा भी लगा. पर क्या आपने कभी यह सोचा है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? राजा जेल में है, कलमाड़ी भी उन को कंपनी दे रहे है, कई और नाम में ले सकता हूँ. पर आप अभी भी डी.एम्.के. से घिरे हुए है. करूणानिधि की सरकार में हाजरी यह बात प्रस्थापित करती है की आपकी कथनी और करनी में बहुत लम्बा अंतर है. शायद, लाखो प्रकाशवर्षो का अंतर. इस विषय पर और गहनता से बात करते है: आप के प्रधान मंत्री कैसे-कैसे लोगो से घिरे है, कभी सोचा है आपने? एक कपिल सिब्बल है - जिन के पास टु-जी में फंसी कंपनियों पर एक्शन लेने की सत्ता थी, उन्होंने नहीं लिए. चिदंबरम है - जो खुद इस महा घोटाले के एक सूत्रधार है. मनीष तिवारी जैसे लोग है - जो आपकी बडबोलेपन की विरासत संभालने की क्षमता रखते है. और आपकी अधिष्ठात्री सोनियाजी है - जो खुद इतने बड़े मामले पर कुछ भी कहेना नहीं चाहती. उनकी खामोशी बहुत कुछ बयाँ कर रही है. यह बिलकुल जाहिर है की, भ्रष्टाचार के विरुध्ध आन्दोलन  अगर सफल होता है तो सबसे ज्यादा नुकसान सोनियाजी और उनके सुपुत्र तथा इस देश के राष्ट्रीय दामाद रॉबर्ट वढेरा को होने वाला है. और अब यह भी सोचिये की, सोनियाजी और देश के एकमात्र राजकुमार कैसे-कैसे निम्नत्तम लोगो से घिरे है. आप उनके सबसे वफादार और विश्वसनीय साथी है. क्या यह वास्तविकता स्वयं इस बात का प्रमाण नहीं है की, सोनियाजी और राहुल की इस देश की सुरक्षा के प्रति और एकात्मता के प्रति तथा देशहित के प्रति जो प्रतिबध्धता है वो बिलकुल शून्य है! कोई स्वस्थ दिमाग वाला आदमी और विकास के रास्ते पर चल रही पार्टी आप जैसे विकास विरोधी, देश विरोधी और बदजुबान व्यक्ति को कैसे बर्दाश्त कर सकते है? आप का उनके नजदीक होना और बिना रोकटोक अनापशनाप बोलना यह दरअसल सोनियाजी की गन्दी सोच को उजागर करता है. जब हम इस बात पर विचार करते है कौन कैसे लोगो से घिरा है, तो मेरे दिमाग में यह बात भी आती है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? क्या यह भी एक राष्ट्रीय शर्म की बात नहि है की, मनमोहन जैसे दोगुले और ढोंगी नेता इस पार्टी के शीर्ष पर बैठे है और इस देश का नेतृत्व कर रहे है? बिलकुल है. और इसी कड़ी में मुझे यह भी विचार आता है की, देश की जनता कैसे -कैसे निम्न स्तरीय नेताओ से और अवाम विरोधी सरकार से घिरी है. जब आप को और चिदम्बरम, सोनिया, मनमोहन जैसे नेता को देखते है, हम आम लोगो का प्रजातंत्र से भरोसा उठ जाता है.

"जब आपको देखता हूँ, मुझे ओसामाजी का
स्मरण होता है. पर किरण बेदी को देखता
हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक
अफसर दिखाई देती है!
आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म
खामोशी मुझे नज़र आती है,
अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी
एक बुलंद आवाज़ मुझे सुनाई देती है.
जब मनमोहन को देखता हूँ, विचार आता है की,
जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है,
हमारे लिए बहेतर होगा की हम
उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए.
जब में जस्टिस हेगड़े की और देखता हूँ,
मुझे वोह मनमोहन की तुलना में
बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी,
स्वस्थ और इमानदार लगते है "


जब आप अन्ना के साथियो के बारे में कुछ बोलते है, हमारी नज़र के सामने से एकदम धड़ल्ले से कुछ तस्वीरे पसार होने लगती है. मानो कोई फिल्म का फास्ट फॉरवर्ड चल रहा हो. जिस में आप, मेडम सोनियाजी, राहुल, चिदम्बरम, सिब्बल, मनमोहन जैसे लोग दिखते है और साथ-साथ अरविन्द केजरीवाल, प्रशांत भूषण, किरण बेदी, जस्टिस हेगड़े जैसे लोग भी दिखते है. और हम जट से बोल देते है की, आप सब लोग से तो यह अन्ना एंड पार्टी करोडो गुना बहेतर है. जब आपको देखता हूँ, मुझे ओसामाजी का स्मरण होता है. पर किरण बेदी को देखता हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक अफसर दिखाई देती है! आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म खामोशी मुझे नज़र आती है, अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी एक बुलंद आवाज़ मुझे सुनाई देती है. जब मनमोहन को देखता हूँ, विचार आता है की, जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है, हमारे लिए बहेतर होगा की हम उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए. जब में जस्टिस हेगड़े की और देखता हूँ, मुझे वोह मनमोहन की तुलना में बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी, स्वस्थ और इमानदार लगते है. मेरी बात नहीं है, इस देश का हर कोई स्वस्थ आम आदमी के येही विचार है. अन्ना मुझे इस लिए कभी देवदूत नज़र आते है, क्यूँ की वे जिस का वध करने निकले है वोह सभी दैत्य है. और हम दैत्यवृत्ति का अनुभव इन दिनों बहुत अच्छे तरीके से कर रहे है. जब आप यह कहेते है की, अन्ना कोंग्रेस का हीं विरोध क्यूँ कर रहे है - आप को यह भी सोचना चाहिए की जन लोकपाल का सबसे ज्यादा विरोध कौन कर रहा है. अगर कोंग्रेस चाहती है की, यह बिल पास हो तो यह बहुत आसानी से हो सकता है. पर आप ने चोर की दाढ़ी में तिनका वाली कहावत तो सुनी ही होंगी! 

Courtesy: bamulahija.com
आप की मंशा किसी से छिपी नहीं है. आप अपनी अधिष्ठात्री देवी के इशारों पे चल के अन्नाजी के आन्दोलन को बदनाम करने के प्रयास बिना छुपाये ही कर रहे है. अब छुपाना आप लोगो की फितरत नहीं, आप जुल्म भी करते है तो, केमेरा के सामने ही करते है. और रामलीला मैदान में हत्याकांड भी मिडिया को साक्षी रख के करते है. आप भ्रष्टाचार भी करते है तो अपने "इमानदार" अर्थशास्त्री प्रधान मंत्री को साक्षी रख के ही करते है. सब कुछ बिलकुल खुल्ला है. कोई आवरण नहीं रहा. आप की दिगंबर अवस्था भी अदभुत है. यह अनोखी यात्रा है कोंग्रेस की. और यह पड़ाव भी बहुत अवर्णनीय है! जहाँ लाज - शर्म सब छुट गया है. एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन गलियों में घुमा करती थी, आज एक भोगन बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी लिए हुए देश में निर्भीक घूम रही है. जब आप ऐसा कोई पत्र लिखते है, कृपया अपनी स्थिति का पहेले अवलोकन कर लिया कीजिये. 

भ्रष्टाचार पर आप गंभीर है, आपकी पार्टी और प्रधान मंत्री भी गंभीर है , ऐसा आपने दावा किया. एक आम नागरिक होने के नाते मुझे भी लगता है की, आप सब इस विषय पर गंभीरता से सोच रहे है: आप विचार कर रहे है की, अब कैसे भ्रष्टाचार के नए रस्ते खोजे जाएँ , जिस से आप सब और भी मोटे हो और तगड़े हो. जब सूचना के अधिकार के जरिये  कई घोटाले सामने आये तो आप के "इमानदार" प्रधान मंत्री कहेते है, "सूचना के अधिकार का रिव्यू अब ज़रूरी है!" अगर कोई इमानदार प्रधान मंत्री होता तो कहेता : "अरे वाह! एक कानून अगर घोटाले का पर्दाफ़ाश करने में इतना उपयोगी सिध्ध हो रहा है तो क्यूँ न इसे और भी सख्त और प्रभावी बनाया जाए!" पर हम को पता है, मनमोहन की "इमानदारी" कौन सी बला का नाम है. यह ठीक वैसी ही है जैसी लादेन के करुणा और चार्ल्स शोभराज की नीतिमत्ता. भ्रष्टाचार पर आप सब लोग यह विचार कर रहे है की, कौन सा ऐसा तरीका हो जिस में आप भ्रष्टाचार तो दिल फाड़ के कर सके परन्तु किसी को उसकी भनक तक न लगे. इसी लिए जब आप कलमाड़ी और रजा वगैरह की जेल यात्रा का श्रेय कोंग्रेस को देते है तो बड़ा भद्दा लगता है सुनने में! आप ने इन सब महानुभावो को इसी तरह बचाने का प्रयत्न किया था जैसे आप आज चिदम्बरम को बचा रहे है. शुक्र हो, केग, सुप्रीम कोर्ट और टाइम्स नाऊ जैसे चेनलो का - की आज यह सब पापी जेल में है. आप जब अन्नाजी को लिखे पत्र में इस बात का श्रेय ले रहे थे - आपकी उंगलिया क्यूँ नहीं कट गई? क्यूँ जमीन नहीं फट गई?? और क्यूँ आप को किसी ने ऐसा पाप करने से रोका नहीं? 

इस देश का हर नागरिक आपको बहुत कुछ कहेना चाहता है, बदकिस्मती यह है की उन के पास माध्यम नहीं है. मै भी संघ का कोई बहुत बड़ा समर्थक नहीं हूँ. मुझे उन की कई बाते पसंद नहीं है. परन्तु आप जब अन्नाजी के ऊपर संघ के समर्थन का आरोप लगाते है, आश्चर्य होता है. मेरे नाजुक दिमाग में यह बात नहीं घुस रही की, यदि कोई संगठ्न भ्रष्टाचार के खिलाफ आन्दोलन को अपना सहयोग देता है, समर्थन देता है तो इस में बुराई क्या है? मुझे तो मन में यह सवाल चुभ रहा हैं की आप की पार्टी इस आन्दोलन को समर्थन का एलान क्यूँ  नहीं कर रही? आप और आपका अन्तेवासी व् परम शिष्य राहुल उस समय अगर भ्रष्टाचार के खिलाफ नारा  लगाने रामलीला मैदान पहुँच गए होते - जब अन्ना वहां अनशन पर थे - तो इस देश का कल्याण हो जाता.

जब आप की सरकार और वोह प्रखर, मेधावी अर्थशास्त्री पैर के नाख़ून से लेके शिखा तक खुद भ्रष्टाचार में लिप्त है, आप संघ पर भ्रष्टाचार विरोधी होने का संगीन आरोप लगाते है! यह तो किसी गायक को सुरीला कहेना जैसा इलज़ाम है! आपने कभी सुना है की, अच्छा खेलने वाले खिलाड़ी पर किसी ने अच्छा खेलने का इलज़ाम लगाया हो? यह बात स्वयं आप के वैचारिक स्तर का सब से बड़ा सबूत है. मेरे मन में यह विचार भी उठ रहा है आप की, हर अंदाज़ से बीमार अध्यक्षा अगर अमेरिका से वापस लौट के अन्नाजी के आन्दोलन को समर्थन देती तो मानो यह देश एक बार फिर से सोने की चिड़िया बन जाता और हमें लगता की यहाँ फिर से घी-दूध की नदिया बहेने लगी है. ऐसा कुछ नहीं हुआ. कौन भला अपनी कबर खोदना चाहेगा? आप ने कभी सियामिज़ ट्विन्स के बारे में सुना है? ऐसे जुड़वाँ - जो जन्म से ही एक-दुसरे के अंग के साथ जुड़े होते है. दोनों के पास कभी एक कोमन शरीर होता है, एक सोता है - दूसरा जाग नहीं सकता. जब एक को इन्फेक्शन होता है, दुसरे को अवश्य बुखार होता है. उन को अलग करना मुमकिन नहीं. डॉक्टर्स कहेते है, अगर काट दिया, दोनों मर जायेंगे. फिर वोह आदतन जीते रहेते है. कोंग्रेस और भ्रष्टाचार भी ऐसे ही जुडवा है, वोह अलग नहीं है. दोनों की व्याख्या एक ही है, अर्थ और अस्तित्व एक ही है. एक जिंदा है तो दूसरा भी साँसे ले रहा है. दोनों एक - दुसरे के अस्तित्व का सम्मान करते है. क्यूँ की, इसी में उन का अपना अस्तित्व जुडा है. जुड़े रहेना उन का स्वार्थ है, जुड़े रहेना उन की ज़िन्दगी है. 

यह अनोखी यात्रा है कोंग्रेस की.
और यह पड़ाव भी बहुत अवर्णनीय है!
जहाँ लाज - शर्म सब छुट गया है.
एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन
गलियों में घुमा करती थी, आज एक भोगन
बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी
लिए हुए देश में निर्भीक घूम रही है.
जब आप ऐसा कोई पत्र लिखते है,
कृपया अपनी स्थिति का पहेले
अवलोकन कर लिया कीजिये. 





