Friday, January 18, 2013

ગઝની, રોમીલા અને દુષ્ટ સેક્યુલરિયાઓ: વર્તમાનને પણ ટ્વિસ્ટ કરી શકતા લોકો જ્યારે ઈતિહાસ સાથે ખેલ ખેલે છે ...


SOMNATH - GHAZNI - DR. RAJENDRA PRASAD
તસ્વીર - 1: ગઝનીએ સોમનાથમાં મૂર્તિઓનો ધ્વંશ કર્યો હતો એ દર્શાવતું એક ચિત્ર,
તસ્વીર-2: અવિરત આક્રમણો પછી ખંડિત અવસ્થામાં રહેલું સોમનાથ મંદિર,
તસ્વીર-3: જીર્ણોધ્ધાર માટે સોમનાથ આવેલા રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ,
તસ્વીર-4: નવા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમયે ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને જામ સાહેબ વગેરે,
તસ્વીર-5: વતમાન સમયના સોમનાથ મંદિરનું રાત્રીનું દ્રશ્ય 

સાવધાન! હમારી બીજી કોઈ શાખા નથી! અમને માલુમ થયું છે કે, સોમનાથના નામે  કેટલાક ભળતા - સળતા લોકો પોતાની ડાબેરી વિચારધારાની રેંકડી ચલાવવા નીકળ્યા છે, આવા કાછિયાઓથી ચેતવા સૌને ભલામણ છે. હમારો માલ અસલી છે - ત્યાં સઘળું નકલી છે! મોદી વિરોધ અને હિન્દુત્વ વિરોધની લારી વર્ષોથી ચલાવતા આવા ફેરિયાઓ ઇતિહાસને તોડવા - મરોડવા માટે કુખ્યાત છે, અરે! તેઓ વર્તમાનને પણ તોડી-મરોડી જાણે છે: ગોધરા કાંડ તેમના મતે નરોડા પાટિયાથી શરુ થયો હતો! અને જગતના દરેક પ્રશ્નોનું મૂળ મોદી જ છે, એવું તેઓ ગર્વપૂર્વક માને છે! એમના બ્રેડ એન્ડ બટર આ બે-ત્રણ રેંકડી પર જ ટકેલા છે ... પોતાની અટપટી થીયરી સાબિત કરવા તેઓ કોઈ પણ આલિયામાલિયા ઇતિહાસકારના પુન્છડે ઝૂલી શકે છે! શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપરના સેકંડ હેન્ડ કે થાઉઝંડ્થ હેન્ડ અભિપ્રાયો પર હમારો લેખ આધારિત નથી, વળી હમારા લેખમાં કોમન સેન્સ અને અક્કલ પણ ઇસ્તેમાલ કરવામાં આવેલ છે - જેની લાગતા - વળગતા , ધૂણતા અને ધુણાવતા તત્વોએ નોંધ લેવી. હમારા લેખમાં અલ બેરુનીના અને ઉત્બીના સંદર્ભો ઝાઝા છે અને ઈતિહાસ કહે છે કે,  શંભુપ્રસાદ દેસાઈ અને રોમીલા થાપર ગઝની ભેગા ભારત નહોતા આવ્યા - બેરુની આવ્યો હતો અને ઉત્બી પણ પધાર્યો હતો. હમારા ખ્યાલ મુજબ રોમીલા અને દેસાઈજી ગઝનીના કાળમાં હતા જ નહિ - કાછિયાઓ પાસે એવા સંદર્ભો પણ હશે જેમાં તેઓ થાપર અને દેસાઈનો જન્મ ઇસવીસન પૂર્વે થયો હોવાનું સાબિત કરી શકે! આવા દુષ્ટ તત્વોથી ચેતતા રહેજો - ચેતતો નર અને ચેતતી નારી સદા સુખી! ચૈન સે સોના હૈ તો અબ જાગ જાઓ ... ડાબેરી દુષ્ટો અબ ભાગ જાઓ .... જોતા રહેજો આ બ્લોગ ... કળીયુગના ડાબેરી દૈત્યોનો પર્દાફાશ કરવા આ જ શ્રેણીમાં અન્ય લેખો પણ આવી રહ્યા છે ....


