Wednesday, September 14, 2011

હિન્દી એ ભારતની રાષ્ટ્રભાષા નથી !


...અને તેના કરતાં પણ વધુ આંચકાજનક બાબત એ છે કે ભારતના બંધારણે અંગ્રેજીને હિન્દી કરતાં ઉચ્ચ દરજ્જો આપ્યો છે!


હિન્દી દિવસ પર વિશેષ લેખ

દોઢ-બે વર્ષ પહેલા યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ પછી એક વિવાદે આખા દેશનું ધ્યાન ખેંચ્યુ. અવસર હતો ધારાસભ્યોના શપથવિધિનો અને સંઘર્ષ થયો સમાજવાદી પાર્ટીના અબુ આઝમી તથા રાજ ઠાકરેના પક્ષ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અથવા તો એમ.એસ.એસ.) વિધાનસભ્યો વચ્ચે. અબુ આઝમીએ હિન્દીમાં શપથ લેવા હતા અને એમ.એસ.એસ.નો આગ્રહ મરાઠી ભાષા માટે હતો. વિવાદ તો બહુ ચાલ્યો પરંતુ એમ.એસ.એસ.ના એક નેતાઓ આ સમય દરમિયાન એક ચેનલ પર પડકાર ફેંક્યો અને કહ્યું કે ‘સાબીત કરી આપો કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા છે!’ ‘રાષ્ટ્રભાષા’માં શપથ લેવાની જિદ્દ કરનાર અબુ આઝમી સહિત કોઇ રાજકારણીનું આ વાત પર ધ્યાન ન ગયું. અને જેમનું ધ્યાન ગયું એમણે પણ આ વાતે પોતાનું મોં બંધ રાખવાનું જ પસંદ કર્યુ. સવાલ એ છે કે ‘સ્ટેટસ’ શું છે,  શું હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી? બંધારણ આ વિશે શું કહે છે?

દેશના ખ્યાતનામ સાપ્તાહિક ‘ધ વીક’એ બે વર્ષ પહેલા એક વિશેષાંક બહાર પાડ્યો છે જેની થીમ છે ‘મીથ્સ ઓફ અવર ટાઇમ’. ટૂંકમાં કહીએ તો સાંપ્રત સમયની ગેરમાન્યતાઓનું તેમાં પુરાવાઓ સાથે ખંડન કરવામાં આવ્યું છે. હકિકત એ છે કે ભારતનાં બંધારણે હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપ્યો નથી. એટલે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી અને નથી જ. બંધારણના આર્ટિકલ ૩૪૩ મુજબ હિન્દી એ આપણી કેન્દ્ર સરકારની ‘ઓફિશિયલ’ ભાષા છે! મુદ્દો સમજવા જેવો છે. આ વ્યાખ્યાનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર દ્વારા વહિવટી કામકાજમાં જે ભાષાનો ઉપયોગ કરવાનું ફરજીયાત હોય એને ‘ઓફિશિયલ’ લેંગ્વેજ કહેવાય. કોઇને થશે, કે તો પછી કેન્દ્ર સરકારનો વહિવટ અંગ્રેજીમાં પણ શા માટે ચાલતો હોય છે? વેલ, આપણાં બંધારણે અંગ્રેજીને પણ હિન્દી જેવો જ (ઓફિશિયલ લેંગ્વેજ) દરજ્જો આપેલો છે! એટલે જ આપણે ત્યાં બેન્કો અને ભારત સંચાર કે તેનાં જેવાં કેન્દ્ર સરકાર હસ્તક આવતા વિભાગોનું તમામ સાહિત્ય હિન્દી અને અંગ્રેજી એમ બેઉ ભાષામાં ઉપલબ્ધ હોય છે.