  
मै एक लेखक - पत्रकार हूँ. पर सबसे पहेले मै तक़दीर का मारा एक भारतीय हूँ. शायद मेरा जन्म बहुत जल्दी हुआ है, या फिर मैं दौसो साल देर से जन्मा हूँ. मैं आप जैसे गंदे लोगो को अपने नेताओ के रूप में देखना अपने जीवन की सबसे बड़ी बदकिस्मती और विवशता समजता हूँ. यह स्थिति मुझे स्वीकार्य नहीं. क्यूँ की यह डेमोक्रसी नहीं है, यह केकिस्तोक्रसी है. जहाँ बहुत सारे नीच और अधम लोग मिल के लोगो के सर पे बैठ अपनी हुकूमत चलाते है. आप इस सूचि में अपने मेडम और प्रखर अर्थशास्त्री के साथ शीर्ष पर बिराजमान है. मेरे जैसे करोडो लोग है - जो आप सब लोगो को अपने दिलोदिमाग से घृणा करते है. मै पत्रकार - लेखक हूँ, चाहू तो अपनी बात बिटविन ध लाइन्स लिख सकता हूँ. पर में कोई शब्द चुराना नहीं चाहता. क्यूँ लिखू बिटविन ध लाइन्स? कुशासन और भ्रष्टाचार का निर्वस्त्र नाच जब खुल्लेआम हो रहा है, में अपनी नाराज़गी खुल के ज़ाहिर क्यूँ न करू? मुझे कहेने दीजिये की, जब आप के गंदे निवेदन सुबह-सुबह टेलिविज़न पर सुनते है, हमारा दिन वही से खराब हो जाता है, जब आप की अधिष्ठात्री देवी की खामोशी रोज सुबह हमारे कानो से टकराती है, हमारे कान फट जाते है. जब हम १२० करोड़ लोगो का नेतृत्व करनेवाले दुनिया के अनूठे इमानदार सरदारजी को देश की समस्याए सुलजाने के लिए प्रतिबध्धता की जगह जादू की छड़ी ढूंढ़ रहे पाते है तो लगता है की, सवासो करोड़ लोग मानो पंगु व् नि:सहाय हो गए. नेतृत्व की और इमानदारी का ऐसा सुखा शायद ही हमारे पांच हजार वर्ष के इतिहास में आया हो. कमबख्ती यह है की, इस सूखे का साक्षी बनना और इनका शिकार बनना हमारी किस्मत में ही लिखा था! 

और आप जैसे लोग इस स्थिति का आनंद उठाना भी जानते है. सही में आप स्थितप्रग्न है. मेरे पास कहेने को बहुत कुछ है किन्तु यहाँ अपनी बात समाप्त कर रहा हूँ. आप से यह निवेदन है की, कृपया अपनी बकवास बंध मत कीजियेगा. यह जो कुछ भी आप बोलते है - उस से हमें और बल मिलता है. लगता है की अन्ना सच में आपका सिरदर्द बने हुए है. यह धारणा और भी पक्की होती चली जाती है. आप बोलते रहिये, क्यूँ की आपकी बकवास न सिर्फ आपकी मानसिकता बल्कि मेडम और उनके राजकुमार के गंदे खयालात भी बयाँ करती है. आप जैसे लोग है तो अन्ना है, अगर आप और मेडम वगैरह नहीं होंगे तो अन्ना की ज़रूरत क्या रह जायेगी. 

आपके नए पत्र की प्रतीक्षा है. 

-किन्नर आचार्य 
Mobile: +919825304041

Tuesday, August 23, 2011

અન્નાની આંધી, આજે પણ પ્રસ્તુત છે ગાંધીઃ ભ્રષ્ટાચાર વિરોધી લડતે અનેક પ્રચલિત ભરમ ભાંગ્યા!

photograph courtesy: rediff.com

અન્ના હઝારેની લડાઇ વચ્ચે અનેક નોંધવા જેવી બાબતો પ્રત્યે આપણું ધ્યાન ગયું નથી. સવાલ એ છે કે, શ્રી શ્રી રવિશંકર સિવાયના ધર્મગુરૂઓ જનહિતની આ બાબતમાં શા માટે રસ લેતા નથી?વ્યસન મુકિતની ઝૂંબેશના નામે માર્કેટિંગ કરતા સાધુ, સ્વામિઓ દેશનાં સૌથી ભયાનક વ્યસન એવા ભ્રષ્ટાચાર બાબતે કેમ ચૂપ છે? 
શું મિડિયાનો ભરપુર સહયોગ ન હોત તો ઝૂંબેશ આટલી હદે સફળ થઇ હોત?

તારીખ ૧૯ ઓગસ્ટની સવારથી શરૂ થયેલી ગતીવિધિઓ પર એક દ્રષ્ટિપાત કરવા જેવું: સવારનાં ૧૧:૩૦ વાગ્યેઃ ભાજપના નેતા એલ.કે. અડવાણી વિરોધ પક્ષમાં રહેલી દરેક પાર્ટીને અન્નાનાં સમર્થનમાં આગળ આવવા અપીલ કરે છે. એમની હાકલને સારો પ્રતિસાદ પણ મળે છે.
૧૧:૪૫ વાગ્યેઃ અન્ના હઝારે તિહાર જેલમાંથી બહાર આવે છેજ્યાં તેમનું સ્વાગત કરવા, તેમને વધાવી લેવા હજારો લોકો ઉભા છે. બીજા હજાર લોકોનું ટોળું તેમની પ્રતિક્ષામાં રામલીલા મેદાનમાં ખડેપગે છે. દિલ્હીની સડકો પર અનેક લોકો ગાંધીટોપી પહેરી નીકળ્યા છે, ટોપી પર લખ્યું છેઃ ‘મૈ ભી અન્ના હું’
૧૧:૫૫ વાગ્યેઃ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બિહારથી એક ટ્રેન આવી ઉભી રહે છે. તેમાંથી વીસેક યુવક  યુવતીઓનું એક જૂથ ઉતરે છે. તેઓ શિક્ષિત છે, જીન્સટી શર્ટમાં સજ્જ. એમાંથી ઘણાંના હાથમાં તીરંગો છે, કેટલાંકના હાથમાં પ્લે કાર્ડસ છે, જેનાં પર લખાણ છેઃ ‘એક ધક્કા ઔર દો, ભ્રષ્ટ સરકાર કો ફેંક દો.’
૧૨:૩૦ વાગ્યેઃ એક ન્યૂઝ ચેનલ પર કેટલાંક અન્ના સમર્થકો (સાચા અર્થમાં કહીએ તોઃ ‘ભ્રષ્ટાચાર વિરોધીઓ’)નાં નાનાનાના ઇન્ટરવ્યૂઝ આવી રહ્યાં છે. એક સ્ટાઇલિશ ભારતીય મૂળની મહિલા પોતાનાં પુત્ર સાથે છેક દુબઇથી અહીં લડતમાં જોડાવા આવી છે. એક જૂથ અમેઠીથી અને રાયબરેલીથી આવ્યું છે. થોડાં મિત્રો હૈદરાબાદથી તો કોઇ બેંગલોરથી આવ્યા છે. આ બધા જ લોકો રામલીલા મેદાન પર અન્નાની પ્રતિક્ષા કરી રહ્યાં છે.
૧:૦૦ વાગ્યે: ૧૨૦ વર્ષના ઇતિહાસમાં મુંબઈના 'ડબ્બાવાલા' પ્રથમ વખત હડતાલ પર ઉતર્યા છે. અન્નાના  સમર્થનમાં. દરેક ટિફિન ચાહકને આજે બહારના ભોજનથી જ ચલાવવું પડે એમ છે. અચ્છા હૈ! મુંબઈની અનેક રેસ્ટોરામાં આજે રોજની સરખામણીએ અનેકગણી ભીડ છે.
૧:૪૫ વાગ્યેઃ તિહાર જેલમાંથી અન્ના હઝારે બહાર આવે છે, ભ્રષ્ટાચાર અને જંગ ચાલુ રાખવાની જાહેરાત કરે છે. એમની ભાષામાં કહીએ તો, ‘ભારતનો દ્વિતીય સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થઇ ચૂક્યો છે.’ ઓપન ટ્રકમાં તેઓ માયાપુરી ચોક થઇ રાજઘાટ તરફ આગળ વધે છે.
૨:૦૦ વાગ્યેઃ અકળાવી મૂકે તેવા ભેજયુક્ત વાતાવરણમાં પરસેવો નિતારતા લોકો રામલીલા મેદાન પર અન્નાની રાહ જોઇ રહ્યાં છે. અન્ના જેલમુક્ત થયા પછી દેશનાં દરેક નાનામોટા શહેરમાં દેખાવો, રેલીઓ અને ધરણાઓ ચાલુ છે. ‘વંદે માતરમ્’ જાણે લોકોનો તકિયાકલામ બની ગયો છે.
૨:૧૫ વાગ્યેઃ તેલુગુ ફિલ્મોદ્યોગ દ્વારા અન્નાને ટેકો જાહેર થાય છે. એક દિવસનાં અનશનનું આયોજન છે. રેલી ચાલુ છે. આ રેલીમાં તેલુગુ ફિલ્મ ઉદ્યોગના એક્ટર ઉપરાંત પ્રોડ્યુસર્સ, ડિરેકટર્સ અને લેખકો પણ જોડાયા છે.
૨:૩૦ વાગ્યેઃ ‘હિન્દુ’ દૈનિકની વેબસાઇટ પર સમાચાર આવે છે કે, ચીનનાં યુવાનોમા અન્નાની લડતે જબરૂં આકર્ષણ જમાવ્યું છે. અનેક ચીનાઓએ પોતાનાં બ્લોગ પર અન્નાની પ્રશંસા કરતી વાતો લખી છે. એક ચીની યુવાન લખે છેઃ ‘ચીનમાં પણ ભરપુર ભ્રષ્ટાચાર છે પરંતુ અમારે ત્યાં કોઇ અન્ના જન્મતો નથી એનું દુઃખ છે !’
૩:૦૦ વાગ્યેઃ રામલીલા મેદાન પર હજારોની મેદની સંબોધતા અન્ના કહે છેઃ ‘હું હોઉં કે નહીં, ક્રાન્તિની આ મશાલ બુઝાવી ન જોઇએ. મજબૂત લોકપાલ બિલ આવશે નહિં ત્યાં સુધી હું હટીશ નહીં.’
