Friday, October 21, 2011

અદ્ભૂત ગુજરાતનો અનોખો તસવિરી ખજાનો!


ગુજરાતીઓ પર્યટક તરીકે આખા દેશમાં પ્રથમ સ્થાને છે. હિમાચલથી લઇ કાશ્મીર, કેરળ કે સિક્કીમ જેવાં સ્થળોએ જઇએ તો ગુજરાતી ટુરિસ્ટની સંખ્યા સૌથી વધુ જોવા મળે. ગુજરાતીઓ આખા દેશમાં અને વિદેશમાં પણ ફરે છે. પરંતુ સવાલ એ છે કે ગુજરાતીઓ પોતાના ગુજરાતમાં કેટલું ફરે છે? ગુજરાતમાં પણ એવી માન્યતા છે કે ગુજરાત એટલે સોમનાથ, દ્વારકા અને સાપુતારા જ. ગુજરાતીઓ વિશ્વપ્રવાસી ગણાય છે. પરંતુ તેમાંના મોટાભાગના લોકોએ ગુજરાત જ સંપૂર્ણપણે જોયું નથી હોતું. ગુજરાત એટલે માત્ર ધર્મસ્થાનોની ધરતી એવી ઘણાની માન્યતા પ્રવર્તે છે. ખાસ કરીને બિનનિવાસી ગુજરાતીઓ અહીં આવે ત્યારે રાજ્યમાં ક્યાં ફરવું એની પણ દ્વિઘા હોય છે. ગુજરાતની સ્થાનિક પ્રજાને પણ બેચાર દિવસની રજા ગાળવા ક્યાં જવું તે સમસ્યા હોય છે. એટલે જ આ નાની લેખમાળા દ્વારા એક અનોખા ગુજરાતનો પરિચય આપવાની ઈચ્છા છે. અહીં આપેલા આવા તમામ લોકો માટે પથદર્શક બની રહેશે. આમાંના તમામ ફોટોઝ જાતે લીધેલા છે અને કેટલાંક એવા સ્થળોના ફોટોઝ છે -જે અગાઉ તમે ક્યારેય જોયા નહિ હોય. ગુજરાતના ઇકો ટુરિઝમના સ્થળોની તસવીરો પ્રથમ વખત અહીં જોવા મળશે. આ બધા સ્થળોએ જવા માટે આગોતરી મંજુરી જરૂરી છે. અમારી ફિલ્મ "ગોલ્ડન ગુજરાત"ના શૂટિંગ દરમિયાન ગુજરાતમાં લગભગ ચાર મહિના સુધી ફરવાનું બન્યું. એ સમય દરમિયાન લીધેલા આ ફોટોગ્રાફ્સ અમારા માટે તો અનેક યાદગાર સંભારણાઓની ગરજ સારે છે... 

ભાગ: 1


સતત છસ્સો વર્ષ સુધી ગુજરાતની રાજધાની બની રહેલું પાટણ.... ચાવડા વંશના પ્રથમ શાસક મહારાજ ચાવડાએ તેની સ્થાપના કરી. એ પછી સોલંકી અને વાઘેલા વંશનું શાસન આવ્યું. ઇ.સ. ૯૪૨થી ૧૨૪૪ સુધીનાં ૩૦૦ વર્ષ દરમિયાન અહીં સોલંકીઓએ રાજ કર્યુ અને એ જ તેનો સુવર્ણકાળ. સામાન્ય ગુજરાતી માટે પાટણ અને પટોળા એ બેઉ પર્યાયવાચક શબ્દો છે. શુદ્ધ રેશમ અને સોનાની ઝરી વડે હસ્તકળાથી બનતી આ સાડીની કિંમત સવા લાખથી શરૂ થાય છે. પટોળાનું તો ખૈર તમે મૂલ્ય પણ આંકી શકો પણ પાટણનાં સ્થાપત્યો અમૂલ્ય છે. રાણકી વાવ!  જમીનની અંદર સાત માળ અને ચોતરફ કોતરાયેલા અદ્ભૂત શિલ્પો ! ઇ.સ. ૧૦૬૩માં રાજા ભિમદેવના પત્ની રાણી ઉદયામતિએ તેનું નિર્માણ કરાવ્યું. ભારતની ઉત્તમોત્તમ વાવની યાદીમાં રાણકી વાવનું સ્થાન પ્રથમ છે. રાણકી વાવમાં લગભગ આઠસો કરતાં વધુ શિલ્પો કંડારેલા છે પરંતુ મોટાભાગનાં શિલ્પો ભગવાન વિષ્ણુના દશાવતારની કથા કહે છે. પરશુરામથી લઇ વરાહ અવતાર અને ગૌતમ બુદ્ધથી લઇ ભવિષ્યના કલ્કી અવતારના શિલ્પ અહીં જોવા મળે છે. અપ્સરાઓ, કિન્નરો, ગાંધર્વો અને અન્ય દેવીદેવતાઓના શિલ્પો પણ અહી સેંકડોની સંખ્યામાં છે.



૧૦૦ વર્ષ જુનું પટોળું: પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ!













ઉપર દશાવતારના અને નીચે પટોળાના શિલ્પો 




  • પટોળાની કળાને જાણે અંજલી આપી રહ્યાં હોય એમ સ્થપતિઓએ વાવમાં પટોળાની પરંપરાગત ડિઝાઇનના શિલ્પો પણ કંડાર્યા છે. વચ્ચેના વર્ષો દરમિયાન કોઇ સમયે નજીકની સરસ્વતી નદિનો પ્રવાહ પલટાયો હતો અને આ બેનમનૂન વાવ માટી અને કાદવથી જમીનમાં દટાઇ ગઇ હતી. પુરાતત્વ વિભાગે છેક ૧૯૮૦માં આ વાવનો કાદવ ઉલેચી તેને નવજીવન આપ્યું. આજે પુરાતત્વ વિભાગ આ વાવની જાળવણી જીવની જેમ કરે છે. વૃક્ષો અને હરિયાળીથી સભર આખું કેમ્પસ વાવની ભવ્યતાને અનુરૂપ જ બનાવાયું છે.


ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું સહસ્ત્રલિંગ
તળાવ 
ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. જો કે હાલ તેના અંશો જ બચ્યા છે 


  • પાટણની રાણકી વાવને મહદ્ અંશે અગાઉ જેવી સ્થિતિમાં લાવી શકાઇ છે પરંતુ અહીંથી ઉત્તરે આવેલા સહસ્ત્ર લિંગ તળાવનો વીસેક ટકા હિસ્સો જ ઉત્ખનન કરી બહાર કાઢી શકાયો છે. ઇ.સ. ૧૦૮૪માં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલું આ તળાવ એ સમયનાં ઇજનેરી કૌશલ્યનો ઉત્તમ નમૂનો છે. નજીકની સરસ્વતિ નદીમાંથી આ તળાવમાં પાણી લવાતું અને તેને એકદમ શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ હતી. નામ મુજબ આ તળાવમાં ૧૦૦૮ શિવલીંગોની સ્થાપના કરવામાં આવી હતી. અહીંનું મુખ્ય શિવાલય ૪૮ સ્તંભ પર રચાયું હતું.

પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર

  • અનેક ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતાં પાટણમાં સેંકડો મંદિરો છે પણ તેમાં સૌથી મહત્વપૂર્ણ છે પંચાસરા પાર્શ્વનાથ જૈન દેરાસર. છેક ચાવડા વંશથી જ અહીં જૈન ધર્મનો વિશેષ પ્રભાવ રહ્યો. ગુજરાતી વ્યાકરણ માટે વિરાટ કાર્ય કરનાર પાટણનાં જૈન મુની હેમચંદ્રચાર્યના ઉલ્લેખ વગર પાટણની વાત અધુરી જ ગણાય. એક સમયે પાટણ ગુજરાતની માત્ર શાસકિય કે વહિવટી રાજધાની જ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું પણ પાટનગર હતું. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણનો ગ્રંથ સંપૂર્ણ થયો ત્યારે એ ગ્રંથની હાથી પર સવારી નીકળી હતી અને આખા પાટણમાં ફરી હતી. તેમાં હેમચંદ્રાચાર્ય સાથે સૌથી આગળ ચાલવામાં રાજા સિદ્ધરાજ જયસિંહ પણ હતાં ! આજે પણ અહીં હજારો હસ્તપ્રતો સચવાયેલી છે.

સિદ્ધપુરનો રૂદ્ર મહાલય


પુરાણોકત પંચ સરોવરમાં
સ્થાન પામતું બિંદુ સરોવર



  • પાટણ નજીક આવેલાં સિદ્ધપુરનો આ રૂદ્ર મહાલય જાણે પેલી કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ છે !: ‘ખંડહર બતા રહા હૈ કી ઇમારત કિતની બુલંદ થી !’. કહેવાય છે કે મૂળરાજ સોલંકીએ તેનાં બાંધકામની શરૂઆત કરાવી અને સિદ્ધરાજ જયસિંહે એ પૂર્ણ કર્યુ. આટલાં વર્ષોના અથાક પરિશ્રમ પછી જે ઇમારત તૈયાર થઇ એ હતી: ત્રણ માળ ધરાવતો ૧૬૦૦ સ્તંભનો જાજવલ્યમાન રૂદ્ર મહાલય! તેનાં તોરણો, ખંડો, ઉપખંડો, માળમેડીઓ અને અગાસીઓ... એક સાથે મંત્રોચ્ચાર કરતાં હજ્જારો બ્રાહ્મણો... રૂદ્ર મહાલયનું સ્ટેટસ એ સમયે કદાચ સોમનાથ જેટલું જ હતું. અલાઉદ્દીન ખિલજીના ક્રુર સૈન્યએ આ અપૂર્વ ઇમારતનો લગભગ પૂર્ણતઃ ધ્વંશ કર્યો અને હવે બચ્યાં છે માત્ર અવશેષો! સિદ્ધપુરની ખ્યાતિ જો કે રૂદ્રમાળ કરતાં પણ પહેલાંના કાળથી છે. છેક પુરાણ કાળથી ! આ સ્થાનને માતૃગયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંના બિંદુ સરોવરનું નામ પુરાણોકત પંચ સરોવરમાં માન સરોવરની સાથે લેવામાં આવે છે. વાયકા છે કે અહીં ભગવાન પરશુરામે માતૃશ્રાદ્ધ કર્યુ હતું. ત્યારથી અહીં માતૃશ્રાદ્ધનો મહિમા છે.


વહોરાવાડની ઝલક: ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન  

  • સિદ્ધપુરનો એક અનોખો વિસ્તાર છે વહોરા વાડ! ૩૬૦ બારીનું અહીંનું અદ્ભુત મકાન તો વહોરાવાડની ઝલક માત્ર છે ! લાકડાનાં પિલર પર બનેલા અને અદ્વિતીય બાંધણી ધરાવતાં વોરાવાડની શેરીઓ જાણે પેરિસને પણ શરમાવે એવી છે! તેનાં વિશિષ્ટ આર્કિટેકચરના કારણે ઘણાં પર્યટકો ખાસ આ વિસ્તારની મુલાકાત લેવા આવે છે. એટલું જ નહીં, આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ પણ આ વિસ્તારની મુલાકાતે નિરંતર આવતાં રહે છે.

