Friday, January 13, 2012

આકાશમાં પતંગો, આસપાસ તિતલીયો અને દિલમાં પતંગિયા !



પતંગ જેમ આપણને ઘણુંબધું શીખવે છે એવી જ રીતે મકરસંક્રાંતિનો તહેવાર પણ એક દિવસમાં ઘણી વાતો શીખવી જાય છે. મશ્કરા મનને કેટલીક એન્ટી ફિલોસોફી પણ સૂઝી આવે છે! : આપણો પતંગ તો જ ઊંચો જઈ શકે જો આપણે બીજાનો પતંગ સમયસર કાપતા રહીએ! કેટલીક ફર્સ્ટ હેન્ડ કહેવત : ઝાઝા પતંગ ઉડતા હોય ત્યારે વધુ ઢીલ અપાય નહીં!, તાણવાળી મોટી પતંગ સામે કોઈ સારી દોરી અને ઉત્તમ પતંગબાજ પણ લાચાર છે!, કપાયેલી પતંગ ક્યારેક ઉડતી પતંગ કરતાં પણ વધુ ઊંચે જાય છે! સંક્રાંતે સગપણ અને વાસી સંક્રાંતે વિવાહ! આંખો આસપાસની આગાસીએ રાખો તો કાયમી ફીરકી પકડનાર મળી રહે! અને ‘પડયા માથે પાટું’નો જ સમાનાર્થ ધરાવતી કહેવત એટલે ફીરકી જાતે ઝાલી અને આસપાસની અગાસી ખાલી! 

ચિંતકો કહે છે કે પતંગ આપણને જિંદગીની ઘણી ફિલસૂફી સમજાવે છે. પતંગ કહે છે કે જીવનમાં બેલેન્સ બરાબર હોય તો જ ઊંચી ઉડાન ભરી શકાય છે. એક તરફ જો માત્ર બે આંગળી જેટલી ગુંદરપટ્ટી ચોંટાડી હોય તો પણ પતંગ પછી એ તરફ જ નમ્યા કરે છે. પછી એને ઉડાડવાની મજા નથી. બેલેન્સ ગયું કે એની મજા ગઈ. એની સળીનું બેલેન્સ બરાબર ન હોય તો એ સતત ગોથા ખાધા કરે. મનુષ્યનું પણ એવું જ. સંતુલન ન હોય તો ગોથાળિયા પતંગની જેમ ગોથ મારતો રહે. ઘડીભર એન્ટેનામાં ફસાઈ જાય, ત્યાંથી ટીચકી ખાઈ માંડ નીકળે તો કેબલમાં ફસાય. સાગમટે ચાર-પાંચ પેચ લગાડે અને છેવટે શ્વાનના મોતે મરે. પંતગના રંગોે એટલે જાણે જીવનના કલર્સ. સફેદ રંગની પતંગ જ ઉડાવતા લોકોની રસહીનતાની ખાજો દયા. એમને માફ કરજો, પ્રભુ! એમને ખ્યાલ નથી કે તેઓ કેવી મહાન ભૂલ કરી રહ્યા છે. પતંગ એટલે જ રંગો. એ સફેદ કેવી રીતે હોઈ શકે. પતંગબાજીમાં સ્કિલ ખપે. પૂંછડીવાળો પતંગ એકદમ સ્થિર હોય છે. કોઈ ગોથાળિયા પતંગને સ્થિર કરવો હોય તો પતંગબાજો તેને લાંબું પૂંછડું બાંધી દે. જીવનમાં પણ એવું જ. ભાઈ બહુ હણહણતા હોય અને બહેન બહુ ઉલાળા લેતાં હોય તો વડીલો ઝટ એમને પૂંછડી બાંધવા આતુર હોય. પતંગ કહે છે કે તમારી નજર નિત્ય આકાશ ભણી રાખો!