૩:૩૦ વાગ્યેઃ અન્નાની વિદાય પછી હાશકારો અનૂભવતા જેલના એક અધિકારી નામ નહીં આપવાની શરતે કહે છેઃ ‘અન્ના અહીં હતા તો અમને પણ અપરાધભાવ જેવું લાગતું હતું! એનાં જેવાં સરળ, સીધા, નિષ્ઠાવાન વ્યકિત અગાઉ ક્યારેય તિહારનાં મહેમાન બન્યા નથી! હા! અમારા માટે તો તેઓ એક મોંઘેરા મહેમાન હતા, કેદી નહીં.’
photograph courtesy: rediff.com
૪:૦૦ વાગ્યેઃ રામલીલા મેદાન પર અનેક વિદ્યાર્થીઓ પોતાનાં શિક્ષકો સાથે પહોંચે છે. અનેક સ્ટુડન્ટસ પોતાનાં કલાસ કે સ્કુલ ઠેકાવીને પહોંચ્યા છે. દિલ્હીની ‘રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય’નો નવમા ધોરણનો વિદ્યાર્થી, વિકાસ જહા કહે છેઃ ‘તેઓ (અન્ના) લડી રહ્યાં છે કારણ કે તેઓ અમને બહેતર ભવિષ્ય આપવા માંગે છે. એટલે જ અમારા માટે તેઓ પિતાસમાન છે!’
૪:૩૦ વાગ્યેઃ વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ અન્નાના સમર્થનમાં લાખો લોકો ઝુકાવે છે. ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટવર્કંિગ સાઇટ્સમાં અન્નાને જેવો સપોર્ટ મળે છે તેઓ અગાઉ કોઇને ક્યારેય આ દેશમાં મળ્યો નથી. ઓનલાઇન ગેમ્સ રમવા માટેની સાઇટ આઇબિબો ડોટ કોમ પર એક ખાસ ગેઇમ રમવા માટે લોકોનો ધસારો વધી જાય છે. ‘યસ પ્રાઇમ મિનિસ્ટર’ નામની આ ગેમમાં તેનાં પ્લેયરને અન્નાનું સમર્થન કરી ભારતના વડાપ્રધાન બનવાની તક મળે છે. આ પ્લેયર પછી પ્રાઇમ મિનિસ્ટર બનીને મનમોહન સિંહની માફક માત્ર તમાશો નિહાળી પોતાનો કટ લીધા કરતા નથી, પ્લેયર્સ પોતાની જવાબદારી નિભાવે છે, અહીં તેમને ભ્રષ્ટ પ્રધાનો અને બ્યુરોક્રેટ્સને સજા કરવાની તક મળે છે અને જ્યારે જ્યારે તેઓ આવું કરે છે, તેમનાં પોઇન્ટસ વધતા જાય છે.
પઃ૦૦ વાગ્યેઃ દિલ્હીમાં જ ચાલી રહેલા ‘લેકમે ફેશન વીક’માં ડિઝાઇનર જોડી પૂર્વેશજય કેટલાંક અતી વિશિષ્ટ ટીશર્ટસ પેશ કરે છે. ટીશર્ટસ પર અન્નાની તસવીર છે અને લખ્યું છેઃ ‘આઇ એમ અન્ના!’
૫:૩૦ વાગ્યેઃ ટ્વિટર પર એક પછી એક બોલિવૂડ સિતારાઓ ઉમટી પડે છે. બિપાશા બસુ લખે છેઃ ‘આપણાં દેશનાં સૌથી ભયાનક દાનવ, ભ્રષ્ટાચારને નાથવા સૌએ અન્નાને ટેકો આપવો જોઇએ.’ દિયા મિરઝા કહે છેઃ ‘બહુ સ્પષ્ટ છે કે, અન્નાની ગેરવાજબી ધરપકડ કરી સરકારે અન્નાના યજ્ઞમાં મદદ જ કરી છે. સરકારે તેમને અગાઉ કરતાં પણ મોટા નાયક બનાવી દીધા.’ અનુપમ ખેર લખે છેઃ ‘અન્નાની ધરપકડ થઇ એ દિવસ ભારતીય લોકશાહીનો સૌથી કાળો દિન હતો!’
૬:૦૦ વાગ્યેઃ દેશની ખ્યાતનામ ન્યૂઝ સાઇટ પર વિવિધ નિષ્ણાંતોના અન્નાની લડત પરના અભિપ્રાય મૂકાય છે. જસ્ટિસ હેગડે તેમાં કહે છેઃ ‘આપણે એક લોકતંત્ર છીએ અને લોકશાહીની વ્યાખ્યા જ એ છે કે, તેમાં તેનાં નાગરિકોને એવાં મામલામાં પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે જે તેમનાં જીવનને સ્પર્શતા હોય. આ માટે લોકશાહી ઢબે કોઇપણ વિરોધ સ્વીકાર્ય છે. ભારતનું બંધારણ કહે છે કે, ભારત એક પ્રતિનિધિ અને સંસદીય લોકશાહી છે અને તેનાં નાગરિકો દ્વારા ચૂંટાયેલા નાગરિકોના પ્રતિનિધિઓ પ્રજાની જરૂરીયાતો અને માંગોનો પડઘો સંસદમાં પાડશે. પરંતુ બદનસિબે આ આદર્શ ક્યાંક ઓગળી ગયો છે.’
૬:૩૦ વાગ્યેઃ હરિયાણા વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હોવા છતાં બિનકોંગ્રેસી ધારાસભ્યો પોતાનાં ગળામાં એક પ્રકારનાં વિશિષ્ટ સ્કાર્ફ વિંટી આવ્યા છે. સ્કાર્ફમાં અન્નાની લડતને સમર્થન આપતા સૂત્રો છે.
૭:૦૦ વાગ્યેઃ મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં અન્ના તરફી જુવાળ છવાયો છે. દોઢસો જેટલાં સ્કુલ સ્ટુડન્ટસ માથા પર ગાંધીટોપી પહેરી નીકળ્યા છે. અન્નાનાં સમર્થનમાં અહીં રક્તદાન કેમ્પ થઇ રહ્યાં છે. અન્નાની ધરપકડના વિરોધમાં એક બિનરાજકીય સંગઠ્ઠનએ ગાયબકરી અને શ્વાનને લઇ વિશાળ રેલી કાઢી છે. ગાંધીટોપી પહેરી શાળાનાં બાળકો સંગઠ્ઠીત અવાજે પેલું જોશભર્યુ ગીત ગાઇ રહ્યાં છેઃ ‘હમ હોંગે કામિયાબ!’
૭:૩૦ વાગ્યેઃ આખા દેશમાં એક એસ.એમ.એસ. ફરતો થઇ જાય છે. એમાંના ટુચકા મુજબ મહેન્દ્ર ધોની અન્નાને એક ચીઠ્ઠી લખે છેઃ ‘પ્રિય અન્નાજી, ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ સીરિઝ પરથી ભારતીય પ્રજાનું ધ્યાન હટાવવા બદલ ખુબ ખુબ આભાર!’
૮:૦૦ વાગ્યેઃ કોંગ્રેસના નેતા અલ્વી ફરી એક વખત પોતાની વાત દોહરાવે છેઃ ‘અન્નાની લડત એ તો અમેરિકાનું ષડયંત્ર છે!’
*  *  *
ધૃતરાષ્ટ્ર જેવાં, જન્મથી અંધ લોકો પણ આ દ્રશ્યો નિહાળ્યા વગર કહી શકે કે આ વિરોધ સ્વયંભૂ છે. હા! ગાંધારીઓને તેમાં વિદેશી હાથ દેખાઇ શકે છે. કારણ એકદમ સ્વાભાવિક છેઃ ધૃતરાષ્ટ્રને તો અંધાપો પ્રકૃત્તિ તરફથી મળેલો છે, ગાંધારીએ તો સામે ચાલીને સ્વીકારેલો છે. ધૃતરાષ્ટ્રનું અંધત્વ એ તેની મજબૂરી છે, ગાંધારીની દ્રષ્ટિહિનતા એ તેનો રાજીપો છે. કોઇપણ કદના ભંડોળ દ્વારા ક્યારેય જુવાળ સર્જી શકાતો નથી. જો ફંડ થકી વિચારોના હિલોળાનું સર્જન થઇ શકતું હોત તો ભારતમાં એકપણ મોટા ગજાની ફિલ્મ પીટાઇ જતી ન હોત. ફંડ દ્વારા લોકોની માનસિકતા કે માઇન્ડસેટ બદલી શકાતા હોય તો ચૂંટણીઓ પણ એ જ ઉમેદવાર જીતી શકે જે સૌથી વધુ ખર્ચ કરે.
અન્નાની લડતને તોડી પાડવા માટે કોંગ્રેસથી શક્ય હતા એટલાં તમામ ખેલ તેણે કર્યા છે. અનશનનાં એકાદ દિવસ અગાઉ કોંગ્રેસના બટકબોલા પ્રવક્તા મનિષ તિવારીએ પ્રેસ કોન્ફરન્સ કરી, અન્ના પર ભ્રષ્ટાચારના આરોપ પણ મૂક્યાં. પરિણામ એ આવ્યું કે, જે મુઠ્ઠીભર લોકોને કોંગ્રેસ પ્રત્યે થોડી ઘણી સહાનૂભૂતિ હતી એ પણ ખતમ થઇ ગઇ. તિવારીના દિમાગમાં માંસશીરાને બદલે ભૂંસુ ભરેલું છે અને રક્તનાં સ્થાને વિકારો વહે છે. કેન્દ્ર સરકારને ૧૩ ઓગસ્ટના દિવસે આઇ.બી. દ્વારા સ્પષ્ટ અહેવાલ અપાયો હતો કે, ‘અન્નાને ઉપવાસ કરતા રોકવામાં આવશે કે તેમની ધરપકડ થશે તો લોકજુવાળ સર્જાશે!’ દિલ્હી પોલીસએ પોતાનાં ગુપ્ત અહેવાલમાં ગૃહમંત્રી ચિદમ્બરમને જણાવ્યું હતું કે, ‘અન્નાને અનશન કરવા દેવાય તો જે નૂકસાન સરકારને થશે તેનાં કરતાં અનેકગણી ક્ષતિ તેમને રોકવાથી થશે!’ સત્તાનાં અભિમાનમાં પાગલ હાથી જેવાં બનેલા સિબ્બલોએ અને ચિદમ્બરમોએ પોતાનાં જ બગીચાનો સોથ વાળી નાંખ્યો. અને તોફાન હજુ ચાલુ છેઃ ૧૯ તારીખેશુક્રવારની રાત્રે પણ અંબિકા સોની કહે છેઃ ‘અન્ના સાથે જોડાયેલા પાંચપચ્ચીસ હજાર લોકો શું આખા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે? દેશવાસીઓએ અમને સત્તા પર બેસાડ્યા છે અને નિર્ણયો સંસદ જ કરશે!’ દલપતરામએ દસકાઓ અગાઉ ગાયું હતું:

