Tuesday, February 28, 2012

ગાંધીજી, ગોધરા અને કોમી રમખાણો................................. હુલ્લડોનો ઇતિહાસ છે ૮૦ વર્ષ જૂનો!

ગોધરા કાંડની વરસી હજુ ગઈકાલે જ હતી. તે નિમિતે આ શહેરના રકતરંજીત ઇતિહાસને જાણવાથી ઘણી બાબતો સ્પષ્ટ થશે. ગોધરા-અનુગોધરા માટે ગુજરાતીઓને ભાંડતા લોકોને ખ્યાલ હોવો જોઇએ કે અગાઉ પણ અહીં એક વખત છ મહિના માટે અને ત્યારબાદ એક વર્ષ માટે કરફયુ લાગી ચૂકયો છે. ૧૯ર૭માં સ્થાનિક હિન્દુ અગ્રણી પુરૂષોત્તમ શાહની હત્યાથી શરૂ થયેલા આ દૌરની અંતિમ કડી સાબરમતિ એકસપ્રેસનો હત્યાકાંડ હતી...




ગોધરામાં થયેલા પેલા સુનિયોજિત ક્રુર હત્યાકાંડની વરસી નિમિત્તે સ્વાભાવિક રીતે રાષ્ટ્રીય માધ્યમો પર હૂલ્લડગ્રસ્ત મુસ્લીમ પરિવારોની આપવિતી રાતદિવસ દર્શાવવામાં આવી રહી છે. તેમાંની કેટલીક ઘટનાઓ ખરેખર ધૃજાવી દે તેવી છે. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે, ગોધરાકાંડની વરસીના દહાડે ગોધરાકાંડના પિડીતોને ભૂલી જવાય છે, પણ પોસ્ટ ગોધરા (કર્મશીલો તેને ‘અનુગોધરા’ કહે છે) રાયોટસને સંભારવાનું દિવસો અગાઉ શરૂ થઇ ગયું છે. નરોડા પાટીયા હત્યાકાંડના અસરગ્રસ્તોના તથા ગુલબર્ગના હતભાગીઓના અગણિત ઇન્ટરવ્યુ દરેક ચેનલોમાં આવે છે પરંતુ આ અપરમા-કપરમા દહાડે એકપણ કારસેવકના પરિવારના કોઇ સભ્યનો ચહેરો પણ ટેલીવીઝન પર જોવા મળ્યો નથી. એસ. સિકસના ડબ્બામાં ભુંજાઇ ગયેલા નિર્દોષ લોકોના પરિવારો શું કોઇ જ તકલિફોમાંથી પસાર નહિ થયા હોય? શું એમને આઘાત-નુકસાન નહિ પહોંચ્યા હોય ?

ગોધરા કાંડની દરેક વરસી સમયે આવી અનેક બાબતોનો અહેસાસ થાય છે, આવા અનેક સવાલો સર્જાય છે. વાસ્તવિકતા એ છે કે, ગોધરા સાથે આવા સવાલો દાયકાઓથી વિંટળાયેલા છે.  આજે કર્મશીલો અને સેકયુલરિસ્ટો તથા ટીવીની ન્યુઝ ચેનલોના પત્રકારો જે રીતે ઘટનાનું એકતરફી પાસું રજુ કરી રહ્યા છે એવું અગાઉ પણ બની ચુકયું છે. અને અગાઉ આવું કરનારા બીજા કોઇ નહિં, ખુદ મહાત્મા ગાંધી હતાં.

કોમી હુલ્લડો એ ગોધરા માટે કોઇ નવી બાબત નથી. અહીં હિન્દુમુસ્લીમો વચ્ચે અનેક વખત હિંસક હૂલ્લડો થઇ ચૂકયા છે. જે વિગતો વિવિધ માધ્યમો દ્વારા ઉપલબ્ધ છે. તેનાં પરથી સાબિત થાય છે કે, અહીં મોટાભાગે હિન્દુઓના હિસ્સે સહન કરવાનું આવ્યું છે. મુસ્લીમોને સમર્પિત પ્રથમ હરોળની વેબસાઇટ  પર પણ મુકાયેલા લેખમાં ગોધરાની કોમી હિંસા અંગે જે ઇતિહાસ અપાયો છે તેમાં પણ હિન્દુઓને ભોગવવી પડેલી આ પીડા પડઘાય છે. ઊંડા ઉતરીએ તો ખ્યાલ આવે છે કે, આ અશાંતિના બીજ છેક ૧૯ર૭  માં રોપાયા હતાં. સ્થાનિક હિન્દુ અગ્રણી પુરુષોત્તમ શાહની મુસ્લીમોએ હત્યા કરી અને ધમાલ શરૂ થઇ. ગાંધીજીએ ‘નવજીવનમાં એક લેખ લખ્યો, જેનું શિર્ષક હતું:  ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ ઝઘડાઓ’ ગાંધીજીના આ લેખ સામે હિન્દુઓએ જબરદસ્ત વાંધો નોંધાવ્યો. કારણ કે, તેમનાં મતે એ હુમલો કે એ બનાવ હુલ્લડ ન ગણી શકાય, હુલ્લડોમાં બે જૂથો એકમેક સાથે લડતા હોય છે, સ્થાનિક લોકોના મતે આ અથડામણો એકતરફી હતી, હિન્દુઓએ તો માત્ર અત્યાચાર વેઠવાનું જ બન્યું હતું.’ વિરોધ  એટલો પ્રબળ બન્યો કે, ગાંધીજીએ આ વિવાદ અંગે ‘યંગ ઇન્ડિયા’ (ઓકટોબર ૧૧, ૧૯ર૮)માં એક લેખ લખી પોતાનો પક્ષ સ્પષ્ટ કરવો પડયો. એ લેખમાં તેમણે લખ્યું:



‘બે અઠવાડીયા પહેલા ‘નવજીવન’ માં મે ગોધરાના દુઃખદ બનાવો વિશે એક નોંધ લખી હતી. જયાં શ્રી પુરૂષોતમ શાહ બહાદુરીપૂર્વક મોતને ભેંટયા હતાં. જેનું મથાળું મેં ‘ગોધરામાં હિન્દુમુસ્લીમ રમખાણ’, એવું કયું હતું અનેક હિન્દુઓને આ ગમ્યું નથી અને તેમણે ગુસ્સે થઇ મને આ ભુલ સુધારવા પત્રો લખ્યા છે. હું તેમની માંગ પૂરી કરી શકુ તેમ નથી. એ ઘટનામાં કોઇ એક વ્યકિત જ પિડીત હોય તો પણ તેમાં બે કોમ વચ્ચે ખુલ્લેઆમ રમખાણ હોય કે પછી એક કોમ દ્વારા જ હુમલાઓ હોય અને બીજી કોમએ સહન કરવાનું જ બન્યું હોય, તો પણ જો એ બનાવ બે કોમ વચ્ચેના કુસંપના પરિણામે નિપજયો હોય તો માટે તેને રમખાણ જ ગણાવવા રહયાં. સદ્દભાગ્યે, ગ્રામ્ય વિસ્તારોમાં હજુ હુલ્લડોનો આ રોગ પ્રસર્યો નથી, નગરો અને શહેરો પુરતો જ મર્યાદિત રહ્યો છે. મને જેણે પત્રો લખી વિરોધ નોંધાવ્યો છે તેમણે પણ એક વાત કબુલ કરી છે કે, આ હુલ્લડો બે કોમ વચ્ચેના કુસંપના કારણે નિપજયા છે. મને લખનાર લોકોનો વાંધો માત્ર હેડિંગ સામે હોત તો મારે આ લેખ લખવાનો રહેતો નહોતો. પરંતુ મને મળેલા અન્ય પત્રોમાં બીજી પણ કેટલીક વિગતો છે. અમદાવાદથી ગોધરા ગયેલા એક સ્વયંસેવકએ મને લખ્યું છે કે, ‘તમે કહ્યું કે, તમારે આ બાબતે ચુપ રહેવું જોઇએ. તો તમે ખિલાફત અંગે શા માટે ખામોશ રહેતા નથી?’ અમને મુસ્લીમોનો સાથ આપવાનું શા માટે કહો છો? તમે તમારા અહિંસાના સિધ્ધાંતો અંગે શા માટે ચૂપ રહેતા નથી? જયારે આવી અથડામણો થાય ત્યારે ચુપકીદી સેવવાનું તમારું વલણ કેવી રીતે તમે વાજબી ઠેરવાશો? બે કોમ એકમેકના ગળા વાઢવા તત્પર હોય, હિન્દુઓનો કોઇ અણૂઓની માફક ભૂકકો કરી દેવાતો હોય, અહિંસાની વાત જ કયાં આવે છે?’

