Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Tuesday, January 8, 2013

ખોડલધામ, નરેશ પટેલ, કેશુભાઈ અને ગુજરાત ઈલેક્શન!!

શું ખોડિયાર માતા લેઉવા પટેલના કુળદેવી છે ??

Narendra Modi, Naresh Patel & Keshubhai Patel 
       
     

ગુજરાતના મતદાન પહેલા રાબેતા મુજબ જ વાતાવરણ થોડું બોઝીલ હતું. ‘શું થશે?’ ‘લેઉઆ ફેક્ટરનું શું લાગે છે?’ સૌની જીભ પર આ જ સવાલ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં. લાગતું હતું જાણે આપણે બિહારમાં કે ઉત્તર પ્રદેશના કોઇ પછાત વિસ્તારમાં રહેતા હોઇએ. શું જ્ઞાતિ એ ક્યારેય કોઇ ઇલેકશનનો એકમાત્ર મુદો હોઇ શકે? જો તમે કેશુભાઇ પટેલને આ સવાલ પૂછો (અલબત્ત, ખાનગીમાં!) તો તેઓ ‘હા’ કહેશે! એમના મતે જ્ઞાતિ એક મહાનતમ્ પરિબળ છે અને લેઉઆ પટેલોને હલેસા બનાવી તેઓ ચૂંટણીસમંદર પાર કરવા નીકળ્યા હતા. ગુજરાતના મતદારોએ તેમને આપેલો સંદેશો સ્પષ્ટ છેઃ “ગુજરાતમાં સત્તરમી સદીની આવી માનસિકતા ચાલશે નહિ, કારણ કે, ગુજરાત કોઇ એક જ્ઞાતિની જાગીર નથી.’’

દિવાલ પર લખેલું તમે વાંચી ના શકો તો દોષ તમારો જ ગણાય. ‘અન્યાય’, ‘ભયભીત સમાજ’ અને ‘ખોડલધામ’ જેવાં શબ્દો જ્યારે કેશુભાઇ પટેલ બોલતા હતા ત્યારે ઇત્તર વર્ગ રીતસર હચમચી ઉઠ્યો હતો. તેમનો ગુસ્સો સત્તરમા આસમાને હતો. ઇવીએમ ખુલ્યા ત્યારે તેમાંથી એ ધૂમાડો નીકળતો હોય એવો અનૂભવ ‘બાપા’ને થયો હશે.

શું પ્રજા મુર્ખ છે? જો તમે કેશુભાઇને આ સવાલ (અલબત્ત, ખાનગીમાં) ઇલેકશન પહેલા પૂછ્યો હોત તો તેમણે અચૂકપણે ‘હા’ કહી હોત, પણ હવે પૂછશો તો જવાબ અલગ હશે. જ્યારે તમને કોઇ વ્યક્તિ મૂર્ખ સમજતી હોય અને તમે એ હોવ નહિ ત્યારે તમે ક્યો ડાયલોગ બોલો છો? મુંબૈયા ભાષામાં કહે છેઃ ‘અમને આપ કો જ્યાદા શાના સમજતે હો!?’ અમદાવાદમાં કહે છેઃ ‘અમે કંઇ ડુંગરપુરના નથી હોં!’ અથવા ‘અમે શું કડી-કલોલથી આવીએ છીએ?’ કઠિયાવાડમાં કહે છેઃ ‘ભાઇ, અમને કાગદડીના સમજો છો!’ ‘શું અમારા માથે ચોટલી છે?’ સવાલ એ છે કે, શું કેશુભાઇને બધા લોકો ચોટલીવાળા લાગતા હતા?

ક્યો અન્યાય? ક્યાંનો અન્યાય? લેઉઆને અન્યાય થયો હોય તો એની વિગતો શા માટે આપી નહિ તેમણે? અને ભયભીત થવું એટલે શું? ગુજરાતમાં સમાજ ભયભીત છે, એવું તેમણે શરૂઆતમાં કહ્યું ત્યારે ‘સમાજ’ની તેમની વ્યાખ્યા હતીઃ લેઉઆ પટેલ સમાજ. તકલીફ એ છે કે, બાપાની દૃષ્ટિ ખોડલધામથી શરૂ થાય છે અને નરેશ પટેલ પર ખતમ થઇ જાય છે.

વાસ્તવમાં ગુજરાતમાં લેઉઆ પટેલોને કોઇ જ અન્યાય થયો ન હતો. અત્યારે પણ નથી થતો. અને ભવિષ્યમાં પણ નથી થવાનો. લેઉઆ પટેલ એક શક્તિશાળી અને મહેનતુ પ્રજા છે. તેમને કોઇ અન્યાય કરી શકે નહીં. ગુજરાતનાં સદ્નસીબે અને કેશુભાઇના કમનસીબે લેઉઆ પટેલો ગાડરીયા પ્રવાહમાં તણાતા નથી. કોંગ્રેસે જે રીતે મુસ્લિમોનો દુરૂપયોગ કર્યો છે તે રીતે કેશુભાઇ કે નરેશ પટેલ લેઉઆ પટેલોને વાપરીને ફેંકી દે એવા તેઓ (લેઉઆ પટેલ) ભોળા નથી. સમાજ ભયભીત પણ નથી અને તેમને અન્યાય પણ થતો નથી એ વાત અડધોઅડધ લેઉઆ પટેલો સ્વીકારે છે. હા! કેશુભાઇને સત્તાભ્રષ્ટ કર્યા એ તેમને થયેલો અન્યાય ગણાય, જ્ઞાતિને થયેલો નહીં. ઇનફેક્ટ, કેશુભાઇ સાથે પણ ન્યાય જ થયો છે. એવું કાળક્રમે સાબિત થઇ ચૂક્યું છે. કારણ કે, જ્ઞતિ તેમના અગ્રતા ક્રમમાં સૌથી ઉપર હોવાનો આક્ષેપ એમના કાર્યકાળ દરમિયાન થયો જ હતો. આજે એ સાબિત થયું કે, તેઓ જ્ઞાતિના ગાડામાં સવાર થઇને સત્તા ચલાવતા હતાં. પટેલવાદને તેમણે ભયાનક હદે પોષયો હતો એ પણ હવે પૂરવાર કરવાની કોઇ આવશ્યકતા રહેતી નથી.

થોડી વાતો સ્પષ્ટ કરવી જરૂરી છેઃ નરેશ પટેલ અને કેશુભાઇ ખુલ્લેઆમ રાજકીય અખાડામાં ઝંપલાવીને પક્ષના નામે સંમેલનો બોલાવતા હોય તો તેની સામે કોઇને પણ વાંધો ન હોઇ શકે. પરિવર્તન પાર્ટીના બેનર હેઠળ લેઉઆ પાટીદારોનું અધિવેશન થાય તો પણ કોઇ વ્યક્તિએ વાંધો ન ઉઠાવવો જોઇએ. કારણ કે, ચૂંટણી ટાણે વિવિધ પક્ષો અલગ-અલગ જ્ઞાતિઓ પાસે પોતાની વાત કહેવા પહોંચતા જ હોય છે. સમસ્યા એક જ છેઃ માતાજીના નામે ર1 લાખ લોકો ભેગા કરો અને પછી સ્ટેજ પરથી ‘બાપાજી’ના ભજનો લલકારો તો એ પાપ છે. ખોડલધામની સ્થાપના થઇ ત્યારે જ એવું કહેવાયુ હતું કે, એ કોઇ રાજકીય મંચ નથી. પણ આગળ જતા તેના સ્થાપકોની ભાષા રાજકીય થવા લાગી. બાપાના ગુણગાન ગવાયા અને ખોડિયાર માતાજી ભૂલાયા. માતાજીના નામે લાખો લોકોને ભેગા કરવા અને પછી તેમને શાહી ઇમામની શૈલીમાં ફતવા સંભળાવવા એ શું એક પ્રકારનું છળ ન ગણાય?

બિલકુલ ગણાય. સવાલ એ છે કે, જો પરિવર્તન પાર્ટીના નામે આવું સંમેલન બોલાવાયું હોય તો શું ર1 લાખ લોકોની મેદની ભેગી થઇ શકે. કદાચ ર1 હજારના પણ સાંસા પડી જાય. ચૂંટણી પ્રચાર દરમિયાન કેશુભાઇએ કરેલી અમૂક સભાઓમાં તો બે હજાર માણસો પણ  ભેગા થઇ શક્યા ન હતાં. સત્ય એ છે કે, જ્ઞાતિના નામે કોઇને વ઼્હીપ આપવા એ જ ચૂંટણીના મૂળભૂત ઉદેશ્યનું અને ચૂંટણી પાછળની ભાવનાનું હનન છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો દરેક મતદાતા પોતાની સ્વતંત્ર બુદ્ધિથી મત આપવા સક્ષમ છે. રાજકીય પક્ષો મતદાતા સમક્ષ અપીલ કરી શકે, પોતાના મુદાઓ રજૂ કરી શકે પરંતુ કોઇ ધાર્મિક જગ્યાનો હોદેદાર જ્ઞાતિજનોને ફતવાઓ ન આપી શકે. આવા ફતવા કોઇ આપતું હોય તો એ માત્ર ચૂંટણીઓનું કે લોકશાહીનું અપમાન નથી પરંતુ જે-તે જ્ઞાતિનું પણ ભયંકર અપમાન છે. નરેશ પટેલ અને કેશુભાઇ પટેલએ લેઉઆ પટેલોનું અપમાન કર્યુ છે-એમને ફતવાઓ સંભળાવીને. એમણે માં ખોડિયારનું પણ અપમાન કર્યુ ગણાય. કારણ કે, તેમની આડશમાં આ હોદેદારોએ પોતાનો રાજકીય એજન્ડા પ્રમોટ કર્યો છે. એમની પોતાની કોઇ સ્વતંત્ર હસ્તી નથી, આગવું અસ્તિત્વ નથી એટલે ધર્મસ્થાનોના નામે પોતાના લક્ષ્ય પાર પાડવાના પ્રયત્નો કર્યા છે. દુઃખની વાત એ છે કે, ખુદ લેઉઆ પટેલ સમાજએ આ ઘટનાના આડકતરા પરિણામો સહન કરવા પડે છે.

ચૂંટણી પહેલા અને મતદાન સમયે આખા સૌરાષ્ટ્રમાં જબરો જ્ઞાતિવાદી માહોલ રચાયો હતો. કેશુભાઇ અને નરેશ પટેલના જ્ઞાતિવાદી બયાનોના કારણે ઇત્તર જ્ઞાતિમાં પણ ભયંકર રોષ ફેલાયો હતો. ક્યારેક તેઓ જ્ઞાતિના નામે વધુ બેઠકો માંગતા હતા તો ક્યારેક પોતાની જ્ઞાતિને ચોક્કસ સંદેશાઓ આપતા હતાં. શરૂઆતમાં કેશુભાઇની તરફેણમાં દબાતા સૂરે બધુ કહેવામાં આવ્યું. પણ ચૂંટણીને ગણતરીના દિવસો બાકી હતાં ત્યારે નરેશ પટેલએ લેઉઆ પટેલોને એક સંમેલનમાં કહ્યું કે, ‘84 વર્ષની ઉંમરે બાપાએ હવે લેઉઆ સમાજને ટકોર કરવી ન પડે તેનું ધ્યાન રાખજો!’ બન્યું એવું કે, આ બધા જ્ઞાતિવાદી નિવેદનોથી ગિન્નાયેલા ઇત્તર વર્ગએ મોદીની તરફેણમાં મતો ઠાલવવાનું નક્કી કરી લીધું. જેને પૂછો તે એમ જ કહેતા હતાં કે, આ જ્ઞાતિવાદીઓને સીધાદોર કરી નાંખો. સમાજમાં સ્વયંભૂ જાણે એક પ્રકારનો જૂવાળ ઉભો થયો. ઉચ્ચ મધ્યમ વર્ગ અને ધનવાન વર્ગના વિસ્તારોમાં જ્યાં હંમેશા મતદાન નીચુ રહેતું હોય છે ત્યાં લોકોએ ઘરમાંથી નીકળી ભાજપની તરફેણમાં મત નાંખ્યા. પાણી અને લેન્ડ ક્રાઇમની સમસ્યાઓ ભૂલીને પણ ઇત્તર વર્ગએ મોદીને ભરપૂર મત આપ્યા. સૌરાષ્ટ્રના શહેરી વિસ્તારોમાં ભાજપતરફી થયેલું ઉંચુ મતદાન એ વાસ્તવમાં કેશુભાઇ એન્ડ પાર્ટીના જ્ઞાતિવાદી રાજકારણને ઇત્તર વર્ગ દ્વારા અપાયેલો સણસણતો જવાબ છે. ઇત્તર વર્ગનું આ મોબિલાઇઝેશન એક અદ્ભૂત ઘટના છે. જ્ઞાતિવાદી રાજકારણીઓ માટે એ એક સંદેશ છે કે, ગુજરાત એ કોઇ એક જ્ઞાતિની મિલ્કત નથી. અહીં કોઇ એ જ્ઞાતિના કેટલાંક માથાફરેલ લોકો બાકીના વર્ગને બાનમાં લઇ શકે એ દિવસો હવે ગયા. આ મોબિલાઇઝેશન થવાનું છે એ દિવાલ પર લખાયેલું સત્ય હતું. કેટલાંક લોકો નરી આંખે પણ એ નિરખી ન શક્યા એ તેમના નસીબ.

મનસુખ સુવાગિયા
Mansukh Suvagiya
‘વિકાસ થયો જ નથી’, ‘વિકાસની વાતો એ એક છેતરપિંડી છે’ આવા અનેક આક્ષેપોને પણ મતદાતાઓએ યોગ્ય ભાષામાં જવાબ આપ્યો છે. વિકાસને સંપૂર્ણપણે નકારી કાઢવો એ એક પ્રકારની બેવકૂફી છે. મોદીના રાજમાં પણ સમસ્યાઓ તો રહી જ છે. પણ લોકોપયોગી કાર્યો પણ થયા છે. જે લોકોએ ગુજરાતના વિકાસને પૂર્ણતઃ નકારી કાઢ્યો છે એ તમામ લોકોનો રકાશ થયો છે. કેટલીક વાતો પ્રજાની નજર સમક્ષ હોય છે. તેના માટે અર્જુનભાઇ મોઢવડિયા, શક્તિસિંહ ગોહિલ કે સોનિયા ગાંધીના પ્રમાણપત્રોની જરૂર નથી હોતી. કાર્યો પણ બોલતા હોય છે અને નિક્રિયતા પણ બોલકી જ હોય છે. આ લખનારએ ચૂંટણી પહેલાં જ એક લેખમાં લખ્યુ હતું કે, મોદીને તમે પોઝિટીવ સેન્સમાં એક રક્તબીજ ગણી શકો, જેના પર તમે જેટલા પ્રહારો કરો તેમ તેની શક્તિ વધતી જાય છે. તેના પ્રત્યેક રક્તબિંદુમાંથી એક નવો શક્તિશાળી જીવ ઉત્પન્ન થાય છે. મોદીને ઝખ્મો આપવા એ પોતાના શરીર પર ઉઝરડા કરવા જેવું જોખમી કાર્ય છે. કારણ કે, એમને એવું વરદાન મળ્યું છે કે, એમના શરીર પર જે દુશ્મન એક પ્રહાર કરશે તે દુશ્મનને સો પ્રહારની પીડા મળશે. કેશુભાઇ અને નરેશ પટેલએ જાણી-જાણીને અને જાણતા જ ઝેર પીધા છે. આડકતરી રીતે તેમને નરેદ્ર મોદીને સીધો ફાયદો કરાવ્યો છે. મુદાઓ વગરની આ ચૂંટણીમાં પ્રજાને ઝાઝો રસ ન હતો. પરંતુ જ્ઞાતિવાદની કુકળી ગાંડી કરીને કેશુભાઇ એન્ડ કંપનીએ સામે ચાલીને ફરી એક વખત ગુજરાત મોદીની ઝોળીમાં નાંખી દીધું. છેક 2002થી કહેવાતુ આવ્યું છે કે, મોદી જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે કોઇ ગેબી સહાય તેમની ઝોળીમાં ટપકી પડે છે. આ વખતે પણ ઉપરવાળાએ એ ક્રમ જાળવ્યો છે. ઇશ્વરએ સમયસર કેશુભાઇ, નરેશ પટેલ જેવા લોકોને દુર્બુદ્ધિ આપી દીધી.  