શર્મિષ્ઠા તળાવ


નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર 

  • નયનરમ્ય દિસતા શર્મિષ્ઠા તળાવની આસપાસ વસેલું વડનગર અહીંયાના વડનગરા નાગરો માટે જાણીતું છે. નાગરોનાં આરાધ્ય એવાં હાટકેશ્વર મહાદેવનું મંદિર અહીંનું પ્રમુખ ધર્મસ્થાન ગણાય. પૌરાણિક કથા એવી છે કે સતિના દેહત્યાગ પછી મહાદેવ દુઃખી થઇ પાતાળમાં જતા રહ્યાં ત્યારે અહીંના નાગરકુળના બ્રાહ્મણોએ શિવજીને પાતાળમાંથી પૃથ્વી લોક પર લાવવા તપ આરંભ્યું. મહાદેવ પ્રસન્ન થયા અને લિંગરૂપે અહીં દર્શન આપ્યાં. હાટકેશ્વર મહાદેવ અહીં પૌરાણિક કાળથી બિરાજે છે પણ હાલનું મંદિર લગભગ ૪૦૦ વર્ષ જૂનું છે. શિલ્પોથી લદાયેલા આ મંદિરનું સ્થાપત્ય ધ્યાનાકર્ષક છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ આ મંદિરનું ખાસ મહત્વ છે....


અનેક વર્ષો સુધી ગુજરાતનું પ્રતિક રહેલો કીર્તિ સ્તંભ 


તાના-રીરીની સમાધિ

  • વડનગરમાં તાના-રીરીની સમાધિ પણ છે. અકબરનાં દરબારમાં રાગ દીપક છેડ્યા પછી સંગીત  સમ્રાટ તાનસેનનું અંગેઅંગ દાઝવા લાગ્યું. રાગ મેઘ મલ્હારનું ઉત્તમ ગાન કરી નાગર કુળની બહેનો તાના અને રીરીએ જ તેને શાતા આપી હોવાનું કહેવાય છે. અકબરે બેઉ બહેનોને પોતાનાં દરબારમાં ગાવાનું આમંત્રણ આપ્યું પણ એ સમયે બ્રાહ્મણ કન્યાઓ આવો કાર્યક્રમ આપે એવું કોઇ વિચારી પણ શકતું નહોતું. તાના-રીરીએ દરબારમાં આવવાની ના ભણી દીધી. દંતકથા છે કે ગિન્નાયેલા અકબરે બેઉ બહેનોને લાવવા સૈન્ય મોકલ્યું પણ તાના અને રીરીએ પોતાનાં વતન પરનું સંકટ ટાળવા અહીં પ્રાણત્યાગ કર્યો. વડનગરમાં આ સિવાય પણ અનેક મંદિરો, કુંડ, વાવ વગેરે આવેલા છે.

 બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં
આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે

મોઢેરાનું સુર્યમંદિર


  • મોઢેરાનું સુર્યમંદિર અનેક દ્રષ્ટિએ અનોખું છે. સૂર્યદેવને સમર્પિત આ મંદિર મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છેઃ સૂર્યકુંડ, રંગમંડપ અને મૂળ મંદિર. મંદિરની ભવ્યતાની ઝાંખી સૂર્યકુંડથી જ મળવી શરૂ થઇ જાય છે. બાવન બાય છત્રીસ મીટરની લંબાઇ પહોળાઇ ધરાવતાં આ કુંડમાં અલગઅલગ દેવોના ૧૦૮ નાનાં મંદિરો છે. ભાવિકો સ્નાનાદિ કર્મ નિપટાવી ૧૦૮ દેવદેવીઓની પ્રદક્ષિણા કરી શકે એ માટે વ્યવસ્થા કરાઇ હતી. એ પછી આવે છે રંગમંડપ. અહીં રામાયણમહાભારત તથા કૃષ્ણલિલાનાં અનેક પ્રસંગોના શિલ્પો કંડારવામાં આવ્યાં છે. ઉપરાંત નર્તકીઓ અને મૈથુનનાં શિલ્પો પણ પ્રચુર માત્રામાં છે. મૂળ મંદિરમાં પણ દેવદેવીઓના તથા મૈથુનનાં શિલ્પો છે. મુખ્ય મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ગાયબ છે., કહેવાય છે કે અહીં પૂર્ણ કદની સંપૂર્ણતઃ સોનાની મૂર્તિ સ્થપાયેલી હતી પરંતુ અલાઉદ્દીન ખિલજીનાં સૈન્યએ આ મંદિરને પણ બક્ષ્યું નથી. લૂંટફાંટ તો કરી જ પણ અહીંના તમામ શિલ્પોને ખંડિત કર્યા. કોઇનો હાથ તોડ્યો તો કોઇના પગ તો કોઇની ગરદન.... અખંડિત મૂર્તિ શોધવાનું અહીં લગભગ અશક્ય છે. એક મત એવો પણ છે કે આ મંદિરમાં શિલ્પોનાં માધ્યમથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય મુદ્દાઓને વણી લવાયાં છે. એટલે જ અહીંયા શિશુ અવતરણના શિલ્પો પણ છે, મૈથુનના, કુબેરનાં અને મૃત્યુના પ્રસંગ તથા યમદેવનાં શિલ્પો પણ છે. મોઢેરાના આ સૂર્યમંદિરનું નિર્માણ ૧૦૨૭ની સાલમાં ભિમદેવ પ્રથમે કરાવ્યું હોવાનાં પ્રમાણો મળે છે. સોલંકી યુગના અન્ય સ્થાપત્યોની માફક આ મંદિરમાં પણ ઈંટચૂનાનો ઉપયોગ નથી થયો. આ આખુ મંદિર ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બનેલું છે. એટલે કે એક પત્થરમાં ખાંચ બનાવી બીજા પત્થર તેમાં જડબેસલાક બેસાડી દીધેલાં છે. આ મુદ્દો ખ્યાલમાં રાખીએ તો આ મંદિર કોઇ અજાયબીથી કમ નથી.

ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે


  • મોઢેરાથી ગણતરીની ક્ષણોમાં તમે બહુચરાજી પહોંચી શકો છો. અંબાજીમાં દેવીસતિનું હૃદય પડ્યું હતું તો અહીં સતિનાં હાથ પડ્યાં હતાં. અંબાજી એ શકિતનું યુવતી સ્વરૂપ છે, પાવાગઢના મહાકાળી માતૃસ્વરૂપ છે તો બહુચરાજી બાળાના સ્વરૂપે બિરાજે છે. અહીં પણ મૂર્તિની પુજા થતી નથી પરંતુ સોના મઢેલા અને સ્ફટીક દ્વારા નિર્મિત બાલા યંત્રની પુજા થાય છે. તંત્ર શાસ્ત્રમાં વર્ણવાયેલી દસ મહાવિદ્યામાંથી ત્રિપુર સુંદરીનું સ્વરૂપ છે એ જ અહીંયા બહુચરાજી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ વિસ્તારમાં બાલા ત્રિપુર સુંદરીએ અનેક રાક્ષસો હણ્યાં હતાં એટલે તેઓ બહિર્ચરી કહેવાયાં અને કાળક્રમે તેમાંથી બહુચરાજી નામ પ્રચલિત થયું. કહેવાય છે કે આ સ્થળે માં બહુચરાજી દરેક ભાવકોની મનોકામના પૂર્ણ કરે છે. પુત્ર પ્રાપ્તિ, મકાન, દરદના ઇલાજ માટે અને પુરૂષાત્તન મેળવવા માટે પણ અહીં માનતા રખાય છે. ભાવિકોનો પ્રવાહ અહીં દિનપ્રતિદિન વધતો ચાલ્યો છે. ભારતની એકાવન શકિતપીઠોમાં બહુચરાજીની પણ ગણના થાય છે. મુખ્ય મંદિરની આસપાસ અહીં અનેક નાનામોટા મંદિરો આવેલાં છે. બહુચરાજીના આ મંદિરની અને માતાનાં ચમત્કારની અનેક વાતો પ્રચલિત છે. આમ તો પુરાણોમાં પણ આ સ્થળનો ઉલ્લેખ છે પણ હાલનું મંદિર જિર્ણોદ્ધાર પામેલું છે.

જૈન તિર્થ શંખેશ્વર

શંખેશ્વરનું મંદિર: જાગતું તીર્થ 


  • મહેસાણા જિલ્લાનું એક મહત્વપૂર્ણ તિર્થ એટલે જૈન તિર્થ શંખેશ્વર.... ભગવાન પાર્શ્વનાથને સમર્પિત આ ર્તિથનો મહિમા જૈનો માટે પાલિતાણા કે આબુનાં દેલવાડાથી કમ નથી. એટલે જ શંખેશ્વરની આગળ મહાતીર્થ જોડવામાં આવે છે. અહીંના નાના મંદિરોમાં જૈનોના તમામ તિર્થંકરોની પ્રતિમા મોજુદ છે. શંખેશ્વરનું આ મંદિર જાગતું તીર્થ છે અર્થાત્ કહેવાય છે કે અહીં તીર્થકરો હાજરાહજુર છે અને ભક્તોનો સાદ સાંભળે છે, તેનો યોગ્ય પ્રતિભાવ આપે છે.

અંબાજી ! આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો.



અંબાજી: રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે






  • અંબાજી !..... ગુજરાતનું સૌથી મોટું શકિતતીર્થ. આમ જોઇએ તો એ ભારતભરનું કદાચ સૌથી મહત્વપૂર્ણ શકિતતીર્થ છે કારણ કે ભારતમાં આવેલી એકાવન શકિતપીઠોમાં તેનું મહત્વ સૌથી વધુ છે કેમ કે આ સ્થળે દેવીસતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. પુરાણો કહે છે કે પિતા દક્ષ રાજાને ત્યાં યજ્ઞ યોજાયાનાં સમાચાર સાંભળી પતિ શંકરનો વિરોધ હોવા છતાં દક્ષની પુત્રી સતીદેવી યજ્ઞ સ્થળે પહોંચી ગયા. પણ ત્યાં પિતાના મોંથી પતિની નિંદા સાંભળતા તેમણે યજ્ઞકુંડમાં પડી પ્રાણ ત્યાગી દીધા. ભગવાન શંકરે સતીદેવીના નિષ્પ્રાણ દેહને જોઇ તાંડવ આદર્યુ અને સતીદેવીના દેહને ખભે નાંખી ત્રણેય લોકમાં ઘૂમવા લાગ્યાં. આખી સૃષ્ટિનો વિનાશ થઇ જશે એવાં ડરથી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર છોડી સતીના દેહનાં ટુકડાં કરી નાંખ્યા. આવાં ટુકડાઓ અને સતીનાં આભૂષણો પૃથ્વી પર એકાવન જગ્યાએ પડ્યા અને આ એકાવન સ્થળો શકિતપીઠ ગણાય છે. અંબાજીનું મહત્વ વિશિષ્ટ  એટલાં માટે છે કે અહીં સતીનાં હૃદયનો ભાગ પડ્યો હતો. બહુ ઓછાં લોકોને ખ્યાલ છે કે અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિની પુજા થતી નથી પરંતુ વીસાયંત્રની પુજા કરાય છે. વીસાયંત્રના શણગારને મુગટ તથા ચુંદડી સાથે એ રીતે ગોઠવાય છે કે તે માતાજીની મૂર્તિ હોય એવું લાગે છે. અંબાજી મંદિરમાં તાંત્રોક્ત અને શાસ્ત્રોક્ત રીતે યંત્રની પુજા થાય છે. કહેવાય છે કે આ યંત્ર કલ્પવૃક્ષ સમાન છે. બીજી એક રસપ્રદ વાત એ છે કે માતાજીનું યંત્ર જોવાનો, યંત્ર સ્થાનમાં નિહાળવાનો નિષેધ હોવાથી પુજારી પણ આંખે પાટા બાંધીને પુજા કરે છે. અંબાજી એક મહાતીર્થ છે. શ્વેત આરસપહાણમાંથી બનેલાં આ મંદિરનું સ્થાપત્ય ઉત્તમ કક્ષાનું છે. મંદિરો કે ધર્મસ્થાનો પાછળ થતા ખર્ચાઓ પર હંમેશા ચર્ચાઓ થતી રહી છે. પરંતુ એવી ચર્ચાઓમાં ઉતર્યા વગર માહિતીની વાત કરીએ તો આ મંદિર પર અત્યારે કુલ ૩૫૮ સુવર્ણકળશો ચમકી રહ્યાં છે. ભારતભરમાં અન્ય કોઇ જ શકિતપીઠમાં આટલાં સુવર્ણકળશ નથી. રાત્રીનાં સમયે લાઇટીંગના કારણે બદલાતાં રંગોનું મંદિર અતિ ભવ્ય લાગે છે. અહીંથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત પર માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાની માન્યતા છે. અહીંની અખંડ જ્યોતનાં દર્શન માટે રોપવેની વ્યવસ્થા પણ છે. 