THANESAR - GHAZNI - UTBI - AL BERUNI
થાનેસરના અપભ્રંશ થયેલા નામે ઓળખાતું સ્થાનેશ્વર મંદિર: અલ બેરુની અને ઉત્બી સહીત
અનેક ઈતિહાસકારોએ અહીં થયેલા ભયાનક યુદ્ધનું - કત્લેઆમનું ધ્રુજાવી દેતું વર્ણન લખ્યું છે 

"(હરિયાણાના) થાનેસરમાં હિન્દુઓએ તેને મૂર્તિ ખંડિત નહિ કરવા અને મંદિર નહિ તોડવાની વિનંતી કરી - તેના બદલામાં દર વર્ષે તેને મોટી રકમનો તથા દર વર્ષે હીરા - ઝવેરાત અને પચાસ હાથીઓ આપવાનો પ્રસ્તાવ મુક્યો. મેહમુદએ પ્રસ્તાવ નકાર્યો અને કહ્યું: "મારો ધર્મ મને કહે છે કે, પયગંબર સાહેબના સિદ્ધાંતોનો જેટલો ફેલાવો કોઈ વ્યક્તિ કરશે, વિધર્મીઓની મૂર્તિઓનો વિધ્વંશ કરશે ... એટલા જ પ્રમાણમાં તેને જન્નતમાં વળતર - ઇનામ મળશે!" આ જ તેનું વલણ હતું ... અલ્લાહની મદદથી ભારતની જમીન પરથી મૂર્તિ પુજકોને ભૂંસી નાખવા એ તેનું લક્ષ્ય હતું! તો પછી એ થાનેસરમાં આવી લાલચમાં શા માટે અટવાય? સોમનાથમાં પણ તેને આવી જ રજુઆત થઇ, શિવલિંગ નહિ તોડવાની શરતે તેને વાર્ષિક ધોરણે તગડી રકમ ચુકવવા માટે હિંદુઓ તૈયાર હતા. તેની સેનાના અગ્રણી સલાહકારો વગેરેએ પણ તેને સલાહ આપી કે, આ પ્રસ્તાવ તેણે સ્વીકારી લેવો જોઈએ ... કેમ કે, જેટલી વાર્ષીક રકમ ચુકવવા હિંદુઓ તૈયાર થયા હતા એટલી તો તેને લૂંટ દ્વારા પણ મળે એમ નહોતું! તેનો જવાબ એકદમ સ્પષ્ટ અને સરળ હતો, તેના માટે તેના ધર્મનો વૈભવનું મુલ્ય લૂંટના માલ કરતા વધુ હતું! તેણે કહ્યું: 
'મને ખ્યાલ છે કે, મૂર્તિ ના તોડું તો મને ફાયદો છે!
પણ હું ઈચ્છું છું કે, કયામતના દિવસે અલ્લાહ મારા વિષે એમ કહીને મને સાદ આપે કે, 'ક્યાં છે એ મેહમુદ - જેણે કાફીરોની મહાકાય મૂર્તિઓ તોડી છે?' 
હું એવું નથી ઈચ્છતો કે, મારા માટે એવું બોલાય કે, 
'ક્યાં ગયો એ મેહમુદ - જેણે થોડા સોના માટે કાફીરોની મૂર્તિ વેંચી નાખી!"