જો કે સવાલ એ પણ છે કે, લેઉવા પટેલોના નામે, એમના જોખમે, એમના ખભા પર બંદુક રાખી ફોડનારા લોકોને લેઉવા સમાજ કે ઈત્તર સમાજ શું માફ કરી દેશે? ના. આવા તત્વો સામે ખુદ લેઉવાઓમાં પણ ગુસ્સો છે, અનેક સમજુ લોકો આવા તત્વોની પ્રવૃત્તિથી દુર ભાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના જળ ક્રાંતિ ટ્રસ્ટના પ્રણેતા એવા મનસુખ સુવાગીયાએ તો ખોડલધામ અને તેના સ્થાપકો વિષે એક હજાર કરતા વધુ લેઉવા અગ્રણીઓને પત્રો લખ્યા છે - આ પત્ર મુજબ તો ખોડિયાર એ લેઉવા પટેલના કુળદેવી જ નથી! અહીં આ પત્રની સ્કેન્ડ ઈમેજ મૂકી છે - આખું લખાણ વાંચવા જેવું છે 










Friday, December 21, 2012

કોંગ્રેસનો છ દાયકાનો ઈતિહાસ: તમ્બુની જેમ તણાયેલી, ફુગ્ગા માફક ફૂલાયેલી અને હવાની જેમ ફેલાયેલી!



  
સદ્દભાગ્યે ગુજરાતનો કાંઠલો પેલો કાળમુખો "પંજો" પકડી શક્યો નથી ... કોંગ્રેસ એક પાર્ટી જ નહિ, એક બિમારી પણ છે ! હિન્દીના સુપ્રસિદ્ધ વ્યંગકાર શરદ જોશીએ આઝાદીના ત્રીસ વર્ષ પછી કોંગ્રેસ પર એક અદ્દભુત પીસ લખ્યો હતો, જુઓ - આજે પણ એ કેટલો પ્રસ્તુત છે! પ્રસ્તુત લેખની ભાષા એટલી ચોટદાર છે કે, તેનો અનુવાદ ના કરીએ તો જ તેની અસલ ફ્લેવર જળવાઈ રહે. આ લેખમાં જ્યાં "ત્રીસ વર્ષ" શબ્દ પ્રયોગ થયો છે - ત્યાં "છ દાયકા" વાંચશો તો વધુ જમાવટ થશે! ઓવર ટુ - ધ વન એન્ડ ઓન્લી - શરદ જોશી 

   
કાંગ્રેસ કો રાજ કરતે કરતે તીસ સાલ બીત ગએ . કુછ કહતે હૈં , તીન સૌ સાલ બીત ગએ . ગલત હૈ .સિર્ફ તીસ સાલ બીતે . ઇન તીસ સાલોં મેં કભી દેશ આગે બઢ઼ા , કભી કાંગ્રેસ આગે બઢ઼ી . કભી દોનોં આગે બઢ઼ ગએ, કભી દોનોં નહીં બઢ઼ પાએ .ફિર યોં હુઆ કિ દેશ આગે બઢ઼ ગયા ઔર કાંગ્રેસ પીછે રહ ગઈ. તીસ સાલોં કી યહ યાત્રા કાંગ્રેસ કી મહાયાત્રા હૈ. વહ ખાદી ભંડાર સે આરમ્ભ હુઈ ઔર સચિવાલય પર સમાપ્ત હો ગઈ.

પુરે તીસ સાલ તક કાંગ્રેસ હમારે દેશ પર તમ્બૂ કી તરહ તની રહી, ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી, બર્ફ સી જમી રહી. પુરે તીસ સાલ તક કાંગ્રેસ ને દેશ મેં ઇતિહાસ બનાયા, ઉસે સરકારી કર્મચારિયોં ને લિખા ઔર વિધાનસભા કે સદસ્યોં ને પઢ઼ા. પોસ્ટરોં ,કિતાબોં ,સિનેમા કી સ્લાઇડોં, ગરજ યહ હૈ કિ દેશ કે જર્રે-જર્રે પર કાંગ્રેસ કા નામ લિખા રહા. રેડિયો ,ટીવી ડાક્યૂમેંટ્રી , સરકારી બૈઠકોં ઔર સમ્મેલનોં મેં, ગરજ યહ કિ દસોં દિશાઓં મેં સિર્ફ એક હી ગૂઁજ થી ઔર વહ કાંગ્રેસ કી થી. કાંગ્રેસ હમારી આદત બન ગઈ. કભી ન છુટને વાલી બુરી આદત. હમ સબ યહાઁ વહાં સે દિલ દિમાગ ઔર તોંદ સે કાંગ્રેસી હોને લગે. ઇન તીસ સાલોં મેં હર ભારતવાસી કે અંતર મેં કાંગ્રેસ ગેસ્ટ્રિક ટ્રબલ કી તરહ સમાં ગઈ.

જૈસે હી આજાદી મિલી કાંગ્રેસ ને યહ મહસૂસ કિયા કિ ખાદી કા કપડ઼ા મોટા, ભદ્દા ઔર ખુરદુરા હોતા હૈ ઔર બદન બહુત કોમલ ઔર નાજુક હોતા હૈ. ઇસલિએ કાંગ્રેસ ને યહ નિર્ણય લિયા કિ ખાદી કો મહીન કિયા જાએ, રેશમ કિયા જાએ, ટેરેલીન કિયા જાએ. અંગ્રેજોં કી જેલ મેં કાંગ્રેસી કે સાથ બહુત અત્યાચાર હુઆ થા. ઉન્હેં પત્થર ઔર સીમેંટ કી બેંચોં પર સોને કો મિલા થા. અગર આજાદી કે બાદ અચ્છી ક્વાલિટી કી કપાસ કા ઉત્પાદન બઢ઼ાયા ગયા, ઉસકે ગદ્દે-તકિયે ભરે ગએ. ઔર કાંગ્રેસી ઉસ પર વિરાજ કર, ટિક કર દેશ કી સમસ્યાઓં પર ચિંતન કરને લગે. દેશ મેં સમસ્યાએઁ બહુત થીં, કાંગ્રેસી ભી બહુત થે.સમસ્યાએઁ બઢ઼ રહી થીં, કાંગ્રેસ ભી બઢ઼ રહી થી. એક દિન ઐસા આયા કી સમસ્યાએં કાંગ્રેસ હો ગઈં ઔર કાંગ્રેસ સમસ્યા હો ગઈ. દોનોં બઢ઼ને લગે.
પુરે તીસ સાલ તક દેશ ને યહ સમઝને કી કોશિશ કી કિ કાંગ્રેસ ક્યા હૈ? ખુદ કાંગ્રેસી યહ નહીં સમઝ પાયા કિ કાંગ્રેસ ક્યા હૈ? લોગોં ને કાંગ્રેસ કો બ્રહ્મ કી તરહ નેતિ-નેતિ કે તરીકે સે સમઝા. જો દાએં નહીં હૈ વહ કાંગ્રેસ હૈ.જો બાએઁ નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય મેં ભી નહીં હૈ વહ કાંગ્રેસ હૈ. જો મધ્ય સે બાએઁ હૈ વહ કાંગ્રેસ હૈ. મનુષ્ય જિતને રૂપોં મેં મિલતા હૈ, કાંગ્રેસ ઉસસે જ્યાદા રૂપોં મેં મિલતી હૈ. કાંગ્રેસ સર્વત્ર હૈ. હર કુર્સી પર હૈ. હર કુર્સી કે પીછે હૈ. હર કુર્સી કે સામને ખડ઼ી હૈ. હર સિદ્ધાંત કાંગ્રેસ કા સિદ્ધાંત હૈ હૈ. ઇન સભી સિદ્ધાંતોં પર કાંગ્રેસ તીસ સાલ તક અચલ ખડ઼ી હિલતી રહી.

CLICK on this Image to Enlarge 
Cartoons Courtesy : Kirtish, Nai Duniya & bamulahija.com



     
તીસ સાલ કા ઇતિહાસ સાક્ષી હૈ કાંગ્રેસ ને હમેશા સંતુલન કી નીતિ કો બનાએ રખા. જો કહા વો કિયા નહીં, જો કિયા વો બતાયા નહીં,જો બતાયા વહ થા નહીં, જો થા વહ ગલત થા. અહિંસા કી નીતિ પર વિશ્વાસ કિયા ઔર ઉસ નીતિ કો સંતુલિત કિયા લાઠી ઔર ગોલી સે. સત્ય કી નીતિ પર ચલી, પર સચ બોલને વાલે સે સદા નારાજ રહી.પેડ઼ લગાને કા આન્દોલન ચલાયા ઔર ઠેકે દેકર જંગલ કે જંગલ સાફ઼ કર દિએ. રાહત દી મગર ટૈક્સ બઢ઼ા દિએ. શરાબ કે ઠેકે દિએ, દારુ કે કારખાને ખુલવાએ; પર નશાબંદી કા સમર્થન કરતી રહી. હિંદી કી હિમાયતી રહી અંગ્રેજી કો ચાલૂ રખા. યોજના બનાયી તો લાગૂ નહીં હોને દી. લાગૂ કી તો રોક દિયા. રોક દિયા તો ચાલૂ નહીં કી. સમસ્યાએં ઉઠી તો કમીશન બૈઠે, રિપોર્ટ આઈ તો પઢ઼ા નહીં. કાંગ્રેસ કા ઇતિહાસ નિરંતર સંતુલન કા ઇતિહાસ હૈ. સમાજવાદ કી સમર્થક રહી, પર પૂંજીવાદ કો શિકાયત કા મૌકા નહીં દિયા. નારા દિયા તો પૂરા નહીં કિયા. પ્રાઇવેટ સેક્ટર કે ખિલાફ પબ્લિક સેક્ટર કો ખડ઼ા કિયા, પબ્લિક સેક્ટર કે ખિલાફ પ્રાઇવેટ સેક્ટર કો. દોનોં કે બીચ ખુદ ખડ઼ી હો ગઈ . તીસ સાલ તક ખડ઼ી રહી. એક કો બઢ઼ને નહીં દિયા.દૂસરે કો ઘટને નહીં દિયા.આત્મનિર્ભરતા પર જોર દેતે રહે, વિદેશોં સે મદદ માંગતે રહે. ’યૂથ’ કો બઢ઼ાવા દિયા, બુડ્દ્ધોં કો ટિકેટ દિયા. જો જીતા વહ મુખ્યમંત્રી બના, જો હારા સો ગવર્નર હો ગયા. જો કેંદ્ર મેં બેકાર થા ઉસે રાજ્ય મેં ભેજા, જો રાજ્ય મેં બેકાર થા ઉસે ઉસે કેંદ્ર મેં લે આએ. જો દોનોં જગહ બેકાર થે ઉસે એમ્બેસેડર બના દિયા. વહ દેશ કા પ્રતિનિધિત્વ કરને લગા.

એકતા પર જોર દિયા આપસ મેં લડ઼ાતે રહે. જાતિવાદ કા વિરોધ કિયા, મગર અપનેવાલોં કા હમેશા ખ્યાલ રખા. પ્રાર્થનાએં સુનીં ઔર ભૂલ ગએ. આશ્વાસન દિએ, પર નિભાએ નહીં. જિન્હેં નિભાયા વે આશ્વશ્ત નહીં હુએ. મેહનત પર જોર દિયા, અભિનન્દન કરવાતે રહે. જનતા કી સુનતે રહે અફસર કી માનતે રહે.શાંતિ કી અપીલ કી, ભાષણ દેતે રહે. ખુદ કુછ કિયા નહીં દુસરે કા હોને નહીં દિયા. સંતુલન કી ઇન્તહાં યહ હુઈ કિ ઉત્તર મેં જોર થા તબ દક્ષિણ મેં કમજોર થે. દક્ષિણ મેં જીતે તો ઉત્તર મેં હાર ગએ. તીસ સાલ તક પુરે, પુરે તીસ સાલ તક, કાંગ્રેસ એક સરકાર નહીં, એક સંતુલન કા નામ થા. સંતુલન, તમ્બૂ કી તરહ તની રહી,ગુબ્બારે કી તરહ ફૈલી રહી, હવા કી તરહ સનસનાતી રહી બર્ફ સી જમી રહી પુરે તીસ સાલ તક.

કાંગ્રેસ અમર હૈ. વહ મર નહીં સકતી. ઉસકે દોષ બને રહેંગે ઔર ગુણ લૌટ-લૌટ કર આએઁગે. જબ તક પક્ષપાત, નિર્ણયહીનતા ઢીલાપન, દોમુંહાપન, પૂર્વાગ્રહ, ઢોંગ, દિખાવા, સસ્તી આકાંક્ષા ઔર લાલચ કાયમ હૈ, ઇસ દેશ સે કાંગ્રેસ કો કોઈ સમાપ્ત નહીં કર સકતા. કાંગ્રેસ કાયમ રહેગી. દાએં, બાએઁ, મધ્ય, મધ્ય કે મધ્ય, ગરજ યહ કિ કહીં ભી કિસી ભી રૂપ મેં આપકો કાંગ્રેસ નજર આએગી. ઇસ દેશ મેં જો ભી હોતા હૈ અંતતઃ કાંગ્રેસ હોતા હૈ. જનતા પાર્ટી ભી અંતતઃ કાંગ્રેસ હો જાએગી. જો કુછ હોના હૈ ઉસે આખિર મેં કાંગ્રેસ હોના હૈ. તીસ નહીં તીન સૌ સાલ બીત જાએઁગે, કાંગ્રેસ ઇસ દેશ કા પીછા નહીં છોડ઼ને વાલી...

Tuesday, December 11, 2012

Naresh Patel, Kagvad, Keshubhai Patel

નરેશ પટેલ, કાગવડ, કેશુભાઈ 
અને "ભયભીત સમાજ" !!



નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે



         

થોડા દિવસો પહેલા મારા બનેવી અને લેખક - પ્રકાશક, નરેશ શાહ સાથે વાતો ચાલતી હતી.સ્વાભાવિક રીતે જ ચર્ચાનો વિષય હતા લેઉવા પટેલ સમાજના કહેવાતા અગ્રણી એવા નરેશ પટેલ.  એમની પ્રવૃત્તિઓથી હવે કોઈ અજાણ નથી અને સમાજ ( અમારે મન સમાજ એટલે સમગ્ર સમાજ, બ્રાહ્મણ કે જૈન નહિ!) માટે જેમને રતીભારની પણ ફિકર હોય તેવા લોકોને આ પ્રવૃત્તિઓ કઠતી હશે તેમાં બેમત નથી.  "કંઇક કરવું જોઈએ" એવી વાતો સાથે અમે છુટ્ટા પડ્યા, પરંતુ નરેશભાઈને ચૈન ના પડ્યું અને તેમણે આ બાબતે એક લખાણ તૈયાર કરી ને જનતા પ્રેસ કોન્ફરન્સ (રેસકોર્સના બગીચામાં, નાસ્તો-પાણી વગર!)  બોલાવવાનું નક્કી કર્યું.  કોઈ કારણોસર એ શક્ય ના બન્યું પરંતુ એમણે મને કેટલાક મુદ્દાઓ આપ્યા, થોડા મુદ્દાઓ મારા દિમાગમાં હતા - એ બંનેનું મિશ્રણ કરી આ નાનો એવો લેખ તૈયાર કર્યો છે.  આશા છે કે, જેમને સમગ્ર સમાજની ચિંતા છે અને જે લોકો આવા છેલ્લી કક્ષાના જ્ઞાતિવાદથી ત્રસ્ત છે , દુ:ખી છે - એવા તમામ લોકો આ વિચારોને યથાશક્તિ ફેલાવવાનું કાર્ય કરશે ... 

શું તમારી બદલે કોઈ જીવી લે, તમારી બદલે કોઈ શ્વાસ લઇ લે એ શક્ય છે?: 
જો "ના" , તો પછી તમારે મત કોને આપવો એ અંગે નિર્ણય અન્ય કોઈ શા માટે લઇ શકે?

છેલ્લાં કેટલાંક સમય દરમિયાન ખોડલધામ ફેમ નરેશ પટેલના જે પ્રકારનાં નિવેદનો અખબારોમાં આવી રહ્યાં છે તે સમગ્ર સમાજ માટે આંચકારૂપ છે. આપણે અહીં સમગ્ર સમાજની વાત કરી રહ્યાં છીએ અને સમગ્ર સમાજમાં વાણીયાં-બ્રાહ્મણ-લોહાણા, મોચી, સુથાર, લોહાર, કુંભાર, દલિતો, મુસ્લીમો તથા અદિવાસીઓ વગેરે પ્રત્યેક કોમ સાથે કડવા અને લેઉઆ પટેલો પણ આપમેળે સમાવિષ્ટ થઇ જાય છે. યાદ રહેઃ નરેશ પટેલના નિવેદનો માત્ર આંચકારૂપ નથી પરંતુ એ સમસ્ત સમાજવ્યવસ્થાનો, સામાજીક ઢાંચાનો તથા ચૂંટણી વ્યવસ્થાનો અને બંધારણના મૂળભૂળ સિદ્ધાંતોનો ધ્વંશ કરનારા પણ છે. એમના નિવેદનો ઘાતક છે, એમની હરકતો નજીકના ભવિષ્યમાં જ વર્ગ વિગ્રહ ભડકાવે તેવી પુરેપુરી શક્યતાઓ છે.

માતાજીના ધર્મસ્થાનનાં નામે ટોળા ભેગા કરવા અને પછી રીતસરનું રાજકીય બ્લેક મેઈલિંગ શરૂ કરવું, જ્ઞાતિવાદ ભડકે તેવી હરકતો ખુલ્લેઆમ કરવી... એ જ્ઞાતિવાદ નથી તો બીજું શું છે? હમણાં જ ભાઇ નરેશ પટેલએ એવું કહ્યું કે, ``જે પક્ષ લેઉઆ પટેલોને વધુ ટિકિટ આપશે તેને લેઉઆ પટેલો મત આપશે!'' બીજું નિવેદન એવું કર્યુ કે, ``અમે રાજકીય પક્ષોની વર્તણૂંક જોઇને નક્કી કરીશું કે, અમારે કોને મત આપવો!'' પછી એમ કહ્યું કે, "લેઉવા પટેલોએ યહૂદીઓની જેમ એકતા દાખવવાની જરૂર છે!' આજે જ્યારે સૌપ્રથમ જરૂરત ભારતીય બનવાની છે ત્યારે આવી વાતો ધડમાથા વગરની લાગે છે! બહુ વિચિત્ર લાગે તેવી આ વાતો છે. આખા લેઉઆ પટેલ સમાજ વતી નિર્ણયો લેવાનો અધિકાર તેમને કોણે આપ્યો? કોને મત આપવો-કોને ન આપવો, એ દરેક વ્યક્તિની અંગત બાબત છે. તેનાં માટે કોઇ જ્ઞાતિના બની બેઠેલા નેતા વ઼્હીપ જારી કરી શકે નહિ. આવો ફેંસલો કે ચૂકાદો કોઇ વ્યક્તિ જાહેર કરતી હોય તો એ સમાજને માટે ઘાતક પણ છે અને ચૂંટણીની મૂળભૂત ભાવનાને ખત્મ કરનારો પણ છે.

સામાન્ય નાગરિક તરીકે અમને લાગે છે કે, આવા નિવેદનો વાંચીને બાકીની દરેક જ્ઞાતિના લોકોનું લોહી ઉકળી ઉઠે છે. ખરેખર તો લેઉઆ પટેલોનું પણ ઉકળવું જ જોઇએ. કોઇ એક વ્યક્તિ તેમના વતી આવા ફેંસલાઓ લઇ કેવી રીતે શકે? બહુ નિખાલસતાથી કહીએ તો કહી શકાય કે, નરેશ પટેલ જેવાં લોકોને કારણે લેઉઆ પટેલ જ્ઞાતિ પણ સમાજના તમામ ઇત્તર વર્ગમાં ચર્ચાનો વિષય બની રહી છે. આ નરી વાસ્તવિકતા છે. રાજકીય મર્યાદાઓના કારણે અને અન્ય અનેક પ્રકારનાં ડરને લીધે લોકો જાહેરમાં કશું બોલી શકતા નથી પરંતુ લોકોમાં આ અંગે ભારોભાર રોષ છે. અમે અનુભવ્યું  છે કે, ઘણાં લેઉઆ પટેલોને પણ આવી જ્ઞાતિવાદી હરકતો ગમતી નથી પરંતુ તેમનો કોઇ વોઇસ નથી. અથવા તો જ્ઞાતિથી અળગા થવાની તેમની પાસે નૈતિક હિમ્મત નથી.

પરિસ્થિતિ બહુ ગંભિર છે. ધર્મનો ઓટલો હવે રાજકીય રોટલો શેકવા માટે ઉપયોગમાં લેવાય છે. માતાજીના નામે લાખ્ખો લોકોને ભેગા કરીને તેમને રાજકીય સંદેશાઓ અપાય છે. કોઇપણ સમાજ માટે આ માનસિક નાદુરસ્તીની નિશાની છે. શું આપણો સમાજ રિવર્સ ગીયરમાં ચાલી રહ્યો છે? શું આપણે જ્ઞાતિવાદ અને કોમવાદથી ખદબદતા આપણાં ભૂતકાળ તરફ ગતિ કરવી છે? દરેક સમાજે તે વિશે વિચાર કરવો પડશે. લેઉઆ પટેલોએ સૌથી વધુ ગંભિરતા રાખીને આ અંગે ચિંતન કરવું પડશે. જ્ઞાતિની સંખ્યાના આધારે ટિકિટો માંગતા રહીશું તો જાહેર જીવનમાં આપણે વધુ અંધાધુંધી સર્જીશું.

આપણો સમાજ કઇ દિશામાં ગતિ કરશે તેનો બહુ મોટો આધાર પટેલો પર છે. પટેલો પાસે અઢળક ધનસંપદા અને રિસોર્સીસ છે. એમની સુખાકારીને તેઓ હકારાત્મક માર્ગે ઉપયોગ કરે એ ઇચ્છનીય છે, એ જ સાચો રસ્તો છે. સૌથી વધુ સુખી-સંપન્ન હોવાનાં નાતે તેઓ પર વિશિષ્ટ સામાજીક જવાબદારી છે. તેઓ ઇચ્છે તો સમાજને નવો રાહ ચીંધી શકે તેમ છે. પણ એ માટે જ્ઞાતિના રાગડા તાણવાનું બંધ કરવું પડશે અને અન્યાયનાં ઠાલાં મરશિયાને પણ વિરામ આપવો પડશે.

`અન્યાય.... અન્યાય....'ની આ કેશુભાઈની વાતો બાલીશ પણ છે, જુઠ્ઠી છે અને સમાજને ગેરમાર્ગે દોરનારી છે. `સમાજ'ની `એકતા'ના નામે અહીં ખુલ્લેઆમ દાદાગીરી થઇ રહી છે. બ્લેક મેઇલિંગ થઇ રહ્યું છે. અને અન્યાયના નામે લેઉઆ પટેલ જ્ઞાતિની સહાનૂભૂતિ મેળવવાનો તથા તેમનાં પર કાબૂ લેવાના પ્રયાસો થઇ રહ્યાં છે. સવાલ એ છે કે, અન્યાયના ગાણા ગાતા અગ્રણીઓ આ અન્યાયની વિગતો શા માટે આપતા નથી? ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ વજન પટેલોનું જ છે અને સ્થાનિક-કોર્પોરેટરોથી શરૂ કરીને મંત્રીમંડળ સુધી પટેલોની જ બોલબાલા છે. ગુજરાતના 182માંથી કેટલા ધારાસભ્યો પટેલ છે? જરા આંકડો કાઢી જુઓ એટલે આપોઆપ ખ્યાલ આવી જશે। ગુજરાતનાં રપ મંત્રીઓમાંથી આઠ મંત્રીઓ પટેલ છે! સૌથી વધુ ટિકિટો તેમને મળે છે, સત્તા તેમને મળે છે. ગુજરાતનાં 14માંથી ત્રણ મુખ્યમંત્રી પટેલ જ્ઞાતિનાં રહ્યાં છે. વેપારથી લઇ રાજકારણ સુધીના દરેક ક્ષેત્રોમાં પટેલોની બોલબાલા છે. પટેલોને જો અન્યાય થતો હોય તો શું આવી સ્થિતિ હોઇ શકે?

કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.



જ્ઞાતિની એકતાના નામે જાણે ઘેટાચરાને ઉત્તેજન અપાઇ રહ્યું હોય એમ લાગે છે. માતાજીના નામે થતા મેળાવડાઓનો ઉપયોગ અંગત મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા થઇ રહ્યો હોય એવું લાગે છે. આ સમય આવા મેળાવડાઓમાં જોડાઇ જવાનો નથી પણ જાગી જવાનો છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઇ અને આપણે જ્ઞાતિના નામે રક્તતૂલા જેવા ગતકડા જ કરી રહ્યાં છીએ. હા! કચડાયેલી અને પીડિત જ્ઞાતિઓનાં લોકો `એકતા'ની અને અન્યાયની વાતો કરે તો સમજી શકાય એમ છે. પણ વાણીયા, બ્રાહ્મણ, લોહાણા કે પટેલોને કોણ અન્યાય કરી શકવાનું છે? જ્યાં જ્ઞાન, ભણતર, સાહસ અને ઉદ્યમ હોય ત્યાં અન્યાય ટકી જ ના શકે. પટેલો પાસે અખૂટ રીસોર્સીસ છે, એશ્વર્ય છે, સત્તા છે. શું નરેશ પટેલ જેવા લોકો એવું ઇચ્છે છે કે, ગુજરાતનાં તમામ ધારાસભ્ય લેઉઆ પટેલ જ હોવા જોઇએ!

જ્ઞાતિના નામે દાદાગીરીનો આ ખેલ એક ખોટું ઉદાહરણ બેસાડી રહ્યો છે. નરેશ પટેલમાંથી દરેક જ્ઞાતિના-ગામના ઉતાર જેવાં લોકો વાહિયાત પ્રેરણા મેળવી રહ્યાં છે. બ્રહ્મ સેના કે એવી કોઈ સંસ્થા દ્વારા બ્રાહ્મણો માટે ટિકિટ મંગાઈ છે, પુરુષોત્તમ સોલંકી કહે છે કે, કોળીઓને ઓછામાં ઓછી ચાલીસ ટિકિટો આપો! આ તમામ વાતો વાહિયાત છે. અમે બ્રાહ્મણ અને જૈન છીએ  પરંતુ જ્ઞાતિના આધારે કે સંખ્યાના આધારે કોઈ બ્રાહ્મણને ટિકિટ મળતી હોય તો તેની સામે  અમારો સખ્ત વિરોધ છે.  થોડા સમય પહેલા કેટલાંક બ્રાહ્મણોએ સંજીવ ભટ્ટ અને હરેન પંડ્યાના નામે ઉપવાસ માંડ્યા હતાં અને `બ્રાહ્મણોને અન્યાય'ના વાજાં વગાડ્યા હતાં. શું સંજીવ ભટ્ટને કોઇ અન્યાય થયો છે? જો થયો જ હોય તો એ એટલા માટે થયો છે કે, તેઓ બ્રાહ્મણ છે? હરેન પંડ્યા બ્રાહ્મણ હતા એટલે તેમની હત્યા થઇ હતી શું? આવા તાયફાઓ સામાન્ય રીતે પોતાનો સ્વાર્થ સાધવા જ થતા હોય છે. અને આવા દરેક પ્રયાસ સામે અમારો વિરોધ છે. પછી એ પ્રયત્ય બ્રાહ્મણો દ્વારા થતો હોય કે કોઇ લોહાણા અગણી તરફથી થતો હોય કે પછી નરેશ પટેલ દ્વારા થતો હોય.

જ્ઞાતિના બની બેઠેલા અગ્રણીઓ એ વાત જાણી લે કે, જે-તે જ્ઞાતિ તેમની જાગિર નથી અને જ્ઞાતિજનો તેમના ગુલામ નથી. અઢાર વર્ષની વય પછી દરેક નાગરિકને પોતાની વિવેકબુદ્ધિ મુજબ મતદાન કરવાનો અધિકાર છે. તેમને જ્ઞાતિના મંચ પરથી કે ધાર્મિક મેળાવડાના સ્ટેજ પરથી સૂચનાઓ આપવામાં સાર નથી. `અન્યાય.... અન્યાય....'ના ગીતડા ગાતા નીકળેલા કેશુભાઇ પટેલ જેવા નેતાઓએ પણ સમાજનું ઓછું નુકસાન નથી કર્યુ. સૌપ્રથમ તો તેમણે સમાજ (લેઉઆ પટેલ સમાજ)ને અન્યાયના નામે સહાનૂભૂતિ ઉઘરાવવાની ચેષ્ઠા કરી. દાવ ઊંધો પડતા સમાજ (સમગ્ર સમાજ) ભયભીત હોવાનું કહ્યું. એમની દૃષ્ટિ લેઉઆ પટેલ સમાજથી શરૂ કરીને લેઉઆ પટેલ સમાજ પર જ ખતમ થઇ જાય છે. એમની અંગત રાજકીય પછડાટનો બદલો વાળવા હવે તેઓ જ્ઞાતિનો તલવાર-ઢાલ તરીકે રીતસર દુરૂપયોગ કરી રહ્યાં છે.