શીલા શ્વાનની પૂંછડી સાથ સાંધી,
જુઓ જુકિતથી જાળવી બંધ બાંધી,

કરી પાંસરી તો ફરી વાંકી વાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

અઢારે વળ્યાં ઊંટના અંગ વાંકા
કહો, ઢાંકીએ તો રહે કેમ ઢાંક્યા?

સૂએ ભૂતળે તો જુએ આભ ભાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

પૂરા પુષ્પના કુંજમાં હિંગ પેસે,
નહિં હિંગને પુષ્પનો પાસ બેસે,

ભલે માથુ કુટી મરે કોઇ માળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

ધરી દૂધમાં ને ફરી સાબૂવાળા,
ધુઓ કોયલાને જુઓ, હોય કાળા;

નહિં કોઇ કાળે મટે જાત કાળી;
પડી ટેવ તે તો ટળે કેમ ટાળી ?

અંબિકા સોનિઓ અને કપિલ સિબ્બલો જ્યારે સંસદીય લોકશાહીમાં સંસદની સર્વોપરિતાની વાત કરે છે ત્યારે તેઓ પોતે જ બંધારણનું અપમાન કરે છે. કારણ કે, ભારતમાં સંસદ કરતા બંધારણ મહાન છે. સંસદની રચના જ બંધારણ પરથી થઇ છે. અને બંધારણ કરતાં પ્રજા મહાન છે કેમ કે, બંધારણ રચ્યું છે જ જનતાએ. વૃક્ષની કોઇ શાખા કદી એ વૃક્ષથી મહાન ન હોઇ શકે. હિન્દી ફિલ્મની સરળ ભાષામાં કહીએ તોઃ ‘બેટા કિતના ભી બડા હો જાયે, વોહ બાપ સે બડા નહિં હો સકતા!’ કાનૂનવિદ્ ફલી નરિમાન તો બહુ સ્પષ્ટ કહે છેઃ ‘ભારતના બંધારણની શરૂઆત જ ‘વી ધ પીપલ ઓફ ઇન્ડિયા’માંથી થાય છે! ભારતમાં જનતાથી ઉપર બીજું કશું જ નથી. સરકારે હાથીની અંબાડીથી નીચે ઉતરી જમીન પર ચાલવાની જરૂર છે. હું માનું છું કે, વડાપ્રધાન મનમોહનએ સ્વયં, જાતે જ અન્ના સાથે વાત કરવી જોઇએ અને વાતનો ઉકેલ આણવો જોઇએ!’
photograph courtesy: rediff.com
ચૂં ચૂં વડાપ્રધાન લોકપાલ કે જનલોકપાલ જેવું કશું જ બોલતા નથી અને માત્ર સંસદીય લોકશાહી પર ચોંટી ગયા છે. એમની તશરિફ પર શું કોઇએ ફેવિકિવકનો લોંદો ચોડી દીધો છે! દરેક ન્યૂઝ ચેનલોના એન્કર્સ અને ટોચના પત્રકારો આ મિકી માઉસ પ્રાઇમ મિનિસ્ટરને પ્રતિ ક્ષણ એકદમ મણ મણની ભાંડતા રહે છે. આ માણસને નાક જેવું કશું જ નહિં હોય શું? ભલુ થજો અન્નાનું અને રામદેવનું કે જેમના લીધે આ કાળોતરા અને કાળમુખા ચહેરાઓની મેષ આપણે વધુ સ્પષ્ટપણે નિહાળી શક્યા. અને ભલુ થજો મિડિયાનું. જેણે અન્નાની લડતને બળ આપવા તમામ તાકાત કામે લગાડી છે. ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક તેઓ અન્નાની લડતને ફાળવે છે. મિડિયાને પણ દોઢડાહ્યાં લોકો રાજકારણીઓની ગંદી પંગતમાં બેસાડે છે અને બદમાશ બ્યૂરોક્રેટ્સ હરોળનું સમજે છે એમને આ આંદોલન દ્વારા ગાલ પર તમાચા પડ્યા છે.
અન્ના અને રામદેવ લડત બાબતે ટોન હળવો કરવા કે આખી વાતને અન્ડરપ્લે કરવા મોટા મિડિયા હાઉસને તોસ્તાન ઓફર નહિં થઇ હોય એવું કોઇ માનતા હોય તો એ ભૂલ છે. પરંતુ મિડિયા અને રાજકારણી વચ્ચે તફાવત છે. સિંહ કદી ગોબર ખાઇ પેટ ભરતો નથી, એ શ્વાનને મુબારક. અન્ના બાબતે અખબારોએ અને માધ્યમોએ, ઇલેકટ્રોનિક મિડિયાએ જે સ્ટેન્ડ લીધું છે તેની  જેટલી પ્રશંસા થાય, ઓછી ગણાય. લોકશાહીનાં ચાર સ્તંભમાંથી હજુ એકાદ તો સાબૂત છે એવી સ્પષ્ટ પ્રતિતિ કરાવતી આ ઘટના છે. રાજકારણીઓને અને બ્યૂરોક્રસીએ આ દેશની જનતાનું આખરી રક્તબિંદુ પણ ચૂસી લીધું છે. એમનો ભ્રષ્ટાચાર આ દેશને જેટલો નડ્યો છે એટલાં જ પ્રમાણમાં એમની ગેરલાયકાત અને નિષ્ક્રિયતાએ પણ દાટ વાળ્યો છે. ન્યાયતંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર છે પરંતુ હજુ તેનું પ્રમાણ રાજકારણના અને બ્યુરોક્રસીનાં ભ્રષ્ટાચાર કરતાં ઓછું છે. ન્યાયતંત્રની સૌથી મોટી ખામી તેની શિથિલતા અને તેની ગોકળગાયવૃત્તિ છે. આવાં સંજોગોમાં મિડિયા આ દેશમાં એક આશ્વાસન છે. ભલે એ પૂર્ણતઃ ભ્રષ્ટાચારમુક્ત નથી પરંતુ સડો તેનાં એકબે અંગમાં જ પેસ્યો છે. એ એઇડ્ઝગ્રસ્ત નથી, તેની ઇમ્યુનિટી હજુ અખંડ છે.
અન્ના હઝારેની ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડતએ અનેક ભરમ ભાંગી નાંખ્યા છે. પાનનાં ગલ્લા પરની પંચાતપરિષદથી માંડીને છેક બુદ્ધિજીવીઓ તાત્વીકસાત્વીક ચર્ચાઓમાં એક સવાલ હંમેશા પૂછાતો રહ્યો છેઃ ‘શું મહાત્મા ગાંધીના સિદ્ધાંતો આજે પણ પ્રસ્તુત છે?’
અન્ના હઝારેની લડતને ત્રણચાર રાઉન્ડમાં મળેલી પ્રચંડ સફળતા આ સવાલનો સચોટ ઉત્તર આપે છે. ગાંધીજીની તમામ ફિલોસોફી ભલે પ્રસ્તુત ન હોય, એમાંની અનેક બાબતો શાશ્વત છે. અન્નાની અને તેમની સાથે જોડાયેલી જનતાની સિધ્ધી એ છે કે, આ લડત પૂર્ણતઃ અહિંસક છે. અને અહીં જ સરકાર લાચાર થઇ જાય છે. એકાદ લવિંગિયો ટેટો કોઇ ફોડે તો પણ અહીં સરકાર માથે ચડી જવા ટાંપીને બેઠી છે. સરકાર ઇચ્છે છે કે, ક્યાંક ધક્કામુકી થાય, કોઇ તોડફોડ થાય. આવું થાય કે એમને લાઠીચાર્જ અને ટીયરગેસની કે વોટર કેનની મનગમતી પ્રવૃત્તિ કરવાનો ઇજારો મળે. પરંતુ આવું કશું જ થતું નથી. ૨૦૧૧ની સાલમાં લાખ્ખોની સંખ્યાનું મસમોટું ટોળું સડક પર ઉતરી આવે છે, સરકાર વિરોધી આંદોલન કરે છે અને એમાં કોઇ ગાડીનો કાચ પણ ફુટતો નથી એ વાસ્તવિકતા કોઇ ચમત્કારથી કમ નથી. યદા યદા હીં ધર્મસ્ય...નું વચન ભલે ઇશ્વરએ નથી પાળ્યું પણ લાગે છે કે, એમને વચનનાં પ્રતિકપાલન તરીકે લોકોને સડક પર ઉતરવાની અને અહિંસક રહેવાની પ્રેરણા આપી દીધી. બાકી, ૧૨૦ કરોડ મૃતદેહોના ભારત જેવા દેશમાં લોકો રસ્તા પર ઉતરી આવે અને પોતાની લાગણીને વાચા આપે એ ઘટના જ કલ્પનાતિત છે.
સવાલ એ છે કે, આખા દેશનાં અનેક પ્રાંતમાંથી લોકો જ્યારે દિલ્હી રામલીલા મેદાનમાં ઠલવાઇ રહ્યા છે, શાળાકોલેજના વિદ્યાર્થીઓ અને સિનીયર સિટીઝન્સની સંસ્થાઓ પણ લડતમાં જોડાઇ છે ત્યારે કહેવાતા સમાજ સુધારક અને સમાજઉધ્ધારક  સંપ્રદાયોના વડાઓ ક્યાં ગૂમ છે ? શ્રી શ્રી રવિશંકર અને રામદેવ તો પ્રથમથી જ આ જંગનો હિસ્સો રહ્યા છે પરંતુ સ્વામિબાપા આવવાનાં હોય તો લાખોની સંખ્યામાં ઉમટતા અને અમૃત મહોત્સવોની પડવાળી રોટલી દાબવા ટ્રક ભરીને માણહ ઠાલવતા ફિરકાઓને શું આ પ્રવૃત્તિ સમાજ માટે ઉપકારક નથી લાગતી ? કાગવડથી લઇ ઉંઝા સુધી અને રૈયાથી લઇ પરબ કે ધોરાજી કે અજમેર સુધી કે મઢ, દ્વારકા અને પાલિતાણા લગી લાખોની સંખ્યામાં હડીયું મેલતા ધાડાઓમાંથી એકાદ નાનું ટોળું પણ આ મુદ્દે શા માટે આગળ આવતું નથી ? આવા કાર્યો માટે પણ શું ભાવભર્યું નિમંત્રણ પાઠવવાનું હોય ? બધા શું કંકોતરીની પ્રતિક્ષા કરી રહ્યા છે ? સ્મરણમાં રાખવા જેવું છે: એ કોઇ જાદુઇ છડી નથી કે તેનાંથી રામ રાજ્ય સર્જાઇ જાય. પરંતુ, આ તો એક અવસર છે  શાસકોને એ યાદ અપાવવાનો કે તેમણે પ્રજાની લાગણીની નોંધ લેવી જ પડશે, તેમણે જનતાની ચિંતા કરવી પડશે. એમને એ પ્રતિત કરાવવાનું છે કે, આપણી તકલીફો અને આપણી બરબાદી માટે તેઓ જવાબદાર છે. સ્મરણમાં રહે કે, અન્નાનો મુદ્દો માત્ર અન્નાનો મુદ્દો નથી. એ હાલની, ગઇકાલની અને આવનારી અનેક પેઢીનો વિષય છે. ભ્રષ્ટાચાર અને નિષ્ક્રીયતાના ભ્રષ્ટાચારએ આ દેશમાં પારાવાર સમસ્યાઓ સર્જી છે. દેશની પચાસ ટકા વસ્તીને પીવા માટે શુધ્ધ પાણી મળતું નથી, ખેતી પ્રધાન દેશમાં લોકો કૂપોષણથી પિડાઇ રહ્યા છે. પ્રોપર્ટીના ભાવ આ લુખ્ખડ દેશમાં એવા છે કે જેવાં ઓસ્ટ્રેલિયા કે ડેન્માર્ક જેવાં વિકસીત રાષ્ટ્રમાં પણ નથી. કાનૂન ઘડવાના અધિકારની વાતો કરતી સરકારોએ દેશનાં બચ્ચાઓને મળેલો શિક્ષણનો મૂળભૂત અધિકાર આપવા પણ ફિકર કરી નથી. દેશની ત્રીસચાલીસ ટકા પ્રજા આજે પણ ખુલ્લામાં ‘લોટે જાય’ છે. શ્રીમંતો મિનરલ વોટરની જે ખાલી બોટલ ટ્રેનની બારીમાંથી ફેંકી દે છે તે ગરીબ માટે કળશે જવાનું સાધન બની જાય છે. આ દેશના બાળગોપાલોનો પ્લે ગ્રાઉન્ડનો અધિકાર પણ ભ્રષ્ટ વ્યવસ્થાએ છિનવી દીધો છે. દેશમાં ભયાનક અસમાનતા અને વિષમતા પ્રવર્તી રહી છે. ઘઉંચણાના ભાવો સળગે તો વાયદો રમતો વર્ગ એકદમ ગેલમાં આવી જાય છે અને એક મોટો વર્ગ માથે ઓઢી ચિંતા કરતો ઉંઘી શકતો નથી. આ અસમાનતાઓ અને દારૂણ વાસ્તવિકતાઓનું સર્જન ભ્રષ્ટાચારમાંથી જ થયું છે. અન્ના અને સિબ્બલ  મનમોહનની વાતોમાંથી કોની દલિલોમાં વધુ વજુદ છે એ જાણવા કોઇ દિવ્યદ્રષ્ટિની જરૂર નથી. એ ભાળવા કોમન સેન્સ કાફી છે.

*તારીખ 21-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

Monday, August 22, 2011

અન્ના કયાં જીતી ગયા? કોંગ્રેસ કયાં થાપ ખાઇ ગઇ?: અદાલત અને ન્યુઝ ચેનલોમાં તફાવત છે!


અન્ના હઝારેની ધરપકડ કરી કોંગ્રેસએ એક ઐતિહાસિક ભુલ કરી છે. અન્નાનાં સમર્થનમાં પ્રજા જે સંખ્યામાં આગળ આવી રહી છે એ નિહાળ્યા પછી કોઇપણ શાણા સત્તાધિશએ સમજી જવાની જરૂર હતી. પરંતુ હજુ કોંગ્રેસી મંત્રીઓ અને પ્રવકતાઓનું ગુમાન છુટતું નથી તેનું કારણ શું? છેલ્લાં ચાર દિવસમાં બનેલી ઘટનાઓની સાવ અલગ દ્રષ્ટિએ અહીં વિશિષ્ટ ચર્ચા થઇ છે.....