આ બયાન મારું નથી, એ કોઈ કલ્પના નથી પરંતુ મોહમદ ગઝનીએ ભારતમાં મચાવેલા કાળા કેરનો આંખે દેખ્યો અહેવાલ છે. આ વર્ણન છે અબુ નાસર મુહંમદ ઈબ્ન મુહંમદ અલ જબ્બારું - એ - "ઉત્બી"નું. ઉત્બીના નામથી ઓળખાતો આ ઇતિહાસકાર મોહમદ ગઝનીનો મંત્રી હતો, એ ભારત તેની સાથે જ આવ્યો હતો અને પછીથી તેણે "તારીખ-એ-યમની" નામનું એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે ગઝનીની યુદ્ધશૈલી વિષે અને તેની ધર્માન્ધતા અંગે ઘણું લખ્યું છે. ડફોળ ડાબેરીઓ જ્યારે રોમીલા થાપરના ફાલતું તર્ક અને શંભુપ્રસાદ દેસાઈના વિચારો (એને તથ્ય ના કહી શકાય, એ વિચારો છે!) ટાંક્યા કરે છે, ત્યારે અલ બેરુની વિષે અને ઉત્બી વિષે સિફતપૂર્વક કશું બોલતા નથી - બીજી શક્યતા એ છે કે, તેમને આખા પ્રકરણનો અભ્યાસ નથી! બેઉ સંજોગોમાં તેઓ પાપી અને દુષ્ટ સાબિત થાય છે - કારણ કે, અભ્યાસ ના હોય તો આવા વિષયને સ્પર્શ જ ના કરવો જોઈએ! પોતાનું ખરજવું ખંજવાળવાની તેમની "ઈચ" અને તૃષ્ણા ભાંગવા તેઓ કેટકેટલા તઃયોનો ખાત્મો બોલાવતા હોય છે! એક ભાઈ ગઝનીને સેક્યુલર ઠરાવવા કહે છે કે, "ગઝનીની સેનામાં હિંદુ સેનાપતિ પણ હતા એ આપણે ભૂલવું ના જોઈએ!' તે હોય જ ને! આજે પણ તમે ગઝનીના સેનાપતિ તરીકે ફરજ બજાવવા સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી હોય તો એ સમયે પણ તમારા જેવા ગદ્દારો હશે જ ને! હિન્દુઓનો ઈતિહાસ આમ પણ છળકપટ અને પરાજયોની દાસ્તાનથી ઉભરાઈ રહ્યો છે, તેમાં આજે પણ ગઝનીના પાયદળિયા તરીકે સેવા આપતા ગદ્દારોનું પ્રદાન ઓછું નથી.

આજે ગઝનીના દલાલો અને સેક્યુલર સોદાગરો ગઝની વિશે કેરેક્ટર સર્ટિફિકેટ ફાડી રહ્યા છે, આ એ જ રક્તપિપાસુઓ છે જે ઇતિહાસને  હંમેશા તોડતા અને મરોડતા રહ્યા છે. માત્ર ઈતિહાસ જ શા માટે, તેઓ તો વર્તમાન સાથે પણ ચેડા કરતા રહે છે. હા! આ એ જ જમાત છે - જેમના મતે ગુજરાતના હુલ્લડોની શરૂઆત નરોડા પાટીયાથી અને અમદાવાદના તોફાનોથી થઇ હતી, ગોધરા રેલ્વે સ્ટેશનથી નહિ! હિન્દુઓની એક ઐતિહાસિક ભૂલ એ રહી છે કે, તેઓ ડોકયુમેન્ટેશનમાં હમેશા નબળા પુરવાર થયા છે પરંતુ ઇસ્લામિક સ્કોલર્સ બહુ અગાઉથી આવી બાબતોનું દસ્તાવેજીકરણ કરતા આવ્યા છે. એમની એ આદત અને સદગુણ આજે આપણને કામે લાગે છે. નહીતર દંભી સેક્યુલરિયાઓના આ યુગમાં તો કોઈ એવો દાવો પણ કરી શકે છે કે, મુહંમદ ગઝની નામનો શખ્સ જ હતો નહિ અને ભારત પર કદી આવા હુમલાઓ થયા જ નથી! હા! ઇતિહાસ સાથે ચેડા કરવા અને દિવસને રાતમાં તથા રાતને દિવસમાં ખપાવવી ... એ જ તેમનો રોટલો છે, જો તેમના લખાણમાંથી આવાં કચરા - કસ્તર બાદ કરી નાખો તો કોઠીમાં હેઠે પછી કાદવ પણ વધતો નથી. ઠીક છે, પેટ કરાવે વેઠ ... એવું અમસ્તા જ નથી કહેવાયું!