કોઇ જ રાજકીય પક્ષ સાથે અમારે સ્નાન સૂતકનો પણ વ્યવહાર નથી. ભાજપ હોય કે કોંગ્રેસ હોય... બધા જ પક્ષો જ્ઞાતિઓનો ઉપયોગ કરતા રહ્યાં છે. આ શિરસ્તા સામે દરેક જાગૃત નાગરિકનો ઉગ્ર વિરોધ હોવો જ જોઇએ. પણ સૌથી વધુ વિરોધ તો આ નવા શરૂ થયેલા ટ્રેન્ડ સામે છે-જેમાં જ્ઞાતિના બની બેઠેલા રખેવાળો જ જ્ઞાતિનો ઉપયોગ કરી જાય છે. આ ઘટનાઓ ભયાનક છે, સમાજને વેરણછેરણ કરનારી છે. અમને લાગે છે કે, આવી હરકતો સામે લાલબત્તી ધરવામાં માધ્યમો પણ ઉણાં ઉતરી રહ્યાં છે. નવી શરૂ થયેલી આ પ્રથાને અને આ મહાન કુવિચારને ઉગતો જ ડામી દેવા માટે માધ્યમોનું પ્રદાન અનિવાર્ય છે. માધ્યમો જો આવા દૂષણોને માઇલેજ આપવાનું બંધ કરે તો આપોઆપ તેઓ કદ મુજબ વેતરાઇ જશે. તેમનું કદ મીડિયાએ જ મોટું કર્યુ છે. મીડિયા ન હોય તો તેઓ કશું જ નથી.

જ્ઞાતિવાદ લગભગ દરેક જ્ઞાતિઓમાં વત્તાઓછા અંશે જોવા મળતો હોય છે. પરંતુ અહીં સૌથી વધુ ઉલ્લેખ નરેશ પટેલનો કરવો પડ્યો છે. કારણ કે, તેમણે છેલ્લાં થોડા વર્ષોમાં જ્ઞાતિના નામે ઉપાડો લીધો છે. એમની અંગત મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેઓ લેઉઆ પટેલ જ્ઞાતિનો નિસરણી તરીકે ઉપયોગ કરી રહ્યાં છે. દુઃખની વાત એ છે કે, પોતાનું કદ મોટું કરવા માટે તેઓ ખોડલધામને માધ્યમ બનાવી રહ્યાં છે.



અમારે કેટલીક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ વાતો કહેવી છેઃ


 જ્ઞાતિના નામે ટિકિટો માંગતા અને જ્ઞાતિને અન્યાય થવાનું ગાયન ગાતા દરેક લોકોને પ્રજા જ જાકારો આપે, પછી એ જ્ઞાતિ લેઉઆ-કડવા હોય કે બ્રાહ્મણો હોય કે લોહાણા હોય કે જૈન કે અન્ય કોઇ હોય.

 જ્ઞાતિનાં નામે વ઼્હીપ જારી કરતા લોકોને તંત્ર જ દંડ કરે, સાણસામાં લે અને પગલા ઉઠાવે તેવી અપીલ છે.

 બંધારણએ 18 વર્ષથી વધુના નાગરિકોને સ્વતંત્ર વિવેકબુદ્ધિથી મતદાનનો અધિકાર આપ્યો છે. લોકો જાતે જ નક્કી કરે કે તેઓ કોને મત આપવા માંગે છે. પોતાના જ્ઞાતિબંધુને જ મત આપવો જરૂરી નથી. સામેનો ઉમેદવાર સારો-સ્વચ્છ હોય તો તેને મત આપીએ.

 પ્રજા પણ જ્ઞાતિના નામે ભોળવાય નહિં. શાંત ચિત્તથી વિચાર કરે, સમાજને સ્પર્શતા વિવિધ મુદાઓ જેવા કે, માળખાગત સુવિધાઓ, ભ્રષ્ટાચાર, લાઇટ-પાણી-રોડ રસ્તાઓ, જાહેર આરોગ્ય, સલામતી, કાનૂન અને વ્યવસ્થા વગેરે બાબતે કઇ પાર્ટીનું શું પ્રદાન અને અભિગમ છે એ વિશે વિચારીને લોકો સ્વયં નિર્ણય લે કે તેઓ કોને મત આપવા માંગે છે.

 નરેશ પટેલને સણસણતો જવાબ આપવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, બાકીની તમામ જ્ઞાતિઓના વિવિધ મંડળો પોતાની જ્ઞાતિમાં એવો સંદેશ આપે કે, ``લોકો પોતાની વિવેકબુદ્ધિથી મતદાન કરે. જ્ઞાતિ જોઇને મત ન આપે.''

છેલ્લી પરંતુ બહુ જરૂરી સ્પષ્ટતાઃ

અમે  કોઇ ચળવળકાર નથી, કોઇ જ્ઞાતિનાં વિરોધી નથી અને કોઇનાં તરફદાર નથી. આ કોઇ ઝૂંબેશ નથી, આ માત્ર એક સંદેશ છે - અમારી લાગણી છે. મારા જેવાં કરોડો લોકો જે વિચારે છે તેને અમે આપ સુધી પહોંચાડ્યું છે. આ વિશે હવે પછી અમે  કોઇ કાર્યક્રમ નથી કરવાનો , સંમેલનોનો તો પ્રશ્ન જ નથી. કોઇ એક લેખ લખીને આ વાત પ્રજા સમક્ષ પહોંચે કે કેમ એ ખ્યાલ નથી પરંતુ સાવ એમ ને એમ બેસી રહેવા કરતા કૈંક કરવું બહેતર છે એમ માની આ લખ્યું છે! હમણાં જ ક્યાંક વાંચ્ય હતું:

"મંઝીલ મિલ હીં જાયેગી ભટકતે હીં સહી, 
ગુમરાહ તો વોહ હૈ જો ઘર સે નીકલે હીં નહિ !"

આ પ્રજાની લાગણી છે, આવું અમે જ વિચારીએ છીએ તેવું નથી. સમાજમાં આવા વિચારોનો વધુ પ્રચાર-પ્રસાર થાય એ જરૂરી છે અને એ માટે અમે  આપ સૌની મદદ માંગીએ છીએ. અમારે જે કહેવું હતું એ કહ્યું છે. હવેની જવાબદારી જાગૃત નાગરિકોની છે, સ્વૈચ્છિક સંસ્થાઓની છે.




-કિન્નર આચાર્ય                                           -નરેશ શાહ 

Saturday, June 16, 2012

APJ Abdul Kalam


અબ્દુલ કલામ આપણાં અણુ બોમ્બના

પિતામહ પણ નથી અને તેઓ 

રાષ્ટ્રપતિ તરીકે પણ સાવ કંગાળ હતા!





ભારતીય અણુબોમ્બના જનક અબ્દુલ કલામ નથી! કલામ વ્યવસાયે એરોનોટિકલ એન્જિનિયર છે, અણુવિજ્ઞાની નહીં. અને ૧૯૯૯ના અણુ પરિક્ષણનું શ્રેય વૈજ્ઞાનિક ચિદમ્બરમને મળવું જોઇએ !


થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે, ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


નજરે જોયેલી હકીકત છે: રાજકોટમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા તે સમયના રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામ આવવાના હતા. જ્યાં કાર્યક્રમ હતો એ સંસ્થા બાળકોને લગતી પ્રવૃત્તિ કરે છે। કલામ સાહેબ આવવાના હતા તેના બે મહિના પહેલા જ તૈયારીઓ શરુ થઇ ગઈ હતી. કાર્યક્રમ હતો બાળકો સાથેની પ્રશ્નોત્તરીનો. બે મહિના પહેલા જ  રાષ્ટ્રપતિ ભવને સંસ્થા પાસેથી બધા પ્રશ્નો મંગાવી લીધા. કલામ સાહેબને પસંદ ના હોય એવા પ્રશ્નો પર ચોકડી મારી અને જણાવી દેવાયું કે ક્યાં પ્રશ્નો પુછવા અને ક્યાં નહિ. સંસ્થાએ પછી એ પ્રશ્નોનું સિલેક્ટેડ બાળકો પાસર રિહર્સલ કરાવ્યું. અને રંગેચંગે આખો કાર્યક્રમ પત્યો. બાળકો સાથેના આ કહેવાતા સંવાદમાં ક્યાંય સંવાદ પણ નહોતો અને બાળકો પ્રત્યેનો પ્રેમ પણ નહોતો. બસ... આ જ કર્યું છે કલામ સાહેબે - જ્યારે તેઓ રાષ્ટ્રપતિ હતા. એમના કાર્યકાળમાં એમણે ક્યારેય, કોઈ બાબતે એવું સ્ટેન્ડ નથી લીધું કે, જેનાથી એમના પદની કે એમની ગરિમા વધે. સરવાળે તેઓ તળિયા વગરના અને અત્યંત સામાન્ય કક્ષાના રાષ્ટ્રપતિ જ પુરવાર થયા હતા. આ વખતની રાષ્ટ્રપતિપદના ઈલેક્શનનું ભૂત ફરી ધૂની રહ્યું છે અને એમાં કલામ પણ રેસમાં છે ત્યારે એ જાની લેવાની જરૂર છે કે, તેઓ અગાઉ પણ ખોટા સિક્કા સાબિત થઇ ચુક્યા છે. મૂળ તો એમની ફરતે રચાયેલી આભા જ કૃત્રિમ છે અને તેમના વિષે એટલા બધા ભરમ ફેલાયેલા છે કે, પ્રજાને એમના તરફથી કૈંક વધુ પડતી અપેક્ષા જ જાગે છે. થોડા સમય પહેલા જાણીતા અંગ્રેજી સામાયિક "ધ વીક"એ કલામ વિશેના ઘણા ભ્રમ ભાંગ્યા હતા. અહીંયા જે માહિતી છે તે એમાં જ પ્રકાશિત થઇ ચુકી છે. રાજકારણના અને લઘુમતીવાદના નામે આ દેશમાં કંઇપણ થઇ શકે છે. કોઇ ઝીરો બની જાય છે તો કોઇ હિરો. આપણાં વૈજ્ઞાનિક (અને પછીથી રાષ્ટ્રપતિ બનેલા) એ.પી.જે. અબ્દુલ કલામનું ઉદાહરણ લઇ લો. છેલ્લા દસ વર્ષથી એમને ભારતમાં ‘ન્યુકિલયર મેન’ અથવા તો પરમાણુ બોમ્બના જનક તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સત્ય એ છે કે ભારતીય પરમાણૂ બોમ્બના જનક તરીકે જેમને યશ મળવો જોઇએ એમને મળ્યો નથી!


વાત વિગતે જાણવી પડશે; વાસ્તવિકતા એ છે કે અબ્દુલ કલામ પાસે એરોનોટિકલ એન્જિનિયરિંગની ડિગ્રી છે અને તેમની સમગ્ર કારકીર્દિ દરમિયાન તેઓ રોકેટ એન્ડ મિસાઇલ સાયન્ટિસ્ટ રહ્યાં છે. એમણે કોઇ જ બોમ્બ બનાવ્યો નથી. એમણે માત્ર મિસાઇલ અને રોકેટ લોન્ચર બનાવ્યાં છે, જેનું કામ અણુબોમ્બના વાહનનું હોય છે. તો પછી અબ્દુલ કલામને અણુબોમ્બના જનક તરીકે ખપાવવાનું શા માટે શરૂ થયું, ક્યારથી અને કોણે શરૂ કર્યુ?


મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે,
 
રાજા રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે.
૧૯૯૭માં કલામને દેશનો સર્વોચ્ચ ખિતાબ ‘ભારત રત્ન’ અપાયો. તેઓ આ સન્માન મેળવનારા ભારતના માત્ર બીજા વૈજ્ઞાનિક હતા. તેમની પહેલા ભારતનાં એકમાત્ર વૈજ્ઞાનિકને ‘ભારત રત્ન’ મળ્યો હતો. એ હતા ડો. હોમી ભાભા. અને તેઓ અણુ વૈજ્ઞાનિક હતા! ભારતના અણુ કાર્યક્રમના તેઓ પિતામહ ગણાય છે. કલામને ‘ભારત રત્ન’ મળ્યો ત્યાં સુધીમાં તેઓ દેશમાં ઠીક ઠીક જાણીતા થઇ ગયા હતા કારણ કે એમના ‘અગ્ની’ અને ‘પૃથ્વી’ મિસાઇલના પરિક્ષણ સફળ રહ્યાં હતાં. જ્યારે આકાશ, ત્રિશૂલ અને નાગ જેવાં મિસાઇલો પર તેઓ કામ કરી રહ્યા હતાં. ડો. કલામ જેના અધ્યક્ષ હતા એ ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન’ (ડી.આર.ડી.ઓ.) એ સમયે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટથી લઇ મલ્ટિ બેરલ રોકેટ લોન્ચર જેવાં અનેક શસ્ત્રો વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હતી. એક બ્રિલિયન્ટ એન્જિનિયર તરીકે તેઓ આ પ્રોેજેક્ટની આગેવાની કરી રહ્યાં હતાં. અગાઉ તેઓ સતિષ ધવનના નેતૃત્વ તળે ‘ઇસરો’ માટે સેટેલાઇટ લોન્ચીંગના વાહનો બનાવી ચૂક્યા હતાં. મિસાઇલ એન્જિનિયરીંગ અને રોકેટ એન્જિનિયરીંગ એકબીજાને ખાસ્સી હદે મળતા આવે છે. પરંતુ અણુ વિજ્ઞાન સંપૂર્ણપણે અલગ બાબત છે. એક મિસાઇલ મેન તરીકે અણુ વિજ્ઞાનને લગતા આપણાં પ્રોજેક્ટમાં એમણે ભાગ્યે જ કશુંક કરવાનું રહેતું હતું. તેમનું કામ રોકેટનું અને મિસાઇલનું હતું, અણુ બોમ્બ બનાવવાનું નહીં.


વાત બહુ સ્પષ્ટ છેઃ જે લોકો એકિટવા ચલાવતા હોય તેને કાઇનેટીક હોન્ડા તો આવડે પણ ટ્રેકટર ચલાવવાનું એ સાવ અલગ જ બાબત છે. હજુ સુધી ભારતમાં બે જ વૈજ્ઞાનિક એવા થયા છે જે એકિટવા અને ટ્રેકટર બંને સાથે ચલાવી શકતા હતા! અર્થાત્ તેઓ અણુવિજ્ઞાન અને સ્પેસ ડિપાર્ટમેન્ટ એમ બેઉ મોરચે સક્રિય હતા. એક હતા વિક્રમ સારાભાઇ અને બીજા રાજા રામન્ના. આમાંથી રામન્ના તો એટોમિક એનર્જી કમિશન અને ડી.આર.ડી.ઓ. એ બેઉના અધ્યક્ષ હતા. ૧૯૭૪માં આપણે કરેલા અણુ પરિક્ષણ પાછળ પણ મુખ્ય દિમાગ રામન્નાનું હતું. સામાન્ય પ્રજા માટે રોકેટ સાયન્સ અને બોમ્બ વગેરે બધું એક જ છે. એમને ખ્યાલ નથી હોતો કે આ બધી બાબતો એકમેકથી તદ્દન ભિન્ન છે. મોટાભાગનાં વૈજ્ઞાનિકોનો અભિપ્રાય એવો છે કે રામન્ના જ ભારતનાં અણુ કાર્યક્રમના પિતામહ છે. ૧૯૭૪ના પરિક્ષણનો મોટાભાગનો યશ રામન્નાને જાય છે. જ્યારે એ પ્રોજેક્ટના સેકન્ડ લીડ રોલમાં આર. ચિદમ્બરમ્ હતા. ચિદમ્બરમે ૭૪નાં પરિક્ષણમાં ફિઝીક્સ વિભાગ સંભાળ્યો હતો.