હાસ્યકારો હંમેશાં એક ક્લિશે વાક્યપ્રયોગ કરે છે : ‘હાસ્ય ક્યાં ક્યાં નથી મળતું મિત્રો!’ એમ ફિલસૂફોને જીવનની દરેક વસ્તુઓમાંથી તત્ત્વજ્ઞાાન મળી રહેતું હોય છે. જમીનના ટુકડાથી અફાટ આકાશ સુધી, રણથી સમંદર અને ઝરણાથી જ્વાળામુખી લગી. જીવનને નિહાળવાના બે અંદાજ છેઃ એક ફિલોસોફિકલ, બીજો પ્રેક્ટિકલ. મહાન ચિંતકોની ફિલસૂફી કહે છે કે પતંગ આપણને આસમાનમાં દૃષ્ટિ રાખવાનું શીખવે છે પણ સામાન્ય યુવક-યુવતીઓનું પ્રેક્ટિસ જ્ઞાાન કહે છે કે સંક્રાંતમાં નજર થોડી આસપાસની અગાસીમાં પણ રાખવી! કારણ કે ઉત્તરાયણમાં માત્ર પતંગોના પેચ જ નથી જામતા, નયનોના પેચ પણ લાગતાં હોય છે. તમારી નજર જો ધારદાર ન હોય તો ખૂબસૂરત આંખો સાથે પેચ લડાવવા બીજી કોડીબંધ આંખો તત્પર હોય છે. હા! ઉત્તરાયણ યુવાનીનો તહેવાર છે. અલ્ટ્રા વાલોયેટ કિરણોને પણ આંખો સુધી પહોંચવા નહીં દેતા સન ગ્લાસીસ એ દિવસે સામેની અગાસી પરથી તમને નિહાળતી પેલી ધાંસુ છોકરીની આંખમાંથી નીકળતા ગુલાબી કિરણોને રોકી શકતા નથી. ગુજરાતી ફિલ્મની ભાષામાં કહીએ તો અગાસીઓ જાણે જોબનથી ફાટફાટ થતી હોય છે. કેટલાક માટે તો પતંગ બહાના હૈ, અસલી મકસદ આંખો કે પેચ લડાના હૈ!




જગતની બહુ ઓછી પ્રજા પાસે ઉત્તરાયણ જેવો આગવો ઉત્સવ હોય છે. પતંગો તો ભારતમાં ઘણાં રાજ્યોમાં ઊડે છે, પરંતુ કોઈ એક જ દિવસ આખું રાજ્ય અગાસી પર બિરાજતું હોય એવી ભવ્ય ઘટના માત્ર ગુજરાતમાં બને છે. હોળીની જેમ અહીં પાણીનો વ્યય નથી,પર્યાવરણવાદીઓ દિવાળીના ફટાકડાથી થતા પ્રદૂષણની અને હોળીના રંગોથી થતા વિવિધ પ્રકારના નુકસાનની ચિંતા કરતાં હોય છે એવી ફિકર કરવાની પણ અહીં જરૃર નથી. હા! કેટલાક લોકોને પંતગની દોરીથી પક્ષીઓને થતી ઈજાની તથા અગાસી પર રાખેલી સાઉન્ડ સિસ્ટમથી થતા ધ્વનિનાં પ્રદૂષણની ફરિયાદ જરૃર હોય છે. પણ એમનો કોઈ ઈલાજ નથી. દલીલો તેઓ નહીં માનવા માટે સાંભળતા હોય છે. એમને સીધા કરવાનો રસ્તો એક જ કે આપણે વધુને વધુ પતંગો ઉડાવવી, અગાસી-અગાસીએ ગીતો વગાડવાં જેથી એમનો કાળો કકળાટ આપણા આનંદના કલબલાટમાં સાવ જ ઓગળી જાય.


ઉત્તરાયણની મજા એ છે કે એ કોઈ દેવી-દેવતાઓનો તહેવાર નથી. એ સર્મિપત છે મનુષ્યની ભીતર શ્વસતા આનંદી યુવાનને. ખોળિયું કદાચ પચાસ, સાઠ, સિત્તેરનું કે એંસીનું હોય તો પણ ઉત્તરાયણનો આનંદ તેની ભીતરથી યુવાનીને બહાર ખેંચી લાવે છે. ઉત્તરાયણ એટલે પણ મહાઉત્સવ છે કારણ કે તેમાં કોઈ વિધિવિધાન કે યજ્ઞા-હવન અથવા સત્સંગ-સરઘસ નથી. એનું આધ્યાત્મિક મહત્ત્વ જેટલું છે તેના કરતાં અનેકગણું આત્મિક છે. એ આપણો તહેવાર છે. સ્વયંનો. એટલે જ તેની ઉજવણી આપણને હળવાફૂલ બનાવી દે છે. દિવસભર દોરીની ખેંચખેંચ કર્યા પછી બાવડાં દુખે છે પણ તેનું દર્દ થતું નથી. થાક હોય છે પણ તેનો અહેસાસ નથી, તાપ હોય છે પણ એ લાગતો નથી. રંગોથી ફટાફટ થતું અફાટ આકાશ એવો નશો જગાવે છે કે રાત્રે પથારીમાં પડીએ ત્યારે પણ આપણે દિવસભર લડાવેલા એક-એક પેચ (પછી એ પતંગના હોય કે આંખોના!)ની રીલ આંખ સામેથી જાણે પસાર થતી રહે છે.