VAJRESHWARI - NAGARKOT - HIMACHAL - GHAZNI
હિમાચલના નગર કોટમાં આવેલા વજ્રેશ્વરી દેવીના મંદિરને પણ ગઝનીએ છોડ્યું નહોતું





           

બહરહાલ આપણે હવે ઉત્બીના લખાણો તરફ ધ્યાન આપીએ, કારણ કે, એ એટલી હદ્દે ઓથેન્ટિક છે અને સજ્જડ છે કે, દુષ્ટો તેનો ક્યારેય ઉલ્લેખ જ નહિ કરે. ઉત્બી લખે (ત્યારે સંઘ નહોતો એટલે 'આ લખાણ RSS  દ્વારા પ્રાયોજિત છે' એવું સુભાષિત બોલતા પહેલા ઈતિહાસ ચકાસી લેવો, અંગ્રેજી ના સમજાતું હોય તો વડીલોની મદદ લઇ શકાય!)  છે કે,  "મેહમુદ એક ઉત્સાહી અને થનગનતો ઇસ્લામિક દૂત હતો, ઇસ્લામમાં તેને અપાર શ્રધ્ધા હતી. (શાર્વાના યુધ્ધનું વર્ણન કરતા એ લખે છે કે) મુસલમાનોને મન દૌલતનું મહત્વ ત્યાં સુધી નહોતું - જ્યાં સુધી તેઓ કાફીરોની અને સૂર્ય - અગ્નિના પુજકોની કત્લેઆમ દ્વારા ધરાઈ ના જાય. કતલ થયેલા હિંદુઓના શબ ફંફોસી ને તેમના ગજવામાં છૂપાવેલા રત્નો  વગેરે મેળવવામાં ત્રણ દિવસ ગયા - કેમ કે, લાશોના ઢગલા જ એટલા મોટા હતા!  લૂંટમાં માલમાં સોનું, ચાંદી, માણેક અને મોતીઓનો ભંડાર હતો - જેની કીમત ત્રણ હજાર હજાર દિર્હામ (મુસ્લિમો એ સમયે હજાર કરતા આગળની ગણતરી જાણતા ના હતા  અને એ વાત અલ બેરુનીએ પણ નોંધી છે) થતી હતી! ગુલામો એટલા ભેગા થઇ ગયા હતા કે, તેમના ભાવ સાવ ગગડી ગયા હતા, ગઝ્ના નગરની દુકાનોમાં પણ આ જ ગુલામોને કામે રખાયા. એક ગુલામ માત્ર  બેથી દસ દિર્હામમાં વેંચાતો  હતો!"