આપણું બંધારણ અમલમાં આવ્યું એ દિવસથી ૧૫ વર્ષ સુધી (જાન્યુઆરી- ૨૫, ૧૯૬૫) અંગ્રેજીને ઓફિશિયલ લેંગ્વેજ ગણવાની તથા તમામ પત્રવ્યવહાર વગેરે અંગ્રેજીમાં કરવાની જોગવાઇ કરવામાં આવી હતી. બંધારણે દેશના રાષ્ટ્રપતિને એવી સત્તા આપી હતી કે ૨પ જાન્યુઆરી ’૬૫ પછી પણ જો તેઓને આવશ્યકતા જણાય તો ઈંગ્લિશનો ઉપયોગ (અધિકૃત ભાષા તરીકે) ચાલુ રાખી શકે. બન્યું પણ એવું જ. દક્ષિણનાં રાજ્યો, પૂર્વ, ઉત્તરપૂર્વ (અને પશ્ચિમ ભારતનાં કેટલાંક રાજ્યો)ના રાજ્યોએ હિન્દીમાં ખાસ રસ લીધો નહીં એટલે સંસદમાં પછી, હિન્દી અને અંગ્રેજી બેઉને ઓફિશિયલ લેંગ્વેજ ઘોષિત કરતો કાયદો (ઓફિશિયલ લેંગ્વેજ એક્ટ) બનાવવો પડ્યો.

ઉપરની વિગતો વાંચ્યા પછી પણ ‘રાષ્ટ્રભાષા’ અને ‘કેન્દ્રની અધિકૃત ભાષા’ વચ્ચેનો તફાવત ન સમજાયો હોય તો જાણી લો કે હિન્દી અને અંગ્રેજીનો ઉપયોગ કેન્દ્ર સિવાય કોઇને બંધનકર્તા નથી. વાંચીને આંચકો લાગી જાય એવી વાત તો એ છે કે કેન્દ્ર દ્વારા બનાવાયેલા કોઇ એક જ ડ્રાફ્ટની હિન્દી અને અંગ્રેજી નકલોના લખાણ વચ્ચે અર્થભેદ હોય તો એવાં સંજોગોમાં અંગ્રેજીના લખાણને અધિકૃત માનવાનું પણ આ કાયદામાં કહેવાયું છે. એક રીતે જોઇએ તો, આપણાં બંધારણે અંગ્રેજીને હિન્દી કરતાં પણ ઉંચો દરજ્જો આપ્યો છે.

સવાલ એ છે કે, જો હિન્દી અને અંગ્રેજી ભારતની કેન્દ્ર સરકારની અધિકૃત ભાષા માત્ર હોય તો પછી ભારતની રાષ્ટ્રભાષા કઇ છે? કમનસિબે જવાબ એ છે કેઃ કોઇ એક ભાષા નહીં! ભારતનું બંધારણ અમલમાં આવ્યું એ પછી પાંચ વર્ષે રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારને એક સમિચિ રચવાનું સૂચન કર્યુ. આ વિષય પર ‘બી.જી. ખેર કમિશન’ નામની એક સમિતિની રચના થઇ. આ પંચે ખાસ્સું કામ કર્યુ. તેમણે પોતાની ભલામણો તત્કાલિન ગૃહમંત્રી જી.બી. પંતને સોંપી અને પંતે તેમાંની ભલામણોને આખરી ઓપ આપ્યો.

સપ્ટેમ્બર ૧૯૫૯માં સંસદમાં આ મુદ્દે ચર્ચા ચાલી ત્યારે નેહરૂએ સંસદમાં આશ્વાસન આપ્યું કે ‘દેશમાં અંગ્રેજીના ઉપયોગ સામે કોઇ વાંધો લેવાશે નહીં, અંગ્રેજીનો ઉપયોગ બંધ કરવા કોઇ નિશ્ચિત સમયસીમા રાખવામાં નહીં આવે અને ભારતની તમામ ભાષાઓને એક સરખો દરજ્જો મળશે અને આ બધી જ ભાષાઓ રાષ્ટ્રભાષા ગણાશે!’