મહાત્મા ગાંધીને આવા આકરાં પ્રશ્નો પુછી, પત્રલેખક તેમનું ધ્યાન બે બાબતે દોરે છે. યાદ રહે, આ તમામ વાતોનો ખુલાસો ખુદ ગાંધીજી કરે છે. પત્રમાં પેલા ભાઇ લેખે છેઃ

‘એક હિન્દુ દુકાનદાર મારી સમક્ષ ફરિયાદ કરે છે કે, મુસલમાનો તેમની પાસેથી ચોખાની ગૂણી ખરીદે છે પરંતુ અનેક વખત એવું બને છે કે, તેઓ પૈસા ચુકવતા નથી. હું પૈસા માટે દબાણ કરી શકતો નથી કારણે કે, એવું કરું તો મારી વખારો લૂંટાઇ જાય! તેથી જ મારે દર મહિને તેમને પ૦ થી ૭૦ ગુણી ચોખા મફતમાં આપી દેવા પડે છે!’
‘બીજી ફરીયાદ :   મુસલમાનો અમારા ઘેર ધસી આવે છે, અમારી હાજરીમાં અમારી સ્ત્રીઓનું અપમાન કરે છે, અમારે ખામોશ થઇ બેઠા રહેવું પડે છે. જો અમે વિરોધ કરીએ તો આવી જ બન્યું સમજો. અમે તો ફરિયાદ પણ કરી શકતા નથી!’
આટલું લખ્યા પછી પત્રલેખક ગાંધીજીને પૂછે છે: ‘આવા કિસ્સાઓમાં તમે શી સલાહ આપશો? તમારી અહિંસા અહીં કેવી ભૂમિકા ભજવી શકે ? કે અહીં પણ તમે ચૂપ રહેવાનું પસંદ કરશો?’

 ગાંધીજી લખે છે :  ‘આ અને આવા અનેક પ્રશ્નો મને પૂછવામાં આવે છે. પુનરોકિતના ડર સાથે પણ હું કેટલીક વાતો કહેવા માંગુ છું: અહિંસા એ ડરપોકકાયરનો માર્ગ નથી. એ મોતને ભેંટવા પણ તૈયાર શૂરવિરોનો પંથ છે.  જે લોકો હાથમાં તલવાર ઝીલે છે એ તો બહાદુર છે જ. પણ એક આંગળી પણ નહિં ઉઠાવનાર સવાયો શૂરવિર છે ! પરંતુ મારના ડરથી પોતાની ચોખાની થેલીઓ આપી દેનાર તો ડરપોક જ ગણાય, તે અહિંસાનો સમર્થક ન ગણાય. જે લોકો મારથી ડરે, પોતાના બૈરાછોકરાઓ અને મિલકતોનું રક્ષણ ન કરી શકે એ મર્દ નથી, કાયર છે. તેને કોઇના પિતા, ભાઇ કે પતિ બનવાનો હકક નથી.’
ગાંધીએ તો ગોધરાના માત્ર એકલદોકલ બનાવો અંગે લખ્યું હતું. હકીકત એ છે કે, ગોધરાનો ઇતિહાસ આવા અનેક બનાવો થકી ખરડાયેલો છે. સાબરમતિ એકસપ્રેસનો બનાવ તો આ શરમજનક સિલસિલાની એક કડી માત્ર હતો. મેગેઝિન ‘રાષ્ટ્રીય સહારા’ અને ‘વિશ્વ સંવાદ કેન્દ્ર’એ ગોધરાના રકતરંજીત ઇતિહાસ અંગે અહેવાલો લખ્યા છે જે મુજબ ૧૯ર૭થી આજ લગીમાં ગોધરા અનેક વખત સળગી ચૂકયું છે. આ લેખની મોટાભાગની વિગતો, એ બેઉ અહેવાલોમાંથી મેળવવામાં આવી છે. ગોધરાકાંડ બદલ ગુજરાત આખાને ભાંડતા લોકોએ યાદ રાખવું જોઇએ કે ગોધરામાં અગાઉ એક વખત છ મહિના સુધી અને ત્યારબાદ એક વર્ષ સુધી કરફયુ લાગી ચૂકયો છે ! અહીંના કેટલાંક લઘુમતિઓનું પાકિસ્તાન કનેકશન એકાધિક વખત પુરવાર થઇ ચૂકયું છે. હત્યાકાંડોના આ બનાવો પર એક નજર નાંખવા જેવું છે.
૧૯ર૭-ર૮ :  સ્થાનિક હિન્દુ અગ્રણી પી.એમ. શાહની મુસ્લિમો દ્વારા હત્યા.

૧૯૪૬ :  એક પારસી સોલાપુરી ફોજદાર પર હુલ્લડો દરમિયાન હુમલો કરવા બદલ પાકિસ્તાન તરફી મુસ્લિમ નેતા સદવા હાજી અને ચુડિગરને જવાબદાર ઠેરવાયા. ભાગલા બાદ ચુડિગર પાકિસ્તાન જતા રહ્યાં.

૧૯૪૮ :  સદવા હાજીએ કાવત્રુ ઘડી જિલ્લા કલેકટર પિમ્પુટકર જીવલેણ ગણાય તેવો હુમલો કરાવ્યો. જો કે, કલેકટરના બોડીગાર્ડએ પોતાનાં પ્રાણની આહૂતિ આપી, કલેકટરના પ્રાણ બચાવી લીધા. ઘટના પછી સદવા હાજી પણ પાકિસ્તાન સ્થાયી થઇ ગયો.

૧૯૪૮ :  તારીખ ર૪ માર્ચ૧૯૪૮ના દિવસે શહેરના જહુરપુર વિસ્તારમાં બે હિન્દુઓને છૂરા હૂલાવી તેમની હત્યા કરી નાંખી. શહેરના અનેક હિન્દુ મંદિરો ઉપરાંત હિન્દુઓના બે હજાર મકાનો સળગાવી દેવાયા. જિલ્લા કલેકટર પિમ્પુટકરએ અથાક પ્રયત્નો કરી હિન્દુઓની બાકીની મિલકતો બચાવી. પરિસ્થિતિ કાબુમાં લાવવા તેમણે શહેરમાં કરફયુ લાદયો, જે છ મહિના સુધી લંબાવાયો.