ગઝની એક ધર્માંધ લૂંટારું હતો અને એ વાત એ સમયના ઈતિહાસકારોએ બહુ ગર્વપૂર્વક કબુલ કરી છે, એમના માટે એ ઘટનાઓ શરમજનક નહોતી પરંતુ ગૌરવપ્રદ હતી! ઈસ્લામને ફેલાવવા બદલ અને હિન્દુઓનો ખાત્મો કરવા બદલ ખલીફા અલ કાદિર બી-ઇલાહએ તેને "કહ્ફું - દ દૌલત વું - ઈ ઇસ્લામ" (રાજ્ય અને ઇસ્લામનો સંરક્ષક) નો ખિતાબ આપ્યો હતો, ઇતિહાસકાર મીન્હાજ - ઈ - સિરાજ (જન્મ; 1193, ઘુરીદ - અફઘાનિસ્તાન)એ પોતાના પુસ્તક 'તબાકત - એ - નાસીરી'માં લખ્યું છે કે, "ગઝની એ ઇસ્લામનો એક મહાયોદ્ધો હતો, તેણે એક હજાર કરતા પણ વધુ હિંદુ મંદિરોને મસ્જીદમાં ફેરવી નાખ્યા હતા!" વર્ણનો અનેક છે, એ સમયના ઈતિહાસકારોએ બધું નોંધ્યું છે, ગઝનીની ભારત લૂંટની દાસ્તાન એ સમયના લગભગ ચૌદ ઈતિહાસકારોએ નોંધી છે અને આ બધાના વર્ણનમાં એક વાત એકસમાન છે કે, "ગઝનીને મૂર્તિ પૂજકો અને સૂર્ય-અગ્નિના ઉપાસકો (હિંદુઓ)ની કત્લેઆમમાં એટલો રસ હતો કે, એ માત્ર લૂંટનો માલ મેળવીને સંતોષ માની લે એમ નહોતો!" ઉત્બીનું બયાન આગળ વધે છે, હવે વાત આવે છે થાનેસર (હરિયાણા)ની કત્લેઆમની: "... નાસ્તિકો (હિંદુઓ)નું લોહી એટલા પ્રમાણમાં વહ્યું હતું કે, ત્યાં વહેણમાં વહેતા પાણીનો રંગ લાલ થઇ ગયો હતો, એ પાણી પીવા લાયક પણ રહ્યું નહોતું! સુલતાન જ્યારે ત્યાંથી પાછો આવ્યો ત્યારે તેની સાથે અખૂટ સંપત્તિ અને હજ્જારો ગુલામો લાવ્યો હતો, આસપાસના મુલ્ક - ઈરાક, ખુરાસન વગેરે જગ્યાએથી લોકો અહીં ખાસ ગુલામોની ખરીદી કરવા આવતા હતા! નગરકોટ (હિમાચલ - કાંગડા) માં તેને મળેલાં લૂંટના માળનું કુલ વજન સાત લાખ મણ હતું - જેમાં હીરા - માણેક અને સોના ચાંદી, રત્નો તથા ભરતકામ કરેલા વસ્ત્રો અને વાસણ જેવી અનેક વસ્તુઓ હતી!" 

કોઈ ઘટનાનો આંખે દેખ્યો અહેવાલ અને તેનું વર્ણન કરતુ ફર્સ્ટ હેન્ડ સાહિત્ય જ્યારે હાજર હોય ત્યારે તેની અવગણના કરી, પોતાને મનગમતા લખાણો ક્યાંકથી શોધી લાવી અને પછી તેની પર બાલીશ તર્ક લડાવવા એ દુષ્ટ સેક્યુલરિયાઓની જૂની આદત છે. આ તેમની ગ્રંથી છે - જે છૂટતી નથી, દુષ્ટતા એમના સ્વભાવનું એક અંગ બની ગઈ છે જાણે. ગઝની અને ઇસ્લામિક આક્રમણખોરોના આતંક અંગે તેમનું આ વલણ નવું નથી, આ તેમની જૂની કબજીયાત છે. અહીં આપણે જે માહિતી આપી છે તે એકદમ રેચક છે - એમના માટે અકસીર ઈલાજ ગણાય એવી છે! પરંતુ તેઓ આ ઈસબગુલનું સેવન નહિ કરે, કારણ કે, અવગુણો અને જૂઠની કબજીયાત સાથે જીવવાનું એમને ફાવી ગયું છે - એ વિકૃત લાગણીઓ જ તેમને ટકાવી રાખે છે! વાર્તામાંના પેલા રાક્ષસની જેમ આ બધાનો જીવ પણ ભીતર વસતા દંભના પોપટની ડોકમાં છે, જે ક્ષણે તેઓ સત્ય સ્વીકારશે - એ જ ક્ષણે તેમના શ્વાસ રૂંધાઇ જશે. કારણ કે, તેમની કાયા જ આખી જુઠ્ઠી બનેલી છે, એમાં પાંચ તત્વનો અંશ નથી, છઠ્ઠું તત્વ - નર્યો દંભ અને જુઠ જ તેમની ભીતર ખદબદે છે!