બંધારણ મુજબ જોઇએ તો દેશમાં અત્યારે કુલ બાવીસ રાષ્ટ્રભાષાઓ છે! આસામમાં બોલાતી આસામી અને બોડો તો બંગાળમાં બોલાતી બંગાળી, જમ્મુ તરફની ડોગરી અને કાશ્મીરની કાશ્મીરી આપણી રાષ્ટ્રભાષા છે. તો ગોવા તરફથી બોલાતી કોંકણી, ગુજરાતની ગુજરાતી, સાઉથની તમિળ, તેલૂગુ, કન્નડ, મલયાલમ તથા મણિપુરમાં બોલાતી મણિપુરી પણ આપણી રાષ્ટ્રભાષા છે. મરાઠી, પંજાબી, સિંધી, ઉર્દુ, સંથાલી અને ઓડિયા પણ ભારતની રાષ્ટ્રભાષા છે અને ક્યાંય નહીં બોલાતી સંસ્કૃત પણ રાષ્ટ્રભાષા જ છે! વધુ અર્થપૂર્ણ રીતે કહેવું હોય તો કહી શકાય કે ભારતમાં બાવીસ-બાવીસ રાષ્ટ્રભાષા હોવા છતાં એકપણ રાષ્ટ્રભાષા નથી! કોઇ એક ભાષા એવી નથી કે જે દેશનાં દરેક ખૂણે એટલીસ્ટ સમજી શકાતી પણ હોય. ઘણાં રાષ્ટ્રભક્તો કહેશે કે એનું નામ અનેકતામાં એકતા! પણ સત્ય એ છે કે અહીં માત્ર અનેકતા જ છે, એકતા નહીં.

ભાષા એ કોઇપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે. કોઇ એક વ્યકિત જો બીજી વ્યકિતની ભાષા જ ન સમજે તો તેમની વચ્ચે લાગણીનો તંતુ બંધાય કેવી રીતે? નેહરૂની કમજોર નિર્ણયશકિતના પાપે આપણને રાષ્ટ્રભાષા ન મળી તેનાં પરિણામે જ કરૂણાનિધિઓ અને રાજ ઠાકરેઓ ફુટી નીકળ્યાને! કોઇ એક રાષ્ટ્રભાષા આપણને મળી હોત તો કદાચ આજે દેશનાં રાજ્યો વચ્ચેનું માનસિક અને આત્મિક અંતર ઓછું હોત. પછી ભલે ને એ ભાષા અંગ્રેજી જ કેમ ન હોય!

Free Hit:


*સિગારેટને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: શ્વેત વસ્ત્રધારિણી ધુમ્રપાન દંડિકા 

* બટનને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: અસ્ત-વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક.


*ટ્રેનને હિન્દીમાં શું કહેવાય? 
જવાબ: લોહ પથ ગામિની. 


*... અને ક્રિકેટને? 
જવાબ: ગોલગટ્ટમ લક્કડપટ્ટમ તડાતડ માર પ્રતિયોગીતા. 


* "અકિલા"માં પ્રકાશિત 

6 comments:

  1. That is the fact about National Language. If we see many developed countries then they had/have plus point in this arena for internal communication among the countrymen. We see fights for the same issue among the countrymen in India. Your article makes sense regarding National Language barrier. Though English is the connection between North & North-West states with Southern India if I say correctly for current situation instead of Hindi.

    ReplyDelete
  2. "ભાષા એ કોઇપણ રાષ્ટ્રના લોકોને જોડતું સૌથી સક્ષમ અને અસરકારક માધ્યમ છે."
    સાચી વાત કહી કિન્નરભાઈ.એક મિત્રના વિચારો અહીં રજુ કરું છું.
    किसी भी भाषा को राष्ट्रभाषा बनाने से पहले उसे उस स्तर पर ले जाना होगा जिससे देश की महिमा के अनुरूप उसका स्थान और वैभव हो. अब तक हिन्दी वह स्तर प्राप्त नहीं कर पाई है. स्वतंत्र भारत में जिस भाषा को हिन्दी माना जाता है, वो और उसके बोलने वालों में निम्नलिखित त्रुटियाँ पाई जाती हैं (जिसकी वजह से वर्तमान रूप में उसे राष्ट्रभाषा बनाना देश का अपमान होगा) --