૧૯૬પ :   પોલીસ ચોકી નં. ૭ નજીક આવેલી હિન્દુઓની દુકાન પર નજીકમાં રહેતા મુસ્લિમોના ઘરમાંથી સળગતા કાકડા ફેંકવામાં આવ્યા અને દુકાનો સળગી ગઇ. અહેવાલો એવા આવ્યા કે, તોફાની તત્વોને સ્થાનિક કોંગ્રેસીલઘુમતિ ધારાસભ્યનો ટેકો હતો. પોલીસ ચોકી નં. ૭ ના પોલીસ ઇન્સ્પેકટર પર મુસ્લિમ સમાજના અસામાજીક તત્વોએ સરેઆમ હૂમલો કર્યો.

૧૯૮૦: શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં અસ્સલ આ જ પ્રકારનો હુમલો થયો. મુસ્લિમોમાંથી કેટલાંક અસામાજિક તત્વોએ ધમાલ શરૂ કરી અને પાંચ તથા સાત વર્ષના એક બાળક સાથે કુલ પાંચ હિન્દુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા. શીખોના એક ગુરૂદ્વારાને પણ આગ ચાંપી દેવામાં આવી. હિન્દુઓની ચાલીસ દુકાનો બાળી નંખાઇ. પરિસ્થિતિ થાળે પાડવા કરફયુ લદાયો જે એક વર્ષ સુધી અમલમાં રહ્યો.!

૧૯૯૦ :  ર૦ નવેમ્બરના દિવસે અહીંના વ્હોરાવાડ વિસ્તારમાં આવેલા મદેરસામાંં ચાર શિક્ષકશિક્ષિકાઓને જીવતા સળગાવી દેવાયા. એક હિન્દુ દરજીને ખુલ્લેઆમ છરી ભોંકી દેવાઇ. લઘુમતિ એવા સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય સામે આંગળી ચિંધાઇ.

૧૯૯ર :  હિન્દુઓના એકસો કરતાં વધુ મકાનો સળગાવી દેવાયા. રેલવે સ્ટેશન નજીકનો આ આખો વિસ્તાર હિન્દુઓ છોડી ગયા. 

ર૦૦રઃ સાબરમતિ એકસપ્રેસનો એસ૬ ડબ્બો સળગાવાયો અને પાંચ ડઝન જેટલાં હિન્દુઓ જીવતા ભુંજાયા. જેના પગલે આખું ગુજરાત સળગી ઉઠયું.
------------------------------------------------
------------------------------------------------

 સવાલ એ છે કે, ગોધરાના કાળા ઇતિહાસને જાણ્યા પછી પણ બિનસાંપ્રદાયિકો એવો દાવો કરશે કે, એસ-૬ ડબ્બાને ચાંપવામાં આવેલી આગ એ કોઇ પૂર્વનિયોજિત કાવતરૂ નહોતું પણ ક્ષણિક આવેગ-આવેશમાં થયેલું કૃત્ય હતું ?

*"અકિલા"માં પ્રકાશિત 

Monday, February 27, 2012

ભારતીય સિનેમાની ટોપ-ટેન ફિલ્મો: બગીચામાંથી અમે ચૂંટ્યા સૌથી સુંદર ફૂલ... !!



બે પ્રકરણની આ લેખમાળાના પ્રથમ પ્રકરણમાં આપણે વીસથી અગિયાર નંબરની ફિલ્મો વિશે વાત કરી, આ પ્રકરણમાં વાત કરીએ ટોપ-ટેન ફિલ્મો અંગે... 


લગભગ ૯૬ વર્ષનો ઇતિહાસ ભારતીય સિનેમાનો. આ દસ દાયકા દરમિયાન ચિત્રપટ ઉદ્યોગે અનેક ધૂપછાંવ નિહાળ્યા. કંઇ કેટલાંય સર્જકો આવ્યાં અને ગયા. કંઇ કેટલીય ફિલ્મો બની. હજ્જારોની સંખ્યામાં. હિન્દી સિનેમા,બંગાળી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ અને તેનાં જેવી વિવિધ ભાષાઓમાં હજારો ફિલ્મોનું નિર્માણ થયું. કોઇ તમનેએમ કહે કે આ હજારો ફિલ્મનાં ઢગલામાંથી સર્વશ્રેષ્ઠ ગણાય એવી વીસ ફિલ્મોનાં નામ કહો. તમારી શી હાલતથાય? બહુ કપરૂં કામ છે. ફુલોનાં એક બગીચામાંથી સૌથી સુંદર વીસ ફુલો શોધવા જેવું જ. પરંતુ આવું કપરૂં કાર્ય હમણાં હાથ ધરવામાં આવ્યું હતું.



ગોવામાં યોજાયેલા ચાલીસમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં T-20 ઓફ ઇન્ડિયન સિનેમાની યાદી જાહેર કરાઇ.આ યાદીમાં ભારતીય સિનેમા (હિન્દી જ નહીં)ની વીસ શ્રેષ્ઠતમ્ ફિલ્મો પસંદ કરવામાં આવી. આ માટે સૌપ્રથમ ૧૦૦ભારતીય ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. જેમાંથી વીસ ફિલ્મો સિલેક્ટ કરવાની જવાબદારી સોંપાઇ કેટલાંકખ્યાતનામ ફિલ્મ સર્જકો તથા વિખ્યાત વિવેચકોને. ફિલ્મ સર્જકોમાં વિશાલ ભારદ્વાજ, નાગેશ કુકુનર, મધુર ભંડારકરજેવાં નિર્દેશકો સાથે બંગાળીના ઙ્ગતુપર્ણો ઘોષ, તમિળના ચેરન, મલયાલમના શ્યામાપ્રસાદ, કન્નડના પી. શેષાદ્રી,અસમીયાના મંજુ બોરા, મરાઠીના ગજેન્દ્ર આહીરે તથા રાહુલ ધોળકીયા જેવાં ચહેરાઓ હતા જ્યારે વિવેચકોમાંકોચીનનાં એન.સી. રાજા નારાયણન, બેંગલોરના રાઘવેન્દ્ર, ગોવાનાં રાજુ નાઇક, દિલ્હીના સૈબલ ચેટરજી, મુંબઇનાઅનૂપમા ચોપરા તથા અશોક રાણે, કલકત્તાના સ્વપન મલ્લીક જેવાં જાણકાર લોકો હતાં.


‘T-20 ઓફ ઇન્ડિયન સિનેમા’ નક્કી કરવા માટે બોક્સ ઓફિસ કલેકશનને બિલકુલ મહત્વ અપાયું નથી. આખી યાદી૧૦૦ ફિલ્મોની હતી. જેમાં બિમલ રોયની ‘દેવદાસ’થી લઇ છેક ‘લગે રહો મુન્નાભાઇ’ સુધીની ફિલ્મો સામેલ હતી.સ્વાભાવિક છે કે આવી યાદી વિશે લોકોમાં એકમત ન જ હોય. કોઇ કહે કે મુન્નાભાઇ તો આ યાદીમાં હોવું જ જોઇએ ને!તો કોઇ વળી કહે કે ‘ઓમકારા’ વગર યાદી અધુરી ગણાય. આ બધાં અભિપ્રાયો વચ્ચે પણ T-20ની આ યાદી એટલીતટસ્થ અને મજબૂત બની છે કે તેનાં તરફ કોઇ ભાગ્યે જ આંગળી ચીંધશે. T-20ની આ યાદી ફિલ્મ રસિકોને ફરી એકવખત યાદ અપાવે છે કે ભારતીય સિનેમા એટલે માત્ર હિન્દી ફિલ્મો જ નહીં! તેમાં બીજું ઘણું બધું આવી જાય છે.  બે પ્રકરણની આ લેખમાળાના પ્રથમ પ્રકરણમાં આપણે વીસથી અગિયાર નંબરની ફિલ્મો વિશે વાત કરી, આ પ્રકરણમાં વાત કરીએ ટોપ-ટેન ફિલ્મો અંગે...  