14 comments:

  1. ગ્રેટ આર્ટીકલ બસ એટલું જ કહીશ , એટલો ગુસ્સો મગજ માં ભરેલો છે કે એકવાર ગઝની ને તો છોડાય પણ આ ઈતિહાસ બદલતા સેક્યુલ્લારો ને ગોળી મારવી જોઈએ

    ReplyDelete
  2. કિન્નરભાઇ, સ્ફોટક. મગજ વિચાર કરવાનું બંધ ન કરે, ડબલ ઝડપે વીચારે તેવા સ્ફોટક સત્યનો તમે પરીચય કરાવો છો. આ સરકારી ખર્ચે ચાલતા ત્રાસવાદ સંસ્થાન જેમ કે JNU (જવાહરલાલ નહેરૂ યુનીવર્સીટી) અને એ ડાબેરી (જે હવે ચીન, ઉકો (ઉત્તર કોરીયા) અને ક્યુબા સીવાય) ક્યાં જીવંત છે તો એનો પ્રશ્ન આ JNU આવે. વિકૃત ઇતિહાસ સમગ્ર દેશની ચાર પેઢી (૧૯૫૦-અનંત) સુધી ભણતી આવી અને ભણાવતી આવી છે.

    જો તેમની કોઈ પસંદગીની વાત ન કરે તો RSS પ્રેરીત ઇતિહાસ છે. સાથે નથી તો સામે છો એ ખુન્નસથી મીડીયા, એજ્યુકેશન અને સરકારી તંત્ર ઉપર આ દેશ વિરોધી ડાબેરીઓની જબરી પકડ છે.

    આપના આ લેખો નવી પેઢીને સત્યથી અવગત કરાવશે.

    આભાર કિન્નરભાઇ

    ReplyDelete
  3. કિન્નરભાઈ, રમીલા બેન વગર પણ બેરુનીનું લખાંણ બરોબર છે.

    આપના બ્લોગ ઉપર નીયમીત વાંચન ચાલુ છે.

    ReplyDelete
  4. કિન્નરભાઈ, રમીલા બેન વગર પણ બેરુનીનું લખાંણ બરોબર છે.

    આપના બ્લોગ ઉપર નીયમીત વાંચન ચાલુ છે.

    ReplyDelete
  5. Really nice article. I heard that, though being a Muslim utbi's writings were very near to fact and references were based on objective evidence. As a reader I always wondered why no one is throwing light on his writings. Thanks a lot for bringing facts to light.

    ReplyDelete
  6. tame to aa vakhate naga loko ni chamdi pan kholi nakhi, emne sav ughada kari didha. Jyarthi emna waste basket brand blog item ne vanchi hati, tyarthi gusso chadyo hato, me ek status pan mukelu. History, school ma (bija subjects ni jem j) kyarey unda utrava akarshit na kari shakyu pan, pachithi saru evu vanchan kari ne mahitgar to thayo j. Thanks for nice facts.

    ReplyDelete
  7. I knew these all stuff by reading elsewhere and conversations with very senior people in age. Though first time ever in detail read in your article. Good material. I hope Anti Indian (Destructive) mouth pieces will learn from this.

    ReplyDelete
  8. shame on us..2 day we hindus r doing the same mistake by forgetting our history...thanx 4 letting us know the hard facts abt history,that has never been told 2 our nw gen..

    ReplyDelete
  9. why u write the nam of shambhurasad desai?

    ReplyDelete
  10. Dear Sir, You are Great , If we want Hindu glory of 1291 then you should try to learn our true History and attack on India , If we will not wakeup today in 2050 This Congress sold us in name of Islam

    ReplyDelete
  11. superb.aa type na tarko baxibabu ladavta.

    ReplyDelete