 અંબાજીમાં વન વિભાગે બનાવેલો સુંદર પાર્ક, માંગલ્ય વન 





  • સમય હોય તો અંબાજીમાં વન વિભાગે બનાવેલો આ સુંદર  પાર્ક એક વખત જોવા જેવો છે. અલગઅલગ રંગની વનસ્પતિઓ થકી બનાવેલો આ ૐ હોય કે પછી રાશી આધારીત વૃક્ષો કે પછી અહીંથી દેખાતો પહાડોના દ્રશ્ય. અહીં પહોંચ્યા પછી ધક્કો વસૂલ થયાનો અહેસાસ થાય.




સુવિખ્યાત બાલરામ પેલેસ: ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ




  • નાસકાંઠા જિલ્લો પ્રવાસનનાં અનેક આકર્ષણોથી સભર છે. અહીં બે મહત્વના અભયારણ્યો છે. બાલારામ-અંબાજી અભયારણ્ય અને જેસ્સોર અભયારણ્ય. ૫૪૨ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલાં બાલારામઅંબાજી અભયારણ્યમાં મૂલ્યવાન ઔષધિય વૃક્ષો પણ છે અને રીંછ, દિપડા, ઝરખ, નિલગાય જેવાં વન્યજીવો પણ ખરા. અભયારણ્યનું આ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન્ય જીવનની સમજણ આપે છે. અભયારણ્યનું નામ જેનાં પરથી રખાયું છે એ બાલારામ મંદિર ગાઢ જંગલની વચ્ચે આવેલું છે. મંદિરના શિવલિંગ પર પહાડોમાંથી નીકળતાં જડ વડે નિત્ય અભિષેક થતો રહે છે. બાલારામ મહાદેવની આસપાસનું સૌંદર્ય શ્રાવણ આસપાસ જોવા જેવું હોય છે. મંદિરથી બિલકુલ સામે છે સુવિખ્યાત બાલરામ પેલેસ. ગુજરાતની શ્રેષ્ઠતમ્ હેરિટેજ હોટેલ. અહીં રજવાડી નવાબી સ્યૂટ પણ છે. અને સુંદર કોટેજની વ્યવસ્થા પણ ખરી. બાલારામ પેલેસ ઉત્તમ રીતે જળવાયેલી આકર્ષક પ્રોપર્ટી છે. આ સ્થળે અનેક હિન્દી ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂક્યું છે. આ મિલ્કત અગાઉ પાલનપુરનાં નવાબની માલિકીની હતી.



જેસ્સોરમા રોકાવા માટે વન વિભાગે પહાડોના
ખોળામાં આવા કોટેજ પણ બનાવ્યા છે 


જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ
માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે

  • બાલારામથી લગભગ ચાલીસેક મિનીટના અંતર પર છે જેસ્સોર વન્ય પ્રાણી અભયારણ્ય. પણ અહીં સુધી પહોંચતા રસ્તામાં આદિવાસી સંસ્કૃતિથી ધબકતાં અનેક ગામડાંઓમાં જવાનું બને છે. ઇકબાલગઢ નામનું નાનકડું ગામ આદિવાસીઓ માટે ખરીદીનું મથક છે. અહીં તેમના ભાતીગળ ઘરેણાંઓથી લઇ દરેક પ્રકારની ચીજવસ્તુઓ મળે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ અનેક અલગઅલગ કોમની આદિવાસી સ્ત્રીઓને તમે અહીં હોંશભેર ખરીદી કરતી જોઇ શકો. ઇકબાલગઢને જેસ્સોર અભયારણ્યનું પ્રવેશદ્વાર પણ ગણી શકાય. ૧૮૦ કિલોમીટરમાં ફેલાયેલા આ અભયારણ્યને અપ્રતિમ સુંદરતા મળેલી છે. ચોતરફ પહાડો અને વચ્ચે આ જળરાશી. પ્રકૃત્તિ શિક્ષણ શિબિરમાં કલરવ કરતા બાળકો. જેસ્સોર ઇકો ટુરીઝમ માટેની ઉત્તમ સાઇટ છે. રોકાવા માટે અહીં વન વિભાગે અનેક વિકલ્પો રાખ્યાં છે. પ્રકૃત્તિ શિક્ષણ માટેની કેમ્પ સાઇટ છે અને પહાડોના ખોળામાં આવા કોટેજ પણ છે. જેસ્સોરની મજા એ છે કે વન પરિભ્રમણ માટે અહીં અનેક વન કેડીઓ અથવા તો ટ્રેક રૂટ છે. આ બધી વન કેડીઓ માટે તમે ગાઢ અને વણખેડાયેલા જંગલનો આનંદ ઉઠાવી શકો છો. જેસ્સોરમાં ડુંગર પર આવેલા કેદારનાથ મંદિરનું આ વિસ્તારમાં ભારે મહત્વ છે. લગભગ સાતસો પગથીયા ચડ્યાં પછી અહીં પહોંચી શકાય છે. અહીંની સુંદરતા દંગ કરી નાંખે એવી છે. જેસ્સોર અભયારણ્ય એકદમ ગુજરાત-રાજસ્થાનની સરહદ પર આવેલું છે.

    
  "પિક્ચર્સ" અભી બાકી હૈ, દોસ્તો !

Monday, October 17, 2011

दिग्विजय सिंह को खुल्ला पत्र ! An Open Letter To Digvijay Singh !

કોંગ્રેસ, મેડમ, રાજકુમાર અને દિગ્ગીનું નવું સૂત્ર: 
પત્રાચાર ચલાવો , ભ્રષ્ટાચાર બચાવો !




અન્નાની શક્તિઓ હણી લેવા, એમને અને સાથીદારોને બદનામ કરવા સરકારે રીતસર ઝુંબેશ શરુ કરી છે. આવી સ્થિતિમાં કોઈપણ છટકામાં ભોળવાયા વગર આપણે આપણો ટેકો આ આંદોલન ને અને તેના સૂત્રધારોને આપ્યા રાખીએ એમાં જ આપણું કલ્યાણ છે. આપણે એક પ્રજા તરીકે બેશક કમજોર છીએ. પરંતુ મામલે કોઈ તકસાધુ, ભ્રષ્ટ રાજકારણી આપણને ડ્રાઈવ કરી પોતાની મેલી મુરાદ પાર પાડી જાય તો આપણે ડૂબી મરવું જોઈએ. દિગ્વિજયે અન્નાને પત્ર લખ્યો હોય તો આખો દિવસ તેનું કવરેજ આવશે પરંતુ અન્નાના જવાબને ઝલક માત્ર દ્વારા નિપટાવી દેવાશે. મીડિયાને આ વખતે બરાબર મેનેજ કરેલું છે કૌરવોએ. જન લોકપાલથી ધ્યાન હટાવી, અન્ના અને તેમના સાથીદારોને રોજ નીતનવા - માથામેળ વગરના વિવાદોમાં ઘસડ્યે રાખવા - એ કામની જ જાણે દિગ્વિજયને સુપારી અપાઈ છે. અન્નાએ ભલે મૌન ધારણ કર્યું, આપણે આ કુપ્રચારનો જડબાતોડ જવાબ આપવો જ રહ્યો. કારણ કે, જન લોકપાલની લડત નિષ્ફળ જશે તો તેનું સૌથી વધુ નુકસાન આપણને જ છે. એટલે જ આ ખુલ્લો પત્ર અહીં હિન્દીમાં લખી રહ્યો છું. કારણ કે, તેનો વધુ ને વધુ ફેલાવો જરૂરી છે. મિત્રો, સામાન્ય રીતે હું જ મારા કોઈ લેખ વગેરેને વધુ ને વધુ સ્પ્રેડ કરવાનું કહું એ સારું ના કહેવાય. પરંતુ આ બાબત જનહિતને સ્પર્શતી છે. આપ સૌને વિનંતી કે, આ પત્રનો મહત્તમ ફેલાવો કરો! ફેસબુકથી લઇ ટ્વીટર અને ગુગલ પ્લસથી માંડી ને ફેન પેઈજ, સ્ટેટસ, વિવિધ બ્લોગ્સ... જ્યાં શક્ય હોય ત્યાં તેને પ્રસરાવી દો...
*********************************

आदरणीय दिग्विजय जी ,

नमस्कार! 

अन्नाजी को आपने जो तीन - तीन पत्र लिखे है उस से प्रेरित होकर यह पत्र आप को लिख रहा हूँ.

कुछ मुद्दे है - जो इस देश के आम आदमी होने के नाते मेरे दिमाग में सुई बनकर चुभ रहे है, कुछ सवाल है - जो आज तक निरुत्तर है.

आप ने अन्नाजी को कहा की वोह गलत लोगो से घिरे हुए है और अन्नाजी को उन का साथ छोड़ देना चाहिए. अन्नाजी के बारे में आप को चिंता है यह जानकार ताज्जुब भी हुआ और अच्छा भी लगा. पर क्या आपने कभी यह सोचा है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? राजा जेल में है, कलमाड़ी भी उन को कंपनी दे रहे है, कई और नाम में ले सकता हूँ. पर आप अभी भी डी.एम्.के. से घिरे हुए है. करूणानिधि की सरकार में हाजरी यह बात प्रस्थापित करती है की आपकी कथनी और करनी में बहुत लम्बा अंतर है. शायद, लाखो प्रकाशवर्षो का अंतर. इस विषय पर और गहनता से बात करते है: आप के प्रधान मंत्री कैसे-कैसे लोगो से घिरे है, कभी सोचा है आपने? एक कपिल सिब्बल है - जिन के पास टु-जी में फंसी कंपनियों पर एक्शन लेने की सत्ता थी, उन्होंने नहीं लिए. चिदंबरम है - जो खुद इस महा घोटाले के एक सूत्रधार है. मनीष तिवारी जैसे लोग है - जो आपकी बडबोलेपन की विरासत संभालने की क्षमता रखते है. और आपकी अधिष्ठात्री सोनियाजी है - जो खुद इतने बड़े मामले पर कुछ भी कहेना नहीं चाहती. उनकी खामोशी बहुत कुछ बयाँ कर रही है. यह बिलकुल जाहिर है की, भ्रष्टाचार के विरुध्ध आन्दोलन  अगर सफल होता है तो सबसे ज्यादा नुकसान सोनियाजी और उनके सुपुत्र तथा इस देश के राष्ट्रीय दामाद रॉबर्ट वढेरा को होने वाला है. और अब यह भी सोचिये की, सोनियाजी और देश के एकमात्र राजकुमार कैसे-कैसे निम्नत्तम लोगो से घिरे है. आप उनके सबसे वफादार और विश्वसनीय साथी है. क्या यह वास्तविकता स्वयं इस बात का प्रमाण नहीं है की, सोनियाजी और राहुल की इस देश की सुरक्षा के प्रति और एकात्मता के प्रति तथा देशहित के प्रति जो प्रतिबध्धता है वो बिलकुल शून्य है! कोई स्वस्थ दिमाग वाला आदमी और विकास के रास्ते पर चल रही पार्टी आप जैसे विकास विरोधी, देश विरोधी और बदजुबान व्यक्ति को कैसे बर्दाश्त कर सकते है? आप का उनके नजदीक होना और बिना रोकटोक अनापशनाप बोलना यह दरअसल सोनियाजी की गन्दी सोच को उजागर करता है. जब हम इस बात पर विचार करते है कौन कैसे लोगो से घिरा है, तो मेरे दिमाग में यह बात भी आती है की, कोंग्रेस आजकल कैसे लोगो से घिरी है? क्या यह भी एक राष्ट्रीय शर्म की बात नहि है की, मनमोहन जैसे दोगुले और ढोंगी नेता इस पार्टी के शीर्ष पर बैठे है और इस देश का नेतृत्व कर रहे है? बिलकुल है. और इसी कड़ी में मुझे यह भी विचार आता है की, देश की जनता कैसे -कैसे निम्न स्तरीय नेताओ से और अवाम विरोधी सरकार से घिरी है. जब आप को और चिदम्बरम, सोनिया, मनमोहन जैसे नेता को देखते है, हम आम लोगो का प्रजातंत्र से भरोसा उठ जाता है.