૧૦
ઘટશ્રાદ્ધ (કન્નડ)
નિર્દેશનઃ ગિરિશ કસરાવલ્લી
કલાકારોઃ અજિત કુમાર, મીના કુટ્ટપ્પા, રામાસ્વામિ અયંગર


૧૯૭૩માં બનેલી ‘ઘટશ્રાદ્ધ’ એક કુરિવાજ પર બનેલી સંવેદનાસભર ફિલ્મ છે. યુ.આર. અનંતમૂર્તિની નવલકથા પરથી બનેલી ‘ઘટશ્રાદ્ધ’માં કર્ણાટકના એક સાવ નાનકડા ગામડાનાં રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારની વાત છે. ૧૯૨૦ આસપાસનો કાળખંડ દર્શાવતી ‘ઘટશ્રાદ્ધ’ની કથા અનોખી છે. એક બ્રાહ્મણ પિતાની પુત્રી તેમાં બાળ વિધવા થઇ હોય છે. એ પિતાના ઘેર રહે છે. પિતા એક શાળા ચલાવે છે જેમાં અનેક છોકરાંઓ ભણવા આવે છે. પેલી છોકરી પછી શાળાનાં જ એક શિક્ષકના પ્રેમમાં પડે છે અને કાચી વયે જ ગર્ભવતી બને છે. એ જાતે જ પોતાનો ગર્ભપાત કરવાનો અને ત્યાર પછી આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. ગામડાંના રિવાજ મુજબ તેનાં પિતા તેનું ‘ઘાટશ્રાદ્ધ’ કરે છે. અર્થાત્ તેનો ગામનિકાલ કરે છે. ‘ઘટશ્રાદ્ધ’ એક નિતાંત સંવેદનાસભર ફિલ્મ છે. માત્ર કન્નડ સિનેમા નહીં, ભારતીય સિનેમાના તમામ પંડિતોએ તેની નોંધ લીધી છે.






મધર ઇન્ડિયાઃ
નિર્દેશનઃ મહેબૂબ ખાન
કલાકારોઃ નરગિસ, રાજ કુમાર, સુનિલ દત્ત, રાજેન્દ્ર કુમાર

પરિવારને આર્થિક અને બીજા અનેક સંકટોમાંથી ઉગારતી એક માતાના સંઘર્ષની હૃદયસ્પર્શી દાસ્તાન. ઉત્તમ સંગીત, શ્રેષ્ઠતમ્ નિર્દેશન અને નરગિસનો મજબૂત અભિનય. અને અફલાતૂન સ્ક્રિપ્ટ.
ગરીબીની યાતના જીરવતી એક વિધવા માતા પેટે પાટા બાંધીને પોતાનાં બે સંતાનોને ઉછેરે છે. અને પોતાનાં સિદ્ધાંતો ખાતર એક એવું બલિદાન આપે છે જેની કલ્પના પણ સામાન્ય સ્ત્રી ન કરી શકે. ‘મધર ઇન્ડિયા’ એવી ફિલ્મ છે જેણે નરગિસને એક આગવી ઓળખ આપી, મહેબૂબ ખાનની સર્જનાત્મકતાને તેણે નવી ઉંચાઇએ પહોંચાડી.






ગર્મ હવા (ઉર્દુ)
નિર્દેશનઃ એમ.એસ. સથ્યું 
કલાકારોઃ બલરાજ સાહની, દિનાનાથ ઝુત્શી, ગીતા સિદ્ધાર્થ, 
શૌકત કૈફી, ફારૂક શેખ, જલાલ આગા

ભાગલા સમયે સર્જાયેલી પરિસ્થિતિ પર ભારતમાં અનેક ફિલ્મો બની છે. લાખો પરિવારો મુંઝવણમાં હતાઃ મુસ્લિમ પરિવારો સામે યક્ષપ્રશ્ન હતો કે પાકિસ્તાનમાં જવું કે ભારતમાં રહેવું? આગ્રાનાં એક મુસ્લિમ પરિવારની આવી જ મનોદશાનું ‘ગર્મ હવા’માં અદ્ભુત નિરૂપણ થયું છે.
ઇપ્ટાના સ્ટેજ ડિરેક્ટર સથ્પુની આ પ્રથમ ફિલ્મ હતી. ભાગલા સમયના આગ્રાનું તેમણે તેમાં આબેહૂબ ચિત્રણ કર્યુ છે. ૧૯૭૩માં રિલીઝ થયેલી ‘ગર્મ હવા’માં બલરાજ સાહની છેલ્લી વખત કોઇ મહત્વના પાત્રમાં દેખાયા હતા. ફિલ્મમાં અન્ય કલાકારોનો અભિનય તો સારો છે જ પણ બલરાજ સાહની અહીં પાત્ર જીવી ગયા છે.






ભુવન શોમ  (બંગાળી)
નિર્દેશનઃ મૃણાલ સેન
કલાકારોઃ ઉત્પલ દત્ત, સુહાસિની મૂળે, સાધુ મેહર, શેખર ચેટરજી


‘સ્મોલ ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશન’ દ્વારા નિર્મિત આ ફિલ્મથી મૃણાલ સેનની પ્રથમ વખત રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ હતી. ઘણાં લોકો તેને ભારતીય સિનેમાના નવા યુગની શરૂઆત પણ માને છે. બહુ ઓછા લોકોને ખબર છે કે આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ સૌરાષ્ટ્રમાં, ભાવનગર પાસે થયું હતું.
સ્વાતંત્ર્યના શરૂઆતમાં વર્ષાની પૃષ્ઠભૂમિ ધરાવતી ‘ભુવન શોમ’ એક વ્યંગાત્મક ફિલ્મ છે. ફિલ્મનું મુખ્ય પાત્ર એવાં એક રેલવે અધિકારી એક ટિકિટ કલેકટરને ગેરરીતિ કરતો પકડે છે અને તેને નોકરીમાંથી કાઢી મુકે છે. આ ઘટના પછી એ રજાઓ માણવા ગુજરાત આવે છે. અહીં સૌરાષ્ટ્રમાં તેની મુલાકાત એક ગામડીયણ સ્ત્રી સાથે થાય છે. બને છે એવું કે એ સ્ત્રી પેલા ટિકિટ કલેકટરની પત્ની હોય છે. રેલવે અધિકારીને એ સ્ત્રી સાથે ખૂબ વાતો કરવાનું બને છે. અને જ્યારે પાછો ફરે છે ત્યારે જીવન પ્રત્યેનો તેનો અભિગમ, તેની દ્રષ્ટિ બદલાઇ ગયા હોય છે. તક મળે તો અવશ્ય જોવા જેવી ફિલ્મ.






પ્યાસાઃ
નિર્દેશનઃ ગુરૂ દત્ત
કલાકારોઃ ગુરૂ દત્ત, વહીદા રેહમાન, માલા સિન્હા, રેહમાન




દિલીપ કુમારની ‘દેવદાસ’ના કારણે જેમ ઘણાં લોકો ડિપ્રેશનનો શિકાર થયા હતા એવી જ રીતે ‘પ્યાસા’એ નિષ્ફળ ગયેલા સર્જકો પર ઘેરી અસર છોડી હતી. ‘પ્યાસા’માં ગુરૂ દત્તએ જે સિનેમેટિક કમાલ કરી છે એ એવા દરજ્જાની હતી કે એ પછી એમની નકલ પણ કોઇ કરી શક્યું નથી. ગુરૂ દત્તની ફિલ્મમાં પાત્રોએ ચહેરા પર હાવભાવ લાવવાનું, આંખોથી અભિનય કરવાનું ફરજીયાત બની જતું. કારણ કે, કલોઝઅપના તેઓ આગ્રહી હતા. એમનું ફિલ્મ મેકિંગ એમનું આગવું, વિરલ અને વિશિષ્ટ રહેતું.
શરદબાબુની નવલકથા ‘શ્રીકાંત’ પરથી બનેલી ‘પ્યાસા’ એક નિષ્ફળ શાયરની કહાની છે. દુનિયા એના સર્જનને સમજી શકતી નથી. પ્રેમિકા એક પબ્લિશરને પરણી ગઇ હોય છે. નાયક પછી હતાશામાં સડકો પર દિવસો વિતાવતો હોય છે જ્યાં તેની મુલાકાત એક વેશ્યા સાથે થાય છે. અને તેનું જીવન પલટાઇ જાય છે. ‘પ્યાસા’નું સંગીત એ તેનું અન્ય એક જમાપાસું હતું.