શું પતંગોત્સવ એટલે માત્ર શેરડી, ચીક્કી, ઊંધિયું અને જલેબી જ? ના. ઉત્તરાયણ એટલે ભેગા થવાનો નિર્ભેળ આનંદ પણ ખરો! ઝાઝા પવનમાં પતંગ હાથમાં ઝાલી ઝલાય નહીં એની મજા અને ઓછાં પવનમાં માંડ-માંડ ઊડે એનો પણ આનંદ. પતંગનું આખું એક શાસ્ત્ર છે. ખેંચીને કાપવાનું પસંદ કરતાં હો તો દોરી ઓછા કાચવાળી, ઓછા તારવાળી અને તીક્ષ્ણ જોઈએ. ઢીલ દેતાં જ આવડતું હોય તો બાર કે સોળ તારની ખરટ (ઝાઝા કાચવાળી) દોરી ઉત્તમ. પતંગની વચ્ચેથી પસાર થતી સળી અને કમાન જોઈને પણ ઉસ્તાદો કહી શકે કે એ ગોથાળી છે કે સ્થિર છે. ઢીલ દેવા માટે ઉપલો અને ખેંચવા માટે નીચલો પેચ લેવાનો હોય પ્રભુ. અને ખેંચીને કાપવાનો શોખ હોય તો યાદ રાખવું કે તમે ખેંચ ચાલુ કરો ત્યારે તમારી પતંગ ઉપરની તરફ આવતી હોવી જોઈએ, આડી બાજુ નહીં. પતંગની લંબાઈ કરતાં તેની પહોળાઈ દોઢી કે બમણી હોય એવી પતંગ શ્રેષ્ઠ. આ બધી ટેકનિકલ વાતો જાણી પતંગ ચગાવવાની મોજ અલગ છે. અને આવું કશું જ જાણ્યા વગર પતંગબાજી કરવાની મજા તો વળી એના કરતાં પણ વધુ!

પતંગ જેમ આપણને ઘણુંબધું શીખવે છે એવી જ રીતે મકરસંક્રાંતિનો તહેવાર પણ એક દિવસમાં ઘણી વાતો શીખવી જાય છે. મશ્કરા મનને કેટલીક એન્ટી ફિલોસોફી પણ સૂઝી આવે છે! : આપણો પતંગ તો જ ઊંચો જઈ શકે જો આપણે બીજાનો પતંગ સમયસર કાપતા રહીએ! કેટલીક ફર્સ્ટ હેન્ડ કહેવત : ઝાઝા પતંગ ઉડતા હોય ત્યારે વધુ ઢીલ અપાય નહીં!, તાણવાળી મોટી પતંગ સામે કોઈ સારી દોરી અને ઉત્તમ પતંગબાજ પણ લાચાર છે!, કપાયેલી પતંગ ક્યારેક ઉડતી પતંગ કરતાં પણ વધુ ઊંચે જાય છે! સંક્રાંતે સગપણ અને વાસી સંક્રાંતે વિવાહ! આંખો આસપાસની આગાસીએ રાખો તો કાયમી ફીરકી પકડનાર મળી રહે! અને ‘પડયા માથે પાટું’નો જ સમાનાર્થ ધરાવતી કહેવત એટલે ફીરકી જાતે ઝાલી અને આસપાસની અગાસી ખાલી! હવે થોડા ફર્સ્ટ હેન્ડ રૃઢિપ્રયોગોઃ ઢીલમઢીલના પેચ લાગ્યા હોય ત્યારે ફીરકીનાં તળિયાં દેખાવાં! ખેંચતા આવડે નહીં અને દોરી કાચવાળી, પૂંછડી બાંધ્યા પછી પણ ગોથા ખાવા, ભાઈ કુંવારા ચોત્રીસના અને નજર રાખે (અગાસીને બદલે) આકાશમાં!, પાંચસો વારની દોરી લેવી અને ઢીલના શોખ રાખવા, એક તો પતંગ તોસ્તાન અને બીજું, પવન કહે મારું કામ, આંગળીઓ પણ સાચવવી અને પતંગ પણ ઉડાડવી, સંક્રાંતિના દિવસે જ અગાસીની સીડી તૂટી જવી,ઉત્તરાયણની રાહ જોઈ પણ બાજુવાળી પતંગ ઉડાવવા મોસાળ ગઈ!

બપોરના એકથી બે વચ્ચેના લંચ ટાઈમમાં લોકો અગાસીને બદલે ઘરમાં ઊંધિયું દાબતા હોય છે ત્યારે અગાસી પર શાંત રસ હોય છે. દૂરની અગાસી પર પતંગ ઉડાડતા કોઈની પતંગ તેના હાથ પાસેથી જ ખેંચ મારી કાપી નાખવી એમાં શૌર્ય રસ નથી શું? શૃંગાર રસ અને બિભત્સ રસ તો દર બીજી અગાસીએ છલકાતો હોય છે. સંક્રાંતિમાં રોમાંચ છે, તેમાં હરીફાઈ છે અને એટલે જ એની થ્રિલ અકબંધ છે. ગુજરાતણો જેમ માતાના ગર્ભમાંથી જ ગરબો કે રાસ શીખીની અવતરે છે એમ જ દરેક ગુજરાતીઓના ડીએનએમાં સુરતી માંજો અને નડિયાદી પતંગો છપાઈ ચૂક્યા છે. અને સંક્રાંતિ એક ગ્રેટેસ્ટ લેવલર છેઃ ચડ્ડીધારી બાળક પણ અહીં છાપાના તંત્રીની પતંગ કાપી શકે છે. મંત્રીશ્રીની પતંગ સંત્રીઓ પણ ઉડાવી શકે છે, રાજાની પચાસ રૃપિયાની પતંગને રંક છોકરડું અઢી રૃપરડીની પતંગ વડે ડૂલ કરી શકે છે. સંક્રાંતિ સેક્યુલર છે, સમાજવાદી છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તેની ઉજવણી એકસરખા થનગનાટથી કરે છે. કારણ કે એ દિવસે આકાશમાંથી જાણે કોઈ શક્તિ ગુજરાતીઓ પર યૌવનની વર્ષા કરી રહી હોય છે!