    १.
    यह एक कृत्रिम भाषा है जिसे अपने घर में, अपने परिवार के बीच, अपने स्वजनों के साथ कोई नहीं बोलता. जो यह मानते और कहते हैं कि उनकी मातृभाषा हिन्दी है, दरअस्ल उनकी भाषाएँ हैं भोजपुरी, मैथिली, मगही, राजस्थानी, ब्रज, अवधी, इत्यादि.

    ध्यान रहे, आपके विद्यालयों में आपको ग़लत शिक्षा दी गई कि ये हिन्दी की बोलियाँ हैं. कोई भी बोली भाषा बनने के बाद बनती है जब कि ये भाषाएँ वर्तमान हिन्दी के बनने से सैकड़ों साल पहले बन चुकी थीं (प्राकृत के तुरंत बाद).

    २.
    जिस आत्मविश्वास के साथ कोई अपनी मातृभाषा सटीक व्याकरण और उच्चारण का प्रयोग करते हुए बोलता व लिखता है, हिन्दी बोलने/लिखने वालों में उस आत्मविश्वास का अभाव है. ऐसे गिने चुने लोग ही मिलेंगे जिनकी वाणी और वाक्यों में से न तो आप ग़लत व्याकरण ढूंढ सकते हैं और न ही ग़लत उच्चारण.

    मसलन --
    मैं यहाँ किसी का नाम लेकर उसकी छवि मलिन नहीं करना चाहता, पर हिन्दी की पैरवी करने वाले मेरे कई मित्र जो यहाँ मौजूद हैं वो "फिर" को fir, "फैलना" को failnaa, "फाँसी" को faansii आदि बोलते हैं जब कि तत्सम, तद्भव और देशज शब्दों में 'f' वाली ध्वनि होती ही नहीं है. 'f' ध्वनि केवल विदेशज शब्दों में होती है -- fox, falcon, fit, fire, फ़रयाद, फ़ानूस, फ़िक्र, आदि.

    कई लोग ज़/z का उच्चारण ज/j की तरह करते हैं -- जैसे "ज़मीन" के बजाय "जमीन" -- और जहाँ ज/j ही होना चाहिये वहाँ ज़/z बोल देते हैं -- जैसे "बावजूद" के बजाय "बावज़ूद".

    जहाँ तक व्याकरण का सवाल है, बिहार के लोग बोलते समय "ने" का प्रयोग नहीं करते. "मैं ने कहा था" बिहार में "हम कहे थे" बन जाता है.

    और स्त्रीलिंग को तो राम बचाए! "मेरी घड़ी" बन जाती है "मेरा घड़ी", "उसकी बात" -- "उसका बात", "तेरी याद" -- "तेरा याद"... ग़रज़ कि औरत और लड़की के अलावा बिहार में और तमाम जातिवाचक व भाववाचक संज्ञाएँ पुल्लिंग हैं!!!

    अब आइये दिल्ली. यहाँ पुल्लिंग शब्द स्त्रीलिंग बन जाते हैं. राजधानी में बिजली के तार लंबे नहीं होते लंबी होती हैं; और यहाँ दर्द होता नहीं, होती है!

    केवल हिन्दी ही नहीं, भारत की किसी भी भाषा में जब विज्ञान पर चर्चा होती है तो तकनीकी शब्द अनुवादित शब्द होते हैं, मूल नहीं. और अनुवादित शब्दों में यह दोष होता है कि वे वस्तु की व्याख्या करने की कोशिश करते हैं. और इस कोशिश के कारण शब्द कठिन हो जाते हैं. जैसे कि train शब्द से आपको यह नहीं पता चलता कि यह वस्तु दिखती कैसी है या करती क्या है; यह कोशिश हिन्दी में की गई -- लौहपट गामिनी! पर इस कोशिश से भले ही सुनने वाले को यह जानकारी मिल गई कि यह कोई लोहे की पटरियों पर चलने वाला वाहन है, क्या "लौहपट गामिनी" बोलना या याद रखना "ट्रेन" बोलने या याद रखने से ज़्यादा आसान है?