"जब आपको देखता हूँ, मुझे ओसामाजी का
स्मरण होता है. पर किरण बेदी को देखता
हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक
अफसर दिखाई देती है!
आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म
खामोशी मुझे नज़र आती है,
अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी
एक बुलंद आवाज़ मुझे सुनाई देती है.
जब मनमोहन को देखता हूँ, विचार आता है की,
जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है,
हमारे लिए बहेतर होगा की हम
उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए.
जब में जस्टिस हेगड़े की और देखता हूँ,
मुझे वोह मनमोहन की तुलना में
बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी,
स्वस्थ और इमानदार लगते है "


जब आप अन्ना के साथियो के बारे में कुछ बोलते है, हमारी नज़र के सामने से एकदम धड़ल्ले से कुछ तस्वीरे पसार होने लगती है. मानो कोई फिल्म का फास्ट फॉरवर्ड चल रहा हो. जिस में आप, मेडम सोनियाजी, राहुल, चिदम्बरम, सिब्बल, मनमोहन जैसे लोग दिखते है और साथ-साथ अरविन्द केजरीवाल, प्रशांत भूषण, किरण बेदी, जस्टिस हेगड़े जैसे लोग भी दिखते है. और हम जट से बोल देते है की, आप सब लोग से तो यह अन्ना एंड पार्टी करोडो गुना बहेतर है. जब आपको देखता हूँ, मुझे ओसामाजी का स्मरण होता है. पर किरण बेदी को देखता हूँ तो मुझे वोह वर्दी में उन्नत खड़ी एक अफसर दिखाई देती है! आपकी मेडम को देखता हूँ तो उन की बेशर्म खामोशी मुझे नज़र आती है, अन्ना को देखते ही भ्रष्टाचार के खिलाफ उठी एक बुलंद आवाज़ मुझे सुनाई देती है. जब मनमोहन को देखता हूँ, विचार आता है की, जो आदमी हर समस्या के लिए जादू की छड़ी खोजता है, हमारे लिए बहेतर होगा की हम उन की जगह पी.सी. सरकार या के.लाल को प्रधान मंत्री बनाए. जब में जस्टिस हेगड़े की और देखता हूँ, मुझे वोह मनमोहन की तुलना में बिलकुल निष्कलंक, बेदाग़ और स्वाभिमानी, स्वस्थ और इमानदार लगते है. मेरी बात नहीं है, इस देश का हर कोई स्वस्थ आम आदमी के येही विचार है. अन्ना मुझे इस लिए कभी देवदूत नज़र आते है, क्यूँ की वे जिस का वध करने निकले है वोह सभी दैत्य है. और हम दैत्यवृत्ति का अनुभव इन दिनों बहुत अच्छे तरीके से कर रहे है. जब आप यह कहेते है की, अन्ना कोंग्रेस का हीं विरोध क्यूँ कर रहे है - आप को यह भी सोचना चाहिए की जन लोकपाल का सबसे ज्यादा विरोध कौन कर रहा है. अगर कोंग्रेस चाहती है की, यह बिल पास हो तो यह बहुत आसानी से हो सकता है. पर आप ने चोर की दाढ़ी में तिनका वाली कहावत तो सुनी ही होंगी! 

Courtesy: bamulahija.com
आप की मंशा किसी से छिपी नहीं है. आप अपनी अधिष्ठात्री देवी के इशारों पे चल के अन्नाजी के आन्दोलन को बदनाम करने के प्रयास बिना छुपाये ही कर रहे है. अब छुपाना आप लोगो की फितरत नहीं, आप जुल्म भी करते है तो, केमेरा के सामने ही करते है. और रामलीला मैदान में हत्याकांड भी मिडिया को साक्षी रख के करते है. आप भ्रष्टाचार भी करते है तो अपने "इमानदार" अर्थशास्त्री प्रधान मंत्री को साक्षी रख के ही करते है. सब कुछ बिलकुल खुल्ला है. कोई आवरण नहीं रहा. आप की दिगंबर अवस्था भी अदभुत है. यह अनोखी यात्रा है कोंग्रेस की. और यह पड़ाव भी बहुत अवर्णनीय है! जहाँ लाज - शर्म सब छुट गया है. एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन गलियों में घुमा करती थी, आज एक भोगन बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी लिए हुए देश में निर्भीक घूम रही है. जब आप ऐसा कोई पत्र लिखते है, कृपया अपनी स्थिति का पहेले अवलोकन कर लिया कीजिये. 

भ्रष्टाचार पर आप गंभीर है, आपकी पार्टी और प्रधान मंत्री भी गंभीर है , ऐसा आपने दावा किया. एक आम नागरिक होने के नाते मुझे भी लगता है की, आप सब इस विषय पर गंभीरता से सोच रहे है: आप विचार कर रहे है की, अब कैसे भ्रष्टाचार के नए रस्ते खोजे जाएँ , जिस से आप सब और भी मोटे हो और तगड़े हो. जब सूचना के अधिकार के जरिये  कई घोटाले सामने आये तो आप के "इमानदार" प्रधान मंत्री कहेते है, "सूचना के अधिकार का रिव्यू अब ज़रूरी है!" अगर कोई इमानदार प्रधान मंत्री होता तो कहेता : "अरे वाह! एक कानून अगर घोटाले का पर्दाफ़ाश करने में इतना उपयोगी सिध्ध हो रहा है तो क्यूँ न इसे और भी सख्त और प्रभावी बनाया जाए!" पर हम को पता है, मनमोहन की "इमानदारी" कौन सी बला का नाम है. यह ठीक वैसी ही है जैसी लादेन के करुणा और चार्ल्स शोभराज की नीतिमत्ता. भ्रष्टाचार पर आप सब लोग यह विचार कर रहे है की, कौन सा ऐसा तरीका हो जिस में आप भ्रष्टाचार तो दिल फाड़ के कर सके परन्तु किसी को उसकी भनक तक न लगे. इसी लिए जब आप कलमाड़ी और रजा वगैरह की जेल यात्रा का श्रेय कोंग्रेस को देते है तो बड़ा भद्दा लगता है सुनने में! आप ने इन सब महानुभावो को इसी तरह बचाने का प्रयत्न किया था जैसे आप आज चिदम्बरम को बचा रहे है. शुक्र हो, केग, सुप्रीम कोर्ट और टाइम्स नाऊ जैसे चेनलो का - की आज यह सब पापी जेल में है. आप जब अन्नाजी को लिखे पत्र में इस बात का श्रेय ले रहे थे - आपकी उंगलिया क्यूँ नहीं कट गई? क्यूँ जमीन नहीं फट गई?? और क्यूँ आप को किसी ने ऐसा पाप करने से रोका नहीं? 

इस देश का हर नागरिक आपको बहुत कुछ कहेना चाहता है, बदकिस्मती यह है की उन के पास माध्यम नहीं है. मै भी संघ का कोई बहुत बड़ा समर्थक नहीं हूँ. मुझे उन की कई बाते पसंद नहीं है. परन्तु आप जब अन्नाजी के ऊपर संघ के समर्थन का आरोप लगाते है, आश्चर्य होता है. मेरे नाजुक दिमाग में यह बात नहीं घुस रही की, यदि कोई संगठ्न भ्रष्टाचार के खिलाफ आन्दोलन को अपना सहयोग देता है, समर्थन देता है तो इस में बुराई क्या है? मुझे तो मन में यह सवाल चुभ रहा हैं की आप की पार्टी इस आन्दोलन को समर्थन का एलान क्यूँ  नहीं कर रही? आप और आपका अन्तेवासी व् परम शिष्य राहुल उस समय अगर भ्रष्टाचार के खिलाफ नारा  लगाने रामलीला मैदान पहुँच गए होते - जब अन्ना वहां अनशन पर थे - तो इस देश का कल्याण हो जाता.

जब आप की सरकार और वोह प्रखर, मेधावी अर्थशास्त्री पैर के नाख़ून से लेके शिखा तक खुद भ्रष्टाचार में लिप्त है, आप संघ पर भ्रष्टाचार विरोधी होने का संगीन आरोप लगाते है! यह तो किसी गायक को सुरीला कहेना जैसा इलज़ाम है! आपने कभी सुना है की, अच्छा खेलने वाले खिलाड़ी पर किसी ने अच्छा खेलने का इलज़ाम लगाया हो? यह बात स्वयं आप के वैचारिक स्तर का सब से बड़ा सबूत है. मेरे मन में यह विचार भी उठ रहा है आप की, हर अंदाज़ से बीमार अध्यक्षा अगर अमेरिका से वापस लौट के अन्नाजी के आन्दोलन को समर्थन देती तो मानो यह देश एक बार फिर से सोने की चिड़िया बन जाता और हमें लगता की यहाँ फिर से घी-दूध की नदिया बहेने लगी है. ऐसा कुछ नहीं हुआ. कौन भला अपनी कबर खोदना चाहेगा? आप ने कभी सियामिज़ ट्विन्स के बारे में सुना है? ऐसे जुड़वाँ - जो जन्म से ही एक-दुसरे के अंग के साथ जुड़े होते है. दोनों के पास कभी एक कोमन शरीर होता है, एक सोता है - दूसरा जाग नहीं सकता. जब एक को इन्फेक्शन होता है, दुसरे को अवश्य बुखार होता है. उन को अलग करना मुमकिन नहीं. डॉक्टर्स कहेते है, अगर काट दिया, दोनों मर जायेंगे. फिर वोह आदतन जीते रहेते है. कोंग्रेस और भ्रष्टाचार भी ऐसे ही जुडवा है, वोह अलग नहीं है. दोनों की व्याख्या एक ही है, अर्थ और अस्तित्व एक ही है. एक जिंदा है तो दूसरा भी साँसे ले रहा है. दोनों एक - दुसरे के अस्तित्व का सम्मान करते है. क्यूँ की, इसी में उन का अपना अस्तित्व जुडा है. जुड़े रहेना उन का स्वार्थ है, जुड़े रहेना उन की ज़िन्दगी है. 

यह अनोखी यात्रा है कोंग्रेस की.
और यह पड़ाव भी बहुत अवर्णनीय है!
जहाँ लाज - शर्म सब छुट गया है.
एक तम्बूरा ले के जैसे मीराबाई जोगन बन
गलियों में घुमा करती थी, आज एक भोगन
बन कोंग्रेस पार्टी हाथ में पांचसो-हजार की गड्डी
लिए हुए देश में निर्भीक घूम रही है.
जब आप ऐसा कोई पत्र लिखते है,
कृपया अपनी स्थिति का पहेले
अवलोकन कर लिया कीजिये. 