"સંદેશ"માં પ્રકાશિત. 

Wednesday, January 4, 2012

બારણું ઉઘાડ હવે દેવ

               
દોઢડાહયાઓ કહે છે કે, તમે માત્ર 'ગાઈડ' યાદ રાખો પરંતુ "પ્રાઈમ મિનિસ્ટર" ભૂલી જાઓ. તેઓ કહે છે, રાજુ ગાઈડ યાદ રાખો, પેલો પેલો અર્ધ પાગલ તંત્રી ભૂલી જાઓ અને સેન્સર સામે હાસ્યાસ્પદ બંદ પોકારી કોર્ટરૂમમાં જોકર જેવી અદાઓથી દલીલો કરતો સર્જક વિસરી જાઓ. આવા લોકો અને સ્વાધ્યાય - આસારામના ફેનેટિક અનુયાયીઓ વચ્ચે શો ફર્ક છે? કશો જ નહિ. સંપ્રદાયોના અનુયાયીઓ પણ આવું જ કહે છે; "અમારા બાપુએ કરેલા ભૂંડા કામો વિસરી જાઓ, સારા યાદ રાખો!" ઇન ફેક્ટ, પેલા સંપ્રદાયોના અનુયાયીઓને તમે બહેતર ગણાવી શકો. કારણ કે, તેઓ ક્યારેય બૌદ્ધિક કે જાણકાર હોવાનો દાવો કરતા નથી. દેવ આનંદની વિદાય પછી પણ બહુ તમાશો થયો, પાગલ ફેનેટિક લોકોએ "સદાબહાર ....સદાબહાર... "નો કકળાટ કરી ગગન ગજવી નાખ્યું. શાનો સદાબહાર? ધૂળ અને ઢેફું. એના સુવર્ણકાળમાં તેણે કેટલુંક નોંધપાત્ર કામ કર્યું હતું. બસ. એ ગોલ્ડન પીરિયડ ખતમ થયાને ચાર-ચાર દાયકાઓ વીતી ગયા હતા. છેલ્લાં ચાલીસ વર્ષથી તેની ભૂતાવળ બોલિવુડમાં ફરતી હતી. એ એક કલાકારનો મૃતદેહ હતો. મરાઠીના વિખ્યાત વિવેચક અને અદભુત ભાષા શૈલી ધરાવતા શિરીષ કણેકરે એનસીના દાયકામાં દેવ  પર એક અદ્વિતીય લેખ લખ્યો હતો. આજે આપણે જે વાત કરીએ છીએ અને દેવના ભક્તો ઉકલી ઉઠે છે એ જ વાત તેમણે ફાડી-તોડી ને લખી હતી. આ લેખ "ઈમેજ પબ્લિકેશન" દ્વારા પ્રકાશિત પુસ્તકમાં સમાવિષ્ટ છે. એમના સૌજન્ય સાથે અહીં મૂકી રહ્યો છું... 



પ્યારે દેવ બેટે,
જુગ જુગ જિયો.
તું મારા કરતાં (કે કોઈનાયે કરતા) નાનો ને? એટલે વાત્સલ્યથી બેટા કહ્યુ હં. સરકારી નોકરીમાં હોત તો નિવૃત્ત થયાને તને આઠ વર્ષ થયાં હોત. એટલે આઠ વર્ષથી બેઠાબેઠાં પેન્શન ખાધુ હોત. આઈ એમ સોરી. ઊભા રહીને, કારણ કે તું ક્યારેય બેસતો જ નથી. તું અને ઘોડો! ઠીક.