હવે, વાત આવે છે ૧૯૯૯નાં અણુ પરિક્ષણની. આ પરિક્ષણ માટે ક્રેડિટ આપવામાં આવે છે કલામને. પરંતુ તથ્ય એ છે કે એ બોમ્બ એટોમિક એનર્જી કમિશનના તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો અને તેમને સાથ મળ્યો હતો ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અનિલ કાકોડકરનો.


ઘણાં લોકોને પ્રશ્ન થશે કે તો પછી કલામની ભૂમિકા શી હતી? વેલ, જે બોમ્બ ચિદમ્બરમે અને કાકોડકરએ વિકસાવ્યો હતો તેના પરિક્ષણ માટે રચાયેલી સમિતિમાં કલામ એક સભ્ય હતાં! અને ચિદમ્બરમ્કાકોડકરએ વિકસાવેલો બોમ્બ પછી કલામે ડેવલપ કરેલા મિસાઇલમાં ફીટ થવાનો હતો. કલામએ પોતે ક્યારેય એવો દાવો કર્યો નથી કે તેઓ ભારતીય અણુબોમ્બના જનક છે. પણ એ વાત વહેતી મુકનાર છેઃ મુલાયમ સિંહ યાદવ. થયું એવું કે ૧૯૯૯માં વાજપેયીના સત્તાકાળ દરમિયાન અણુ પરિક્ષણ કર્યા પછી ભાજપે તેનો યશ લેવાનું શરૂ કર્યુ ત્યારે મુલાયમે કહ્યું કે ‘ભાજપ ખોટો યશ લે છે, અણુબોમ્બ માટે કલામને ક્રેડિટ મળવી જોઇએ.’


તથ્ય એ છે કે, 1999નો બોમ્બ એટોમિક એનર્જી કમિશનના
તત્કાલિન અધ્યક્ષ ચિદમ્બરમે ડેવલપ કર્યો હતો 
મુલાયમે આવું નિવેદન કરી એક કાંકરે અનેક પક્ષી હણ્યાં હતાં. એક તો ભારત રત્ન મળવાને લીધે કલામ આખા દેશમાં જાણીતામાનીતા બન્યા હતા. બીજું, પોતાની આદત મુજબ તેમણે અહીં પણ લઘુમતી કાર્ડ ખેલ્યું હતું. કલામ જેવા માનનીય વૈજ્ઞાનિકના નામ સામે ભાજપ એમ કહે કે, ‘ના. આ તો અમારૂં સાહસ હતું’ તો દેશભરના સેક્યુલરિસ્ટો ભાજપને ધોઇ નાંખે અને મામલો એટલો ચગે કે હાથમાં જ ન રહે. અગાઉ મુલાયમ જ્યારે સંરક્ષણ મંત્રી હતા (૧૯૯૭) ત્યારે તેમણે કલામનું નામ ‘ભારત રત્ન’ માટે સૂચવ્યું હતું. આ વખતે પણ મુલાયમે કાઢેલા બેન્ડવાજામાં નાયડુ અને તેમનાં જેવા અનેક તકસાધુઓ જોડાઇ ગયા. થોડા સમયમાં જ ચંદ્રાબાબુએ રાષ્ટ્રપતિપદ માટે કલામનું નામ સૂચવ્યું. ટૂંકમાં કહીએ તો દેશના ગંદા રાજકારણે કલામને અણુ બોમ્બના જનક પણ બનાવી દીધા અને રાષ્ટ્રપતિ પણ. લોકોને હતું કે રાષ્ટ્રપતિ તરીકે તેઓ સારૂં કામ કરશે પરંતુ એમાં પણ તેમણે બાળકોને મળીને પ્રશ્નો (અને એ પણ અગાઉથી એપ્રુવ્ડ કરેલા હોય તેવાં જ. અણધાર્યા નહીં!) ના જવાબ આપવા સિવાય ભાગ્યે જ કશુંક કર્યુ. એક રોકેટ અને મિસાઇલ સાયન્ટિસ્ટ તરીકે એમની સિદ્ધિઓ વિશે શંકા નથી પરંતુ એનો અર્થ એ નથી કે બીજાની સિદ્ધિઓ પણ એમના નામે ચડાવી દેવી અને અન્યોના હિસ્સાના માનસન્માન પણ એમને આપી દેવા.


*  "અકિલા'માં પ્રકાશિત 

Tuesday, February 28, 2012

ગાંધીજી, ગોધરા અને કોમી રમખાણો................................. હુલ્લડોનો ઇતિહાસ છે ૮૦ વર્ષ જૂનો!

ગોધરા કાંડની વરસી હજુ ગઈકાલે જ હતી. તે નિમિતે આ શહેરના રકતરંજીત ઇતિહાસને જાણવાથી ઘણી બાબતો સ્પષ્ટ થશે. ગોધરા-અનુગોધરા માટે ગુજરાતીઓને ભાંડતા લોકોને ખ્યાલ હોવો જોઇએ કે અગાઉ પણ અહીં એક વખત છ મહિના માટે અને ત્યારબાદ એક વર્ષ માટે કરફયુ લાગી ચૂકયો છે. ૧૯ર૭માં સ્થાનિક હિન્દુ અગ્રણી પુરૂષોત્તમ શાહની હત્યાથી શરૂ થયેલા આ દૌરની અંતિમ કડી સાબરમતિ એકસપ્રેસનો હત્યાકાંડ હતી...




ગોધરામાં થયેલા પેલા સુનિયોજિત ક્રુર હત્યાકાંડની વરસી નિમિત્તે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય માધ્યમો પર હૂલ્લડગ્રસ્ત મુસ્લીમ પરિવારોની આપવિતી રાતદિવસ દર્શાવવામાં આવી રહી છે. તેમાંની કેટલીક ઘટનાઓ ખરેખર ધૃજાવી દે તેવી છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે, ગોધરાકાંડની વરસીના દહાડે ગોધરાકાંડના પિડીતોને ભૂલી જવાય છે, પણ પોસ્ટ ગોધરા (કર્મશીલો તેને ‘અનુગોધરા’ કહે છે) રાયોટસને સંભારવાનું દિવસો અગાઉ શરૂ થઇ ગયું છે. નરોડા પાટીયા હત્યાકાંડના અસરગ્રસ્તોના તથા ગુલબર્ગના હતભાગીઓના અગણિત ઇન્ટરવ્યુ દરેક ચેનલોમાં આવે છે પરંતુ આ અપરમા-કપરમા દહાડે એકપણ કારસેવકના પરિવારના કોઇ સભ્યનો ચહેરો પણ ટેલીવીઝન પર જોવા મળ્યો નથી. એસ. સિકસના ડબ્બામાં ભુંજાઇ ગયેલા નિર્દોષ લોકોના પરિવારો શું કોઇ જ તકલિફોમાંથી પસાર નહિ થયા હોય? શું એમને આઘાત-નુકસાન નહિ પહોંચ્યા હોય ?

ગોધરા કાંડની દરેક વરસી સમયે આવી અનેક બાબતોનો અહેસાસ થાય છે, આવા અનેક સવાલો સર્જાય છે. વાસ્તવિકતા એ છે કે, ગોધરા સાથે આવા સવાલો દાયકાઓથી વિંટળાયેલા છે.  આજે કર્મશીલો અને સેકયુલરિસ્ટો તથા ટીવીની ન્યુઝ ચેનલોના પત્રકારો જે રીતે ઘટનાનું એકતરફી પાસું રજુ કરી રહ્યા છે એવું અગાઉ પણ બની ચુકયું છે. અને અગાઉ આવું કરનારા બીજા કોઇ નહિં, ખુદ મહાત્મા ગાંધી હતાં.

કોમી હુલ્લડો એ ગોધરા માટે કોઇ નવી બાબત નથી. અહીં હિન્દુમુસ્લીમો વચ્ચે અનેક વખત હિંસક હૂલ્લડો થઇ ચૂકયા છે. જે વિગતો વિવિધ માધ્યમો દ્વારા ઉપલબ્ધ છે. તેનાં પરથી સાબિત થાય છે કે, અહીં મોટાભાગે હિન્દુઓના હિસ્સે સહન કરવાનું આવ્યું છે. મુસ્લીમોને સમર્પિત પ્રથમ હરોળની વેબસાઇટ  પર પણ મુકાયેલા લેખમાં ગોધરાની કોમી હિંસા અંગે જે ઇતિહાસ અપાયો છે તેમાં પણ હિન્દુઓને ભોગવવી પડેલી આ પીડા પડઘાય છે. ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે છે કે, આ અશાંતિના બીજ છેક ૧૯ર૭  માં રોપાયા હતાં. સ્થાનિક હિન્દુ અગ્રણી પુરુષોત્તમ શાહની મુસ્લીમોએ હત્યા કરી અને ધમાલ શરૂ થઇ. ગાંધીજીએ ‘નવજીવનમાં એક લેખ લખ્યો, જેનું શિર્ષક હતું:  ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ ઝઘડાઓ’ ગાંધીજીના આ લેખ સામે હિન્દુઓએ જબરદસ્ત વાંધો નોંધાવ્યો. કારણ કે, તેમનાં મતે એ હુમલો કે એ બનાવ હુલ્લડ ન ગણી શકાય, હુલ્લડોમાં બે જૂથો એકમેક સાથે લડતા હોય છે, સ્થાનિક લોકોના મતે આ અથડામણો એકતરફી હતી, હિન્દુઓએ તો માત્ર અત્યાચાર વેઠવાનું જ બન્યું હતું.’ વિરોધ  એટલો પ્રબળ બન્યો કે, ગાંધીજીએ આ વિવાદ અંગે ‘યંગ ઇન્ડિયા’ (ઓકટોબર ૧૧, ૧૯ર૮)માં એક લેખ લખી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો પડયો. એ લેખમાં તેમણે લખ્યું:



‘બે અઠવાડીયા પહેલા ‘નવજીવન’ માં મે ગોધરાના દુઃખદ બનાવો વિશે એક નોંધ લખી હતી. જયાં શ્રી પુરૂષોતમ શાહ બહાદુરીપૂર્વક મોતને ભેંટયા હતાં. જેનું મથાળું મેં ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ રમખાણ’, એવું કયું હતું અનેક હિન્દુઓને આ ગમ્યું નથી અને તેમણે ગુસ્સે થઇ મને આ ભુલ સુધારવા પત્રો લખ્યા છે. હું તેમની માંગ પૂરી કરી શકુ તેમ નથી. એ ઘટનામાં કોઇ એક વ્યકિત જ પિડીત હોય તો પણ તેમાં બે કોમ વચ્ચે ખુલ્લેઆમ રમખાણ હોય કે પછી એક કોમ દ્વારા જ હુમલાઓ હોય અને બીજી કોમએ સહન કરવાનું જ બન્યું હોય, તો પણ જો એ બનાવ બે કોમ વચ્ચેના કુસંપના પરિણામે નિપજયો હોય તો માટે તેને રમખાણ જ ગણાવવા રહયાં. સદ્દભાગ્યે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ હુલ્લડોનો આ રોગ પ્રસર્યો નથી, નગરો અને શહેરો પુરતો જ મર્યાદિત રહ્યો છે. મને જેણે પત્રો લખી વિરોધ નોંધાવ્યો છે તેમણે પણ એક વાત કબુલ કરી છે કે, આ હુલ્લડો બે કોમ વચ્ચેના કુસંપના કારણે નિપજયા છે. મને લખનાર લોકોનો વાંધો માત્ર હેડિંગ સામે હોત તો મારે આ લેખ લખવાનો રહેતો નહોતો. પરંતુ મને મળેલા અન્ય પત્રોમાં બીજી પણ કેટલીક વિગતો છે. અમદાવાદથી ગોધરા ગયેલા એક સ્વયંસેવકએ મને લખ્યું છે કે, ‘તમે કહ્યું કે, તમારે આ બાબતે ચુપ રહેવું જોઇએ. તો તમે ખિલાફત અંગે શા માટે ખામોશ રહેતા નથી?’ અમને મુસ્લીમોનો સાથ આપવાનું શા માટે કહો છો? તમે તમારા અહિંસાના સિધ્ધાંતો અંગે શા માટે ચૂપ રહેતા નથી? જયારે આવી અથડામણો થાય ત્યારે ચુપકીદી સેવવાનું તમારું વલણ કેવી રીતે તમે વાજબી ઠેરવાશો? બે કોમ એકમેકના ગળા વાઢવા તત્પર હોય, હિન્દુઓનો કોઇ અણૂઓની માફક ભૂકકો કરી દેવાતો હોય, અહિંસાની વાત જ કયાં આવે છે?’

મહાત્મા ગાંધીને આવા આકરાં પ્રશ્નો પુછી, પત્રલેખક તેમનું ધ્યાન બે બાબતે દોરે છે. યાદ રહે, આ તમામ વાતોનો ખુલાસો ખુદ ગાંધીજી કરે છે. પત્રમાં પેલા ભાઇ લેખે છેઃ

‘એક હિન્દુ દુકાનદાર મારી સમક્ષ ફરિયાદ કરે છે કે, મુસલમાનો તેમની પાસેથી ચોખાની ગૂણી ખરીદે છે પરંતુ અનેક વખત એવું બને છે કે, તેઓ પૈસા ચુકવતા નથી. હું પૈસા માટે દબાણ કરી શકતો નથી કારણે કે, એવું કરું તો મારી વખારો લૂંટાઇ જાય! તેથી જ મારે દર મહિને તેમને પ૦ થી ૭૦ ગુણી ચોખા મફતમાં આપી દેવા પડે છે!’
‘બીજી ફરીયાદ :   મુસલમાનો અમારા ઘેર ધસી આવે છે, અમારી હાજરીમાં અમારી સ્ત્રીઓનું અપમાન કરે છે, અમારે ખામોશ થઇ બેઠા રહેવું પડે છે. જો અમે વિરોધ કરીએ તો આવી જ બન્યું સમજો. અમે તો ફરિયાદ પણ કરી શકતા નથી!’
આટલું લખ્યા પછી પત્રલેખક ગાંધીજીને પૂછે છે: ‘આવા કિસ્સાઓમાં તમે શી સલાહ આપશો? તમારી અહિંસા અહીં કેવી ભૂમિકા ભજવી શકે ? કે અહીં પણ તમે ચૂપ રહેવાનું પસંદ કરશો?’