દો બીઘા ઝમીનઃ
નિર્દેશનઃ બિમલ રોય
કલાકારોઃ બલરાજ સાહની, નિરૂપા રોય, મુરાદ, 
જગદીપ, નાના પાલ્સીકર

બિમલદાની આ ફિલ્મને ‘રિયલિસ્ટિક સિનેમા’નું શ્રેષ્ઠ ઉદાહરણ ગણી શકાય. આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થયો પરંતુ સમાજને કોરી ખાતી ઉધઇઓ અને સોસાયટી પર ચડી બેઠેલા ડાયનોસોરથી મુક્ત નથી થયો. ભારતના લોકો જ્યારે અંગ્રેજો સામે આઝાદી માટે લડી રહ્યાં હતાં ત્યારે એમણે સ્વતંત્ર ભારત વિશે અનેક રંગીન કલ્પનાઓ કરી હતી. કોઇ કાચા કુંવારા યુવકયુવતિ લગ્ન વિશે જેવી કલ્પનાઓ કરે છે એવી જ કંઇક. પણ ભારત આઝાદ થયું અને ઘણાં લોકોના મોહભંગ થઇ ગયો. યે વોહ સુબહ તો નહીં! ચોમેર અવ્યવસ્થા, ગરીબી, અજ્ઞાન, અંધશ્રદ્ધા અને નિષ્ફળ લોકશાહી... આવી જ સામાજીક વેદનાઓમાંથી સ્વાતંત્ર્યના પ્રથમ વીસ વર્ષમાં અનેક ફિલ્મો સર્જાઇ. ‘દો બીઘા ઝમીન’ આવી જ એક ફિલ્મ.
જમીનદાર અને વ્યાજખોરોની લાલચનો શિકાર બનતો એક નાનો ખેડૂત, તેનાં કારણે નર્ક થઇ જતી તેની જિંદગી, શહેરમાં કાળી મજુરી કરવાની મજબૂરી... આ ફિલ્મ કરૂણ છે પરંતુ વાસ્તવિક છે. બલરાજ સાહનીએ એકલા હાથે ફિલ્મ ઉંચકી લીધી છે એવું કહીએ તો એ બિલકુલ અતિશયોકિત નહીં ગણાય.




શોલેઃ
નિર્દેશનઃ રમેશ સિપ્પી
કલાકારોઃ સંજીવ કુમાર, ધર્મેન્દ્ર, અમિતાભ, અમજદ ખાન, 
જયા ભાદુરી, હેમા માલિની


અસ્સલ બોલીવુડ મસ્સાલા ફિલ્મ. એક જ ફિલ્મમાં શું-શું નથી! દર્દ, બદલો, એકશન, કોમેડી, સંગીત, પ્રેમ... પણ ભેળ એવી બની છે કે કોઇ જ તત્વ તમને વધુ ન લાગે, ન કંઇ ઓછું લાગે. પાત્રાલેખન એવાં કે ઠાકુર, ગબ્બર, જયવીરૂ, સુરમા ભોપાલી તથા અંગ્રેજના જમાનાનાં જેલર અને બસંતી આજે પણ ભૂલાયા નથી. ગબ્બરના ચમચા એવા સામ્ભા અને કાલિયા પણ હજુ લોકોને યાદ છે. સિનેમેટોગ્રાફી અદ્ભુત, સ્ક્રિપ્ટ એકદમ ટાઇટ અને એકટર્સના પરફોરમન્સ આલા દરજ્જાનાં.
‘શોલે’ને એક ફિલ્મ જ નહીં, ઘટના પણ કહેવી પડે. એક એવી ઘટના કે જેણે હિન્દી સિનેમા પર ઘેરો પ્રભાવ પાડ્યો. ‘શોલે’ના કારણે એક આખી પેઢી ફિલ્મ જોતી થઇ અને એક આખી પેઢીમાં તેણે સિનેમા પ્રત્યે આકર્ષણ પેદા કર્યુ.






પથેર પાંચાલી (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ કનુ બેનરજી, કરૂણા બેનરજી, ઉમા દાસગુપ્તા


બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની નવલકથા પરથી બનેલી, ‘અપુ ટ્રાયોલોજી’ની પ્રથમ ફિલ્મ. અપુ નામનો એક બાળક બંગાળના એક નાનકડા ગામડામાં રહહ છે. પરિવાર ગરીબ છે પણ ભાઇબહેન ગેલગમ્મતામાં જીવન વિતાવે છે. એમની નિર્દોષ વાતો, નિર્ભેળ આનંદ, ગ્રામીણ ભારતનું સૌંદર્ય... બધું જ ફિલ્મમાં સુંદર રીતે કંડારવામાં આવ્યું છે. આ ફિલ્મ થકી ભારતીય સિનેમાને આખા વિશ્વમાં ઓળખ મળી.




ચારૂલતા (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ સૌમિત્ર ચેટરજી, માધબી ચેટરજી, સૈલન મુખરજી


અનેક અદ્ભુત ફિલ્મો બનાવનારા સત્યજીત રેને અંગત રીતે ચારૂલતા સૌથી પ્રિય હતી. રવિન્દ્રનાથ ટાગોરની કૃતિ ‘નોરતો નીર’ પરથી બનેલી ‘ચારૂલતા’ ઓગણીસમીન સદીમાં બંગાળમાં ચાલેલી રિફોર્મ મૂવમેન્ટ પર આધારીત છે. એકલતા, વ્યથા, જુલ્મ અને ન્યાયની વાત કરતી આ ફિલ્મમાં રે બાબુનો સિનેમેટિક ચમત્કાર ઉંચાઇએ પહોંચ્યો છે. તેમની સિનેમા સૂઝ અહીં પુરબહારમાં ખીલી ઉઠી છે.