  
मै एक लेखक - पत्रकार हूँ. पर सबसे पहेले मै तक़दीर का मारा एक भारतीय हूँ. शायद मेरा जन्म बहुत जल्दी हुआ है, या फिर मैं दौसो साल देर से जन्मा हूँ. मैं आप जैसे गंदे लोगो को अपने नेताओ के रूप में देखना अपने जीवन की सबसे बड़ी बदकिस्मती और विवशता समजता हूँ. यह स्थिति मुझे स्वीकार्य नहीं. क्यूँ की यह डेमोक्रसी नहीं है, यह केकिस्तोक्रसी है. जहाँ बहुत सारे नीच और अधम लोग मिल के लोगो के सर पे बैठ अपनी हुकूमत चलाते है. आप इस सूचि में अपने मेडम और प्रखर अर्थशास्त्री के साथ शीर्ष पर बिराजमान है. मेरे जैसे करोडो लोग है - जो आप सब लोगो को अपने दिलोदिमाग से घृणा करते है. मै पत्रकार - लेखक हूँ, चाहू तो अपनी बात बिटविन ध लाइन्स लिख सकता हूँ. पर में कोई शब्द चुराना नहीं चाहता. क्यूँ लिखू बिटविन ध लाइन्स? कुशासन और भ्रष्टाचार का निर्वस्त्र नाच जब खुल्लेआम हो रहा है, में अपनी नाराज़गी खुल के ज़ाहिर क्यूँ न करू? मुझे कहेने दीजिये की, जब आप के गंदे निवेदन सुबह-सुबह टेलिविज़न पर सुनते है, हमारा दिन वही से खराब हो जाता है, जब आप की अधिष्ठात्री देवी की खामोशी रोज सुबह हमारे कानो से टकराती है, हमारे कान फट जाते है. जब हम १२० करोड़ लोगो का नेतृत्व करनेवाले दुनिया के अनूठे इमानदार सरदारजी को देश की समस्याए सुलजाने के लिए प्रतिबध्धता की जगह जादू की छड़ी ढूंढ़ रहे पाते है तो लगता है की, सवासो करोड़ लोग मानो पंगु व् नि:सहाय हो गए. नेतृत्व की और इमानदारी का ऐसा सुखा शायद ही हमारे पांच हजार वर्ष के इतिहास में आया हो. कमबख्ती यह है की, इस सूखे का साक्षी बनना और इनका शिकार बनना हमारी किस्मत में ही लिखा था! 

और आप जैसे लोग इस स्थिति का आनंद उठाना भी जानते है. सही में आप स्थितप्रग्न है. मेरे पास कहेने को बहुत कुछ है किन्तु यहाँ अपनी बात समाप्त कर रहा हूँ. आप से यह निवेदन है की, कृपया अपनी बकवास बंध मत कीजियेगा. यह जो कुछ भी आप बोलते है - उस से हमें और बल मिलता है. लगता है की अन्ना सच में आपका सिरदर्द बने हुए है. यह धारणा और भी पक्की होती चली जाती है. आप बोलते रहिये, क्यूँ की आपकी बकवास न सिर्फ आपकी मानसिकता बल्कि मेडम और उनके राजकुमार के गंदे खयालात भी बयाँ करती है. आप जैसे लोग है तो अन्ना है, अगर आप और मेडम वगैरह नहीं होंगे तो अन्ना की ज़रूरत क्या रह जायेगी. 

आपके नए पत्र की प्रतीक्षा है. 

-किन्नर आचार्य 
Mobile: +919825304041

Thursday, October 6, 2011

નવરાત્રીનું પર્વ અને દસ દૂર્લભ મહાવિદ્યાઓ !

શું તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ ?,
શું તંત્ર એટલે ખોપરી અને સ્મશાન ?


તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ષિઓ અને સંતોએ આ મહાવિદ્યાઓની સમય, સાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી. ગુજરાતીમાં આ મહાવિદ્યાઓ પર ઝાઝું લખાયું નથી. કારણ કે, લેખકોને પણ અંધશ્રદ્ધાળુમાં ખપી જવાનો ડર હોય છે. ભાઈ જય વસાવડા સિવાય બહુ ઓછા જાણીતા લેખકો એવા છે - જે પૌરાણિક ગ્રંથો અને શાસ્ત્રોની વાત રસપૂર્વક માંડે છે. લોકોના ચાવવાના અને દેખાડવાના જુદા છે. મેં જોયું છે કે, કહેવાતા રેશનાલિસ્ટ લોકો પણ અંદરખાનેથી ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારતા હોય છે! ગુજરાતના એક અત્યંત જાણીતા રેશનાલિસ્ટને ઘેર બીજા એક મોટા રેશનાલિસ્ટએ ફોન જોડ્યો તો સામેથી પત્નીએ કહ્યું કે, "... એ તો શામળાજી દર્શને ગયા છે!" એક રેશનાલિસ્ટના પરિવારમાં વેવિશાળ માટે વાત ચાલતી હતી. રેશનાલિસ્ટ મહાત્માએ સામેવાળા પાસેથી જન્માક્ષર માંગ્યા! પેલા ભાઈએ પૂછ્યું કે, "તમે તો રેશનાલિસ્ટ છો ને!" તો જવાબ મળ્યો: "એ બધું તો ઠીક છે. પણ, કુંડળી વગર વાત આગળ નહિ ચાલે!"હશે, એમને જે બાબતમાં માનવું હોય તેમાં માને, ના માનવું હોય તો એમની મરજી. પણ આપણને કોઈએ શા માટે રોકવા જોઈએ? અહીં હું જે વિગતો મૂકી રહ્યો છું, એ કથાઓ મેં જાતે બનાવેલી નથી. પરંતુ કેટલાક અનુભવોને કારણે મારા માટે આ રસનો વિષય છે. તમને રસ પડે કે નહિ એ મને ખ્યાલ નથી. પરંતુ દેવીઓના સ્વરૂપો જોઈ ઘણા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠતા હોય છે-જેના જવાબો આ લેખ આપે છે. અને આ લેખ , એ તંત્રની વાત કરે છે જેના વિષે આપણે ત્યાં અનેક ભ્રમણાઓ અને ડરામણી કથાઓ વ્યાપ્ત છે... નવરાત્રી દરમિયાન નવ દેવીઓ અંગે તો ઘણા લખે છે પરંતુ ભારતની આધ્યાત્મિકતાના આધાર સમાન આ દસ સ્વરૂપો વિષે બહુ ઓછા લોકોને ખ્યાલ હોય છે. એટલે જ .... 

તંત્ર એટલે દોરા-ધાગા-તાવીજ, તંત્ર એટલે ખોપરી, સ્મશાન અને અઘોર સાધનાઓ. તંત્ર એટલે ચિત્રવિચિત્ર અવાજો અને અટપટી ઉપાસનાઓ અને તંતર એટલે બલી, લોહી કે માંસની આહૂતિ. તંત્રનું કે તાંત્રિક વિધિનું નામ પડે ત્યારે આપણી આંખ સામે આવાં જ દ્રશ્યો તરવરવા લાગે. આ બધી વસ્તુઓ તંત્રની વ્યાખ્યાથી જોજનો દૂર છે. પરંતુ બન્યું છે એવું કે તંત્રશાસ્ત્ર અત્યારે લેભાગૂ તાંત્રિકોના પાપે બદનામ થઇ ગયું છે.

શારીરિક સ્વાસ્થ્ય માટે આપણે ત્યાં યોગનું અવતરણ થયું, માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનનો આવિષ્કાર થયો એવી જ રીતે આંતરબાહ્ય વિકાસ તથા સર્વાંગી કલ્યાણ માટે તંત્રવિદ્યાનો આવિષ્કાર થયો. યોગધ્યાન તો તરી ગયા પણ તંત્રની હાલત ખરાબ છે. દિલ્હી તમારે જવું હોય તો જેમ ત્યાં પહોંચવાના અનેક રસ્તા હોય  એવી જ રીતે પરમાનંદની અનૂભૂતિ માટે ભારતીય દર્શનમાં અનેક માર્ગો છે. કુંડલિની જાગરણ યોગધ્યાન દ્વારા પણ થઇ શકે, શકિતપાત દ્વરા પણ થઇ શકે અને તંત્ર દ્વારા પણ થઇ શકે.

તંત્રનો ભાવાર્થ-ગૂઢાર્થ આલેખવા બેસીએ તો તે તે માટે સ્વતંત્ર ચાર-છ લેખો લખવા પડે. પરંતુ તંત્રમાર્ગમાં જણાવેલી દસ મહાવિદ્યાઓ અંગે આપણે વાત કરવાની છે. દસ મહાશકિતઓને સમગ્ર સંસારનો, સમસ્ત બ્રહ્માંડનો સાર માનવામાં આવે છે. ભારતનાં અતિ ઉચ્ચ કોટીના સાધકો, ઋષીઓ અને સંતોએ આ મહાવિદ્યાઓને સમયસાનુકૂળતા મુજબ સિદ્ધ કરી છે. કૃષ્ણ અને રામથી લઇ દુર્વાસા, વસિષ્ઠ જેવા ઋષિઓ કે શંકરાચાર્ય જેવાં મશાલચીઓએ આ વિદ્યાઓ સિદ્ધ કરી હતી અને જ્યારે આવશ્યકતા જણાઇ ત્યારે સ્વબચાવ કે શત્રુ સંહાર માટે તેનો ઉપયોગ પણ કર્યો હતો. આ મહાવિદ્યાઓ કરતાં બહેતર કહી શકાય એવી વિદ્યાઓ કોઇપણ શાસ્ત્રમાં બીજી એકપણ નથી. કહેવાય છે જેણે ષોડશીને સાધી લીધી તેણે સંસારના રહસ્યો પણ પામી લીધા. જેણે ભુવનેશ્વરી સિદ્ધિ મેળવી લીધી તેને બ્રહ્માંડનો સાર મળી ગયો અને ઐહિકદૈહિક સુખો પણ મળી ગયા.

સનાતન હિન્દુ ધર્મનાં પાયા સમાન આ વિદ્યાઓ વિશે ગુજરાતીમાં ભાગ્યે જ ક્યારેક લખાયું છે. અને જ્યારે લખાયું છે ત્યારે મોટાભાગે છાપાની ધાર્મિક પૂર્તિઓમાં જ છપાયું છે. સામાન્ય રીતે આ પૂર્તિઓ એક ચોક્કસ વર્ગ સિવાય કોઈ વાંચતું નથી. ગુજરાતીમાં આવું લખાતું નથી તેનું મુખ્ય કારણ એ છે કે ખુદ લેખકને પણ અંધશ્રદ્ધાવાદિઓમાં ખપી જવાનો ડર હોય છે. પણ આપણે દશેરાનાં આ પર્વમાં એમનાં વિશે ચર્ચા કરવી છે. આ પર્વ જ એમનું છે, એમનાં અવસરે એમની ચર્ચા નહીં કરીએ તો કોની કરીશું.

દસ મહાવિદ્યાઓની સાધના સરળ નથી અને અશક્ય પણ નથી. હા! એ ભયાનક બિલકુલ નથી. એનાં માટે સ્મશાનમાં જવાની કે ખોપરીની માળાઓ પહેરવાની કે માંસમદિરાની જરૂર નથી. વાસ્તવમાં આ મહાવિદ્યાઓ એટલી પવિત્ર છે કે તેમાં આવી સઘળી વસ્તુઓ પુર્ણતઃ વર્જ્ય છે.  તેનાં  માટે તાંત્રીક હોવું જરૂરી નથી. નવરાત્રી સમયે આપણે ત્યાં નવદુર્ગાને અવારનવાર યાદ કરવામાં આવે છે પરંતુ દસ મહાવિદ્યાઓ જાણે તાંત્રીકો માટે જ સર્જાઇ હોય એમ એનાં વિશે ચર્ચા જ થતી નથી. વાસ્તવિકતા એ છે કે કળીયુગમાં આ મહાવિદ્યાઓથી ઉત્તમ, તેનાંથી વિશેષ બીજું કશું જ નથી. તેના વિશે થોડું વિગતે જાણીએ...