 ગાંધીજી લખે છે :  ‘આ અને આવા અનેક પ્રશ્નો મને પૂછવામાં આવે છે. પુનરોકિતના ડર સાથે પણ હું કેટલીક વાતો કહેવા માંગુ છું: અહિંસા એ ડરપોકકાયરનો માર્ગ નથી. એ મોતને ભેંટવા પણ તૈયાર શૂરવિરોનો પંથ છે.  જે લોકો હાથમાં તલવાર ઝીલે છે એ તો બહાદુર છે જ. પણ એક આંગળી પણ નહિં ઉઠાવનાર સવાયો શૂરવિર છે ! પરંતુ મારના ડરથી પોતાની ચોખાની થેલીઓ આપી દેનાર તો ડરપોક જ ગણાય, તે અહિંસાનો સમર્થક ન ગણાય. જે લોકો મારથી ડરે, પોતાના બૈરાછોકરાઓ અને મિલકતોનું રક્ષણ ન કરી શકે એ મર્દ નથી, કાયર છે. તેને કોઇના પિતા, ભાઇ કે પતિ બનવાનો હકક નથી.’
ગાંધીએ તો ગોધરાના માત્ર એકલદોકલ બનાવો અંગે લખ્યું હતું. હકીકત એ છે કે, ગોધરાનો ઇતિહાસ આવા અનેક બનાવો થકી ખરડાયેલો છે. સાબરમતિ એકસપ્રેસનો બનાવ તો આ શરમજનક સિલસિલાની એક કડી માત્ર હતો. મેગેઝિન ‘રાષ્ટ્રીય સહારા’ અને ‘વિશ્વ સંવાદ કેન્દ્ર’એ ગોધરાના રકતરંજીત ઇતિહાસ અંગે અહેવાલો લખ્યા છે જે મુજબ ૧૯ર૭થી આજ લગીમાં ગોધરા અનેક વખત સળગી ચૂકયું છે. આ લેખની મોટાભાગની વિગતો, એ બેઉ અહેવાલોમાંથી મેળવવામાં આવી છે. ગોધરાકાંડ બદલ ગુજરાત આખાને ભાંડતા લોકોએ યાદ રાખવું જોઇએ કે ગોધરામાં અગાઉ એક વખત છ મહિના સુધી અને ત્યારબાદ એક વર્ષ સુધી કરફયુ લાગી ચૂકયો છે ! અહીંના કેટલાંક લઘુમતિઓનું પાકિસ્તાન કનેકશન એકાધિક વખત પુરવાર થઇ ચૂકયું છે. હત્યાકાંડોના આ બનાવો પર એક નજર નાંખવા જેવું છે.
૧૯ર૭-ર૮ :  સ્થાનિક હિન્દુ અગ્રણી પી.એમ. શાહની મુસ્લિમો દ્વારા હત્યા.

૧૯૪૬ :  એક પારસી સોલાપુરી ફોજદાર પર હુલ્લડો દરમિયાન હુમલો કરવા બદલ પાકિસ્તાન તરફી મુસ્લિમ નેતા સદવા હાજી અને ચુડિગરને જવાબદાર ઠેરવાયા. ભાગલા બાદ ચુડિગર પાકિસ્તાન જતા રહ્યાં.

૧૯૪૮ :  સદવા હાજીએ કાવત્રુ ઘડી જિલ્લા કલેકટર પિમ્પુટકર જીવલેણ ગણાય તેવો હુમલો કરાવ્યો. જો કે, કલેકટરના બોડીગાર્ડએ પોતાનાં પ્રાણની આહૂતિ આપી, કલેકટરના પ્રાણ બચાવી લીધા. ઘટના પછી સદવા હાજી પણ પાકિસ્તાન સ્થાયી થઇ ગયો.

૧૯૪૮ :  તારીખ ર૪ માર્ચ૧૯૪૮ના દિવસે શહેરના જહુરપુર વિસ્તારમાં બે હિન્દુઓને છૂરા હૂલાવી તેમની હત્યા કરી નાંખી. શહેરના અનેક હિન્દુ મંદિરો ઉપરાંત હિન્દુઓના બે હજાર મકાનો સળગાવી દેવાયા. જિલ્લા કલેકટર પિમ્પુટકરએ અથાક પ્રયત્નો કરી હિન્દુઓની બાકીની મિલકતો બચાવી. પરિસ્થિતિ કાબુમાં લાવવા તેમણે શહેરમાં કરફયુ લાદયો, જે છ મહિના સુધી લંબાવાયો.

૧૯૬પ :   પોલીસ ચોકી નં. ૭ નજીક આવેલી હિન્દુઓની દુકાન પર નજીકમાં રહેતા મુસ્લિમોના ઘરમાંથી સળગતા કાકડા ફેંકવામાં આવ્યા અને દુકાનો સળગી ગઇ. અહેવાલો એવા આવ્યા કે, તોફાની તત્વોને સ્થાનિક કોંગ્રેસીલઘુમતિ ધારાસભ્યનો ટેકો હતો. પોલીસ ચોકી નં. ૭ ના પોલીસ ઇન્સ્પેકટર પર મુસ્લિમ સમાજના અસામાજીક તત્વોએ સરેઆમ હૂમલો કર્યો.

૧૯૮૦: શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં અસ્સલ આ જ પ્રકારનો હુમલો થયો. મુસ્લિમોમાંથી કેટલાંક અસામાજિક તત્વોએ ધમાલ શરૂ કરી અને પાંચ તથા સાત વર્ષના એક બાળક સાથે કુલ પાંચ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા. શીખોના એક ગુરૂદ્વારાને પણ આગ ચાંપી દેવામાં આવી. હિન્દુઓની ચાલીસ દુકાનો બાળી નંખાઇ. પરિસ્થિતિ થાળે પાડવા કરફયુ લદાયો જે એક વર્ષ સુધી અમલમાં રહ્યો.!

૧૯૯૦ :  ર૦ નવેમ્બરના દિવસે અહીંના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલા મદેરસામાંં ચાર શિક્ષકશિક્ષિકાઓને જીવતા સળગાવી દેવાયા. એક હિન્દુ દરજીને ખુલ્લેઆમ છરી ભોંકી દેવાઇ. લઘુમતિ એવા સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય સામે આંગળી ચિંધાઇ.

૧૯૯ર :  હિન્દુઓના એકસો કરતાં વધુ મકાનો સળગાવી દેવાયા. રેલવે સ્ટેશન નજીકનો આ આખો વિસ્તાર હિન્દુઓ છોડી ગયા. 

ર૦૦રઃ સાબરમતિ એકસપ્રેસનો એસ૬ ડબ્બો સળગાવાયો અને પાંચ ડઝન જેટલાં હિન્દુઓ જીવતા ભુંજાયા. જેના પગલે આખું ગુજરાત સળગી ઉઠયું.
------------------------------------------------
------------------------------------------------

 સવાલ એ છે કે, ગોધરાના કાળા ઇતિહાસને જાણ્યા પછી પણ બિનસાંપ્રદાયિકો એવો દાવો કરશે કે, એસ-૬ ડબ્બાને ચાંપવામાં આવેલી આગ એ કોઇ પૂર્વનિયોજિત કાવતરૂ નહોતું પણ ક્ષણિક આવેગ-આવેશમાં થયેલું કૃત્ય હતું ?

*"અકિલા"માં પ્રકાશિત 

Saturday, September 24, 2011

ચીદુ, સિબ્બુ અને તિવારી સાથેની એ ખાનગી બેઠક: મેડમ પેલા સ્વામી પર કેઈસ કેમ કરતા નથી?




લઘુકથા 

સુબ્રમણ્યન  સ્વામી અને બીજા વિરોધીઓના આક્ષેપોનો જવાબ આપવા મેડમએ એક વખત ચીદુ, સીબ્બુ અને તિવારી જેવા ધુરંધર વકીલોને બોલાવ્યા. 

બધા કોંગ્રેસી વકીલોને ભેગા કરી મેડમ એ કહ્યું:
"સાંભા.. કાલીયા જેવા મારા વફાદાર સાથીઓ... મારી ઉપર અને મારા નિર્દોષ - અલ્પમતિ બાબા પર જોરદાર પ્રહારો થઇ રહ્યા છે! અરે! આ લોકો મારા 'રામા'ને પણ છોડતા નથી! તમે જ કહો, એનો શો વાંક! એ તો મારી આજ્ઞાઓનું અક્ષરશ: પાલન કરે છે. તમે જાણો છો, એને તો સ્વતંત્ર દિમાગ જ નથી.. આપણી ગિરોહ પર આ કુઠારાઘાત છે! સાગરીતો! હું ઈચ્છું છું કે, તમે બદનક્ષીનો એક એવો લોઢા જેવો કેઈસ તૈયાર કરો કે વિરોધીઓની સાન ઠેકાણે આવી જાય!"

બધા દિગ્ગજો નીચી મુંડી ઘાલી વિચાર કરવા લાગ્યા... કોઈ કશું જ બોલતું નહોતું...

મેડમએ ચીસ પાડી:
"નમકહરામો! ટુ-જી થી લઇ કોમનવેલ્થ સુધીની બાબતોમાં બધા ખાઈ-પી ને ખદડા થયા છો... નાલાયકો, તમને મેં ઉની આંચ આવવા દીધી નથી. હવે ઋણ ચુકવવાની વાત આવી ત્યારે મૂંગા માર્યા છો!" 

સીબ્બુએ કહ્યું:
"મેડમ, તમે તો એવી વાત કરો છો જાણે તમને તમારો કટ મળ્યો જ ના હોય!"

"નાલાયક! તારી પાસે જીભડી ક્યાંથી આવી ગઈ! ખ્યાલ નથી કે, આંતરિક લોકશાહી એટલે શું! લોકશાહીમાં તમારી ફરજ અને અધિકાર માત્ર સાંભળવાનો છે, કંઈ બોલશો તો એ લોકશાહીનું અપમાન ગણાશે!"  મેડમ બરાડ્યા. 

મેડમને ગરમી પકડી ગયેલા જોઈ સીબ્બુ અને ચીદુએ તિવારીને ઈશારો કર્યો અને તેને મેડમને મનાવવા સંકેત આપ્યો. તિવારીએ તેમને ટાઢા પાડવા પ્રયત્ન કર્યો ને કહ્યું: 
"મેડમ! બદનક્ષી અને માનહાનીનો દાવો તો કાલે કરી દઈએ! પરંતુ જજ સાહેબ જો એમ કહે કે, 'પહેલા પુરવાર કરો કે તમારી પાસે આબરૂ, માન અને ઈજ્જત છે!' તો શું કરીશું!"

મેડમનો ચહેરો ઝંખવાણો પડી ગયો. તેઓ બોલ્યા:
"તો મોઢામાંથી આ બધું વહેલા ફાટો ને! જાઓ! જેને જે બોલવું હોય તે બોલવા દો! લોકશાહીમાં સૌને પોતાનો અભિપ્રાય આપવાનો અધિકાર છે!"

Saturday, September 17, 2011

નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલા યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ!


નરેન્દ્ર મોદીએ લખેલું પુસ્તક, "જ્યોતિપુંજ" અનેક દ્રષ્ટિએ અનોખું છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે, એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘર-પરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. આજે સંઘના ઘણાં લોકો હળાહળ મુડીવાદી બની ગયા છે પરંતુ કેટલાક લોકોએ જાત ઘસી, પોતાના પરસેવાથી, પર સેવાથી અને લોહી બાળી આ વડલો ઉછેર્યો છે. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.મોદી આજકાલ ચર્ચામાં છે ત્યારે આ પુસ્તકનો થોડો આસ્વાદ માણીએ... 

વર્ષો પહેલાની વાત છે. ગુજરાતના આદિવાસી વિસ્તાર સાબરકાંઠામાં સંઘનો એક અદનો સેવક સેવાની નેમ સાથે પહોંચે છે. ઈડર તથા હિંમતનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેટવર્ક ગોઠવવાની જવાબદારી તેને આપવામાં આવી હતી. ભરજુવાનીમાં જ્યારે સામાન્ય લોકોને કરિયર બનાવવાના કે જલ્દીથી સેટલ થવાના વિચારો આવતા હોય ત્યારે પરોપકારના કામ માટે યુવાનીના કિંમતી વર્ષોની આહુતિ આપી દેવા માટે એક વિશિષ્ટ સ્પીરીટની જરૂર હોય છે. હૃદયમાં જો લોકો માટે કંઈક કરી છૂટવાની નિઃસ્વાર્થ ભાવના હોય અને એ લાગણીને લક્ષ્ય સુધી પહોંચાડવાનું મનોબળ હોય તો જ આવું શક્ય બને. સંઘનો પાયો જ આવા સિદ્ધાંતો પર રચાયો હતો. ઘરપરિવારને ક્યાંય પાછળ છોડી સમગ્રા સમાજ માટે કંઈ કરી છૂટવાની કોઈ અદમ્ય ઝંખના પર નિર્માણ થયું હતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અને સંઘના આ સંસ્કારો પેલા યુવાનની રગરગમાં જાણે રક્તકણોની માફક દોડતા હતા. એટલે જ આ યુવાન કાર્યકર સંઘના સિદ્ધાંતોનો ફેલાવો કરવા ક્યારેક હિમતનગરમાં સંઘની શાખા લગાવે. મહેનત કરી, લોકોને સંઘની મહત્તા સમજાવી થોડા બાળકોને શાખામાં ખેંચી લાવે. ક્યારેક ત્યાંથી ઈડર જવાનું હોય, બસમાં જવાના પૈસા ન હોય, પણ ત્યાં હિન્દી ફિલ્મોમાં જેમ કહેવાતું હોય છે કે ઉડાને હોંસલો સે હોતી હૈ, પંખ સે નહીં ! એમ આ યુવાન સેવક ૨૮ કિલોમીટરનો ઊંવાસ પગપાળા કાપે. ક્યારેક દોડીને તો ક્યારેક ચાલીને. એકાંતરે તેને આવું અવશ્ય કરવું પડતું. જ્યાં બસ ભાડાના પૈસા ન હોય ત્યાં હોટેલ કે ધર્મશાળામાં રહેવાનું તો સદભાગ્ય ક્યાંથી હોય ? ઈડરની કાળમીંઢ ભેખડો જ તેનું નિવાસસ્થાન બની રહેતું. વિશાળ પથ્થરોમાંથી બનેલી કુદરતી ગુફાઓમાં તેનો રાતવાસો હોય. ભોજન પણ લકઝરી ગણાતું. બજારમાંથી બાજરાનો લોટ લાવી તેને પાણીમાં પલાળી, ગટગટાવી જવાનો. મહિનાઓ સુધી આવી તપશ્ચર્યા કરી. ત્યાંથી આ યુવાનને પછી નડિયાદ જવાનું થયું. મિશન એ જ હતું: સંઘકાર્ય.