મેઘે ઢાકા તારા (બંગાળી)
નિર્દેશનઃ ઋત્વિક ઘટક
કલાકારોઃ સુપ્રિયા ચૌધરી, અનિલ ચેટરજી,
 બિજોન ભટ્ટાચાર્ય, ગીતા ડે


ઋત્વિક ઘટકને ઘણાં લોકો સત્યજીત રે કરતાં પણ મહાન ફિલ્મ સર્જક માને છે. ‘મેઘે ઢાકા તારા’ નિશંકપણે તેમનું શ્રેષ્ઠતમ્ સર્જન છે. ‘મેઘે ઢાકા તારા’ એટલે વાદળથી ઢંકાયેલો ચંદ્રમા. અહીં એક પરિવારની એવી પુત્રીની વાત છે જે પોતાના કુટુંબ માટે પોતાની જાત નીચોવી નાંખે છે અને બદલામાં તેને મળે છે જીવલેણ બિમારી. પોતાનાં ભાઇનો કેરિયર બનાવવા, બહેનને આગળ વધારવા અને પરિવારનું ગાડું ગબડાવવા એ તનતોડ મહેનત કરે છે, પોતાનાં તમામ નાનામોટા સુખનું બલિદાન આપે છે. તેનાં પોતાનાં હિસ્સાનું બધું જ એ પરિવારને આપી દે છે. પોતે જેને પ્રેમ કરતી હોય છે એને જ તેની નાની બહેન પણ પ્રેમ કરે છે. અહીં પણ એ જ ત્યાગ કરે છે અને છેવટે તેને ટી.બી. લાગુ પડે છે. સિનેટોરિયમાં દાખલ નાયિકા સબડતી હોય છે. તેની વર્ષોની મહેનત થકી તેનો ભાઇ સંગીતના ક્ષેત્રમાં જામી જાય છે અને નાની બહેનને ત્યાં પુત્રજન્મ થાય છે. પરિવારનાં દુઃખના દહાડા વિતી જાય છે ત્યારે નાયિકા પાસે ઝાઝા શ્વાસ બચ્યા નથી હોતા. સિનેટોરિયમના બિછાને એ ચીલ્લાઇ ઉઠે છે અને કહે છે કે ‘મારે હજુ જીવવું છે!’




*"અકિલા"માં પ્રકાશિત 

Thursday, February 23, 2012

ભારતીય સિનેમાના ઇતિહાસની ટોપ-૨૦ ફિલ્મોની વાત...






લગભગ ૯૬ વર્ષનો ઇતિહાસ ભારતીય સિનેમાનો. દસ દાયકા દરમિયાન ચિત્રપટ ઉદ્યોગે અનેક ધૂપછાંવ નિહાળ્યા. કંઇ કેટલાંય સર્જકો આવ્યાં અને ગયા. કંઇ કેટલીય ફિલ્મો બની. હજ્જારોની સંખ્યામાં. હિન્દી સિનેમા, બંગાળી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ અને તેનાં જેવી વિવિધ ભાષાઓમાં હજારો ફિલ્મોનું નિર્માણ થયું. કોઇ તમને એમ કહે કે હજારો ફિલ્મનાં ઢગલામાંથી સર્વશ્રેષ્ઠ ગણાય એવી વીસ ફિલ્મોનાં નામ કહો. તમારી શી હાલત થાય? બહુ કપરૂં કામ છે. ફુલોનાં એક બગીચામાંથી સૌથી સુંદર વીસ ફુલો શોધવા જેવું . પરંતુ આવું કપરૂં કાર્ય હમણાં હાથ ધરવામાં આવ્યું હતું.


ગોવામાં યોજાયેલા ચાલીસમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં T-20 ઓફ ઇન્ડિયન સિનેમાની યાદી જાહેર કરાઇ. યાદીમાં ભારતીય સિનેમા (હિન્દી નહીં)ની વીસ શ્રેષ્ઠતમ્ ફિલ્મો પસંદ કરવામાં આવી. માટે સૌપ્રથમ ૧૦૦ ભારતીય ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. જેમાંથી વીસ ફિલ્મો સિલેક્ટ કરવાની જવાબદારી સોંપાઇ કેટલાંક ખ્યાતનામ ફિલ્મ સર્જકો તથા વિખ્યાત વિવેચકોને. ફિલ્મ સર્જકોમાં વિશાલ ભારદ્વાજ, નાગેશ કુકુનર, મધુર ભંડારકર જેવાં નિર્દેશકો સાથે બંગાળીના ઙ્ગતુપર્ણો ઘોષ, તમિળના ચેરન, મલયાલમના શ્યામાપ્રસાદ, કન્નડના પી. શેષાદ્રી, અસમીયાના મંજુ બોરા, મરાઠીના ગજેન્દ્ર આહીરે તથા રાહુલ ધોળકીયા જેવાં ચહેરાઓ હતા જ્યારે વિવેચકોમાં કોચીનનાં એન.સી. રાજા નારાયણન, બેંગલોરના રાઘવેન્દ્ર, ગોવાનાં રાજુ નાઇક, દિલ્હીના સૈબલ ચેટરજી, મુંબઇના અનૂપમા ચોપરા તથા અશોક રાણે, કલકત્તાના સ્વપન મલ્લીક જેવાં જાણકાર લોકો હતાં.

‘T-20 ઓફ ઇન્ડિયન સિનેમા’ નક્કી કરવા માટે બોક્સ ઓફિસ કલેકશનને બિલકુલ મહત્વ અપાયું નથી. આખી યાદી ૧૦૦ ફિલ્મોની હતી. જેમાં બિમલ રોયનીદેવદાસથી લઇ છેકલગે રહો મુન્નાભાઇસુધીની ફિલ્મો સામેલ હતી. સ્વાભાવિક છે કે આવી યાદી વિશે લોકોમાં એકમત હોય. કોઇ કહે કે મુન્નાભાઇ તો યાદીમાં હોવું જોઇએ ને! તો કોઇ વળી કહે કેઓમકારાવગર યાદી અધુરી ગણાય. બધાં અભિપ્રાયો વચ્ચે પણ T-20ની યાદી એટલી તટસ્થ અને મજબૂત બની છે કે તેનાં તરફ કોઇ ભાગ્યે આંગળી ચીંધશે. T-20ની યાદી ફિલ્મ રસિકોને ફરી એક વખત યાદ અપાવે છે કે ભારતીય સિનેમા એટલે માત્ર હિન્દી ફિલ્મો નહીં! તેમાં બીજું ઘણું બધું આવી જાય છે. તો ચાલો આપણે ટ્રેલર માણીએ ભારતીય સિનેમાની વીસ સર્વોત્તમ ફિલ્મોનું અને રિવાઇન્ડ કરીએ યુગ...


૨૦

આનંદઃ
નિર્દેશનઃ ઋષિકેશ મુખરજી
કલાકારઃ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન
સુમિતા સન્યાલ, રમેશ દેવ, જ્હોની વોકર, દારાસિંઘ.

અસાધ્ય રોગનાં કારણે જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેલો નાયક અને તેની ઝિંદાદિલીની વાત કરતી ફિલ્મ ઋષિદાના જીવનની શ્રેષ્ઠતમ્ ફિલ્મોમાં સ્થાન પામે છે. ‘આનંદમાં પ્રથમ વખત રાજેશ ખન્નાઅમિતાભ સાથે દેખાયા હતા. ‘બાબુ મોશાય !’ જેવો તેનો તકિયા કલામ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. મનુષ્યના જીવનનું મૂલ્યાંકમન કેટલું જીવ્યો તેનાં પરથી નહીં પણ કેવું જીવી ગયો એનાં પરથી થતું હોય છે. આવો કેન્દ્રવર્તી વિચાર ધરાવતી ફિલ્મની માવજત ઋષિદાએ બહુ સુંદર રીતે કરી હતી. ‘ઝિંદગી કૈસી હૈ પહેલીજેવાં તેનાં ગીતોએ સમયે ધૂમ મચાવી હતી.