મહાકાળી


દસ મહાવિદ્યાઓમાં કાલીનું સ્થાન પ્રથમ છે. આપણે ત્યાં સામાન્ય રીતે તેમનું મહાકાળી નામ વધુ પ્રચલિત છે. મહાભાગવત્ અનુસાર કાલી જ મુખ્ય વિદ્યા છે અને તેમાં ઉગ્ર અને સૌમ્ય એમ બે રૂપોમાં બાકીની મહાવિદ્યાઓ સમાવિષ્ટ છે. ભાગવત શિવને સાધ્ય કરવાથી જ સિદ્ધિઓ મળે છે. ભગવાન શિવને સાધ્ય કરવાથી જે સિદ્ધિઓ મળે છે એ તમામ સિદ્ધિઓ મહાવિદ્યાઓ સિદ્ધ કરવાથી મળી શકે છે. દાર્શનિક દ્રષ્ટિએ જોઇએ તો પણ તંત્ર કહે છે કે કાલતત્ત્વનું મહત્વ સૌથી વધુ છે. એટલે જ કહી શકાય કે મહાકાળી જ સમસ્ત વિદ્યાઓની આદિવિદ્યા છે. અમુક તંત્રગ્રંથો તો ત્યાં સુધી કહે છે કે મહાકાલની પ્રિયતમા કાલી જ પોતાનાં દક્ષિણ અને વામ રૂપોમાં દસ મહાવિદ્યાઓમાં નામથી જાણીતી થઇ.

કાલીકાપુરાણ કહે છે કે એક વખત હિમાલય પર સ્થિત મતંગ ઋષિના આશ્રમમાં જઇ દેવતાઓએ મહામાયાની સ્તુતિ કરી. સ્તુતિથી પ્રસન્ન થઇ ભગવતીએ મતંગવનિતાના સ્વરૂપે દેવતાઓને દર્શન આપ્યા. અને પૂછ્યું કે ‘તમે કેવી સ્તુતિ કરી રહ્યા છો?’ એ સમયે જ દેવીના શરીરમાં કાળા વર્ણવાળી એક નારીનું પ્રાગટ્ય થયું. દેવતાઓ વતી તેણે જ ઉત્તર આપ્યો કે,   ‘તેઓ મારી સ્તુતિ કરી રહ્યા છે.’ તેનો વર્ણ  કાજળ જેવો હતો તેથી તેનું નામ કાલી પડ્યું. દુર્ગાસપ્તશતી મુજબ એક વખત દેવતાઓ શુમ્ભ-નિશુમ્ભ નામનાં બે રાક્ષસોથી ત્રસ્ત હતાં, તેમણે દેવિસૂક્ત દ્વારા ભગવતિનું આવાહન કર્યુ. ભગવતિ ગૌરીએ દર્શન આપ્યાં ત્યારે તેમનાં શરીરમાંથી એક નારીનું પ્રાગટ્ય થયું. એ જ ક્ષણે ગૌરીનું શરીર શ્યામ રંગનું થઇ ગયું. શકિતનું આ સ્વરૂપ કાલી કહેવાયું.

કાલીની ઉપાસના વિશે ઘણાં વિદ્વાનોમાં મતમતાંતર પ્રવર્તે છે પરંતુ એક વાત બહુ સ્પષ્ટ છે કે મહાકાળીની ઉપાસના કળીયુગમાં શ્રેષ્ઠ ગણાય છે અને તેની ઉપાસનાનાં બે પ્રકારો છેઃ (૧) તંત્રમાર્ગ (૨) ભકિતમાર્ગ.
તંત્રમાર્ગ દ્વારા કાળીની ઉપાસના, સાધના કરવા સમર્થ ગુરૂ દ્વારા દિક્ષા લેવી અનિવાર્ય છે. ભકિતમાર્ગ દ્વારા તેમની આરાધના માટે પૂજનઅર્ચન, ધૂપદિપ, સ્તુતિ વગેરે પુરતાં છે, તંત્ર માર્ગ દ્વારા તેમને સિદ્ધિ કરવા માટે તાંત્રોક્ત યંત્ર તથા મંત્ર આવશ્યક છે. કહેવાય છે કે મહાકાળીની સાધના એટલી દિવ્ય હોય છે કે સાધકનો અહમ્, જીદ્દ, મોહમાયા પૂર્ણતઃ ઓગળી જાય છે.

તારા


ભગવતી કાલીને જ નિલ્વર્ણા હોવાના કારણે તારા પણ કહેવાય છે. તારાનો એક અર્થ તારનારી, તારવાવાળી પણ થાય છે. વાક્ચાતુર્ય, વાણી પર પ્રભુત્વ ઇચ્છતા લોકો માટે તારા ઉપાસના અમોઘ છે. એટલે જ તેનું એક નામ નિલસરસ્વતિ પણ છે. સૃષ્ટિમાં સૌથી ભયાનક વિઘ્નો, સંકટો હણવાની શકિત તારા ઉપાસનામાં છે. દૈત્ય હયગ્રિવનો વધ કરવા ભગવતીમાંથી આ નિલરૂપાનું સર્જન થયું હતું.

શત્રુવિનાશ, વાક્શકિત, ભોગમોક્ષની પ્રાપ્તિ અર્થે તારા સાધના અપ્રતિમ ગણાય છે. રાત્રિદેવીની સ્વરૂપા શકિત તારા મહાવિદ્યાઓમાં અદ્વિતિય ગણાય છે. ભગવતી તારાનાં ત્રણ સ્વરૂપો છેઃ તારા, એકજટા, નિલસરસ્વતિ. ત્રણેય રૂપોનાં  રહસ્ય, આરાધના, ધ્યાન પરસ્પર ભિન્ન છે. પરંતુ આટલો તફાવત હોવા છતાં તેમની શકિત એક સમાન છે. તારા સાધના મુખ્યત્વે તંત્રમાર્ગ દ્વારા થઇ શકે છે. તંત્રગ્રંથો કહે છે કે તેની ઉપાસના દ્વારા સામાન્ય વ્યકિત પણ બૃહસ્પતિનો સ્વામિ થઇ શકે છે.

ભારતમાં ઋષિ વસિષ્ઠએ સૌપ્રથમ તારા સાધના કરી હતી. એટલી જ તારાને વસિષ્ઠરાધિતા પણ કહેવાય છે. કહેવાય છે કે ઙ્ગષિ વસિષ્ઠએ સૌપ્રથમ વૈદિક પદ્ધતિ દ્વારા તારા સાધનાનો પ્રારંભ કર્યો. પરંતુ એમને સફળતા ન મળી. તેમને દિવ્ય સંકેત મળ્યો તેથી તેમણે તાંત્રિક પદ્ધતિ દ્વારા ઉપાસનાનો પ્રારંભ કર્યો. જેના દ્વારા તેમને સિદ્ધિ મળી. એવાં પ્રમાણો મળ્યાં છે કે સદીઓ પહેલા ચીન, તિબેટ, લદ્દાખ જેવાં વિસ્તારોમાં તારા સાધના નિયમીતરૂપે કરવામાં આવતી.

તારાની ઉત્પતિ મેરૂ પર્વતની પશ્ચિમ તરફ ચોલના નામની નદીનાં કિનારે થઇ હતી. ‘મહાકાલ સંહિતા’ નામનો ગ્રંથ તંત્ર માટે ઉત્તમ ગણાય છે. તેમાં વર્ણન છે કે તારા ઉપાસના માટે ‘તારારાત્રી’ની રાત ઉત્તમ ગણાય છે. ચૈત્ર નવરાત્રીની નવમી રાત્રીને તારારાત્રી ગણાય છે. બિહારનાં સહરસા જિલ્લાનાં માહિષી ગામમાં ઉગ્રતારાની સિદ્ધપિઠ આવેલી છે. ત્યાં તારા, એકજટા તથા નિલસરસ્વતિની મૂર્તિઓ છે. કહેવાય છે કે ઋષિ વસિષ્ઠએ અહીંયા જ તારા ઉપાસના કરી સિદ્ધિ મેળવી હતી.

છિન્નમસ્તા


જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાં છિન્નમસ્તા ‘વ્રજ વૈરોચિનિ’ તરીકે ઓળખાય છે. ભગવતી છિન્નમસ્તાનું સ્વરૂપ અત્યંત ગોપનીય છે અને તેમને સાધવાનો માર્ગ સરળ નથી. તંત્રવિદ્યામાં   સમર્થ હોય એવી વ્યકિત જ આ સિદ્ધિ પામી શકે છે. સામાન્ય સાધક જો છિન્નમસ્તાને સાધવા માંગતો હોય તો સમર્થ ગુરૂનું માર્ગદર્શન આવશ્યક છે.

છિન્નમસ્તાના ઉદ્ભવની કથા રસપ્રદ છે. ભગવતી ભવાની એક વખત પોતાની સહચરી જયા અને વિજયા સાથે મંદાકિનીમાં સ્નાન કરવા ગયા. સ્નાન પછી તરસના કારણે તેમનો વર્ણ શ્યામ થઇ ગયો. એ સમયે જ જયા-વિજયાએ પણ પોતાની સ્વામિનિ એવા ભવાની પાસે ભોજનની માંગણી કરી. ભગવતીએ થોડો સમય પ્રતિક્ષા કરવા કહ્યું. આવું ત્રણ-ચાર વખત બન્યું પછી જયા-વિજયાએ કહ્યું કે ‘માં તો પોતાનાં સંતાનો જ્યારે માંગણી કરે ત્યારે ભોજન પીરસે છે. તો તમે અમારી ઉપેક્ષા શા માટે કરો છો?’ આવું સાંભળતા જ ભગવતીએ પોતાનાં ખડગથી પોતાનું શિર વાઢી નાંખ્યું. કપાયેલું શિર દેવીના હાથમાં રહી ગયું. એમના ગરદન પાસેથી રક્તની ત્રણ ધારા છૂટી જેમાંથી બે ધારા જયા-વિજયાના મુખમાં ગઇ અને એક ધારા સ્વયં ભગવતીના મુખમાં ગઇ. ભગવતીનું આ સ્વરૂપ છિન્નમસ્તા કહેવાય છે.

મધ્યરાત્રીનો સમય છિન્નમસ્તાની સાધના માટે શ્રેષ્ઠ મનાયો છે. શત્રુ વિજય, વાક્ચાતુર્ય, સમુહ સ્તંભન, સત્તાપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે છિન્નમસ્તાનું આધ્યાત્મિક સ્વરૂપ બહુ ગૂઢ છે અને બહુ સૂચક પણ પણ છે. દિશાઓ જ એમનાં વસ્ત્ર છે. એમની નાભીમાં યોનીચક્ર છે. કૃષ્ણ (તમ્) અને રક્ત (રજ) ગુણોની દેવીઓ તેમની સહચરી છે. તેઓનું પોતાનું શિર વાઢ્યા પછી  પણ જીવીત છે એ જ સ્વયં અન્તર્મુખી સાધનાનું પ્રતિક છે.
તંત્રના જ્ઞાતાઓ કહે છે કે છિન્નમસ્તા સાધના એ મોક્ષપ્રાપ્તિની ચરમસિમા છે. યોગશાસ્ત્રમાં મનુષ્ય શરીરની ત્રણ ગ્રંથીઓનું વર્ણન મળે છેઃ બ્રહ્મગ્રંથી, વિષ્ણુગ્રંથી, રૂદ્રગ્રંથી, મૂલાધારમાં બ્રહ્મગ્રંથી, મણિપુરમાં વિષ્ણુગ્રંથી તથા આજ્ઞાચક્રમાં રૂદ્રગ્રંથી સ્થિત છે. આ બધી ગ્રંથીઓને ભેદીએ તો જ અદ્રૈતાનંદ, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. સંસારના સઘળાં રહસ્યો છતા થઇ જાય છે. યોગીઓ કહે છે કે મણિપુર ચક્રની નીચેની નાડીઓમાં જ કામ અને રતિનું મૂળ છે, જેમાં પર છિન્ના શકિતનો નિવાસ છે, તેનો ઉર્ધ્વ પ્રવાહ થવાથી રૂદ્રગ્રંથીનું ભેદન થાય છે. તંત્રના શાસ્ત્રોમાં કેટલીક અદ્ભૂત વિદ્યાઓનાં વર્ણન છે જેમાંથી બૃહદારણ્યકની અશ્વશિર વિદ્યા, હયગ્રીવ વિદ્યા તથા છિન્નશિર્ષ ગણપતિની સ્વામિનિ છિન્નમસ્તા જ ગણાય છે.