પરાભવ માન્ય કરવા માટે આ પત્રપ્રપંચ. આપણો અપશબ્દોનો સગ્રહ વિશાળ છે, એવો મને ઘમંડ હતો. એ તેં ચપટી વગાડતામાં ઉતાર્યો. તારુ ‘સચ્ચે કા બોલબાલા’ જોઈને બહાર નીકળ્યા પછી ફક્ત વીસેક મિનિટમાં જ મારા શબ્દકોશના બધા અપશબ્દ ખલાસ થઈ ગયા. હું હતબુદ્ધ થયો. પહેલાજ નિહલાની, કે. સી. બોકાડિયા, ટૂટૂ શર્મા વગેરે કસબી નાદાનોને જે ફાવ્યુ નહીં તે આખરે તેં કરી દેખાડ્યુ. વળી, આપણો જેના પર પ્રેમ છે એવો માણસ આપણા ભંડારનો માલિક થાય છે એનો એક નિરાળો માનસિક સંતોષ તેં મને મેળવી આપ્યો એ તો વધારાનો જ. આટલુ ખરાબ ચિત્રપટ તુ કાઢે છે એની અમને ખબર પણ પડવા ન દીધી ને લુચ્ચા? હવે મળશે ત્યારે ગાલ ખેંચ્યા વગર છોડુ છું કે તને બદમાશ.

મેં જોયેલાં સૌથી ખરાબ પાચ ચિત્રપટોમાં  ચાલ, દશ કહુ જોઈએ તો  એક તારા ‘સચ્ચે કા બોલબાલા’ને ગણવામાં વાધો નથી. આવી જીવલેણ સ્પર્ધામાં એક પ્રસગ, એક સવાદ, એક ક્ષણ પણ સારી ન હોય એવુ ચિત્રપટ કાઢવુ એ કોઈ રેંજીપેંજીનુ કામ નથી. (‘ધરમઅધિકારી’માં પણ રાજેન્દ્ર કૃષ્ણનાં બે ચમકદાર વાક્યો હતાં અને ‘મર્દ’માં એક એંગલથી વાઘ જરા સારો દેખાયો હતો.) કમાલ કરી છે છોકરા! તારુ દરેક નવુચિત્રપટ જોઈએ ત્યારે એમ લાગે કે આગલુ સારુ હતુ. ‘લૂટમાર’ જોયુ ત્યારે તીવ્રપણે લાગ્યુ હતુ કે આ સમુદ્રનુ તળિયુ છે. આના કરતાં નીચે જવુતારે માટેય શક્ય નથી; પણ ‘સચ્ચે કા બોલબાલા’માં તેં એય કરી દેખાડ્યુ. હવે તારુ ‘અવ્વલ નબર’ આવશે ત્યારે જ ‘સચ્ચે કા બોલબાલા’ જરા સારુ કહેવાનો વારો આવશે. ‘ઉત્કર્ષને સીમા હોય છે, અધઃપાતને નથી હોતી’ એ વચન સિદ્ધ કરવાની જવાબદારી તેં પોતે જ પોતાના યુવાન ખભા પર ઉપાડી લીધી ને પાર પાડી દેખાડી, અભિનંદન.

એટલે જ તારી ઓફિસમાં બેસીને મેં પહેલાં જ તને કહ્યુ હતુ, ‘પત્રકારત્વ પર ચિત્રપટ કાઢે છે ને, કાઈ માહિતી, મદદ જોઈતી હોય તો હકથી માગજે.’

એ સાંભળી તેં હાથમાં લાલ રૂમાલ નચાવતાં શું કહ્યુ હતુ યાદ છે? કહ્યું હતું,  ‘મને ખબર છે બધી.’

‘તને કંઈ જ  ખબર નથી રે મૂરખા અને જાણી લેવાની ઇચ્છા પણ નથી.’ આ વાક્ય હોઠ પર આવે તે પહેલાં જ હુ ગળી ગયો. મેં મફતમાં આપવા કહેલી મદદ તેં નકારી એનુ દુઃખ હતુ જ; પણ પોતાને આવી મદદની નિતાંત આવશ્યકતા છે, એનો તને ખ્યાલ પણ ન હોય એનુ દુઃખ વધારે હતુ. શું કપાળ ખબર છે તને? ફક્ત રુસી કરંજિયાની કેબિન જોઈ આવ્યો એટલે પત્યું? બધુ પત્રકારત્વ તેમાં એકઠુ થઈને આવ્યુ? સપાદક ભાડૂતી ગુંડાના માથા પર ટાઇપરાઇટર મારે એટલે જ વર્તમાનપત્રવ્યવસાયે સમાજવિરોધી કારવાઈ વિરુદ્ધ કરેલી નીડર લડાઈ, આવી તારી રોમેન્ટિક સમજ! વર્તમાનપત્રવિક્રેતા (ફૂટપાથ પર) અને સંપાદક (ઉપર કેબિનમાં ) આ સુસવાદ તો ગળગળા કરી મૂકે એવો છે. સંપાદકના આગ્રહથી તેના ઓરડામાં નવી આવેલી ઉપસંપાદક  છોકરી નિર્બંધ નાચતી જોઈને મારુ પત્રકારી જીવન સાર્થક થયુ. (મુંબઈ મરાઠી પત્રકારસંઘ એ તરફ ધ્યાન આપશે?) યુવાન છોકરીના સાથળ પર ગુલાબ એટલે જોનારને ગુલકંદ જ! (આ સાલા સેન્સરને લીધે તારે સાથળ સુધી જ અટકવુ પડે છે. નટખટ સાલા!) એક ખૂબ જૂનુ મરાઠી ભાવગીત હતુ. ‘ચંદ્રાવરતી દોન ગુલાબ’ (ચંદ્ર પર બે ગુલાબ), તેમાં ફક્ત એક શબ્દ બદલીને તુ આવુ ગીત ચિત્રપટમાં મૂકી શક્યો હોત ‘માડ્યા વરતી દોન ગુલાબ, સહજ દ્રષ્ટિલા પડલે આજ’ (સાથળ પર બે ગુલાબ, સહજ દ્રષ્ટિએ પડ્યાં આજ’).