૧૯
મધુમતિઃ
નિર્દેશનઃ બિમલ રોય
કલાકારઃ દિલીપ કુમાર, વૈજ્યંતિમાલા, પ્રાણ, જયંત, જ્હોની વોકર

ઘણાં લોકો ફિલ્મને બિમલ રોયની શ્રેષ્ઠતમ્ ફિલ્મ ગણાવે છે. વિશે મતમતાંતર હોઇ શકે છે પણ એક વાત વિશે કોઇ મતભેદ નથીઃ અનેક સફળ ફિલ્મો બનાવનારા બિમલદાનેમધુમતિજેટલાં નાણાં કમાવી આપ્યાં એટલાં અન્ય કોઇ ફિલ્મે તેમને આપ્યાં નથી. સલિલ ચૌધરીએ ફિલ્મમાં આપેલું સંગીત એટલી હદે સફળ થયું હતું કે સલિલદાની કેરિયરનું પણ સીમાચિહન સાબિત થયું. ‘સુહાના સફર’, ‘દિલ તડપ તડપ કે’, ‘ચઢ ગયો પાપી’, જુલ્મી સંગ આંખ લડી, આજા રે પરદેશી, તૂટે હુએ ખ્વાબોને.... જેવાં તેનાં ગીતો જેતે ગાયકોની કારકીર્દિના સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામે છે. પોતાના હત્યારા એવા રાજા સાથે બદલો લેવા મથતી એક યુવતીની આત્માની વાત કરતીમધુમતિમાં બિમલદાને જે માહૌલ સર્જયો હતો એની પણ ખાસ્સી પ્રશંસા થઇ હતી. દિલીપકુમાર, વૈજ્યંતિ અને પ્રાણ જેવાં કસાયેલાં કલાકારોના ઉત્કૃષ્ટ પરફોમન્સ ધરાવતીમધુમતિમાત્ર એક ફિલ્મ નથી પણ કલાકૃતિ છે.


૧૮

ગાઇડઃ
નિર્દેશનઃ વિજય આનંદ
કલાકારોઃ દેવ આનંદ, વહીદા રેહમાન, કિશોર સાહુ

દેવ આનંદના જીવનની શ્રેષ્ઠતમ્ અભિનય અને વિજય આનંદનું અદ્ભુત નિર્દેશન અને સચિન દેવ બર્મનના જાદુઇ સંગીત થકી સર્જાયેલી યાદગાર કૃતિ. એક પુરાતત્વવિદ્ (કિશોર સાહુ) પતિના નિરસ જીવનથી, તેનાં ત્રાસથી કંટાળી ગયેલી યુવાન પત્ની (વહીદા)ને અકસ્માતે રાજુ ગાઇડ (દેવ આનંદ)નો ભેટો થઇ જાય છે. પેલા પુરાતત્વવિદ્ કરતાં બિલકુલ સામા છેડાનું કેરેક્ટર એવો રાજુ એકદમ જીવંત અને થનગનતો યુવાન છે. નાયિકાની સ્થિતિનો ખ્યાલ આવતા રાજુ તેને દોઝખમાંથી ઉગારે છે અને એક સ્ટાર બનાવી દે છે. બદલામાં રાજુને મળે છે થોડાં પૈસા અને ઝાઝી બધી બેવફાઇ. પ્રેમિકાના પાપે જેલમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેની આખી દુનિયા બદલાઇ જાય છે. લોકો તેને મહત્મા સમજી લે છે. લોકોથી ભાગવા પ્રયત્નલ કરે છે પરંતુ છેવટે લોકો માટે પ્રાણ હોમી દે છે.
મજબૂત વાર્તા, જબરદસ્ત સ્ક્રિપ્ટ, ઉત્કૃષ્ટ પાત્રાલેખન ધરાવતીગાઇડને હિન્દી સિનેમાની માઇલસ્ટોન ફિલ્મ ગણવામાં આવે છે. મૂળ ફિલ્મ આર.કે. નારાયણની નવલકથા પરથી બનેલી છે. ‘ગાઇડનું સંગીત એસ.ડી. બર્મનનું ઉત્તમ સર્જન ગણાય છે અને હિન્દી સિનેમાની ટોપટેન આલબમની યાદી બનાવીએ તો તેમાં પણગાઇડને સ્થાન મળે . દિન ઢલ જાયેં, તેરે મેરે સપનેં, ક્યા સે ક્યા હો ગયા, પિયા તૌસે નૈના લાગે રે, વહાં કૌન હૈ તેરા... અલ્લાહ મેઘ દે... જેવાં અનેક યાદગાર ગીતો ધરાવતીગાઇડને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રશંસા મળી હતી.

૧૭

જાને ભી દો યારોઃ
નિર્દેશનઃ કુંદન શાહ
કલાકારોઃ નસિરૂદ્દીન શાહ, રવિ બાસ્વાની, ભકિત બર્વે, સતિષ શાહ, ઓમ પુરી, પંકજ કપૂર 

ગુજરાતી સર્જક કુંદન શાહની ફિલ્મ આમ તો દરેક દ્રષ્ટિએ જબરદસ્ત છે પરંતુ તેનું સૌથી મોટું જમાપાસું તેનો કલાઇમેક્સ છે. રંગમંચ પર દ્રૌપદીના ચિરહરણનું દ્રશ્ય... દુર્યોધન, દુશાસન... હસી હસીને લોટપોટ થઇ જાય તેવા સંવાદો અને ગોટાળા... ‘જાને ભી દો યારોંના ક્લાઇમેક્સની નકલ કરવાનાં પ્રયત્નો આજે પણ થતા રહે છે પરંતુ તેનાં જેવી અસર કોઇ સર્જી શક્યું નથી.
પોતાની કેરિયર જમાવવા મથતા બે ફોટોગ્રાફર મિત્રો (નસિરૂદ્દીન, રવિ બાસ્વાની)ના સંઘર્ષના દિવસોમાં અચાનક આવી પડેલી એક ઉપાધિની વાત કરતી ફિલ્મમાં કોમેડીની સાથે વ્યંગ પણ ભરપરૂત છે. બિલ્ડરરાજકારણીની સાંઠગાંઠને ઉઘાડી પાડવા જતા બેઉ ફોટોગ્રાફર્સની ઝોળીમાં એક લાશ ખાબકે છે અને લાશ પછી તેમનો પીછો છોડતી નથી. મૃતદેહથી પીછો છોડાવવા તેઓ અનેક પ્રયત્નો કરે છે અને દરેક વખતે કોઇ ગરબડગોટાળા સર્જાય છે. નૂક્કડ અને સરકસ જેવી સીરિયલ અનેકભી હાં, કભી નાજેવી ફિલ્મો બનાવી ચૂકેલા કુંદન શાહ એક કસાયેલા સર્જક છે. તેમની ફિલ્મે સમયના યુવા વર્ગમાં ખાસ આકર્ષણ ઉભું કર્યુ હતું. નસિરૂદ્દીન, ઓમ પુરી, રવિ બાસ્વાની, ભકિત બર્વે તથા સતિષ શાહ જેવાં માંજેલા કલાકારોની ફોજ ધરાવતીજાને ભી દો યારોંઆજે પણ એટલી તરોતાજા લાગે છે.

૧૬

સંત તૂકારામ (મરાઠી)
નિર્દેશનઃ દામલે તથા ફતેલાલ
કલાકારોઃ વિષ્ણુપંત પગનીસ, શ્રી ભગવત
પંડિત દામલે, શંકર કુલકર્ણી, કુસેમ ભાગવત

સત્તરમી સદીના સંત તૂકારામ પર મરાઠી ભાષામાં બનેલી ફિલ્મ છેક ૧૯૩૬માં રિલીઝ થઇ હતી. ફિલ્મ નિર્માણ સમયે આસાન હતું. સાધનો મર્યાદિત હતા અને કલાકારો ઓછાં. એવાં કાળમાં પણ ફિલ્મમાં આબેહૂબ સત્તરમી સદીનો માહૌલ સર્જવામાં આવ્યો હતો. ફિલ્મમાં સંત તૂકારામના આખા જીવનને કચકડે મઢી લેવામાં આવ્યું છે.