સંતરામ મંદિરમાં રહેવા માટે એક નાની ઓરડી મળી ગઈ હતી. શાખામાં આવનારા એકબે સ્વયંસેવકો શાકભાજીનો વ્યવસાય કરતા. તેઓ અવારનવાર પેલા યુવાનને કાચા શાકભાજી આપી જાય. એમને ખ્યાલ ન હતો કે એ યુવાન પાસે શાકભાજી સાથે ખાવા માટે રોટલી-રોટલાની વ્યવસ્થા હતી જ નહીં.
ઉપર આપણે જેમના વિશે વાત કરી એ વ્યક્તિ એટલે સંઘના કર્મનિષ્ઠ સેવક વસંતરાવ ચીપલોણકર. અને આ પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે નરેન્દ્ર મોદી લિખીત અનોખા પુસ્તક ‘જ્યોતિપુંજ’માં. પુસ્તકનું વિમોચન  થયું ત્યારે મિત્ર-લેખક જય વસાવડાએ તેના વિમોચન સમારોહમાં પુસ્તક વિશે સરસ વાતો કરી હતી. નરેન્દ્ર મોદીના આ પુસ્તક માટે તેમણે કહ્યું કે, ‘‘આ પુસ્તકને પ્રચાર પુસ્તક નહીં પણ વિચાર પુસ્તક કહી શકાય. પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ જેમના વિશે વાત કરી છે એ સંઘના નેતાઓને તેમણે વાજબી રીતે જ વૈષ્ણવજનો કહ્યા. તેમણે કહેલી સૌથી મહત્વની વાત: આ પુસ્તક નરેન્દ્ર મોદીએ છાતીમાં ભરેલાં યાદગાર ટહુકાઓનો દસ્તાવેજ છે.’’
છેલ્લી વાત બહુ મહત્વની છે. મોર જ્યારે ટહુકા કરતો હોય ત્યારે એ ગેલમાં હોય છે. પોતાના સૌંદર્યથી બિલ્કુલ અજાણ. આ પુસ્તક વાંચીએ ત્યારે લાગે કે તેના લેખક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નથી પરંતુ સંઘસેવક નરેન્દ્ર મોદી છે. ‘હું’પણાનો ક્યાંય છાંટો પણ દેખાય નહીં. બિલ્કુલ ડાઉન ટુ અર્થ રહીને લખાયેલા આ પુસ્તકમાં સંઘસેવક તરીકે તેમની દીર્ઘ યાત્રાના કેટલાક યાદગાર અનુભવો છવાયેલા છે. વિશિષ્ટ વાત એ છે કે સંઘના આ અગ્રણીઓની રસપ્રદ વાતો અત્યંત સરળ ભાષામાં લખાયેલી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અત્યારનું મેગા સ્વરૂપ જોઈને આજની પેઢીને આશ્ચર્ય થાય છે. પણ આ આખુ માળખુ રચવા પાછળ કેટકેટલા લોકોનો પસીનો પડ્યો છે, કેટલા ત્યાગબલિદાન અપાયા છે તેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. સંઘના સ્વયંસેવકો મોટાભાગે લો-પ્રોફાઈલ રહેતા હોય છે. એટલે તેમના પરિશ્રમની ગૌરવગાથાઓ છપાતી નથી. રાજકીય પાંખ ભાજપમાં આવેલા સંઘના લોકોને પદપ્રતિષ્ઠા મળી જાય છે. પરંતુ ઘરપરિવારથી દૂર રહીને જાત નીચોવી નાંખનાર અસલ હિરોના ગુણગાન કોઈ ગાતું નથી. અહીંયા નરેન્દ્ર મોદીએ આર.એસ.એસ.ના કેટલાક એવા જ દિગ્ગજ લોકોને સલામી આપી છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં જ તેઓ લખે છે: ‘‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે મને આ પરંપરામાં સંસ્કાર મેળવવાનું સૌભાગ્ય મળ્યું છે. વ્યક્તિગત રીતે મારી પોતાની ક્ષમતાને અભાવે તે સંસ્કાર ગ્રહણ કરવામાં મારી ઉણપ રહી હોય... ઘણું બધું ખૂટતું પણ હોય... પરંતુ મારી પાસે જે ઉત્તમ છે તેમાં આ સંસ્કાર સરિતાના આચમનનું ઘણું ઉંચુ મહત્ત્વ છે.
મારી આ સંસ્કારયાત્રા દરમિયાન દુનિયાને નજરે તદ્દન નાના, છતાંય ઘણાં ઊંચા જીવનોની નિકટ આવવાનો અવસર મળ્યો. તેમનો પ્રેમ, તેમની હૂંફ મારી સંસ્કારયાત્રાના પ્રેરકબળ રહ્યાં. આ જીવનોની યાદી ઘણી લાંબી છે. પરંતુ ઉપલબ્ધ સમય મર્યાદામાં કેટલાકનું પુણ્યસ્મરણ કરવાનું શક્ય બન્યું છે.
કશાંયની અપેક્ષા વગર જીવન ખપાવી દેવાની આ ઉજ્જવળ પરંપરા વિષે સમાજમાં બહુ ઓછાને ખબર છે.’



’‘જ્યોતિપુંજ’માં નરેન્દ્ર મોદીએ સંઘના પાયામાં રહેલાં કેટલાંક વ્યક્તિત્ત્વો વિષે માંડીને વાત કરી છે. કેશવરામ હેડગેવારથી લઈ પપ્પાજી તરીકે ઓળખાતા પી. વી. દોશી તથા કે. કા. શાસ્ત્રી, લક્ષ્મણરાવ ઈનામદાર, મધુરમ્ મધુકર, અનંતરાવ કાળે, ડૉ. વનીકર, બચુભાઈ ભગત, વિનોદી તળવલકર જેવા લગભગ ૧૬ મહાનુભાવોને તેમણે પુસ્તકમાં શાબ્દિક સલામ આપી છે. આમ તો આ પુસ્તકમાં દરેક પાને કેટલીક યાદગાર વાતો છે, રસપ્રદ પ્રસંગો છે. પરંતુ કેટલીક વાતો ઝડપથી ઉડીને આંખે વળગે છે. કે. કા. શાસ્ત્રી વિષે તેઓ પુસ્તકમાં લખે છે: ‘‘તેઓ જેમ મારા  પ્રત્યે પિતાતુલ્ય વાત્સલ્ય ધરાવતા હતા તેવી રીતે કયારેય મારે તેમની સાથે પુત્રની જેમ મીઠો ઝઘડો પણ થયેલો. આવો એક પ્રસંગ ખુબ રસપ્રદ છે. શાસ્ત્રીજીની વય વધતી જતી હતી છતાં તેઓ સાઈકલ છોડતા નહોતા. અમે ખૂબ વિચાર કર્યો, કોઈ યુક્તિ ફાવવા દેતા નહોતા. ૮૫ વર્ષની વયે પણ તેઓ ભો. જે. વિદ્યાભવન સાઈકલ ચલાવીને જતા હતા. એવામાં એક વાર ક્રોસીંગ પાસે શાસ્ત્રીજીની સાઈકલને અકસ્માત થયો અને ફ્રેક્ચર થયું. બસ, આ પ્રસંગનો મોકો લઈને મેં પુત્રવત્ અધિકારથી કહ્યું કે હવે સાઈકલનું હેન્ડલ પણ ભાંગી ગયું તેમ સમજજો અને તેમની સાઈકલ બંધ કરાવવાની બધાંની ઈચ્છા પુરી થઈ.
અક્ષરના આરાધકે જ્ઞાનની શક્તિ વડે જ જાણે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી લોધો હશે. એકવીસમી સદીને જ્ઞાનની સદી માનવામાં આવે છે. માહિતીનો વિસ્ફોટ થઈ રહ્યો છે. શાસ્ત્રીજીએ દાયકાઓના દાયકા સુધી જ્ઞાનની ઉપાસના કરી, એકએક શબ્દને ઓળખ્યો, માણ્યો અને અનુભવ્યો તેમજ તેનો રસાસ્વાદ પણ કરાવ્યો. આમ છતાં તેમણે ક્યારેય ભૌતિક સુખસગવડો કે આનંદપ્રમોદ માટે સમય ફાળવવાની તમા રાખી નથી. હું મુખ્યમંત્રી બન્યો પછી એક વાર શાસ્ત્રીજી વિશે વિચાર કરતો હતો કે, ‘‘આ માણસ કેવો નિઃસપૃહી છે ! પિતા તરીકેના અધિકારથી મને ગમે ત્યારે ટેલિફોન કરી શકે. આમ છતાં તેણે ક્યારેય મને કોઈની ભલામણ કે સિફારીશ કરી નથી. અથવા ‘આમ કરજે કે આમ ન કરતો, આટલું ધ્યાન રાખજે’ એવી વાત કરી નથી.
પરંતુ દરેક ગતિવિધીથી પુરેપુરા વાકેફ પણ રહેતા હોય તે વાત મને તેમના ટેલિફોન દ્વારા સમજાઈ. એક દિવસ તેમનો ફોન આવ્યો કે, ‘આજે લાડુડી મોકલાવું છું’

મે પૂછયું કે, ‘શા કારણથી ?’

તેમણે કહ્યું, ‘‘આજે વિશેષ કારણથી લાડુડી મોકલું છું.’’

મેં કહ્યું, ‘‘કેમ ?’’

તો કહે, ‘‘તું મારા માંગરોળમાં નર્મદાનું પાણી લઈ જાય છે એટલા માટે.’’

નિઃસ્પૃહ અને અકિંચન હોવા છતાં વતનપ્રેમ અને વતનના લોકોને મળતી સુવિધાથી કેવા આનંદવિભોર બની ગયા ! આ નિર્દોષ બાળસહજતાથી, સંસારમાં જળકમળવત્ રહેનાર મહર્ષિએ વતન છોડ્યાને ૬૦-૭૦ વર્ષ થઈ ગયા હશે. છતાં અમદાવાદમાં બેસીને હમવતનોને મળનારી સુવિધાનો આનંદ લઈ શક્યા એ તેમની ઉદારતા બતાવે છે.

શાસ્ત્રીજીની લાડુડીનું રહસ્ય પણ જાણવા જેવું છે. મારા જીવનમાં તેમની લાડુડી પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. હવે તેઓ જીવંત નથી એટલે બીજા કોઈ તેમને હેરાન કરવાના નથી, એટલે આ રહસ્ય જાહેર કરી દેવામાં પણ કોઈ વાંધો નથી.

અમે ઘણી યાત્રાઓ કાઢી: સોમનાથ યાત્રા, એકતા યાત્રા, ગૌરવ યાત્રા વગેરે. તે યાત્રા દરમિયાન પત્રકારો સતત એક જ પ્રશ્ન કરતા હોય છે કે, ‘‘નરેન્દ્રભાઈ, તમે થાકતા કેમ નથી ?’’ ‘‘આખા દિવસના પરિશ્રમ પછી રાત્રે નવ વાગ્યે અથવા રાત્રે અગિયાર વાગ્યે પણ કેમ તાજા દેખાઓ છો ?’’
તેનું રહસ્ય શાસ્ત્રીજીનો લાડુડીવાળો ડબ્બો છે. શાસ્ત્રીજીના મરજાદી પરિવારે મને તેમના ઘરના સભ્ય તરીકે સ્વીકારી લીધો હતો. આથી સીધો રસોડામાં બાની પાસે પહોંચી જતો. પછી હું ગમે ત્યાં હોઉં ત્યાં બા ડબ્બો પહોંચાડી દે. પણ આ પ્રસાદીનો લાભ બાએ મને છેવટ સુધી આપ્યો હતો. તેમાં તેમની અપાર કરુણા અને વાત્સલ્ય ભળેલાં હોવાથી લાડુડી ખાવાથી શરીરમાં શક્તિનો નવસંચાર થઈ જતો.’’

પુસ્તકમાં એક અલાયદુ પ્રકરણ સંઘના કર્મઠ અગ્રણી અનંતરાવ કાળે પર પણ છે. પ્રકરણની શરૂઆતમાં જ લેખક નરેન્દ્ર મોદી લખે છે: ‘‘પર્વતોની હારમાળા વચ્ચે વિશાળ વનરાજિ. કુદરતી સંપત્તિથી શોભતા રત્નાગિરિ જિલ્લાના પૂર્વ ભાગે બારેપાટણ નામનો એક નાનકડો તાલુકો છે. આશરે ૬૦ વર્ષ પૂર્વે પૂ. મહાત્મા ગાંધી અહીંના પ્રજાજનોને આઝાદી કાજે સમર્પિત જીવન જીવવાનો સંદેશો આપવા આવી પહોંચ્યા. જેમની દૂર સુધી ખ્યાતિ પહોંચી હતી એવા મહાત્માના સ્વાગત માટે ચારે તરફ ઉત્સાહનું વાતાવરણ હતું. વિશાળ શમિયાણાની સામે સભામંચ પર નેતાઓ બિરાજમાન છે. દેશનું નેતૃત્વ કરનાર આ મહાનુભાવોની વચ્ચે નજદીકના નાનકડા ગામ ઊંડીલથી બોલાવવામાં આવેલ માંજરી આંખ અને લાલગુલાબી કદાવર શરીરવાળો માંડ અગિયાર વરસની ઉંમરે પહોંચેલો એક બાળક પણ બિરાજમાન છે. હજુ સુધી કોઈનું એના તરફ ધ્યાન નથી.
મહાત્માજીના આગમન સાથે જ કાર્યક્રમનો પ્રારંભ થાય છે. આ નાનકડો બાળક પોતાના મધુર અવાજે ‘વંદેમાતરમ્’ ગીત લલકારે છે. તેના અવાજની મધુરતા, નિર્ભય વ્યવહાર સૌના આશ્ચર્યનું કેન્દ્ર બને છે.
ગીત પૂર્ણ થતાં જ મહાત્મા ગાંધી આ નાનકડા બાળકને પોતાની પાસે બોલાવે છે. પરિચય પૂછે છે. એના નાનકડા હાથ પર શોભતા સુવર્ણકડાને જોવા મથે છે. મહાત્માજીની બાજુમાં બેઠેલા એક સજ્જન આ નાનકડા બાળકને કહે છે : ‘‘મહાત્માજીને તારું આ સોનાનું કડું આપી દે.’’ એક પળનોય વિલંબ કર્યા વિના આ બાળકે પોતાના હાથનું કડું દેશોદ્ધાર  માટે મહાત્માના હાથમાં મૂકી દીધું ! મહાત્માજી સહિત સૌ બાળકની આ ભાવનાને જોઈ આશ્ચર્ય અનુભવે છે. તેઓ એક શબ્દ બોલે તે પહેલાં આ બાળક સડસડાટ મંચ પરથી નીચે ઉતરી ભીડમાં ખોવાઈ જાય છે.

પોતાના વ્યવહારથી બીજાઓનાં હૃદય પર છવાઈ જનાર આ નાનકડો બાળક એટલે સ્વ. પ.પૂ.ડૉ. હેડગેવારજીનો પ્રિય  ‘અન્તા’ અને ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સૌના પ્રિય પરિચિત શ્રી અનંતરાવજી કાળે.

