Thursday, February 23, 2012

ભારતીય સિનેમાના ઇતિહાસની ટોપ-૨૦ ફિલ્મોની વાત...






લગભગ ૯૬ વર્ષનો ઇતિહાસ ભારતીય સિનેમાનો. દસ દાયકા દરમિયાન ચિત્રપટ ઉદ્યોગે અનેક ધૂપછાંવ નિહાળ્યા. કંઇ કેટલાંય સર્જકો આવ્યાં અને ગયા. કંઇ કેટલીય ફિલ્મો બની. હજ્જારોની સંખ્યામાં. હિન્દી સિનેમા, બંગાળી, મરાઠી, તમિળ, તેલુગુ, કન્નડ અને તેનાં જેવી વિવિધ ભાષાઓમાં હજારો ફિલ્મોનું નિર્માણ થયું. કોઇ તમને એમ કહે કે હજારો ફિલ્મનાં ઢગલામાંથી સર્વશ્રેષ્ઠ ગણાય એવી વીસ ફિલ્મોનાં નામ કહો. તમારી શી હાલત થાય? બહુ કપરૂં કામ છે. ફુલોનાં એક બગીચામાંથી સૌથી સુંદર વીસ ફુલો શોધવા જેવું . પરંતુ આવું કપરૂં કાર્ય હમણાં હાથ ધરવામાં આવ્યું હતું.


ગોવામાં યોજાયેલા ચાલીસમા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં T-20 ઓફ ઇન્ડિયન સિનેમાની યાદી જાહેર કરાઇ. યાદીમાં ભારતીય સિનેમા (હિન્દી નહીં)ની વીસ શ્રેષ્ઠતમ્ ફિલ્મો પસંદ કરવામાં આવી. માટે સૌપ્રથમ ૧૦૦ ભારતીય ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. જેમાંથી વીસ ફિલ્મો સિલેક્ટ કરવાની જવાબદારી સોંપાઇ કેટલાંક ખ્યાતનામ ફિલ્મ સર્જકો તથા વિખ્યાત વિવેચકોને. ફિલ્મ સર્જકોમાં વિશાલ ભારદ્વાજ, નાગેશ કુકુનર, મધુર ભંડારકર જેવાં નિર્દેશકો સાથે બંગાળીના ઙ્ગતુપર્ણો ઘોષ, તમિળના ચેરન, મલયાલમના શ્યામાપ્રસાદ, કન્નડના પી. શેષાદ્રી, અસમીયાના મંજુ બોરા, મરાઠીના ગજેન્દ્ર આહીરે તથા રાહુલ ધોળકીયા જેવાં ચહેરાઓ હતા જ્યારે વિવેચકોમાં કોચીનનાં એન.સી. રાજા નારાયણન, બેંગલોરના રાઘવેન્દ્ર, ગોવાનાં રાજુ નાઇક, દિલ્હીના સૈબલ ચેટરજી, મુંબઇના અનૂપમા ચોપરા તથા અશોક રાણે, કલકત્તાના સ્વપન મલ્લીક જેવાં જાણકાર લોકો હતાં.

‘T-20 ઓફ ઇન્ડિયન સિનેમા’ નક્કી કરવા માટે બોક્સ ઓફિસ કલેકશનને બિલકુલ મહત્વ અપાયું નથી. આખી યાદી ૧૦૦ ફિલ્મોની હતી. જેમાં બિમલ રોયનીદેવદાસથી લઇ છેકલગે રહો મુન્નાભાઇસુધીની ફિલ્મો સામેલ હતી. સ્વાભાવિક છે કે આવી યાદી વિશે લોકોમાં એકમત હોય. કોઇ કહે કે મુન્નાભાઇ તો યાદીમાં હોવું જોઇએ ને! તો કોઇ વળી કહે કેઓમકારાવગર યાદી અધુરી ગણાય. બધાં અભિપ્રાયો વચ્ચે પણ T-20ની યાદી એટલી તટસ્થ અને મજબૂત બની છે કે તેનાં તરફ કોઇ ભાગ્યે આંગળી ચીંધશે. T-20ની યાદી ફિલ્મ રસિકોને ફરી એક વખત યાદ અપાવે છે કે ભારતીય સિનેમા એટલે માત્ર હિન્દી ફિલ્મો નહીં! તેમાં બીજું ઘણું બધું આવી જાય છે. તો ચાલો આપણે ટ્રેલર માણીએ ભારતીય સિનેમાની વીસ સર્વોત્તમ ફિલ્મોનું અને રિવાઇન્ડ કરીએ યુગ...