લોકનાયક જયપ્રકાશ નારાયણે જયારે સામાન્ય પ્રજાના લાભાર્થે સરકાર સામે લડત માંડી હતી ત્યારે કોંગ્રેસએ તેમને વિદેશી એજન્ટનું લેબલ ચોંટાડવાની ગંદી ચેષ્ઠા કરી હતી. વાત એવી વહેતી કરવામાં આવી કે તેઓ સી.આઇ.એ.ના એજન્ટ છે અને અમેરિકા સરકારના ઇશારે ભારતને ડામાડોળ કરવા પ્રયાસ કરી રહ્યા છે. વાતને લગભગ ચાર દાયકા વિતી ગયા છે. જે.પી.બાબુ પરનો આક્ષેપ સ્વયંભૂ જ ખત્મ થઇ ગયો, લોકોએ આવા આરોપ પર ગુસ્સો પણ પ્રદર્શિત કર્યો અને દુઃખ પણ. ઇતિહાસ બહુ રસપ્રદ વિષય છે. જો તમે કોમન સેન્સ ધરાવતા હો તો એ તમને અનેક બોધ આપે છે. પરંતુ આપણે ત્યાં ઐતિહાસિક ઇમારતોની અને સ્થાપત્યોની જે પ્રકારે અવગણના થાય છે એવી જ રીતે ઇતિહાસમાંથી મળતા બોધની પણ થતી રહે છે. શ્વાનની પૂંછડી બાર વર્ષ જમીનમાં દાટો...એ કહેવત હવે જુની થઇ ગઇ. હવે શરીર પર ચટ્ટાપટ્ટાને બદલે પંજાનુ નિશાન ધરાવતા એવા શ્વાનની હાઇબ્રીડ નસ્લ દિલ્હીમાં અવતરી ચૂકી છે જેની પૂંછ તમે શેરડીના ચિચોડામાં નાંખો તો પણ બીજા છેડેથી એ નીકળે ત્યારે વાંકી જ હોય.
કોંગ્રેસનો દાટ વાળવામાં આ બેઉ વકીલબાબુનો
સિંહફાળો છે. રાજકારણમાં તમારી જબાન કેવી ના હોવી જોઈએ તે
જાણવા આ બેઉની બકવાસ દલીલો સાંભળજો 
૨૦૧૧ની સાલમાં સરદાર મનમોહનસિંહ એવુ બયાન આપે છે કે, ‘અન્નાની લડત પાછળ વિદેશી હાથ છે !’  બેશક, તેમનો ઇશારો આડકતરો છે પણ સંકેત એકદમ સ્પષ્ટ છે. સંસદમાં અન્ના પરની પોતાની સ્પીચમાં તેમણે કહ્યુ કે, દેશ જયારે તમામ મોરચે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે કોઇ વિદેશી શકિતનો હાથો બનીને દેશમાં અરાજકતા ન સર્જવી જોઇએ! મનમોહનના બેઉ મુદ્દા સામે આપણો વાંધો છે (૧) દેશ પ્રગતિ કરી રહ્યો છે એવુ કોણ કહે છે, કયા મુદ્દાનો આધાર લઇ કહે છે ? (ર) અન્નાનો મોરચો તો સ્વયં પ્રજાએ જ સંભાળી લીધો છે હા ! તમે કહેતા હોવ કે, અન્નાની લડતમાં હાજર રહેલા દરેક લોકોને ‘વિદેશી શકિત’એ નાણાં ચુકવ્યા છે, તો એ માન્યતા તમને મુબારક.
મધુર વાસ્તવિકતા એ છે કે, અન્નાનાં મુદ્દે કોંગ્રેસ અને તેના અક્કલના ઓથમીર નીતિકારોએ જબરી પછડાટ ખાધી છે. મનમોહન પાસે લોચા વાળવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. આમ પણ આર્થિક બાબતોમાં નિષ્ણાંત ગણાતા આપણા વડાપ્રધાન રાજકીય વિષયમાં બિલકુલ નિરક્ષર છે એ હકિકત સેંકડો વખત સાબિત થઇ ચૂકી છે. તેઓ સ્ક્રિપ્ટ રાઇટર્સએ લખેલી સ્ક્રિપ્ટ વાંચી જાય છે. તેનો મતલબ શો થાય છે એ તેમને માલુમ હોય તેવુ જણાતુ નથી. શબ્દો ઉછીના છે, વિચારો ઉછીના છે અને સિંહાસન એમને દાનમાં મળ્યુ છે. એ ખુરશી સુધી પહોંચવા માટેની એકપણ લાયકાત તેમનામાં છે નહી અને છતાં હજાર હાથવાળી દેવીની કૃપાથી તેમની ગાદી સલામત છે.
૧૭ ઓગષ્ટની સવારે મનમોહનએ સંસદમાં ભાષણ ભરડયુ ત્યારે પણ તેમાં મુખ્ય મુદ્દો ગેરહાજર હતો. ‘સંસદીય લોકશાહીની સત્તાને અન્ના પડકાર ફેંકી રહ્યા છે’વળી ઘસાઇ ગયેલી, ઉઝરડાથી ખત્મ થઇ ચૂકેલી તાવડી તેમણે ફરી પોતાના ગ્રામોફોનમાં વગાડી. મુદ્દાની વાત એ છે કે, ‘સંસદીય લોકશાહી’ જેવો પવિત્ર શબ્દ જ તેમના મુખમાં શોભતો નથી. સંસદીય લોકશાહી માત્ર લોકમત થકી ઉજળી છે. જે ક્ષણે સંસદીય પ્રણાલીમાંથી જનમતની બાદબાકી થાય છે. સંસદ માત્ર ઇમારત બની જાય છે. પછી એ લોકશાહીનું મંદિર રહેતી નથી. ભારતનો દરેક પ્રજાજન મહેસૂસ કરે છે કે, લોકમતનો આદર સંસદ ભવનમાં દાયકાઓથી થતો નથી. શિખરબદ્ધ હોય અને માથે ધજા ફરકતી હોય એવી દરેક ઇમારત મંદિર હોતી નથી, ત્યાં મૂર્તિનું સ્થાપન કરવું પડે છે અને તેની પ્રાણપ્રતિષ્ઠા પણ અનિવાર્ય છે. દરેક કબરને દરગાહનો દરજ્જો મળતો નથી. કોઇ વ્યકિતની હત્યા કરી તેના મૃતદેહને દાટી દેવાયો હોય તો એ જગ્યાને ‘સમાધિ’ ન કહેવાય. લોકતંત્રની ગરિમા એટલે શું એ વિશે મનમોહન જયારે વકતવ્ય આપતા હોય ત્યારે આપણને એવું કેમ લાગે છે કે જાણે ચાર્લ્સ શોભરાજ નીતિમત્તા પર ભાષણ આપી રહ્યો હોય ?
આ વિરોધમાં જેમને અમેરિકાનો  હાથ દેખાતો  હોય એવા
બદમાશ  લોકોને  તમે  શી  ઉપમા  આપશો? 
અન્નાની લડતને દેશભરમાંથી જે પ્રચંડ પ્રતિસાદ સાંપડયો છે એ નિહાળ્યા પછી કોઇપણ સમજદાર નેતા હોત તો તેમણે અનશન માટે અન્નાને તાત્કાલિક જગ્યા ફાળવી દીધી હોત. પરંતુ એવું બન્યું નહીં. ‘સંસદીય લોકશાહી’ના કસમ આપી સિબ્બલ, ચિદમ્બરમ અને મનમોહન આખો દિવસ દેશને ગુમરાહ કરતા રહ્યાં. આ આખી એક રમત છે. અન્નાની માંગણીઓ સંસદીય લોકશાહીને બિલકુલ ક્ષતિ પહોંચાડતી નથી. અન્નાની ડિમાન્ડ છે કે ‘જનલોકપાલ બિલ’ સંસદમાં ટેબલ્ડ થવું જોઇએ, એ સંસદમાં મૂકાવું જોઇએ. એ પસાર થવું જોઇએ એવી જિદ્દ કમસે કમ આજ સુધી તો એમણે કરી નથી. લોકશાહીમાં આવી માંગણી કરવાનો કોઇપણને અધિકાર છે. સરકાર જો આ લોકલાગણીને ‘બ્લેક મેઇલિંગ’ જેવું લેબલ ચોંટાડતી હોય તો જાણવું કે ડેમોક્રસીમાં પ્રજાને પોતાની આવી માંગ માટે અહિંસક બ્લેક મેઇલિંગ કરવાનો પણ અબાધિત અધિકાર છે. વધુ અગત્યની વાત એ છે કે, આવા બંધારણિય અધિકારોની વિસ્તૃત ચર્ચા ન કરીએ તો પણ આપણે સૌ એ વાતથી સારી પેઠે વાકેફ છીએ કે, જે સંસદીય લોકશાહી અંગે કોંગ્રેસી નેતાઓ રાતદિવસ વાતો કરી રહ્યાં છે તેની વલે તેમણે આ દાયકાઓમાં કેવી કરી છે.
સમસ્યા એ છે કે, વર્તમાન સરકારમાં અને તેનાં પ્રવકતાઓમાં સત્તાનો પ્રચંડ મદ નજરે પડી રહ્યો છે. મદાંધ થઇ તેઓ અટપટા નિર્ણય લે છે અને કેફમાં જ પોતાનાં પગલાંઓને જસ્ટિફાય કરે છે. વિરોધ મત સુણવાની ધીરજ તેઓ ગુમાવી ચૂકયા છે. એટલે જ અભૂતપૂર્વ જનાક્રોશને પણ તેઓ નીતનવા સ્ટિકર ચોંટાડી વાસ્તવિકતાથી ભાગવાનાં પ્રયાસો કરે છે. કપિલ સિબ્બલ અને મનીષ તિવારી જેવા લોકો જે પ્રકારના ખંધા હાસ્યનાં રકતફુવારા ઉડાડતા બાલિશ દલિલો પેશ કરે છે તેનાંથી દેશ આખો ત્રસ્ત છે. કોંગ્રેસની આવા રાજકીય મામલે પિછેહઠ થઇ તેનાં કારણો પણ સિબ્બલો અને મનીષ તિવારીઓમાં એટિટયુડમાં જ છુપાયેલા છે. રિડીફ ડોટ કોમ પર શીલા ભટ્ટ સાથેની વાતચીતમાં વર્તમાન સરકારનાં એક મંત્રીએ જ નામ આપ્યા વગર કેટલીક સ્ફોટક વાતો કહી છે. મંત્રીશ્રીએ કબુલ્યુ છે કે પક્ષમાં સર્વે સર્વા થઇ ગયેલા આવા વકીલોની જમાત જ સરકારની નામોશી માટે જવાબદાર છે. એમણે સ્પષ્ટ કહ્યુ છે કે આ સરકારને કોઇ રાજકીય નેતા નહી પરંતુ વકીલો ચલાવી રહ્યા છે. વાત સો ટકાની છે. સિબ્બલ અને મનીષ તિવારી કે અશ્વિનીકુમાર જેવા વકીલો ટેલીવિઝનની ન્યુઝ ચેનલોને જ સંસદ સમજી બેઠા છે. દલીલો કરવામાં તેઓ ઉસ્તાદ છે.પણ એમને એ વાતનું જ્ઞાન નથી કે જનતા એ કંઇ કોર્ટરૂમનો સ્ટેનોગ્રાફર નથી કે જેણે તમારી બધી વાહીયાત દલીલો સાંભળવી પડે. અહી લાચાર મજબુર વાદી કે પ્રતિવાદીઓ બેઠા નથી કે જેમણે મુંગામંતર બની બહાર સહન કરવો પડે. જનતાની અદાલતને ઇન્ડિયન પિનલ કોડની એક પણ ધારા લાગુ પડતી નથી. માત્ર શબ્દોની રમત થકી કે પુરાવા સાથે ચેડા દ્વારા અને મનઘડત અર્થ ઘટનોની મદદથી અહી ખટલા  જીતી શકાતા નથી. રાજકીય કે પ્રજાકીય બાબતોમાં કોર્ટ રૂમની સ્માર્ટનેસ ચોપડવામાં ન આવે એ જ બહેતર છે. ટાઇમ્સ નાઉ પર એક નિષ્ણાંત એ બહુ રસપ્રદ વિશ્લેષણ કર્યુ. તમે જુઓ, સરકાર એ આ રાજકીય અને પ્રજાકીય બાબતને એવી રીતે હેન્ડલ કરી જાણે એ કોઇ ફોજદારી મામલો હોય, ફલાણા સ્ટેડીયમને જેલમાં ફેરવી દો, પેલા સ્ટેડીયમમાં અણા તથા તેમના સાથીદારોને રખાશે અને આટ આટલી શરતો રહેશે. શું માંડયુ છે આ બધુ? કોઇ હલવા હૈ કયા! ડેમોકસીમાં  પ્રજા એક મજબુત કાયદાની માંગ કરી રહી છે, તમે એ આપવા તૈયાર નથી તો એ શાંતિપુર્ણ વિરોધ કરી રહી છે. વાત આટલી જ છે. આમા જમાદારી કે દડુકાઇ દેખાડવાનો પ્રશ્ન કયાં આવે છે?
સરકારની આવી જ ભુલો તેને ભારે પડી રહી છે. લડત શરૂ થઇ હતી અન્ના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના નામે ચોર કી દાઢી મેં તિનકાનાં સુત્ર મુજબ મનમોહન, સિબ્બલ અને ચિદમ્બરમએ આખી વાત પોતાના પર ઓઢી લીધી. તેમણે સિવીલ સોસાયટી વિરૂદ્ધ આક્ષેપો શરૂ કર્યા એટલે યુધ્ધ પછી અણા વિરૂદ્ધ સરકારમાં પરિવર્તિત થયું. બાકી હતુ તો એડવોકેટ મનીષ તિવારીએ પત્રકાર પરીષદ કરી અન્ના વિરૂદ્ધ બેફામ ભાષામાં ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા એ દિવસે મોરચો પછી અન્ના વિરૂદ્ધ કોંગ્રેસના યુધ્ધમાં ફેરવાઇ ગયો અને સોળ ઓગસ્ટની સવારે સુપ્રિમ કોર્ટના ૧૯૭૨ના એક જજમેન્ટનું અનર્થઘટન કરી અણાની ગેરકાયદે ધરપકડ થઇ એ ક્ષણથી આખી લડત જનતા વિરૂદ્ધ કોંગ્રેસના જંગમાં ફેરવાઇ ગઇ. આખી ઘટનાની એ વાત સાબીત થઇ કે કોંગ્રેસની કહેવાતી થિન્ક ટેન્કમાં મસમોટા ગાબડા છે. બહુ સહજતાથી તેઓ દર વખતે કુહાડી પર પોતાનો પગ જોરથી મારે છે. અને લોહીલુહાણ થયા કરે છે.
માસ્તર વગરનાં અને મોનિટર વગરનાં કલાસરૂમમાં તોફાની બદમાશો જે રીતે ઉપાડો લે છે તેમ ‘પોપાબાઇ’ ના અને ‘બાબાભાઇ’ નાં રાજમાં અનાડી મંત્રીઓ અને પ્રવકતાઓ ફાટીને ધૂમાડે ગયા છે.  બાબો માને છે કે, જગતની સૌથી મોટી સમસ્યા યુ.પી.ના ભટ્ટાપરસૌલ ગામમાં કિસાનોને થયેલો અન્યાય છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં મુદે દેશ આખો ભડભડ ભડકે બળે છે. વડાપ્રધાનની ખુરસી તો આપણે ત્યાં સાત વર્ષથી ખાલી છે. ધણીધોરી વગરનો આ દેશ કેવી રીતે ટકી રહ્યો છે, તેની પાછળ કોનાં સત્કર્મો જવાબદાર છે એ વિચારવા જેવું. ચોતરફ અંધકાર છે. રાજાઓ,  સિબ્બલો, કલમાડીઓ, તિવારીઓ, ચિદમ્બરમો, મનમોહનો, રાહુલો અને સોનિયાઓએ મેઇન લાઇનના તાર તોડી ચોમેર અંધારપટ સર્જી દીધો છે. અને અન્ના જેવાં કોઇ લોકો આ તમસને નાથવા એક દીપ પ્રગટાવવાનો પ્રયત્ન કરે છે તો આ જ ટોળકી તેનાં કાંડા વાઢી નાંખવા તત્પર થઇ જાય છે. ઘનઘોર અંધારાને પ્રેમ કરતા ચિબરાં અને ચામાચિડિંયાઓનો દરરોજ ન્યુઝ ચેનલો પર પર્દાફાશ થઇ રહ્યો છે એ આ આખી ઘટનાનું બહુ મોટું આશ્વાસન છે.

*તારીખ ૧૯-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત. 

Sunday, August 21, 2011

અન્નાની આંધી અને જુલ્મી શાસકોનો આતંકઃ પ્રજાતંત્રમાં જનતાના અવાજને કોણ રૂંધી રહ્યું છે?