અરે હા! તને મરાઠી ક્યાં આવડે છે. ઘણાં વર્ષો આ માયાનગરીમાં કાઢનારા અમરાઠી  ભાષિકોને મરાઠી બોલતાં આવડતુ હશે કે નહીં આવડતુ હોય, પણ સમજાય છે તે નક્કી. મુંબઈમાં પિસ્તાળીસ વર્ષ કાઢ્યાં પછી પણ તને મરાઠી સ્પર્શી ગઈ નહીં. એનો અર્થ એટલો જ કે તારા હસ્તીદંતી મિનારા પરથી તુ ક્યારેય ઊતર્યો જ નથી. જનસામાન્ય સાથે તારે સપર્ક જ રહ્યો નથી. તારી દુનિયા જુદી છે. (ત્યાં સાથળ પર ગુલાબનાં છૂદણાં હોય છે અને તે આવતાજતાં દેખાડતી પત્રકાર છોકરીઓ હોય છે.) મેં આમ કહ્યુ કે તરત જ તેં એ છેકી નાખીને કહ્યુ હતુ, ‘કોણ કહે છે કે મારે સર્વસામાન્ય માણસ સાથે સંપર્ક નથી? સ્ટુડિયોના કામગારા, મારા સ્ટાફના માણસો, એ શુ સામાન્ય માણસોનુ પ્રતિનિધિત્વ કરતા નથી? ફક્ત રસ્તા પર મળે એમને જ સામાન્ય માણસો કહેવા?’’ તારી દલીલ સારી હતી. ફક્ત તે સાચી નહોતી. તારી વિશાળ કેબિન બહારની દુનિયા સાથે તારાં ચિત્રપટોને કાઈ જ સંબંધ રહ્યો નહોતો. તેમની આશાઆકાંક્ષા, નિરાશા, સમસ્યા અને સ્વપ્નો કશાનુયે પ્રતિબિબ તારા ચિત્રપટોમાં પડતુ નહોતુ. સમાજના કોઈ જ સ્તરના પ્રેક્ષકોને તેમાં પોતાનુ કાઈ મળતુ નહોતુ. માલમતા પર દાવો કરતી વખતે થતા ઝઘડાટંટાને લુચ્ચાઇના ખબર પહેલા પાના પર ફોટાસહિત જિલ્લા સ્તરના સાજના દૈનિક વર્તમાનપત્રમાં પણ આપતા નથી; પણ તુ શું કામ તે જોવા જાય? પ્રેરણા માટે તુ હંમેશાં પરદેશ જાય છે. ત્યાનાં છાપાં જોતો હશે. તેમનો ને અમારો સબધ નથી; એટલે તારો ને અમારો સંબંધ  રહેતો નથી. અગર રોના હૈ તો ઇસી બાત કા!

‘પ્રાઇમ મિનિસ્ટર’નામનુ ચિત્રપટ કાઢવાનુ તારા મનમાં છે, એમ મારા કાન પર આવ્યુ હતુ. મેં તને છોડ્યો. ‘હા, એ એક વિષયનો વિચાર કરુ છુ.’ તુ સાવધાનીથી બોલ્યો. જાણે હુ તે કલ્પના કોઇકને વેચવાનો ન હોઉં! જાણે તે વેચાતી લેવા જેટલો કોઇક ગધેડો મને મળવાનો જ હતો.







    
‘વડો પ્રધાન થયો તેથી શુ થયુ? તેને પણ જીન પહેરવાનુ મન થઈ શકે.’ મારા મનનો વિચાર સમજ્યા વગર સમજ્યો હોય એમ તુ બોલ્યો, ‘તે પણ છેવટે માણસ જ હોય છે. તે પણ પ્રેમમાં પડી શકે.’