૨૦

આનંદઃ
નિર્દેશનઃ ઋષિકેશ મુખરજી
કલાકારઃ રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન
સુમિતા સન્યાલ, રમેશ દેવ, જ્હોની વોકર, દારાસિંઘ.

અસાધ્ય રોગનાં કારણે જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેલો નાયક અને તેની ઝિંદાદિલીની વાત કરતી ફિલ્મ ઋષિદાના જીવનની શ્રેષ્ઠતમ્ ફિલ્મોમાં સ્થાન પામે છે. ‘આનંદમાં પ્રથમ વખત રાજેશ ખન્નાઅમિતાભ સાથે દેખાયા હતા. ‘બાબુ મોશાય !’ જેવો તેનો તકિયા કલામ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. મનુષ્યના જીવનનું મૂલ્યાંકમન કેટલું જીવ્યો તેનાં પરથી નહીં પણ કેવું જીવી ગયો એનાં પરથી થતું હોય છે. આવો કેન્દ્રવર્તી વિચાર ધરાવતી ફિલ્મની માવજત ઋષિદાએ બહુ સુંદર રીતે કરી હતી. ‘ઝિંદગી કૈસી હૈ પહેલીજેવાં તેનાં ગીતોએ સમયે ધૂમ મચાવી હતી.


૧૯
મધુમતિઃ
નિર્દેશનઃ બિમલ રોય
કલાકારઃ દિલીપ કુમાર, વૈજ્યંતિમાલા, પ્રાણ, જયંત, જ્હોની વોકર

ઘણાં લોકો ફિલ્મને બિમલ રોયની શ્રેષ્ઠતમ્ ફિલ્મ ગણાવે છે. વિશે મતમતાંતર હોઇ શકે છે પણ એક વાત વિશે કોઇ મતભેદ નથીઃ અનેક સફળ ફિલ્મો બનાવનારા બિમલદાનેમધુમતિજેટલાં નાણાં કમાવી આપ્યાં એટલાં અન્ય કોઇ ફિલ્મે તેમને આપ્યાં નથી. સલિલ ચૌધરીએ ફિલ્મમાં આપેલું સંગીત એટલી હદે સફળ થયું હતું કે સલિલદાની કેરિયરનું પણ સીમાચિહન સાબિત થયું. ‘સુહાના સફર’, ‘દિલ તડપ તડપ કે’, ‘ચઢ ગયો પાપી’, જુલ્મી સંગ આંખ લડી, આજા રે પરદેશી, તૂટે હુએ ખ્વાબોને.... જેવાં તેનાં ગીતો જેતે ગાયકોની કારકીર્દિના સર્વોત્તમ ગીતોમાં સ્થાન પામે છે. પોતાના હત્યારા એવા રાજા સાથે બદલો લેવા મથતી એક યુવતીની આત્માની વાત કરતીમધુમતિમાં બિમલદાને જે માહૌલ સર્જયો હતો એની પણ ખાસ્સી પ્રશંસા થઇ હતી. દિલીપકુમાર, વૈજ્યંતિ અને પ્રાણ જેવાં કસાયેલાં કલાકારોના ઉત્કૃષ્ટ પરફોમન્સ ધરાવતીમધુમતિમાત્ર એક ફિલ્મ નથી પણ કલાકૃતિ છે.