જન્માષ્ટમીની સાચી ઉજવણી કરવી હોય તો શેરીગલીઓમાં લાગેલા દરેક મંડપને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનું કેન્દ્ર બનાવી દેજો. તેમાં પ્રતિકરૂપે કૃષ્ણ ભગવાનની મૂર્તિ તો રાખજો, પરંતુ સાથેસાથે ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન પર કેન્દ્ર સરકારના આતંકની વાત કરતાં ફ્લોટ અને ચિત્રો પણ મુકજો. આવી ઉજવણી ભાળીને ખુદ શ્રીકૃષ્ણ પણ ભાવવિભોર બની જશે.ભારત પર ભ્રષ્ટાચારનું જે સંકટ આવ્યું છે તેને નાથવા એક બુઢ્ઢા દાદા મેદાને પડે છે, અને તેમને નવાજવાને બદલે શાસકો તેમનું ગળુ રૂંધી રહ્યાં છે. આવા સંજોગોમાં જો લોકો સ્વયં આગળ નહિં આવે અને પોતાનો વિરોધ કાન ફાટી જાય તેવા પ્રચંડ અવાજે નહિં નોંધાવે તો આ સમસ્યા આવનારી પેઢીઓને પણ ભયાનક હદે કનડવાની છે...

કથ્થક અને ભરતનાટ્યમના આ મુલકમાં હવે ખુલ્લેઆમ સ્ટ્રિપ્ટિઝ નૃત્યો થવા લાગ્યા છે. કોણ કહે છે કે, આવા નાચ માત્ર થાઇલેન્ડ કે અમેરિકામાં જ થાય છે! નૃત્યાંગના વસ્ત્રોથી લદાઇને સ્ટેજ પર આવે છે અને ધીમે ધીમે અ પોતાના તન પરથી એક પછી એક વસ્ત્ર ઉતારતી ચાલે છે. આજકાલ દિલ્હીમાં આવા તમાશા ખુલ્લેઆમ થાય છે. કારણ કે, એનું આયોજન કરનાર અને પરફોર્મ કરનાર ખુદ કેન્દ્ર સરકાર જ છે. રાજા, કલમાડી, શીલા દિક્ષિત અને હસન અલી જેવાના મુદ્દે તમામ વસ્ત્રો ફગાવી ફંગોળી ચૂકેલી કેન્દ્ર સરકારએ રામદેવ મુદ્દે ઉપરના અંગોનું ઉપવસ્ત્ર કાઢી નાંખ્યુ અને અન્નાના મામલે તેમણે લંગોટ પણ ત્યાગી દીધી. અને આ વસ્ત્રાત્યાગ પછી લૂગડાંની પછવાડેથી જે અસલી શખ્સીયત હવે બહાર આવી છે એ જોઇને ધ્રુજી જવાય છે. એ કોઇ રૂપાળી સ્ત્રી નથી. તેનાં અંગઅંગમાં રોગ ભર્યા છે. તેનાં પગનાં નખથી લઇ શિખા સુધીનું શરીર કિટાણુંઓથી ખદબદી રહ્યું છે. તેને અસ્થમા પણ થયો છે અને ડઝનેક પ્રકારનાં કેન્સરથી પણ તે ત્રસ્ત છે. એને ઠેરઠેર ગૂમડા થયા છે. જેમાંથી બદબૂ ફેલાવતું પ્રવાહી વહી રહ્યું છે. ભૂતકથાઓમાં  ચૂડેલનું જે વર્ણન આવે છે તેનાંથી પણ અનેગણી ભયાવહ એવી આ ભૂતાવળ છે.
અત્યંત અર્થપૂર્ણ કાર્ટુન બદલ bamulahija.comનો ખાસ આભાર 
એટલે જ દેશ આખ્ખો ધૂણી રહ્યો છે. મલક આખ્ખો આ બલાથી ત્રસ્ત છે, લોકો તોબા પોકારી ગયા છે. આ વળગાડ કેમેય કરી જતો નથી, તેનો ત્રાસ ઓછો થતો નથી. સારંગપુર કે ઉંઝામાં જેણે વળગાડ દૂર કરવાની વિધિ જોઇ હશે એમણે ખ્યાલ હશે જ કે ભૂવા કે મૌલવીને ભાળતા જ પેલી અનિષ્ટ શકિત પોતાનું જોર ચારગણું કરી નાંખે છે. એ ઉછાળા મારે છે, કૂદકા મારે છે. તેને પેલો પંડ્ય છોડવો નથી એટલે એ અંતીમ કક્ષાના હવાતીયાં મારવાનું શરૂ કરી દે છે. બાબા રામદેવ અને અન્ના હઝારે હજુ મોંમાંથી ‘ભ્રષ્ટાચારી સરકાર’, ‘કાળા નાણાં’ કે એવું કશું બોલે છે કે ત્યાં જ કેન્દ્ર સરકાર એમ કુદકા મારે છે જાણે તેનું અંગ અંગ દાઝતું હોય. એ એવી રીતે કણસી ઉઠે છે જાણે કોઇ ભૂંડી આત્માની સામે કોઇ ભારાડીએ હનુમાન ચાલીસાનાં પાઠ શરૂ કર્યા હોય.
બાબા રામદેવની જે હાલત કરવામાં આવી હતી એ નિહાળ્યા પછી ઘણા લોકો કકળી ઉઠ્યા હતાં. જે લોકો વિચારી શકે છે અથવા તો વિચારવાનું જેમને દરદ છે તેવા લોકો માટે એ ઘટના અનેક ચિંતાઓ લઇને આવી હતી. દેશની કેન્દ્ર સરકારે સરાજાહેર કોઇ નિર્દોષ દેખાવકારો પર તૂટી પડે, તેમના પર બળપ્રયોગ કરે અને આંદોલનના સૂત્રોચ્ચારનું રીતસર અપહરણ કરી જવામાં આવે તેવી ઘટના ભારતમાં અગાઉ ક્યારેય બની ન હતી. ગોધરાકાંડ પછીના તોફાનો માટે   ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ રાયોટ્સ’ જેવા આકરા શબ્દોના ઇસ્તેમાલ કરતાં બૌદ્ધિક બળદિયાઓએ તે સમયે ‘સ્ટેટ સ્પોન્સર્સ્ડ ટેરરિઝમ’ જેવો યથાયોગ્ય વાપરવાનું ટાળ્યું હતું. કાળા નાણાંની વાત પરથી મુદ્દો પછી રામદેવ તરફ સરકી ગયો. દોઢડાહ્યા લોકોએ લખ્યું કે, ‘રામદેવની પોતાની લાયકાત શી છે ભ્રષ્ટાચાર સામે બોલવાની ?’ આપણો સવાલ એ છે કે, આવો સવાલ કરવાની લાયકાત શી છે રામદેવના આંદોલન સામે બોલવાની? અલેલટપુ કલમખોરોએ મર્કટ હાસ્ય વેરતા ખીખીખીખી કર્યુ અને મહિષાસુરની જેમ હાહાહાહા કરતાં અટ્ટહાસ્ય કર્યુ કે, ‘જુઓ! બાબા સ્ત્રીવેશમાં કેવા ભાગ્યા.’ બૌદ્ધિક બિલાડાઓને ખબર નથી કે, એમને જે અક્કલની ખંજવાળ આવે છે તેની ઇન્ફેકશનને લીધે દેશ આખાને ધાધર અને ખરજવું થઇ જાય છે. રામદેવ સ્ત્રીવેશમાં ભાગ્યા હોય કે બ્રાપેન્ટીમાં, તેનાથી રામદેવની હાર નથી થઇ અને જનતાની જીત નથી થઇ. વાસ્તવિકતા એ છે કે, બાબા કે અન્ના જેવા લોકો સામે નિતનવી દલીલો કરીને જ્યારે આંગળી ચિંધવામાં આવે છે ત્યારે નગરવધુ જેવા આ બૌદ્ધિકોના અંગ પરથી આખરી ઉપવસ્ત્ર પણ હટી જાય છે. બાબાનું અપહરણ અને તેમના સમર્થકો પરનો અત્યાચાર એ એકસો વીસ કરોડ ભારતીયોની હાર હતી. કારણ કે, બાબાનું અપહરણ કરીને તો તેમના આશ્રમમાં મોકલી દેવાયા હતાં, પરંતુ કાળા નાણાંનો મુદ્દો એવી રીતે અપહૃત થયો કે, આજ સુધી તેનો અતોપતો નથી.
અન્નાની જાનમાં રામદેવના ગીતો ગાવા પાછળનું એક ચોક્કસ પ્રયોજન છે. જો રામદેવના મુદ્દા સમયે પ્રજાએ ઉગ્રવાદી કેન્દ્ર સરકારને બરાબર પાઠ ભણાવ્યો હોત તો ૧૬ ઓગષ્ટના દિવસે અન્ના હઝારેનું અપહરણ ન થયું હોત. રામદેવ નામની ડોસી મરે તેની સામે કદાચ કોઇને વાંધો ન હોય તેવું બને, પણ સિબ્બલો, ચિદમ્બરમો, દિગ્વિજયો અને રાહુલો જો ઘર ભાળી જાય તો આ માણસખાઉ પ્રજાને નિયંત્રણમાં લાવવી કઠીન છે. યાદ રહે, આ બધા યમરાજાઓ ભારતમાં બધા બૌદ્ધિક બદમાશો નામના પાડા પર સવાર થઇને ઘુમતા હોય છે. એમનું વાહન એટલે આ કાળાડિબાંગ પાડાઓ. આ પાડાઓ પાસે ભાતભાતની દલીલોનો જથ્થો મેટ્રીક ટનના હિસાબે પડ્યો છે. આઉટલુકના તંત્રી વિનોદ મહેતાને છેલ્લા પાંચ-સાત દિવસમાં અન્નાની ભાષા વધુ પડતી આકરી લાગી છે. ટોચના વકીલ હરીશ સાલ્વેને લાગે છે કે, અન્ના સંસદ પર વધુ પડતુ દબાણ આણી રહ્યા છે. ચિદમ્બરમ કહે છે કે, અન્નાની આવી જીદ્દ એ સંસદીય લોકશાહીનું અપમાન છે. કપીલ સિબ્બલનું કહેવું છે કે, અન્નાની માંગણી વાજબી હોય તો એમને અનશન કરવાની છૂટ મળી જ હોત.
એકદમ બાલીશ લાગે તેવી આ દલીલો પાછળ એક લુચ્ચી રમત છે. ભ્રષ્ટાચારની લડત સામે સરકાર પાસે કોઇ મુદ્દા નથી. એટલે વાત આડે પાટે ચડાવવાનું એક વ્યવસ્થિત આયોજન થયેલું છે. ચિદમ્બરમ જે સંસદીય લોકશાહીની વાત કરે છે એ આ દેશમાં તમને ક્યાં દેખાઇ ભલાદમી? કેટલાંક ઉદાહરણો પર ઝડપભેર નજર નાંખવા જેવું છે. તારીખ ૨પ ઓક્ટોબર, ૨૦૧૦ના દિવસે દિલ્હીમાં હુર્રિયત કોન્ફરન્સના અલગતાવાદી નેતા અલીશા ગિલાની અને બૌદ્ધિક બકરી અરૂંધતી રોય એક હળાહળ રાષ્ટ્રવિરોધી પ્રવચન કરે છે. દેશની રાજધાનીમાં જ તેઓ ભારતના લોકતંત્રને તથા દેશના સૈન્યને ગાળો ભાંડે છે. ગૃહમંત્રી ચિદમ્બરમને આ વિશે સવાલ કરવામાં આવે છે ત્યારે તેઓ પોતાની જાણીતી અદામાં બહુ સલુકાઇથી જવાબ આપે છે ‘આપણા દેશમાં અભિવ્યકિતની સ્વતંત્રતા છે!’ ગિલાની તથા અરૂંધતી જેવા રાષ્ટ્રવિરોધી તત્ત્વો એ કાર્યક્રમમાં હાજર રહેવાના છે તેવી માહિતી જગજાહેર હોવા છતાં તેને મંજુરી કેવી રીતે અપાઇ ગઇ? દેશના પાટનગરમાં વડાપ્રધાન તથા ગૃહપ્રધાનના નાક નીચે રહીને જ આટલી હદે રાષ્ટ્રવિરોધી પ્રવચનો તથા કૃત્યો થઇ શકતા હોય તો અને તેની મંજુરી પણ મળી જતી હોય તો અન્ના હઝારે જેવા લોકોને અનશન માટેની મંજુરી આપવા સામે કયો તર્ક છે ભાઇ? વાત હજુ આગળ વધે છે. ૫ જુન, ૨૦૧૧ની રાત્રે બાબા રામદેવ અને હજારો નિર્દોષ લોકો પર દિલ્હીના રામલીલા મેદાનમાં લાઠીઓ વરસાવવામાં આવી, ટીયર ગેસના ડઝનબંધ શેલ છોડવામાં આવ્યા, રામદેવનું સરેઆમ અપહરણ થયું અને આ અત્યાચાર પછી બધા કોંગ્રેસી જનરલી ડાયર ટી.વી. પર આવીને એવું કહેવા માંડ્યા કે, ‘બાબા તો શઠ છે અને બાબા પોતે જ ભ્રષ્ટ છે.’ પ્રશ્ન એ છે કે, તમારે ભ્રષ્ટાચાર સામે કડક થવું છે કે નહિં. બાબા કેવા છે અને તેમની નીતિમત્તા કેટલી છે એ બધા મુદ્દા તો પછીથી આવે છે. જુલાઇ ૨૦૧૧માં પાકિસ્તાની જાસુસ ગુલામનબી ફાઇએ અમેરિકામાં કાશ્મીર મુદ્દે ભારતવિરોધી અનેક સેમીનાર્સના આયોજન કર્યાની વાત બહાર આવે છે. ત્યાં ભાષણ ભરડી આવેલા અનેક બૌદ્ધિક બળદિયાઓના નામ પણ જાહેર થાય છે. કાશ્મીર મામલે મધ્યસ્થી માટે કેન્દ્ર સરકારે નિમેલા દિલીપ પડગાંવકરનું નામ પણ તેમાં ખુલે છે. સવાલ એ છે કે, કેન્દ્ર સરકારે આ બધાના કાંઠલા કેમ ન ઝાલ્યા, તેમને અમેરિકા જઇને આવા ભાષણ ભરડવાની મંજુરી કોણે આપી, વધુ અકળાવનારો સવાલઃ જો આવા દેશદ્રોહીઓને અભિવ્યકિત સ્વાતંત્ર્યનો લાભ મળતો હોય તો, અન્ના હઝારે જેવા લોકોને અનશન માટે મંજુરી લેવા શા માટે રીતસર ઝઝુમવુ પડે છે. સ્ટ્રિપ્ટિઝ જારી છેઃ જુલાઇના અંતમાં પાકિસ્તાનના રૂડારૂપાળા વિદેશ પ્રધાન હિના રબ્બાની ભારત પધારે છે અને ભારત સરકારના નાક નીચે જ હુર્રિયત કોન્ફરન્સના દેશવિરોધી નેતાઓ તેમની સાથે મુલાકાત કરે છે. ભારત સરકારનો વિરોધ હોવા છતાં સરકાર પોતે જ તેમાં અંતરાય સર્જતી નથી અને બેઠક કરવા જઇ રહેલા હુર્રિયતના નેતાઓને કાંઠલો ઝાલીને જેલમાં નાંખી દેતી નથી. હકિકતે, એ કામ કરવા જેવુ હતું. યાસીન મલિક અને મીરવાઇઝ જેવા લોકો ભારતમાં છડેચોક દેશવિરોધી પ્રવૃત્તિઓ કરે છે. જમ્મુથી લઇ બેંગ્લોર અને દિલ્હીમાં પણ તેઓ કાશ્મીરના વોઇસના નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ ચલાવતા રહે છે. એમના દરેક કાર્યક્રમ માટે એમને બેરોકટોક મંજુરી મળી જાય છે, જ્યારે જનલોકપાલના મુદ્દે એક ગાંધીવાદી કાર્યકર ગાંધીચિંધ્યા માર્ગે અનશન કરવા મંજુરી માંગે છે તો દિલ્હી પોલીસ એક મહિના સુધી તેને ફુટબોલની જેમ ફંગોળતી રહે છે અને છેવટે ત્રણ દિવસની મંજુરી આપી તેની સાથે બાવીસ શરતોનું ફરફરીયું પકડાવી દે છે. ભ્રષ્ટાચાર સામે મેદાને પડેલા લોકોની કપિલ સિબ્બલો અને મનીષ તિવારીઓ જાહેરમાં મજાક કરતા રહે છે. દિગ્વિજયો તેમની પાછળ હડકાયા શ્વાનની જેમ લાગી જાય છે તથા મનમોહન ટેલિવિઝન પર આવીને કહે છે કે, અન્નાએ આવા ઉપવાસ ન કરવા જોઇએ. કોંગ્રેસી નેતાઓ કહે છે કે, ‘આવી માંગણી કરવાનો અન્નાને હક્ક નથી, અન્ના સંસદીય લોકશાહીને પડકાર ફેંકી રહ્યા છે.’
કોંગ્રેસીઓ જે લોકશાહીના ભજનો ગાઇ રહ્યાં છે તેના દર્શન કરવાની આપણી મહેચ્છા છે. એ એક વખત ક્યાંય દેખાય તો માનીએ કે, બાર જ્યોતિર્લિંગ , ચાર ધામ અને અડસઠ તીર્થ તથા પંચ સરોવરની યાત્રા કરી. લોકશાહી ક્યાંક અદ્રશ્ય છે. ભ્રષ્ટાચારનો અને કાળા નાણાંનો વિરોધ કરનારને ખુલ્લેઆમ, મીડિયા અને પબ્લિકની તથા ન્યાયતંત્રની સામે જ કચડી નાંખવામાં આવે છે. ભ્રષ્ટાચાર સામે લડાઇ લડતા એક વયોવૃદ્ધ સૈનિકનું સન્માન કરવાને બદલે સવારે જ દિલ્હી પોલીસ તેમના ઘરથી ગેરકાયદે અપહરણ કરે છે અને કોંગ્રેસીઓ હજી લોકશાહીના છંદકાવ્યો છેડે છે. આ લોકશાહી વળી ક્યાં સાબુત રહી ગઇ છે? તેનામાં મસમોટા બાકોરા પડ્યા છે. પોલીસનો ઉપયોગ ભારતના ગૃહમંત્રી ખુદ કોઇ ડાકુની ગિરોહની જેમ કરે છે. જગ્ગા ડાકુના આદેશ છૂટે છે અને કઠપુતળી પોલીસ હણહણતા અશ્વો લઇને નિર્દોષ લોકોનો સોંઠ વાળી દે છે. સ્મરણમાં રાખવા જેવું છે કે, દિલ્હીની પોલીસ કેન્દ્ર સરકારના ગૃહપ્રધાનના હાથ નીચે આવે છે અને દિલ્હીના આખા પોલીસ તંત્ર પર ગૃહમંત્રીનો જ કાબુ હોય છે. એટલે જ એ બેકાબુ છે. અન્નાને ઉઠાવી જવાયાના ચાર કલાક પછી પ્રેસ કોન્ફરન્સમાં ભારતના ગૃહમંત્રી કહે છે કે, તેમને એ વાતનો ખ્યાલ નથી કે અન્ના અત્યારે ક્યાં છે! જો તેમને આ વાતનો ખ્યાલ ન હોય તો એ ગાદી પર બેસવાનો એમને કેટલો અધિકાર છે તે વિચારવા જેવું. વધુ શક્યતા એ છે કે, તેઓ ખોટું બોલી રહ્યા હતાં. શંકાનો લાભ આપીએ તો માનવું કે તેમને ખરેખર ખ્યાલ ન હતો. બંને કિસ્સામાં ચિદમ્બરમ પાપી છે.