મેં તને સભળાય એટલો મોટો નિઃશ્વાસ નાખ્યો. ટૂંકમા, તુ આજ સુધી પડદા પર જે કરતો આવ્યો છે, તે જ વડા પ્રધાન તરીકે પણ કરીશ અને છાપાના સંપાદકથી માંડીને વડાપ્રધાન સુધીની કેવી બહુઢંગી, બહુરંગી ભૂમિકા આપણે સમર્થપણે ભજવી બતાવીએ છીએ એવા ભાવથી કેબિનના બંધ બારણા પાછળ તુ પોતાની પીઠ થાબડી લઈશ.
મને હસવુ આવ્યુ, ચીડ ચડી, માઠુ લાગ્યુ. બીજા બે વિકારોને ઢાંકી દેવા જેટલો માઠુ લાગવાનો ભાવ તીવ્ર હતો. શુ કર્યું છે તેં પોતાનુ પોતાના જ હાથે? વાસ્તવમાં તો રાજ કપૂર, દિલીપકુમાર અને તુ સરખી ઉમ્મરના, સમકાલીન આગળ જતાં રાજ કપૂરનુ લક્ષ અભિનયમાથી ઊડી ગયુ હતુ; તેથી નટ તરીકે તે ‘સ્વયંચીત’ થયો; પણ નિર્માતા-દિગ્દર્શક તરીકે તેણે પહેલો ક્રમાંક  છોડ્યો નહીં. છેવટ સુધી તે ટોપ પર જ હતો. દિલીપકુમારનો એકલાં ચિત્રપટ ખેંચી જવાનો જાદુ પહેલાં જ પૂરો થયો હતો, પણ આજેય ચિત્રપટ તેની આસપાસ કેન્દ્રિત હોય છે. આજે પણ તે ચિત્રપટ પર છવાઈ જાય છે. આજે પણ તેનો દબદબો અને ધાક રતીભર પણ ઓછા થયા નથી. બાકી રહ્યો તુ. યુવાની ટકાવી. બુઢાપાને બારણા બહાર રાખ્યો. કમરનો ઘેરાવો વધવા દીધો નહીં (તેનુ કારણ તેને થયેલી ક્રોનિક  ડિસેંટ્રી એમ ભલેને કહે અશોકકુમાર). ચહેરો ઉમ્મરના પ્રમાણમાં ખૂબ જ તાજો ને પ્રફુલ્લિત રાખ્યો. ખાસ તો તેની પર માંસના  લોચા ચડવા દીધા નહીં. તેથી ટકી રહેવાનો શારીરિક હક તારા કોઈ પણ સહકલાકાર કરતાં તને વધારે હતો. તો પછી તારે આમ ઢસડાવુ કેમ પડે છે? પોતાની કૃતિથી પોતાનુ, રૂપિયાની જેમ સાતત્યથી અવમૂલ્યન કરી લેવાથી તને શું મળ્યુ? હજી ઊગીને ઊભી થયેલી તોછડી છોકરીઓ તારા વિશે જેમ તેમ બોલતી સભળાય ત્યારે શરીરમાં આગ આગ થાય છે. થાય છે કે તેમને કહુ, ‘જાઓ પહેલાં માના પાલવથી નાક લૂછી આવો અને પછી દેવ આનદ વિશે મોઢુ ખોલીને બોલજો.’ પણ આપણો જ રૂપિયો ખોટો, તો તેમને શુ કહુ? આખે પટ્ટી બાધવાની, કાનમાં ડૂચો મારવાનો, તારી જેમ!

અમારી વાત જવા દે, અમે તારા છીએ અને હંમેશાં રહેશુ, કારણ કે તુ દેવ આનદ છે અને અમે અમે છીએ. તુ મુંડી કાપેલા મરઘાની જેમ ત્રાંસો ત્રાંસો  કેવો ચાલે છે, ગોઠણ ઝલાઈ ગયા હોય એમ નાયિકાની પાછળ કેવો દોડે છે, ગીત ગાતી વખતે બને હાથ ખભામાથી કેવા લટકતા રાખે છે, દાંતની ને માથાની ફાટ દેખાડતો કેવો હસે છે, એની મનભરીને ઠઠ્ઠા ઉડાવ્યા પછી, તારા નવા પિક્ચરનુ બુકિંગ શરૂ થાય ત્યારે અમે ચુપચાપ ટિકિટની હારમાં ઊભા રહીએ છીએ. ‘અવ્વલ નબર’ માટે પણ રહીશુ. ગમે તેમ તોય છેવટે એ તારુ પિક્ચર છે. ઘરનુ કાર્ય છે. તને બધુ, બધુ જ માફ છે. અરે ‘સચ્ચે કા બોલબાલા’ પણ, કારણ કે તુ દેવ આનદ છે અને અમે અમે છીએ. મનમોહન દેસાઈ મને કહેતો હતો, ‘એક વાત નહીં ભૂલતા કે દેવ આનંદ  એ એકમેવ સ્ટાર છે. સ્ટારહીરો. તે ચોળાયેલાં કપડામા, દુભાયેલા ચહેરે તમારી સામે આવી જ ન શકે.’ કરેકટ? તને કોઈ આલતુફાલતુ નિર્માતાએ સ્ટાર કર્યો નથી. તે નિમિત્તમાત્ર હતો. તુ સ્ટાર તરીકે જ જન્મ્યો છે; તો પછી નિસ્તેજ થવુ જ હોય તો સ્ટારની જેમ આબ રાખીને નિસ્તેજ થા. નિર્માલ્ય નહીં થતો.