ષોડશી


દસ મહાવિદ્યાઓમાં સૌથી સૌમ્ય, દિવ્ય અને ભવ્ય સ્વરૂપ કદાચ ષોડશીનું છે. ભગવતીના આ સ્વરૂપની આપણે લલિતા, ત્રિપુર સુંદરી, રાજરાજેશ્વરી જેવાં અનેક નામથી પરિચિત છીએ. દસ મહાવિદ્યાઓની બાકીની મોટાભાગની વિદ્યાઓ તેનાં સાધકને ભોગ તથા મોક્ષ એ બેઉમાંથી બહુધા એક જ વસ્તુ આપે છે. પરંતુ ષોડશી સાધના થકી બેઉ સાધ્ય છે.

એક વખત પાર્વતીએ તેમનાં પતિ શિવને પૂછ્યું કે, ‘તમે વર્ણવેલી તંત્ર સાધનાઓ થકી સાધકની આધિવ્યાધિઉપાધિ, દરિદ્રતા તથા શોકસંતાપ દૂર થઇ જાય છે પરંતુ જન્મમરણનું આ ચક્ર ચાલુ જ રહે છે, મોક્ષ મળતો નથી, આનો ઉપાય શો?’ એ સમયે ભગવાન શિવએ ત્રિપુરસુંદરી સાધના વિશે વાત કરી. કહેવાય છે કે આદિ શંકરાચાર્યએ પણ ષોડશી સાધના સિદ્ધ કરી હતી. એટલે જ આજે દરેક જ્યોતિર્મઠોમાં દેવી રાજરાજેશ્વરી શ્રીયંત્રના સ્વરૂપે બિરાજમાન છે. ઋષિ દુર્વાસા પણ ત્રિપુરસુંદરીના પરમ સાધક હતાં. તંત્રના અદ્ભુત ગ્રંથ ભૈરવયામલ તથા શકિતલહરીમાં ષોડશી સાધનાનું અતિ વિસ્તૃત વર્ણન અપાયું છે.

ષોડશીનું મુખમંડળ અત્યંત દિવ્ય, દૈદિપ્યમાન છે. તેનું સમગ્ર સ્વરૂપ જાજરમાન છે. તેમની ચાર ભુજાઓ ત્રણ નેત્ર છે. તેઓ શાંત સમુદ્રમાં સૂતેલા ભગવાન શિવ પર સ્થિત કમલાસન પર બિરાજમાન છે. ચાર ભુજાઓમાં ક્રમશઃ પાશ, અંકૂશ, ધનુષ અને બાણ છે. તંત્રશાસ્ત્રોમાં ષોડશીને પાંચ મુખવાળી અર્થાત્ પંચવકત્ર કહેવામાં આવે છે. દેવીનાં પાંચ મુખ તત્પુરૂષ, સદ્યોજાત, વામદેવ, અર્ઘાર અને ઇશાન નામનાં  શિવનાં પાંચ સ્વરૂપોના પ્રતિક છે. પાંચેય દિશાઓનાં રંગ ક્રમશઃ લીલો, લાલ, ધુમ્ર, વાદળી અને પીળો હોવાથી તેમનાં મુખ પણ એ રંગના છે. આ પાંચ મુખોનાં દસ હાથોમાં અભય, ટંક, શૂળ, વજ્ર, પાશ, ખડગ્, અંકુશ, ઘંટ, નાગ અને અગ્નિ છે. તેમનામાં સૃષ્ટિની સોળેય કળાઓ પૂર્ણરૂપે વિકસીત છે. એટલે જ તેમનું નામ પણ ષોડશી છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ ચારેય તત્વની પ્રાપ્તિ માટે ત્રિપુરસુંદરીની સાધના કરતાં વિશેષ સાધના જગતનાં એકપણ ગ્રંથમાં મોજુદ નથી.
  
ભુવનેશ્વરી


જગદમ્બા ભુવનેશ્વરીનું સ્વરૂપ પણ સૌમ્ય અને જાજરમાન છે. દેવી ભાગવત અનુસાર દુર્ગમ નામનાં દૈત્યના ત્રાસથી કંટાળી દેવતાઓએ અને બ્રાહ્મણોએ ભગવતિ આરાધના કરી ત્યારે તેમણે ભુવનેશ્વરી સ્વરૂપે દર્શન આપ્યા હતાં. એમનાં હાથોમાં બાણ, કમળનું પુષ્પ, શાકમૂળ હતાં. પોતાનાં નેત્રોમાંથી એમણે જળની હજારો ધારા વહાવી જેનાંથી સુષ્ટિના તમામ જીવો તૃપ્ત થયા, નદીઓ છલોછલ બની ગઇ અને વનરાજી છવાઇ ગઇ. પોતાના હાથમાં લીધેલા શાકો, ફળમૂળનાં કારણે ભુવનેશ્વરીનાં શાકમ્ભરી તથા શતાક્ષી જેવાં નામો પણ પડ્યા. તેમણે જ દુર્ગમાસુરનો વધ કર્યો. એ પછી દુર્ગા (દુર્ગમાસુરનો વધ કરનારા) નામથી પણ ઓળખાયા.
દસ મહાવિદ્યાઓમાં ભુવનેશ્વરીનું સ્થાન પાંચમું છે. દેવીપુરાણ કહે છે કે, મૂળ પ્રકૃત્તિનું, સમસ્ત સંસારનું બીજું જ નામ ભૂવનેશ્વરી છે.  તેમનાં હાથમાં રહેલું અંકુશ એ નિયંત્રણનું પ્રતિક છે તો એમનાં હાથમાં રહેલું પાશ એ રાગ  તથા આસકિતનું  પ્રતિક છે. ટૂંકમાં કહીએ તો  જગતનો સાર તેનાં સ્વરૂપમાં જ સમાવિષ્ટ છે.  વિશ્વને વમન કરી જવાનાં કારણે તેને વામા કહેવાય છે તો શિવમય હોવાનાં કારણે જયેષ્ઠા તરીકે પણ ઓળખાય છે. પાપીઓને દંડિત કરવાનાં કારણે તેઓ રૌદ્રી પણ કહેવાયા.

મહાનિર્વાણતંત્ર મુજબ સંસારની તમામ મહાવિદ્યાઓ અને સાત કરોડ મહામંત્રો ભુવનેશ્વરીની સેવામાં સંલગ્ન છે. કાલી તત્ત્વ શરૂ કરીને કમલા તત્ત્વ સુધીની દસ સ્થિતિઓ છે. જેમાં ભુવનેશ્વરી બ્રહ્માંડ સ્વરૂપ છે, પ્રલયકાળમાં એ કમળામાંથી (વ્યક્ત જગતમાંથી) ક્રમશઃ લય થઇને મૂળ પ્રકૃત્તિ સ્વરૂપ કાલી રૂપ બની જાય છે. એટલે જ ભુવનેશ્વરીને કાળના જન્મયાત્રી પણ કહેવાય છે. ભુવનેશ્વરીની આરાધના ધનવૈભવ, સંતાનસુખ, જ્ઞાન, શકિતસામર્થ્ય માટે શ્રેયકર ગણાય છે.


ત્રિપુર ભૈરવી


બ્રહ્માંડપુરાણમાં ત્રિપુરભૈરવીને ગુપ્ત યોગિનિઓનાં અધિષ્ઠાત્રિ કહેવાય છે. મત્સ્યપુરાણમાં તેનાં ત્રિપુરભૈરવી, કોલેશાભૈરવી, રૂદ્રભૈરવી, ચૈતન્યભૈરવી, નિત્યાભૈરવી નામનાં પાંચ સ્વરૂપોનું વર્ણન છે. સમસ્ત પ્રકારનાં ઉત્કર્ષ માટે તથા ઇન્દ્રિયો પર વિજય મેળવવા ત્રિપુરભૈરવીની સાધનાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે.

કોઇપણ પ્રકારનાં મહાસંકટમાંથી મુકિત મેળવવા તેની સાધના રામબાણ ઇલાજ છે. જો કે ત્રિપુરભૈરવીની ઉપાસનાનો મુખ્ય ઉપયોગ ઘોરકર્મમાં જ થાય છે. સરળ ભાષામાં કહીએ તો સાંસરીક મનુષ્યો માટે આ ઉપાસના એટલી ફળદાયી નથી જેટલી લાભકારક એ ભકિતમુકિતમાર્ગ પર જવા ઇચ્છતા હાર્ડકોર સાધકો માટે છે. તેના ધ્યાનનો ઉલ્લેખ દુર્ગાસપ્તશતિનાં ત્રીજા અધ્યાયમાં મહિષાસુર વધનાં પ્રસંગમાં થયો છે. ત્રિપુરભૈરવીનો રંગ લાલ છે. એ ગળામાં મુન્ડમાળા ધારણ કરે છે, લાલ વસ્ત્રોમાં  સજ્જ છે. તેનાં હાથોમાં જપમાળા, પુસ્તક, વર તથા અભયમુદ્રા ધારણ કરેલાં છે. એ કમલાસન પર બિરાજમાન છે. શાસ્ત્રો કહે છે કે તેણે જ મદ્યપાન કરીને મહિષનો વધ કર્યો હતો.

દક્ષિણ દિશા યમની દિશા કહેવાય છે અને તેમાં સ્વામિ છેઃ કાળ ભૈરવ. ત્રિપુરભૈરવી પણ ભૈરવી જ શકિત ગણાય છે. ત્રિપુરભૈરવીના અનેક સ્વરૂપો છેઃ સિદ્ધિભૈરવી, ચૈતન્યભૈરવી, ભુવનેશ્વરીભૈરવી, કમલેશ્વરીભૈરવી, કામેશ્વરીભૈરવી, ષટકૂટાભૈરવી, નિત્યાભૈરવી, કોલેશીભૈરવી, રૂદ્રાભૈરવી વગેરે. તેનાં વિવિધ સ્વરૂપોની આરાધના સ્વયં ભગવાન શિવ, વિષ્ણુ પણ કરે છે.

ધૂમાવત્તિ


ધૂમાવતિની આરાધના મુખ્યત્વે વિપતીનાશ, રોગ નિવારણ, યુદ્ધવિજય, ઉચ્ચાટન તથા મારણ આદિ માટે કરવામાં આવે છે. કહેવાય છે કે એક વખત ભગવતિ પાર્વતિ કૈલાશ પર્વત પર મહાદેવ શિવ સાથે બેઠા હતા ત્યારે તેમણે શિવ પાસે પોતાની ક્ષુધા (ભુખ)નું નિવારણ કરવા કહ્યું. વારંવાર કહ્યાં છતાં શિવએ આ વાત પર ધ્યાન નહીં આપતા ભગવતિ પછી મહાદેવને જ ગળી ગયા. એ સાથે જ ભગવતિના શરીરમાંથી ધૂમ્રસેર નીકળવા લાગી. ધૂમાડાથી આખા ઢંકાઇ જવાના કારણે તેમનું નામ ધૂમ્રા અથવા ધૂમાવતિ પડ્યું. શિવને ગળી જવાનો ભાવાર્થ છે. તેમનાં સ્વામિત્વથી ઇન્કાર. અસુરોનાં કાચા માંસથી તેમની ક્ષુધા તૃપ્ત થઇ એ વાતમાં પણ અનેક ગર્ભિત અર્થ છે. આસુરી શકિતઓનો નાશ જ એમનું ધ્યેય છે.