રામદેવ અને અન્નાની લડત પછી વર્તમાન કેન્દ્ર સરકારનો અસલી ચહેરો લોકો સમક્ષ આવી ગયો છે. હવે છુપાવવા જેવું કશું જ બચ્યું નથી. અન્ના હઝારે  અનશન માટેની જગ્યા મેળવવા ઘણા ધમપછાડા કર્યા પછી વડાપ્રધાનને આ બાબતે એક પત્ર લખ્યો હતો. અન્નાએ તેમાં અનશનનું સ્થળ મેળવવા માટે મદદ કરવાની મનમોહનને વિનંતી કરી. દોઢડાહ્યા થઇને વડાપ્રધાને જવાબ આપ્યો કે, તેમણે આ બાબતે દિલ્હી પોલીસને મળવું જોઇએ. જાણે આખો દેશ અંધ છે અને લોકો આ રમતથી જાણે અજાણ છે. દિલ્હી પોલીસ કોના ઇશારે કામ કરે છે એ સૌ જાણે છે. આપણે જો આપણા દેશને જગતની સૌથી મોટી લોકશાહી કહેતા હોય તો, આપણા વડાપ્રધાને વિરોધ મતનો આદર કરીને પ્રેમપૂર્વક એ જગ્યા ફાળવી દેવી જોઇએ. પરંતુ આ સરકારનો ટ્રેક રેકોર્ડ જોતા આવી અપેક્ષા રાખવી એ કોઇ પાપથી કમ નથી. અન્નાએ બહુ વાજબી પ્રશ્ન ઉઠાવ્યો હતોઃ ‘૧૫ ઓગષ્ટે વડાપ્રધાન મનમોહનસિંહ ક્યાં મોઢે ત્રિરંગો ફરકાવશે?’ વાત સાચી જ હતી અને સાચી જ છે. સરદાર મનમોહનસિંહ જ્યારે લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરાવે છે ત્યારે રાષ્ટ્રધ્વજની, એ ઐતિહાસિક સ્થળની અને પ્રસંગની ગરિમા આપમેળે ઓછી થાય છે. કોઇ વેઠ્યા મજુર કરતાં પણ લાચાર હોય એવો માણસ જગતની સૌથી મોટી લોકશાહીનું નેતૃત્વ કરે એ વાત આંચકાજનક છે. તળિયા વગરના અને કરોડરજ્જુ વગરના નેતાઓ રાષ્ટ્રધ્વજ ફરકાવવા પેલુ દોરડુ ખેંચે છે ત્યારે દેશના દરેક સમજુ લોકોના ગળા રૂંધાય છે. અન્નાની વાજબી દલિલને આડે પાટે ચડાવવાનું કોંગ્રેસીઓ ચૂક્યા નહિં. તેમણે કહ્યું કે, ‘અન્ના તો રાષ્ટ્રધ્વજનું અને લોકશાહીનું પણ અપમાન કરી રહ્યાં છે.’ વાસ્તવિકતા એ છે કે, અન્ના અને રામદેવના મામલામાં કોંગ્રેસીઓ સંસદીય લોકશાહીની રીતસર હત્યા કરી ચૂક્યા છે. જ્યાં વડાપ્રધાનમાં લોકશાહીના માર્ગે ચૂંટાવવાની હિંમત નથી, કાયદાના છીંડાઓ શોધીને જે આસામના માર્ગે રાજ્યસભામાં ઘુસ્યા છે એ જ પાછા સંસદીય લોકશાહીની ગઝલો ગાઇ રહ્યાં છે.
આખો દિવસ ટેલિવિઝન પર અન્ના હઝારે વિરૂદ્ધ લવારા કર્યા પછી ૧૬ ઓગષ્ટની રાત્રે દિલ્હી પોલીસે અન્નાને મુક્ત કરવા માટે તિહાર જેલને પેપર્સ મોકલ્યા. વળતી જ પળે કોંગ્રેસી બેન્ડવાજાવાળાઓ ઝુમતાઝુમતા કહેવા લાગ્યા કે અન્નાની મુકિત રાહુલ ગાંધી અને મનમોહન વચ્ચેની બેઠકને લીધે થઇ. કોંગ્રેસીઓ માને છે કે, દેશની સામાન્ય પ્રજા મંદબુદ્ધિની છે અને તેઓ જે કાંઇ બફાટ કરશે તેને જનતા માની લેશે. પણ લોકોને સમજતા વાર નથી લાગી કે આ નિવેદન તો બેતાળીસ વર્ષના બાબાને મોટાભા કરવાનું એક ષડયંત્ર છે. આવી કોઇ બેઠકને લીધે અન્ના જો છૂટી જતા હોય તો એ મિટીંગ અનશનના આગલા દિવસે, ૧૫ ઓગષ્ટની રાત્રે જ શા માટે ન થઇ? રાહુલ ગાંધીને જો લોકશાહીમાં એટલો જ વિશ્વાસ છે તો અન્નાને અનશન સ્થળ અપાવવા તેમણે વડાપ્રધાન સાથે વાતચીત શા માટે ન કરી? અન્નાના અનશનની વાતો છેલ્લા મહિનાઓથી દિલ્હીમાં ગાજે છે. ભ્રષ્ટાચાર નિર્મુલન બાબતે બાબા રાહુલ જો ગંભીર છે તો તેમણે અન્નાને બોલાવીને તેમની સાથે ચર્ચા કેમ ન કરી. સત્ય એ છે કે, કોંગ્રેસના ચાવવાના, દેખાડવાના અને ડોળ કરવાના અલગ છે. સરદાર પટેલે દેશના બાકીના રજવાડા હિન્દુસ્તાનમાં ભેળવી દીધા, પરંતુ નેહરૂગાંધી પરિવાર નામનું આ રજવાડું હજુ પોતાને એક સ્વતંત્ર મુલ્ક જ સમજે છે. તેના રાજકુમારો અને પટરાણીઓ અને જમાઇઓ આઝાદ ભારતમાં પણ વી.વી.આઇ.પી. ટ્રીટમેન્ટ ભોગવે છે. આ કોઇ ઓછા લાકડે બળે તેમ નથી. અન્નાના અપહરણ પછી દેશભરમાં જે રીતે તેમના તરફ જુવાળ ફાટી નીકળ્યો તે જોઇને બદમાશો હેબતાઇ ગયા હતાં. જામીન માટે અરજી નહિં કરીને અન્નાએ વધુ એક વખત તેમને માત આપી. માહોલ એવો સર્જાયો કે, આખા દેશમાં અત્યાચારી સરકાર પર થુથુ થવા લાગ્યું. આવડા પ્રચંડ નુકશાનના ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સરકારે થુંકેલુ ચાટવુ પડ્યું છે. હવે, તમાચો મારીને તેઓ ગાલ લાલ રાખે છે અને કહે છે કે, અન્નાને છોડવાનો નિર્ણય વડાપ્રધાન અને રાહુલએ લીધો. અસલી વાત એ છે કે, અન્નાને પણ રામદેવ જેવી જ સારવાર આપવાનું પગલું સરકાર માટે બુમરેંગ સાબિત થયું છે. આ એ જ અન્ના છે, જેના અનશનને રોકવા માટે કોંગ્રેસી યમરાજોએ તથા તેમના પાડા જેવા બૌદ્ધિક બળદોએ પૂરેપૂરા ઉધામા કર્યા હતાં. ટેલિવિઝન પરની ચર્ચામાં એક કોંગ્રેસ સ્પોન્સર્ડ બૌદ્ધિકે એક તર્ક રજૂ કર્યો કે, અન્નાને અનશન માટે મંજૂરી અપાઇ હોત તો, દિલ્હીમાં ટ્રાફિકના અને ભીડના પ્રશ્નો પણ વધી જાય તેમ હતું! બહુ અદ્ભૂત તર્ક છે! આટલી વાહિયાત દલીલ ભાગ્યે જ આપણે ક્યાંક સાંભળી હોય. દિલ્હીવાસીઓની એટલી ચિંતા હતી તો કોમનવેલ્થનું ૮પ હજાર કરોડનો કકળાટ પાટનગરમાં ઘાલવાની શી જરૂર હતી? શું પાટનગરમાં આવા ધરણા પ્રથમ વખત થઇ રહ્યા હતાં. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટેની જાહેરસભાઓમાં અહિં મરઘાની જેમ ટ્રકમાં ભરીને માણસો ઠાલવે છે. રેલીઓ અને દેખાવો દરરોજ અહિં થતા રહે છે. આવા કોઇ જ આયોજનો નડ્યા નહિં, માત્ર અન્નાના અનશન તકલીફરૂપ બન્યા!
મુદ્દો બહુ સ્પષ્ટ છેઃ સરકાર ઇચ્છતી ન હતી કે, અન્નાના અનશન શરૂ થાય. સિબ્બલો અને રાહુલોને ખ્યાલ હતો કે, દેશના આમ આદમીમાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કેટલો અને કેવો જુવાળ છે. એટલે જ તેઓ અન્નાને રોકવા ઇચ્છતા હતાં તથા આ લડતની હવામાં પંકચર કરવા ધારતા હતાં. સરકારના હાથ ત્યાં હેઠા પડ્યા કે, અન્ના એક બેદાગ વ્યકિતત્વ છે.  