૧૮

ગાઇડઃ
નિર્દેશનઃ વિજય આનંદ
કલાકારોઃ દેવ આનંદ, વહીદા રેહમાન, કિશોર સાહુ

દેવ આનંદના જીવનની શ્રેષ્ઠતમ્ અભિનય અને વિજય આનંદનું અદ્ભુત નિર્દેશન અને સચિન દેવ બર્મનના જાદુઇ સંગીત થકી સર્જાયેલી યાદગાર કૃતિ. એક પુરાતત્વવિદ્ (કિશોર સાહુ) પતિના નિરસ જીવનથી, તેનાં ત્રાસથી કંટાળી ગયેલી યુવાન પત્ની (વહીદા)ને અકસ્માતે રાજુ ગાઇડ (દેવ આનંદ)નો ભેટો થઇ જાય છે. પેલા પુરાતત્વવિદ્ કરતાં બિલકુલ સામા છેડાનું કેરેક્ટર એવો રાજુ એકદમ જીવંત અને થનગનતો યુવાન છે. નાયિકાની સ્થિતિનો ખ્યાલ આવતા રાજુ તેને દોઝખમાંથી ઉગારે છે અને એક સ્ટાર બનાવી દે છે. બદલામાં રાજુને મળે છે થોડાં પૈસા અને ઝાઝી બધી બેવફાઇ. પ્રેમિકાના પાપે જેલમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેની આખી દુનિયા બદલાઇ જાય છે. લોકો તેને મહત્મા સમજી લે છે. લોકોથી ભાગવા પ્રયત્નલ કરે છે પરંતુ છેવટે લોકો માટે પ્રાણ હોમી દે છે.
મજબૂત વાર્તા, જબરદસ્ત સ્ક્રિપ્ટ, ઉત્કૃષ્ટ પાત્રાલેખન ધરાવતીગાઇડને હિન્દી સિનેમાની માઇલસ્ટોન ફિલ્મ ગણવામાં આવે છે. મૂળ ફિલ્મ આર.કે. નારાયણની નવલકથા પરથી બનેલી છે. ‘ગાઇડનું સંગીત એસ.ડી. બર્મનનું ઉત્તમ સર્જન ગણાય છે અને હિન્દી સિનેમાની ટોપટેન આલબમની યાદી બનાવીએ તો તેમાં પણગાઇડને સ્થાન મળે . દિન ઢલ જાયેં, તેરે મેરે સપનેં, ક્યા સે ક્યા હો ગયા, પિયા તૌસે નૈના લાગે રે, વહાં કૌન હૈ તેરા... અલ્લાહ મેઘ દે... જેવાં અનેક યાદગાર ગીતો ધરાવતીગાઇડને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખૂબ પ્રશંસા મળી હતી.

૧૭

જાને ભી દો યારોઃ
નિર્દેશનઃ કુંદન શાહ
કલાકારોઃ નસિરૂદ્દીન શાહ, રવિ બાસ્વાની, ભકિત બર્વે, સતિષ શાહ, ઓમ પુરી, પંકજ કપૂર 

ગુજરાતી સર્જક કુંદન શાહની ફિલ્મ આમ તો દરેક દ્રષ્ટિએ જબરદસ્ત છે પરંતુ તેનું સૌથી મોટું જમાપાસું તેનો કલાઇમેક્સ છે. રંગમંચ પર દ્રૌપદીના ચિરહરણનું દ્રશ્ય... દુર્યોધન, દુશાસન... હસી હસીને લોટપોટ થઇ જાય તેવા સંવાદો અને ગોટાળા... ‘જાને ભી દો યારોંના ક્લાઇમેક્સની નકલ કરવાનાં પ્રયત્નો આજે પણ થતા રહે છે પરંતુ તેનાં જેવી અસર કોઇ સર્જી શક્યું નથી.
પોતાની કેરિયર જમાવવા મથતા બે ફોટોગ્રાફર મિત્રો (નસિરૂદ્દીન, રવિ બાસ્વાની)ના સંઘર્ષના દિવસોમાં અચાનક આવી પડેલી એક ઉપાધિની વાત કરતી ફિલ્મમાં કોમેડીની સાથે વ્યંગ પણ ભરપરૂત છે. બિલ્ડરરાજકારણીની સાંઠગાંઠને ઉઘાડી પાડવા જતા બેઉ ફોટોગ્રાફર્સની ઝોળીમાં એક લાશ ખાબકે છે અને લાશ પછી તેમનો પીછો છોડતી નથી. મૃતદેહથી પીછો છોડાવવા તેઓ અનેક પ્રયત્નો કરે છે અને દરેક વખતે કોઇ ગરબડગોટાળા સર્જાય છે. નૂક્કડ અને સરકસ જેવી સીરિયલ અનેકભી હાં, કભી નાજેવી ફિલ્મો બનાવી ચૂકેલા કુંદન શાહ એક કસાયેલા સર્જક છે. તેમની ફિલ્મે સમયના યુવા વર્ગમાં ખાસ આકર્ષણ ઉભું કર્યુ હતું. નસિરૂદ્દીન, ઓમ પુરી, રવિ બાસ્વાની, ભકિત બર્વે તથા સતિષ શાહ જેવાં માંજેલા કલાકારોની ફોજ ધરાવતીજાને ભી દો યારોંઆજે પણ એટલી તરોતાજા લાગે છે.