તુ શું, રાજ કપૂર શું, દિલીપકુમાર શું, લતા મગેશકર શું, અમારા ભાવવિશ્વના અવિભાજ્ય અંગ છો. મને જન્મદાતા માનો અવાજ યાદ આવતો નથી, પણ પરમેશ્વરના અસ્તિત્વનો સાક્ષાત્કાર કરાવનાર લતાનો અવાજ ત્યારથી મારા કાનમાં છે. તમારા હોવા પર અમારુ અસ્તિત્વ હતુ. ચંદ્રસૂર્ય છે ત્યાં સુધી તમે હશો  નહીં હો, પણ હુ છુ ત્યાં સુધી તમે નક્કી જ હોવાના, તમારી સામે નજર માંડીને હું વિકટ રસ્તે ચાલનાર હતો. પછી એક રાજ કપૂર ગયો અને મારુ ભાવજીવન વીખરાઈ ગયા જેવુ થયુ. આ રીતે કેમ વચ્ચે જ રસ્તામાં છોડી ગયો? મારા ભાવજીવનનો એક ભાગ અચાનક પૂરો થયો. એક અવયવને લકવો થયો. એક અવયવ નકામો થયો. મૃત્યુ નજીક આવ્યુ. સંધ્યાછાયા દેખાવા માંડી. ખીણોનો સામનો કરવામાં સમય કેમ ગયો તેની ખબર જ ન પડી. હવે તોપગોળાના અવાજ સંભળાવા માડ્યા ને તે બહુ દૂરથીયે લાગતા નથી. આગળ ગયેલાઓને મળવાની ઝંખના જાગી છે. અહીંના પથારામાં મન લાગતુ નથી... થોડા દિવસ પહેલાં ‘ભાઈદાસ’ સભાગૃહના પગથિયા પર કોઈક તિરસ્કારથી બોલ્યુ, ‘સાલા દેવ આનદ કા થોબડા તીન ઘટે કૌન દેખેગા?’ ઇસ કો માર કે નિકાલા તો ભી વાપસ આયેગા પરદે પે.’ મને લાગી આવ્યુ. બહુ લાગી આવ્યુ. ગાડાની જેમ આખમાં પાણી આવશે એવી બીક લાગી. નહીં તોયે હમણાહમણાં તે મોકો જ શોધતાં હોય છે. અરે, હશે અમારો બાપ દારૂડિયો. અમારા ભોગે પીએ છે તે. અમે આપસમાં સમજી લેશુ. બહારનાયે બોલવાની જરૂર નથી. બહુ અવાજ નહીં જોઇએ, કહી રાખુ છુ.

મારી એક વાત સાભળીશ? થોડોક સમય નિર્માણ બધ કર. પોતે ક્યારેક દિગ્દર્શક થવાનો પ્રયત્ન કર્યો હતો એ પણ ભૂલી જા. ‘ગોલ્ડી’ને પાછો બોલાવી લે. તેમાં નાનપ માનવા જેવુ કાઈ નથી. ‘આર. કે.’ની જેમ જ સંગીત ‘નવચેતન’નો આત્મા હતો. હવે બર્મનદાદા રહ્યા નથી, પણ તેથી ભપ્પી લાહિરીના સ્તર પર ઊતરવાનુ નહીં. સંગીત આર. ડી. ને સોંપ. ચિત્રપટના કથાનક તરફ વધુ ધ્યાન આપ. પટકથાલેખનમાં મદદ કરવાના ફંદામાં પડતો નહીં. તે તારુ કામ નથી. મુખ્ય વાત એ કે બહારના ચિત્રપટમાં કામ કરવા માંડ. આટલુ મારુ સાંભળ.

હું ગયે વખતે તારી ઓફિસમાં આવ્યો હતો, ત્યારે તારી કેબિનનુ બારણું અંદરથી ઊઘડતુ નહોતુ. તેં કોઈને બૂમ પાડીને બારણું તરત જ બરાબર કરવાનુ કહ્યુ. હવે તે ઠીક થયુ પણ હશે; પણ તારા મનનાં બારણાં તેં અદરથી બધ કરી દીધાં છે તે કોણ ને ક્યારે ઉઘાડશે?

બારણું ઉઘાડ દેવ! હવે બારણું ઉઘાડ!






સૌજન્ય: ઈમેજ પબ્લિકેશન