એક વકતૃત્વ સ્પર્ધામાં અનંતરાવ કાળેએ ભાગ લીધો હતો. નિર્ણાયક તરીકે ત્યાં વીર સાવરકર હાજર હતાં. અનંતરાવજીના વક્તવ્યથી સાવરકર એટલા ઊંસણ થયા કે પોતે સામે ચાલીને તેમને મળવા ગયા. નાનકડા અનંતરાયનો પરિચય તેમણે જીવનપર્યંત ટકાવી રાખ્યો. સાવરકર જીવ્યા ત્યાં સુધી અનંતરાવ તેમને મળવા વર્ષમાં એક વખત અવશ્ય જતાં. અગાઉ આપણે જાણ્યું તેમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રચના સાદગી અને ત્યાગના પાયા પર થઈ છે. પુસ્તકમાં જેમના વિશે વાતો કરવામાં આવી છે, એમાંથી મોટાભાગના લોકો વચ્ચે એક સામ્ય જોવા મળે છે: સાદગી. અનંતરાવ પણ તેમાં અપવાદ ન હતાં. આપણે ત્યાં સામાન્ય રીતે રોટી, કપડા ઔર મકાનને  પ્રાથમિક જરૂરિયાત માનવામાં આવે છે. પરંતુ જેમણે સંઘના સિદ્ધાંતોને ખરા અર્થમાં પચાવ્યા હોય તેવા લોકો માટે પ્રાથમિક જરૂરિયાત રહેતી તેમનું ધ્યેય. નરેન્દ્ર મોદીએ અનંતરાવ કાળેનું એક સરસ ઉદાહરણ ટાંક્યું છે: અનંતરાવજી પાસે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ પહેરવા ઓઢવા માટે ગરમ વસ્ત્રો ન હતાં. સંઘના એક અગ્રણી કોઈ કામે દિલ્હી ગયા તો વળતી વખતે અનંતરાવજી માટે ગરમ શાલ લેતા આવ્યા. એમની પાસે શાલ હતી નહીં. કોઈ સામાન્ય મનુષ્ય હોય તો રાજી થઈને શાલ પોતાની પાસે રાખી લે. પરંતુ તેઓ જુદી માટીના માનવી હતાં. પ્રથમ નજરે તેમને શાલ ગમી ગઈ હતી પરંતુ એની કિંમત વિષે જાણ્યું ત્યારે તેમને આંચકો લાગી ગયો. શાલની કિંમત ૧૦૦ રૂપિયા હતી. એ સમયના એકસો રૂપિયાનું મૂલ્ય આજના હજારો રૂપિયા જેવું થાય. લાંબો વિચાર કર્યા વગર તેમણે શાલ પેલા સજ્જનને પાછી આપી દીધી !
આજથી લગભગ સોએક વર્ષ પહેલાની વાત છે. અમદાવાદમાં એ સમયે મિલ માલિકોની શાખ એવી હતી જેવી આજે સોફટવેર કંપનીના માલિકોની હોય છે. એવા પરિવારમાંથી આવતા ડૉ. વણીકર વ્યવસાયે એન્જિનિયર હતાં. પરંતુ એમના પુત્ર વિશ્વનાથ વણીકરને એન્જિનિયર બનવામાં રસ ન હતો. ઉંચો બાંધો અને પ્રભાવશાળી વ્યક્તિત્ત્વ ધરાવતા આ યુવાને લંડન જઈને ડૉકટર બનવાનું નક્કી કર્યું. થોડા વર્ષો ઈગ્લેંડમાં વિતાવીને તેઓ ભારત આવ્યા ત્યારે તેઓ ગુજરાતના પ્રથમ પેથોલોજિસ્ટ બન્યા. ડૉક્ટરનો વ્યવસાય આજે પણ ઉચ્ચત્તમ કક્ષાના ધન પ્રતિષ્ઠા આપે છે. એ સમય હતો જ્યારે ડૉક્ટરોનું માન આજના કરતા પણ અનેકગણું વધારે હતું. તેમના નામના સિક્કા પડતા. પણ ડૉકટર વણીકર માટે આ બધી ઝાકઝમાળનું બહુ વધુ મહત્વ ન હતું. ડૉક્ટર બન્યા બાદ પણ તેઓ સાઈકલ પર ફરવાનું પસંદ કરતાં. પરગજ્જુ જીવન ઊંવૃત્તિ અને સાલસ વ્યક્તિત્ત્વ એ એમની મૂડી. પોતાની ધમધમતી પ્રેક્ટિસ છોડીને પણ તેમણે સુખાકારી માટે એલ. જી. હોસ્પિટલની જવાબદારી સ્વીકારી. મિલ મજુરોના વિસ્તાર કહેવાતા પૂર્વીય અમદાવાદમાં તેમણે સેવાઓ પૂરી પાડવા માટે યજ્ઞ કાર્યનો આરંભ કર્યો. વર્ષો સુધી એલ. જી. હોસ્પિટલ સાથે જોડાયા પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે સમાજ સેવા માટે બાકીના વર્ષો ખર્ચ કરવાનો નિર્ધાર કર્યો.

હિન્દુ સમાજને સંગઠિત કરવો, અસ્પૃશ્યતા દૂર કરવી એ એમનું મુખ્ય લક્ષ્ય હતું. વર્ષો પહેલા તેમણે સામાયિક ‘વિશ્વ હિન્દુ સમાચાર’ની શરૂઆત કરી. સમાજના ઉચ્ચ વર્ગમાં તેમના સંપકો સારા હતા. પરિષદનું કાર્ય ચલાવવા માટે ધનની વ્યવસ્થા કરવાનું તેમના માટે બહુ કપરૂ નહોતું. ધનવાનો પાસેથી તેઓ દાન મેળવી શકે એમ હતાં. પરંતુ એમનું ધ્યેય હતું સામાન્ય માનવીને સંઘના વિચારો સાથે જોડવાનું. એ માટે તેમણે દાનપેટીની યોજના બનાવી. નાનાનાના વેપારીઓ પાસે સામાયિકની નકલ મૂકવા તથા દાનપેટી મૂકવા પોતે જાતે જ જાય. દુકાનદારોને આ પત્રિકા વહેંચવા માટે સમજાવે અને કહે કે કોઈ ગ્રાહક જો દાનમાં કંઈ આપે તો પેલી પત્રિકા નિઃશુલ્ક આપવી. વેપારીઓ આનાકાની કરે તો તેઓ સમજાવે. ધીમે ધીમે એમના સંનિષ્ઠ પ્રયાસોએ પરિણામો દેખાડવાનું શરૂ કરી દીધું. તનતોડ મહેનત થકી તેમણે ગુજરાતમાં પાંચ હજાર જગ્યાએ આવી પેટીઓ મૂકાવી. ધીમેધીમે  નાનામોટા મંદિરો સ્વયં પ્રેરણાથી પોતાને ત્યાં આવી પેટીઓ મૂકવા લાગ્યા. ૧૯૬૪માં રચાયેલી સંઘની પાંખ વિશ્વ હિન્દુ પરિષદએ ડૉ. વણીકરજીની મહેનત થકી પાંચ વર્ષમાં જ ગુજરાતભરમાં વિશિષ્ટ સ્થાન બનાવ્યું. ૧૯૭૨માં તેમણે સિદ્ધપુર ખાતે હિન્દુત્વની છત્રછાયા નીચે આચાર્યો, સંતો, મહંતો, સાધુ વગેરેને આમંત્રિત કરી લાખો હિન્દુઓનું સંમેલન બોલાવ્યું. ગુજરાતમાં અગાઉ દુષ્કાળ અવારનવાર પડતો. આવા સમયે તેમની ભીતરમાં રહેલા સેવાકિય જીવને જાણે જાત જલાવીને લોકોને સુવાસ આપવાની પ્રેરણા મળતી. સાબરકાંઠા વિસ્તારના આદિવાસી ગામડાઓમાં તેઓ અઠવાડીયામાં ત્રણ-ચાર દિવસ વિતાવતા. ક્યાંક ભોજન માટે રસોડા ચલાવે ક્યાંક છાશ કેન્દ્રો.

આદીવાસી વિસ્તારોમાં સેવાકાર્યો કરતી વખતે તેમને ખ્રિસ્તી મિશનરીઓની વટાળ પ્રવૃત્તિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. આવી પ્રવૃત્તિઓ રોકવા માટે એમણે અથાક પ્રયત્નો કર્યા. સાધુસંતોને લઈને તેઓ આવા ગામડાઓના લોકોના ઝૂંપડા સુધી પહોચી જતા અને તેમને જ્ઞાન આપતા.

અગાઉ સાઈકલ પર રઝળપાટ કરવાનું પસંદ કરતાં ડૉ. વણીકરે માત્ર સમાજ સેવા ખાતર હવે ગાડીમાં ફરવાનું નક્કી કરી લીધું હતું. પોતાની આ ગાડી તેઓ જાતે જ લઈને નીકળી પડે. સતત દોડધામના કારણે ક્યારેય થાક કે ઉંઘ લાગે તો ગાડીને રસ્તાની એક તરફ પાર્ક કરી જમીન પર સૂઈ જાય ઉંઘ ઉડે એટલે ફરી ગાડી લઈને ચાલતા થઈ જાય. રાષ્ટ્રીય સવ્યંસેવક સંઘના મુખપત્ર ગણાતા સામાયિક ‘સાધના’ની શરૂઆત પાછળ પણ ડૉ. વણીકરનું મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીમાં ‘સાધના’ના પ્રૂફ રીડરથી માંડીને ટ્રસ્ટીઓ સુધીના તમામ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતાં. ડૉ. વણીકર પણ બાકાત ન હતાં. સમાજના ઉચ્ચ વર્ગના લોકો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતા ડૉ. વણીકરને છોડાવવા માટે કેટલાંક મિત્રોએ લાગવગ લગાડવાની શરૂઆત કરી. ડૉ. સાહેબે જેલમાંથી જ સંદેશો મોકલાવી દીધો કે, જ્યાં સુધી દેશમાં લોકશાહીની પુનઃ સ્થાપના ન થાય ત્યાં સુધી તેઓ જેલમાંથી બહાર નહીં આવે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવકનું પ્રાંત કાર્યાલય જ્યાં બેસે છે તે હેડગેવાર ભવનનું નિર્માણ પણ એમના જ પ્રયત્નોના કારણે થયું હતું. ખરા અર્થમાં એવું કહી શકાય કે જીવનની અંતિમ ક્ષણો સુધી તેઓ અભાવથી પીડાતા લોકોની સેવા કરતા રહ્યા છે. ૭૩ વર્ષની ઉંમરે ડેડીયાપાડાના જંગલોમાં તેઓ આદિવાસીની સેવાપ્રવૃતિ માટે ગયા હતાં. ભરૂચ પાસે હાઈવે પર જીપમાંથી ઉતરીને રસ્તો ઓળંગવા જતા હતા ત્યાં જ એક મેટાડોરે તેમને હડફેટે લીધા અને એમનો જીવનદિપ બુઝાયો.

કાશીનાથજી બાગવડેનું જીવન પણ આવી રીતે લોકસેવામાં હોમાઈ ગયું. સંઘના આ પ્રખર સ્વયંસેવક જીવનના ચારચાર દાયકા સુધી લોકસેવા માટે ગામેગામ ભટકતા રહ્યા. સંઘકાર્ય તેમના માટે ધર્મકાર્ય કરતાં પણ વિશેષ હતું. શરીર એટલી દહે ઘસાયું કે જીવનનો આખરી તબક્કો અત્યંત કષ્ટદાયક બની રહ્યો. શ્રવણશક્તિ ચાલી ગઈ, હૃદયની બિમારીએ ઘર કરી, શરીરના એકએક અંગો ધીમે ધીમે કરતાં જવાબ દેવા લાગ્યા અને એક દિવસ તેઓ દુનિયા છોડી ગયા.

મૂળ તેઓ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના વતની હતાં. પરિવારની સામાન્ય આર્થિક સ્થિતિના કારણે નડિયાદમાં એક મિલમાં નોકરી કરવા આવ્યા. સંઘના કાર્યોથી પ્રભાવિત થઈ એમણે નડિયાદમાં એ કાર્ય હૃદયપૂર્વક સંભાળી લીધું. ખેડા જિલ્લામાં બહુ પ્રતિબદ્ધતાથી કામ કર્યું એટલે તેમને કચ્છની જવાબદારી સોંપાઈ. વાત આજથી લગભગ સાંઠ વર્ષ પહેલાની છે. કચ્છ જવું તો સુરજબારીથી સમુદ્રમાં થઈને હોડીનો પ્રવાસ કરવો પડતો. આજે પણ કચ્છમાં વાહન વ્યવહારના સાધનો બહુ સરળતાથી ઉપલબ્ધ નથી. તો આજથી છ દાયકા પહેલાનો સમય કેવો હશે !

દુનિયાના આ સૌથી મોટા જિલ્લાના એક છેડેથી બીજા છેડે પહોંચવા માટે આજે પણ બારેક કલાક જેવો સમય લાગી જાય છે. સાંઠ વર્ષ પહેલા કચ્છમાં મુસાફરી કરવાની ભયાનક હદે દુષ્કર હતી. આવા સમયે એમણે આખુ કચ્છ ખુંદી નાખ્યું. કચ્છના લોકો સાથે નાતો જોડવા માટે તેની સંસ્કૃતિ જાણવાનું અનિવાર્ય હતું. ભાષા પણ થોડી અલગ. હવામાન પણ વિષમ. શરીરને ભયાનક હદે કષ્ટ આપીને તેઓ સાઈકલ યાત્રા કરતાં. પગપાળા જતા. છપ્પ્નના ભુકંપ વખતે તેમણે જાત ઓગાળીને અસરગ્રાસ્તોની સેવા કરી દૂર દૂરના વિસ્તારોમાંથી તેમણે કાર્યકરોને પાવડો-ત્રિકમ લઈને બોલાવ્યા. કાર્યકરો પોતાની સાથે ત્રણ-ચાર દિવસનું ભાથુ અને સુકો નાસ્તો લાવ્યા. ઓજારસાધનો લઈને તેઓ ટુકડીઓમાં અંજાર તથા આસપાસના ગામોમાં સેવા કરવા નીકળી પડ્યા. એમનું શારીરિક કદ બહુ નાનું હતું, સાઈકલના પેડલ મારવામાં પગ પણ પહોંચતા નહોતા છતાં કચ્છના વિકટ રસ્તાઓ પર સાઈકલ દોડાવતા રહેતા.

નરેન્દ્ર મોદીએ કર્મઠ કાશીનાથજી વિષે અનેક રસપ્રદ વાતો લખી છે. છેલ્લી વાત એમના જ શબ્દોમાં: ‘‘કાશીનાથજીના જીવનમાં અદ્ભુત વ્યવસ્થાના દર્શન થતાં. જીવનનો નિત્યક્રમ, કામોની પ્રાથમિકતા, પૂર્વાયોજન, આવશ્યક માહિતી સઘળુ તૈયાર જ હોય. અત્યંત વ્યવસ્થિત જીવન એ તેમની વિશેષતા હતી. જેમ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખનારા વ્યક્તિ સવારે પ્રભુદર્શન કરે, પૂજનઅર્ચન કરે અને તેમાં કયારેય ખંડ ન પડવા દે, તેમ કાશીનાથજી સવારે ચાર-સાડાચાર વાગ્યે તૈયાર થઈ, પચાસ જેટલાં પોસ્ટકાર્ડ લઈ બેસી જાય. સૂર્યોદય થતાં પૂર્વે ગામેગામ પોસ્ટકાર્ડ દ્વારા પહોંચવાનો પ્રયાસ કરે. દરેક પત્ર અલગ હોય, સૂચના એક જ હોય, પણ કાર્યકર્તાના સ્તર પ્રમાણે તેની રજૂઆત કરી હોય. પત્રમાં માત્ર સ્વયંસેવક નહીં, તેના કુટુંબની દરેક વ્યક્તિને પોતીકાપણું લાગે તેવી લાગણીની છાંટ હોય. રોજ સવારે સ્વહસ્તે આટલા બધા પત્રો લખતા હોય, છતાં કયારેય અક્ષરોમાં મરોડ ન બદલાય, અક્ષરોમાં પણ થાક ન વરતાય. ભાષાશુદ્ધિનો આગ્રહ હોય. ઘણી વાર એમ લાગે કે સાતત્યપૂર્ણ રીતે ત્રીસ વર્ષ સુધી અખંડ રીતે કોઈ વ્યક્તિએ જાતે લાખો પોસ્ટકાર્ડ લખી સંગઠનની ગૂંથણી કરી હોય તેવી ઘટના આજના યુગમાં ‘રેકોર્ડ બ્રેક’ કરનારી લેખાય.’’

‘જ્યોતિપુંજ’માં  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આવા અનેક કર્મઠ સેવકોની વાતો કહેવામા આવી છે. સંઘના સિદ્ધાંતો માટે તથા હિન્દુત્વના જીર્ણોદ્વાર માટે અસ્તિત્વના બે-ચાર-છ દાયકાઓ ખર્ચી નાખનાર આવા પ્રતિબદ્ધ અગ્રણીઓની આ વાતો સંઘના સ્વયંસેવકો માટે તો ઉદાહરણરૂપ છે જ, સામાન્ય લોકોને પણ તેના વાંચન થકી આર.એસ.એસ.ના પાયાનો, તેની ફિલોસોફીનો તથા તેના સંઘર્ષનો ખ્યાલ આવે છે. અને એવો વિચાર પણ આવે છે કે, અત્યારે જે સંઘના લોકો છે એ તેમના પૂર્વજોને રસ્તે ચાલ્યા હોત તો આજે દેશનું ચિત્ર અલગ જ હોત.

* "અકિલા"માં પ્રકાશિત