૧૬

સંત તૂકારામ (મરાઠી)
નિર્દેશનઃ દામલે તથા ફતેલાલ
કલાકારોઃ વિષ્ણુપંત પગનીસ, શ્રી ભગવત
પંડિત દામલે, શંકર કુલકર્ણી, કુસેમ ભાગવત

સત્તરમી સદીના સંત તૂકારામ પર મરાઠી ભાષામાં બનેલી ફિલ્મ છેક ૧૯૩૬માં રિલીઝ થઇ હતી. ફિલ્મ નિર્માણ સમયે આસાન હતું. સાધનો મર્યાદિત હતા અને કલાકારો ઓછાં. એવાં કાળમાં પણ ફિલ્મમાં આબેહૂબ સત્તરમી સદીનો માહૌલ સર્જવામાં આવ્યો હતો. ફિલ્મમાં સંત તૂકારામના આખા જીવનને કચકડે મઢી લેવામાં આવ્યું છે.


૧૫

અપુર સંસાર (બંગાળી)
નિર્દેશનઃ સત્યજીત રે
કલાકારોઃ સૌમિત્ર ચેટરજી, શર્મિલા ટાગોર

અપુ નામના એક પાત્રની વાત કહેતી ફિલ્મ સત્યજીત રે દ્વારા સર્જીત જગવિખ્યાતઅપુ ટ્રાયોલોજીની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં અપુના લગ્નજીવનની, તેમાં આવેલાં ઝંઝાવાતની વાત છે.
અપુર સંસાર શર્મિલા ટાગોરની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મમાં તેણે કામ કર્યુ ત્યારે તેની ઉંમર માત્ર ૧૪ વર્ષ હતી. ફિલ્મની એક ખૂબી છેઃ તેમાં કંડારાયેલું બનારસ. અહીં રે બાબુનાં કેમેરા થકી તમને જે બનારસ જોવા મળે છે તેવું હજુ સુધી કોઇ કંડારી શક્યું નથી. ફિલ્મને માત્ર ભારતમાં નહીં, આખા જગતમાં પ્રશંસા મળી છે. અપુર ટ્રાયોલોજીની પ્રથમ બે ફિલ્મ હતીઃ પથેર પાંચાલી અને અપરાજિતા. રે બાબુની ટ્રાયોલોજીને વિશ્વ સિનેમાની કેટલીક મહાનતમ્ ઘટનામાં જગતભરનાં વિવેચકો સ્થાન આપે છે.

૧૪

કાગઝ કે ફુલઃ
નિર્દેશનઃ ગુરૂ દત્ત
કલાકારોઃ ગુરૂ દત્ત, વહિદા 

એક સમર્થ ફિલ્મ સર્જકના મહાન સ્વપ્નનું તૂટી જવું અને તેનાં કારણે સર્જકનું ગહન હતાશામાં ડૂબી જવું.... ‘કાગઝ કે ફુલગુરૂ દત્તની સૌથી પ્રિય ફિલ્મ હતી. અભિનેતા અને નિર્દેશક તરીકે એમની સર્જનાત્મકતા ફિલ્મમાં ચરમસિમા પર પહોંચી હતી. જો કે ટિકિટબારી પર ફિલ્મ સફળ નિવડી નહોતી પરંતુ આજે યુગની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મો ભૂલાઇ ગઇ હશે પણકાગઝ કે ફુલઅમર થઇ ગઇ છે. કૈફી આઝમીની શાયરી અને બર્મનદાનું સંગીત ધરાવતી પેલી અફલાતૂન રચનાબિછડે સભી બારી બારીપણ ક્યો સંગીત પ્રેમી ભુલી શકે ?

૧૩

નાયકન (તમિળ)
નિર્દેશનઃ મણિ રત્નમ્
કલાકારોઃ કમલ હાસન, સરાન્યા
એમ.વી. વાસુદેવ રાવજનક રાજ, ટીનુ આનંદ