    इस बिंदु पर यह प्रतिक्रिया अपेक्षित है कि जर्मनी, रूस, जापान आदि ने बिना अंग्रेज़ी के इतनी तरक़्क़ी कैसे हासिल कर ली? जवाब आसान है. बिना विज्ञान पर ध्यान दिए उन्होंने केवल "हमारी भाषा लागू हो" का नारा नहीं लगाया. हमारी भाषा के लागू होने से पहले हमारे विज्ञान का लागू होना अत्यंत आवश्यक है. वस्तुओं के नाम मूलतः हिन्दी में तभी होंगे जब उन वस्तुओं के आविष्कारक हिन्दीभाषी होंगे. तो अब यह बताइये कि चीज़ों के नाम हिन्दी में हों इसके लिए हिन्दी बोलने वालों ने किन किन चीज़ों का आविष्कार किया?

    ४.
    किसी भाषा के प्रचार-प्रसार पर आप कितना भी ज़ोर दें, आपके प्रयास तब तक सफल नहीं होंगे जब तक उस भाषा के क्षेत्र की आर्थिक अवस्था अच्छी नहीं होगी. और आज स्थिति यह है कि तथाकथित हिन्दी बोलने वाले राज्य भारत के सब से पिछड़े राज्य हैं. तो फिर हिन्दी कोई क्यों सीखे? यह न तो आपको अंग्रेज़ी की तरह नौकरी दिला सकता है और न ही फ़्रांसीसी की तरह आपका style quotient बढ़ा सकता है. दरअस्ल style के मामले में इसका प्रभाव उलटा भी पड़ सकता है. कोई केवल हिन्दी बोलता है, ऐसा सुनते ही मुलायम सिंह यादव और मायावती जैसे चेहरे आँखों के सामने उभर कर आ जाते हैं!

    ~Surajit Dasgupta

    ReplyDelete
  3. શ્વેત વસ્ત્રધારિણી ધુમ્રપાન દંડિકા etc. are in"SANSKRIT"

    ReplyDelete
  4. ==

    આપે લખ્યું છે કે રાષ્ટ્રભાષાને બદલે કરુણાનીધીઓ અને રાજ ઠાકરેઓ ફુટી નીકળ્યા. આ ભાષાવાદ અને પ્રાન્તવાદમાં મહારાષ્ટ્રનો બાળ ઠાકરે પ્રથમ આવે. કરુણાનીધીનો બીજો નમ્બર આવે.

    એના પછી ૮ થી ૧૦ નમ્બર નથી આવતા પણ ૧૧થી શરુ કરીયે તો માયાવતી, મુલાયમસીંહ કે લાલુ પ્રસાદથી કરી શકાય.

    ReplyDelete
  5. Why not celebrate Hindi Divas by writing Hindi in India's simplest nukta and shirorekha free Gujanagari script?
    By writing Hindi/Urdu in Roman or Gujanagari script may dissolve their history and may revive India's old Brahmi script.
    All the disappearing Devanagari scripted languages( भोजपुरी, मैथिली, मगही, राजस्थानी, ब्रज, अवधी, इत्यादि.)under the influence of Hindi can be written in Gujanagari script resembling Bhojpuri script.
    Holy Devanagari script was not taught to masses in past so why teach now?
    BTW what happened to three languages state formula in Hindi states?
    Mother India needs simple script for all the languages but let the people of India and computers decide what's good for them?
    saralhindi.wordpress.com
    kenpatel.wordpress.com

    ReplyDelete