૧૫

અપુર સંસાર (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ સૌમિત્ર ચેટરજી, શર્મિલા ટાગોર

અપુ નામના એક પાત્રની વાત કહેતી ફિલ્મ સત્યજીત રે દ્વારા સર્જીત જગવિખ્યાતઅપુ ટ્રાયોલોજીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં અપુના લગ્નજીવનની, તેમાં આવેલાં ઝંઝાવાતની વાત છે.
અપુર સંસાર શર્મિલા ટાગોરની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં તેણે કામ કર્યુ ત્યારે તેની ઉંમર માત્ર ૧૪ વર્ષ હતી. ફિલ્મની એક ખૂબી છેઃ તેમાં કંડારાયેલું બનારસ. અહીં રે બાબુનાં કેમેરા થકી તમને જે બનારસ જોવા મળે છે તેવું હજુ સુધી કોઇ કંડારી શક્યું નથી. ફિલ્મને માત્ર ભારતમાં નહીં, આખા જગતમાં પ્રશંસા મળી છે. અપુર ટ્રાયોલોજીની પ્રથમ બે ફિલ્મ હતીઃ પથેર પાંચાલી અને અપરાજિતા. રે બાબુની ટ્રાયોલોજીને વિશ્વ સિનેમાની કેટલીક મહાનતમ્ ઘટનામાં જગતભરનાં વિવેચકો સ્થાન આપે છે.

૧૪

કાગઝ કે ફુલઃ
નિર્દેશનઃ ગુરૂ દત્ત
કલાકારોઃ ગુરૂ દત્ત, વહિદા 

એક સમર્થ ફિલ્મ સર્જકના મહાન સ્વપ્નનું તૂટી જવું અને તેનાં કારણે સર્જકનું ગહન હતાશામાં ડૂબી જવું.... ‘કાગઝ કે ફુલગુરૂ દત્તની સૌથી પ્રિય ફિલ્મ હતી. અભિનેતા અને નિર્દેશક તરીકે એમની સર્જનાત્મકતા ફિલ્મમાં ચરમસિમા પર પહોંચી હતી. જો કે ટિકિટબારી પર ફિલ્મ સફળ નિવડી નહોતી પરંતુ આજે યુગની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો ભૂલાઇ ગઇ હશે પણકાગઝ કે ફુલઅમર થઇ ગઇ છે. કૈફી આઝમીની શાયરી અને બર્મનદાનું સંગીત ધરાવતી પેલી અફલાતૂન રચનાબિછડે સભી બારી બારીપણ ક્યો સંગીત પ્રેમી ભુલી શકે ?

૧૩

નાયકન (તમિળ)
નિર્દેશનઃ મણિ રત્નમ્
કલાકારોઃ કમલ હાસન, સરાન્યા
એમ.વી. વાસુદેવ રાવજનક રાજ, ટીનુ આનંદ

અન્ડરવર્લ્ડ ડોન પર ભારતની વિવિધ ભાષાઓમાં અનેક ફિલ્મો બની છે. પરંતુનાયકનની તોલે એવી કોઇ ફિલ્મ તેમાં નથી. મૂળ તમિળ પરથી પછી હિન્દીમાં ફિરોઝ ખાનેદયાવાન’ (વિનોદ ખન્ના) બનાવી હતી. ‘નાયકનની પ્રેરણા મુંબઇના એક સમયના અન્ડરવર્લ્ડ ડોન વરદરાજન મુદલિયારના જીવન પરથી લેવામાં આવી હોવાનું કહેવાય છે. ‘નાયકનમાં કમલ હાસન એક એવા પુત્રનું પાત્ર ભજવે છે જેનાં પિતાનું મુંબઇ પોલિસે નિર્દયતાથી ખૂન કરી નાંખ્યું છે. નાયક ઝડપભેર સ્થિતિ સંભાળી લે છે અને મુંબઇ પર રાજ કરવા લાગે છે. તેની પુત્રીને પિતાના વ્યવસાયથી નફરત છે અને એટલે એક પોલિસ ઓફિસર સાથે લગ્ન કરવા પોતાનાં પિતાનું ઘર છોડી દે છે. અંતમાં નાયકનું મર્ડર પણ એક અર્ધ પાગલ કરે છે જેને ખૂદ તેણે ભૂતકાળમાં આશરો આપ્યો હોય છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ બ્લોક બસ્ટર પુરવાર થઇ હતી.

૧૨

મુઘલ--આઝમઃ
નિર્દેશનઃ કે. આસિફ
કલાકારોઃ પૃથ્વિરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા, દુર્ગા ખોટે

હિન્દી સિનેમામાં મુઘલએઆઝમને ઘણાં લોકો ટેકસ્ટ બુક જેવી ફિલ્મ ગણે છે. કમાલ અમરોહીના ડાયલોગ, નૌશાદનું સંગીત, આર.ડી. માથુરની સિનેમેટોગ્રાફી, મધુબલાના ઉત્કૃષ્ટ અભિનય અને નૃત્યો, દિલીપ કુમાર અને પુથ્વિરાજ કપૂરની ટક્કર... આવી કંઇ કેટલીય બાબતો માટે ફિલ્મને વારંવાર યાદ કરવામાં આવે છે. કોઇ એક ફિલ્મમાં આટઆટલાં પોઝિટિવ પાસાં હોઇ શકે વાત સોહામણી કલ્પના જેવી લાગે છે. પરંતુ મુઘલએઆઝમ માત્ર કલ્પના નથી, સત્ય છે. કે. આસિફનું બાર વર્ષે સાકાર થયેલું સ્વપ્ન. મુઘલએઆઝમના અનેક દ્રશ્યો આજે પણ ફિલ્મોના પ્રેમીઓ ભૂલી શક્યાં નથી. બડે ગુલાબ અલિ ખાં સાહેબને ફક્ત એક ગીત માટે રૂપિયા પચ્ચીસ હજાર ચૂકવવાની વાત હોય કે પછી પ્યાર કિયા તો ડરના ક્યા... માટે શીશ મહલના સર્જનની, મુઘલએઆઝમ સંબંધિત વાતો કદી ખતમ થતી નથી. અને જાદુઇ ફિલ્મનો જાદુ છે.


૧૧

એલિપથયમ (મલયાલમ)
નિર્દેશનઃ અદુર ગોપાલક્રિષ્નન
કલાકારોઃ કરામના, જનાર્દન નાયર, શારદા, જાલજા

બંગાળી ફિલ્મોમાં જે સ્થાન સત્યજીત રેનું મલયાલમમાં અદુર ગોપાલક્રિષ્નનનું ગણાય. એલિપથયમની વાર્તા અનોખી છે. ઉન્ની નામના મધ્યમ વગના એક પુરૂષની વાત છે ફિલ્મમાં. ઉન્ની એક રજવાડાના પરિવારમાંથી આવે છે. પણ રજવાડા ભૂંસાતા થાય છે અને ઉન્ની તેની આસપાસની બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી શકતો નથી. સાવકી માતા, પોતાનાં હિસ્સા માટે લડતી બહેન, સાવકી બહેન... બધાના ઝઘડાઓ વચ્ચે ઉન્ની પીસાતો જાય છે અને એનું ગળુ ઘૂંટાતુ જાય છે. ઉન્નીની મનોસ્થિતિ દર્શાવવા નિર્દેશકે ફિલ્મમાં રિધમનો અને કલોઝ અપનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વાર્તા કહેવાની બાબતમાં માહેર ગણાતા અદુર ગોપાલક્રિષ્નનની ફિલ્મ આવી ખૂબીઓનાં કારણે યાદીમાં સ્થાન પામી છે.


-ક્રમશ: - એકથી દસ નંબરની ફિલ્મો અંગે હવે પછી....


*"અકિલા"માં પ્રકાશિત