ધૂમાવતિ મહાશકિત સ્વયં નિયંત્રિકા છે, પોતાનાં પતિને ગળી ગઇ હોવાનાં કારણે એને વિધવા પણ કહેવાયા છે. દુર્ગાસપ્તશતિ કહે છે કે એમણે એવી પ્રતિજ્ઞા લીધી હતી કે જે એમને યુદ્ધમાં હરાવશે તેને એ પરણશે. એવું કદી બન્યું નહીં. તે અજેય અપરાજિતા છે. નારદ પાંચરાત્ર કહે છે કે ધૂમાવતિએ પોતાનાં શરીરમાંથી ઉગ્રચંદ્રિકાને પ્રગટ કરી હતી જે સેંકડો ગીધની ચીચીયારી જેવો અવાજ કાઢતી હતી. તેનું સ્વરૂપ દુર્બળ છુ, કાયા શ્યામ, મેલા કપડા, ખુલ્લા કેશ, હાથમાં સૂપડું અને રથ પર કાગડાના પ્રતિકવાળો ધ્વજ. ભૂખતરસથી આકુળવ્યાકુળ તથા ભયાનક આંખો.

પરંતુ સાધકને એ નિરાશ કરતી નથી. તંત્રનો ગ્રંથ શાકતપ્રમોદ કહે છે કે તેનાં ઉપાસકો પર ક્યારેય આપત્તિ આવતી નથી એ પ્રસન્ન થાય તો સમગ્ર રોગશોકનો નાશ કરે છે અને કોપાયમાન થાય ત્યારે સર્વ સુખ હણી લે છે. ઋગ્વેદનાં રાત્રિસુકતમાં તેને ‘સૂતરા’ કહેવાઇ છે. સૂતરાનો અર્થ છે કે જે સુખપૂર્વક પોતાનાં ભક્તોને તારે છે એ દેવી. તંત્ર શાસ્ત્રો કહે છે કે કરજમાંથી મુકિત મેળવવા માટે તથા જો કોઇને કરજ આપ્યું હોય અને પાછું ન આવતું હોય તો એ મેળવવા માટે ધુમાવતિની સાધના શ્રેષ્ઠ છે.

બગલામુખી


પિતામ્બર વિદ્યા તરીકે ઓળખાતી આ મહાશકિત વાક્ચાતુર્ય આપવા માટે તથા દુશ્મનોના સંપૂર્ણ વિનાશ માટે જાણીતી છે. તેની ઉપાસનામાં હળદરની માળા, પિત વસ્ત્ર, પિત પુષ્પનું મહત્વ છે. સમુદ્રમાં મણિજડિત મંડપમાં રત્નજડિત સિહાંસન પર બિરાજતી આ શકિતના એક હાથમાં શતરુની જીતી છે તો બીજા હાથમાં ગદા.

સ્વતત્રતંત્રમાં બગલામુખીના ઉદ્ભવની કથા આલેખાયેલી છે. સત્ યુગમાં એક વખત સમસ્ત સૃષ્ટિનો વિનાશ કરી નાંખે એવું ભયંકર તોફાન આવ્યું તેના નિવારણ માટે ભગવાન વિષ્ણુએ સૌરાષ્ટ્રમાં દેવી ભગવતિની આરાધના કરી. ભગવતિએ ત્યાં તેમને બગલામુખી સ્વરૂપ દર્શન આપ્યાં અને તોફાનનું શમન કર્યુ. ભગવાન વિષ્ણુનાં તેજથી યુક્ત હોવાનાં કારણે આ વિદ્યા વૈષ્ણવી છે, અર્થાત તેનું સ્વરૂપ કાલી કે તારા જેટલું ઉગ્ર નથી, સૌમ્ય છે. ભોગ અને મોક્ષ, બેઉ માટે તેની આરાધના થઇ શકે છે.

યજુર્વેદ કહે છે કે દસેય દિશાઓ પ્રકાશિત કરનારી, અતિ સુંદર સ્વરૂપની સ્વામિની એવી વિષ્ણુપત્ની ત્રિલોકની જનેતા છે. સ્તંભનકારક શકિત, દ્રશ્ય-અદ્રશ્ય એવા સમસ્ત પદાર્થોનો આધાર પૃથ્વીરૂપા શકિત છે અને બગલામુખી એ જ સ્તંભન શકિતની અધિષ્ઠાત્રિ દેવી છે, શ્રીકૃષ્ણએ ગીતામાં જે સ્તંભનકારી શકિતના ગુણગાન ગાયા છે. એને જ તંત્રમાં બગલામુખી કહે છે. કલીયુગમાં મહાકાળી ઉપરાંત જો કોઇ મહાવિદ્યા સૌથી પ્રચલિત હોય તો એ બગલામુખી જ છે. એક ગેરમાન્યતા એવી છે કે તેમનું મુખ બગલા જેવું છે. એ નામ બગલામુખી છે. આ વાત ખોટી છે. વાસ્તવમાં પુરાણવેદમાં તેનું નામ બલ્ગામુખી છે પરંતુ પછી તેનો અપભ્રંશ થઇ બગલામુખી થયું.

બગલામુખીને બ્રહ્માસ્ત્ર પણ કહેવાય છે. મહાભારતથી લઇ રામાયણ સુધીનાં અનેક ગ્રંથોમાં બ્રહ્માસ્ત્રનું વર્ણન મળે છે. ઉલ્લેખ મળે છે. ઐહિક-પારલૌકિક સિદ્ધિઓ માટે શત્રુઓનાં વિનાશ કાજે, કોર્ટ-કચેરીઓમાં વિજય અર્થે બગલામુખીથી બહેતર કોઇ સિદ્ધિ નથી. કુન્ડીકાતંત્રમાં બગલામુખીનાં મંત્રાદિ પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મુન્ડમાલાતંત્રમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે તેની આરાધના માટે નક્ષત્ર-કાળ-ચોઘડીયા તપાસવાની પણ જરૂર નથી. સંસારમાં સૌ પ્રથમ વખત બ્રહ્માએ બગલામુખીની આરાધના કરી હતી એ પછી તેમણે સમસ્ત ઋષિઓ સમક્ષ આ આરાધના વિધિનું વર્ણન કર્યુ. બગલામુખીના દ્વિતીય ઉપાસક વિષ્ણુ ભગવાન બનયા. ત્રીજા પરશુરામ એ એ પછી આચાર્ય દ્રોણએ આ મહાવિદ્યા સાધ્ય કરી.

માતંગી


મતંગ એટલે શિવ અને માતંગી એટલે શિવની શકિત. માતંગી શ્યામવર્ણા છે, એમણે મસ્તક પર ચંદ્રમાં ધારણ કર્યો છે. ભગવતિ માતંગી ત્રિનેત્રી છે, રત્નમય સિંહાસન પર આસિન, નિલકમલ સમાજ કાન્તિવાળી છે. દૈત્યોના નાશ માટે એ દાવાનળ જેવું સ્વરૂપ ધારણ કરી લે છે. પોતાની ચાર ભુજાઓમાં તેણે પાશ, અંકુશ, ખેટક અને ખડગ ધારણ કર્યા છે. ગૃહસ્થ જીવનનાં સમસ્ત સુખ માટે તેની સાધના શ્રેયકર છે. પરંતુ મુખ્યત્વે તેમની આરાધના વાકચાતુર્ય માટે, વિદ્યા મેળવવા કરાય છે. આદિકાળમાં મતંગ નામના ઋષિએ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે ભગવતિની કઠોર તપસ્યા કરી હતી. ભગવતિના નેત્રોમાંથી એ સમયે એક તેજપુંજ નીકળ્યો અને તેમાંથી એક શકિતનું સર્જન થયું જે રાજમાતંગીની તરીકે ઓળખાઇ.

માતંગીનું સ્વરૂપ સ્વયં એમના વિશેના કેટલાંક રહસ્યો છતા કરે છે. તેમના ત્રિનયન સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે, ચાર ભુજાઓ વેદનું પ્રતિક છે, પાશ અવિદ્યા છે તો અંકુશ વિદ્યા છે. રત્નમય સિંહાસન પર બેસીને એ પોપટનો સ્વર સાંભળી રહી છે. પોપટનું પઠન હ્રીંનું ઉચ્ચારણ કરે છે. તેમના હાથમાં વિણા છે. લાલ રંગના વસ્ત્રો પરિધાન છે. જે અગ્નિ અથવા જ્ઞાનનું પ્રતિક છે.

કમલા


શ્રીમદ્ ભાગવતના આઠમા સ્કંધના આઠમા અધ્યાયમાં કમલાના ઉદ્ભવની કથા છે. અમૃત મેળવવા સમુદ્રમંથન થયું ત્યારે તેમાંથી કમલાનો ઉદ્ભવ થયો. તેણે વિષ્ણુંને પતિરૂપે પસંદ કર્યા. ભગવતિ કમળા વૈષ્ણવી શકિત છે અને વિષ્ણુની સહચારિણી છે. કમળા એક પ્રકારે સમસ્ત ભૌતિક પ્રાકૃત્તિક  સંપત્તિની અધિષ્ઠાત્રી કમળા છે. બીજા અર્થમાં કહીએ તો એ સ્વયં સચ્ચિદાનંદમયી લક્ષ્મી છે, જે વિષ્ણુથી અભિન્ન છે. દેવતા, માનવ અને દાનવ તેની કૃપા વગર પંગુ છે. સમસ્ત દેવ-દાનવ-ગંધર્વ-કિન્નર-મનુષ્યો તેની ઉપાસના કરે છે.

મહાવિદ્યા કમલાનું સ્વરૂપ અતિ દિવ્ય છે. એમની કાન્તિ સુવર્ણ જેવી છે, શ્વેત વર્ણનાં ચાર હાથીઓ પોતાની સૂંઢમાં સોનાનાં ચાર કળશ લઇ તેમને નિત્ય સ્નાન કરાવે છે.એ પોતાની બે ભુજાઓમાં વર અને અભયમુદ્રામાં છે અને બાકીની બે ભુજાઓમાં કમળ ધારણ કર્યા છે. તેમનાં શિર પર સુંદર મુગટ છે અને કાયા પર અતિ સુંદર રેશમી વસ્ત્રો, તેમનું આસન કમળ છે.

સમૃદ્ધિના પ્રતિક જેવી આ મહાવિદ્યાની ઉપાસના લક્ષ્મીપ્રાપ્તિ તથા નારીસુખ, સંતાનસુખ મેળવવા ઉત્તમ છે. ભાર્ગવો દ્વારા તેનું પુજન થતું હોવાથી એ ભાર્ગવી કહેવાઇ. શંકરાચાર્ય કૃત કનકધારા સ્ત્રોત્ર, શ્રી સુકત પાઠ તેનાં પુજન માટે ઉત્તમ ગણાય છે. પ્રાચીનકાળમાં બ્રહ્મા, વિષ્ણુ, શિવ દ્વારા તેનું પુજન થયું હોવાથી એનું એક નામ ત્રિપુરા પણ છે. ભૈરવયામલ તથા શકિતલહેરીમાં તેની ઉપાસનાનું વિશેષ વર્ણન છે. પુરૂષસુકતમાં કમલાને વિષ્ણુની પત્ની કહેવાઇ છે. અશ્વરથહાથીનાં પ્રતિકો સાથે તેઓ સીધો સંબંધ રાજવૈભવ સાથે છે.
ધૂમાવતિ અને કમલા સામસામા અંતિમોની મહાવિદ્યાઓ છે. ધૂમાવતિ દરિદ્રતની દેવી છે, કમલા લક્ષ્મીની, ધૂમાવતિ અવરોધહિણી છે તો કમલા રોહિણી, ધૂમાવતિ જયેષ્ઠા છે તો કમલા કનિષ્ઠા, ધૂમાવતિ આસૂરી શકિત છે તો કમલા દિવ્યાતીદિવ્ય મહાવિદ્યા છે.