તેમના પ્રવચનો સાંભળો તો પણ ખ્યાલ આવે કે, તેમનામાં સમજ કદાચ ઓછી છે, પરંતુ નિષ્ઠા ભારોભાર છે. બુદ્ધિમત્તામાં તેઓ બારઆની હશે પણ નીતિમત્તામાં બત્રીસ આની છે. મહત્વની વાત એ છે કે, દરેક નિષ્ઠાવાન અને સમર્પિત કાર્યકરની માફક અન્ના પણ થોડાઘણા અંશે માથાફરેલ છે. અને યાદ રહે કે, આવી લડત હંમેશા ધુની માણસ જ લડી શકે. આપણી સમસ્યા એ છે કે, અહિં મોટાભાગના લોકોમાં કોમનસેન્સ અને સિવિલસેન્સનો અભાવ છે. જ્યારે જેમનામાં બુદ્ધિસંપદા ઠાંસોઠાંસ છે તેવા મહત્તમ લોકો એકદમ બદમાશ છે. આ બધાની વચ્ચે  અન્ના જેવા નિષ્ઠાવાન લડવૈયા કોઇ અવતારથી કમ નથી. જે ધરતીમાં વીર્યવાન, ઝાંબાઝ, ખુન્નસથી ભરપૂર ધગધગતા લડવૈયા ઉગવાનું જ બંધ થઇ ગયું હોય અને ધરા આખી વાંઝણી થઇ ગઇ હોય ત્યાં એક અન્નાનું અવતરણ અનેક લોકોને જગાડી શકે છે. પ્રજા પોતાના કમ્ફર્ટ ઝોનમાં છે, પરંતુ અન્ના જેવા લોકો તેને ઢંઢોળતા રહે છે. અન્નાની સંભવિત પીછેહઠથી દુઃખી થઇને એક યુવાને ૧૪ ઓગષ્ટના દિવસે એક સોશિયલ નેટવર્કીંગ સાઇટ પર લખ્યું કે, ‘આ અન્નો ય ગાંડો છે, ૧૨૦ કરોડ મડદાઓની ઉપાધિ પોતાના માથે લઇને ફરે છે!’ તેમની વાતમાં વ્યથા હતી અને લોકોના નિરૂત્સાહ પ્રત્યેનો ક્રોધ પણ હતો. ૧૬ ઓગષ્ટની સવારે એમનો ભય સાચો ઠરતો પણ નજરે ચડ્યો. પરંતુ રાત થતા સુધીમાં પિકચર ઘણુ બદલાઇ ગયુ હતું. સવાલ એ થાય કે, આટલો તમાશો થયા પછી જ અન્નાને છોડવાની મંજૂરી શા માટે અપાઇ? શા માટે તેમને અગાઉથી જ અનશનની પરમિશન ન મળી?
ઇતિહાસ આ બધા સવાલોના જવાબ પૂછશે. કોંગ્રેસના સદ્નસીબ એ છે કે, જનતાને આવા જવાબો મેળવવાની અને સવાલો પૂછવાની તક છેક ૨૦૧૪માં મળવાની છે. પ્રજા બધું જોઇ રહી છે. આ દેશમાં ભ્રષ્ટાચાર ડામવાને બદલે ભ્રષ્ટાચાર વિરોધીઓને જે રીતે ખત્મ કરવાના કારસા થઇ રહ્યાં છે, તેની જગત પણ નોંધ લઇ રહ્યું છે. અન્નાના અનશન અગાઉ અમેરિકા તરફથી પણ ભારત સરકારને એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે ભારત સરકારને એવી ભલામણ કરી હતી કે, ‘લોકશાહીમાં લોકોને શાંતિપૂર્ણ વિરોધ કરવા દેવો જોઇએ, તેને કડક હાથે ડામી દેવો ન જોઇએ.’ ટેલિવિઝનની ન્યૂઝ ચેનલોમાં આ વાત ઝળકી કે તરત જ કોંગ્રેસના ટી.વી.શુરા નેતાઓ ચેનલો પર આવી કહી ગયા કે, ‘શું હવે અમેરિકા અમને લોકશાહીના પાઠ શીખવાડશે... આપણી લોકશાહી આખા જગત માટે ઉદાહરણરૂપ છે!’ ચિદમ્બરમ પણ આવા જ ગીતો ગાઇ ગયા. ધૂળ અને ઢેફુ ટુ યોર સોકોલ્ડ ડેમોક્રસી. જગત આખુ જાણે છે કે, લોકશાહીના નામે અહિંયા જોકશાહી અસ્તિત્વમાં છે. ગાદી પર વડાપ્રધાન બેઠા છે, પણ આદેશો સુપર પ્રાઇમ મિનિસ્ટરના જ ચાલે છે. ચૂંટણીઓ થાય છે અને સાંસદો પણ ચૂંટાય છે, પરંતુ શાસન તો એક પરિવારનું જ છે અને કમનસીબે એ પરિવાર રાષ્ટ્ર પ્રત્યે પ્રતિબદ્ધ નથી. શાહરૂખ ખાનની માય નેમ ઇઝ ખાન નામની ફિલ્મ સામે જ્યારે વિરોધ થાય છે ત્યારે આખા મુંબઇને એક કિલ્લામાં ફેરવી નાંખવામાં આવે છે. દરેક સિનેમા ગૃહ પર સશસ્ત્ર પોલીસદળ બેસાડાય છે. દરેક થિયેટરને સુરક્ષા પુરી પાડવામાં આવે છે. મિત્ર શાહરૂખને પોતાનાથી થાય તેટલી તમામ મદદ પ્રિયંકા અને રાહુલ ગાંધી કરે છે. જડબેસલાક બંદોબસ્ત વચ્ચે મુંબઇમાં શિવસેનાની ધમકી હોવા છતાં ફિલ્મ રિલીઝ થાય છે. આટલી જ પ્રતિબદ્ધતા જો અન્નાના અનશન માટે કે ભ્રષ્ટાચારના મુદ્દે બાબા રાહુલે દર્શાવી હોત તો આ દેશના કરોડો લોકો ગદ્ગદ્ થઇ ગયા હોત. પરંતુ  દેશના એકમાત્ર રજવાડાના યુવરાજની પ્રાયોરિટી અલગ છે. તેના અગ્રતાક્રમમાં ફિલ્મ સર્જકોની અને મિત્રોની મદદ કરવાનું તો આવે છે, પરંતુ દેશને રીતસર કોરી ખાતા ભ્રષ્ટાચારને ડામવાનું આવતું નથી. કોઇ ચમત્કારીક ઘટનાની માફક માદિકરો બેય આ આખા મુદ્દે મહિનાઓથી મૌન છે.
બીજી તરફ વડાપ્રધાન મનમોહનસિંહ પોતાની લાચારી દરરોજ જાહેર માધ્યમોમાં કબુલ કરતા રહે છે. ૧૫ ઓગષ્ટે ધ્વજવંદન સમયે તેમના પ્રવચનમાં કુલ સોળ વખત ‘કરપ્શન’ શબ્દ આવ્યો. શ્રાવણમાં લોકો ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય છે, પણ આપણા વડાપ્રધાન કરપ્શનનું ઉચ્ચારણ સતત કર્યા કરે છે. કારણ પણ બહુ દેખીતુ જ છેઃ આખી કેન્દ્ર સરકાર ભ્રષ્ટાચારમાં લથપથ છે. ગોઠણ સમાણા કાદવમાં કોઇ ડુક્કરને ફેંકો અને પછી તે કિચડથી ભરાઇને બહાર આવે ત્યારે જેવું લાગતું હોય તેવા જ રૂપ અત્યારે યુ.પી.એ. સરકારના મંત્રીઓના ખીલ્યા છે. લાલ કિલ્લા પરથી જગતની સૌથી મોટી લોકશાહીના સૌથી લાચાર વ્યકિતએ કહ્યું કે, તેમની પાસે ભ્રષ્ટાચાર ડામવાની કોઇ જાદુઇ છડી નથી. કોઇ જાદુમંતર કરીને તેઓ સ્પેકટ્રમમાંથી બે લાખ કરોડ અદ્રશ્ય કરી શકે છે, આવા જ જાદુ ટોના કરીને કોમનવેલ્થ ગેમ્સનું બજેટ ૧૭૦૦ કરોડમાંથી ૮પ હજાર કરોડ સુધી પહોંચાડી શકે છે. કોઇ અદ્ભુત મંતરનું ઉચ્ચારણ કરીને તેઓ હસન અલી જેવા દેશદ્રોહી ટેક્સચોરને ન્યાયતંત્રની જાળમાંથી આઝાદ રાખી શકે છે, પરંતુ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત આવે ત્યારે છડીના અભાવના કર્કશ મરશિયા જોરજોરથી ગાવા માંડે છે. દેશવાસીઓ પૂછે છે કે, જો જાદુની છડીની જરૂર હોય તો કે. લાલ કે પી.સી. સરકારને બોલાવો અને પ્રતિબદ્ધતાની જરૂર હોય તો તમે એ દર્શાવો. જો તમે લાચાર છો તો ગાદી પરથી આ ક્ષણે ઉતરી જાઓ અને ઘેર જઇ બે ટંક રોટલા ખાઇ પ્રભુનું સ્મરણ કરો. જો તમે અશક્ત છો તો નિવૃત્તિ લઇ લો, જો તમારામાં તાકાત નથી તો બીજાને તક આપો. જો તમારૂં આત્મગૌરવ હણાઇ ગયું છે તો વિકલ્પ શોધો. જો તમે અસમર્થ છો તો રસ્તો કાઢો. જો તમે ગુલામ છો તો આઝાદ થાઓ.  જો તમે ચિઠ્ઠીના ચાકર છો તો એ વાત પણ યાદ રાખો કે તમે સૌ પ્રથમ એક પબ્લીક સર્વન્ટ છો. જ્યારે પબ્લીકને સર્વ કરવાની અથવા તો પ્રજાની સેવા કરવાની તમારી શકિત હણાઇ જાય ત્યારે એ જવાબદારીમાંથી સામે ચાલીને મુક્ત થવું એ જ ઉત્તમ ગણાય. તેમાં આ દેશનું પણ ભલું છે અને પ્રજાનું પણ કલ્યાણ છે. જે સંસદીય લોકશાહીના સોગંધ તમે રોજ સવારે ઉઠીને આપ્યા કરો છો એ સંસદીય લોકશાહી અત્યારે ચોધાર આંસુએ રડી રહી છે. કહેવાતી જગતની પ્રથમ ક્રમાંકની લોકશાહી પર એક પરિવાર અને તેમના કેટલાંક મળતિયાઓનો કબ્જો છે. એટલે જ ૧૫ ઓગષ્ટે જ્યારે મનમોહન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની ગરિમા ઘટી ગઇ હોય તેવું લાગે છે. મનમોહન જ્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવે છે ત્યારે આપમેળે એ અર્ધી કાઠીએ હોય છે

*તારીખ ૧૭-ઓગસ્ટના દિવસે સૌરાષ્ટ્રના દૈનિક, "અકિલા"માં પ્રકાશિત.