અન્ડરવર્લ્ડ ડોન પર ભારતની વિવિધ ભાષાઓમાં અનેક ફિલ્મો બની છે. પરંતુનાયકનની તોલે એવી કોઇ ફિલ્મ તેમાં નથી. મૂળ તમિળ પરથી પછી હિન્દીમાં ફિરોઝ ખાનેદયાવાન’ (વિનોદ ખન્ના) બનાવી હતી. ‘નાયકનની પ્રેરણા મુંબઇના એક સમયના અન્ડરવર્લ્ડ ડોન વરદરાજન મુદલિયારના જીવન પરથી લેવામાં આવી હોવાનું કહેવાય છે. ‘નાયકનમાં કમલ હાસન એક એવા પુત્રનું પાત્ર ભજવે છે જેનાં પિતાનું મુંબઇ પોલિસે નિર્દયતાથી ખૂન કરી નાંખ્યું છે. નાયક ઝડપભેર સ્થિતિ સંભાળી લે છે અને મુંબઇ પર રાજ કરવા લાગે છે. તેની પુત્રીને પિતાના વ્યવસાયથી નફરત છે અને એટલે એક પોલિસ ઓફિસર સાથે લગ્ન કરવા પોતાનાં પિતાનું ઘર છોડી દે છે. અંતમાં નાયકનું મર્ડર પણ એક અર્ધ પાગલ કરે છે જેને ખૂદ તેણે ભૂતકાળમાં આશરો આપ્યો હોય છે. બોક્સ ઓફિસ પર પણ ફિલ્મ બ્લોક બસ્ટર પુરવાર થઇ હતી.

૧૨

મુઘલ--આઝમઃ
નિર્દેશનઃ કે. આસિફ
કલાકારોઃ પૃથ્વિરાજ કપૂર, દિલીપ કુમાર, મધુબાલા, દુર્ગા ખોટે

હિન્દી સિનેમામાં મુઘલએઆઝમને ઘણાં લોકો ટેકસ્ટ બુક જેવી ફિલ્મ ગણે છે. કમાલ અમરોહીના ડાયલોગ, નૌશાદનું સંગીત, આર.ડી. માથુરની સિનેમેટોગ્રાફી, મધુબલાના ઉત્કૃષ્ટ અભિનય અને નૃત્યો, દિલીપ કુમાર અને પુથ્વિરાજ કપૂરની ટક્કર... આવી કંઇ કેટલીય બાબતો માટે ફિલ્મને વારંવાર યાદ કરવામાં આવે છે. કોઇ એક ફિલ્મમાં આટઆટલાં પોઝિટિવ પાસાં હોઇ શકે વાત સોહામણી કલ્પના જેવી લાગે છે. પરંતુ મુઘલએઆઝમ માત્ર કલ્પના નથી, સત્ય છે. કે. આસિફનું બાર વર્ષે સાકાર થયેલું સ્વપ્ન. મુઘલએઆઝમના અનેક દ્રશ્યો આજે પણ ફિલ્મોના પ્રેમીઓ ભૂલી શક્યાં નથી. બડે ગુલાબ અલિ ખાં સાહેબને ફક્ત એક ગીત માટે રૂપિયા પચ્ચીસ હજાર ચૂકવવાની વાત હોય કે પછી પ્યાર કિયા તો ડરના ક્યા... માટે શીશ મહલના સર્જનની, મુઘલએઆઝમ સંબંધિત વાતો કદી ખતમ થતી નથી. અને જાદુઇ ફિલ્મનો જાદુ છે.


૧૧

એલિપથયમ (મલયાલમ)
નિર્દેશનઃ અદુર ગોપાલક્રિષ્નન
કલાકારોઃ કરામના, જનાર્દન નાયર, શારદા, જાલજા

બંગાળી ફિલ્મોમાં જે સ્થાન સત્યજીત રેનું મલયાલમમાં અદુર ગોપાલક્રિષ્નનનું ગણાય. એલિપથયમની વાર્તા અનોખી છે. ઉન્ની નામના મધ્યમ વગના એક પુરૂષની વાત છે ફિલ્મમાં. ઉન્ની એક રજવાડાના પરિવારમાંથી આવે છે. પણ રજવાડા ભૂંસાતા થાય છે અને ઉન્ની તેની આસપાસની બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી શકતો નથી. સાવકી માતા, પોતાનાં હિસ્સા માટે લડતી બહેન, સાવકી બહેન... બધાના ઝઘડાઓ વચ્ચે ઉન્ની પીસાતો જાય છે અને એનું ગળુ ઘૂંટાતુ જાય છે. ઉન્નીની મનોસ્થિતિ દર્શાવવા નિર્દેશકે ફિલ્મમાં રિધમનો અને કલોઝ અપનો ભરપૂર ઉપયોગ કર્યો છે. વાર્તા કહેવાની બાબતમાં માહેર ગણાતા અદુર ગોપાલક્રિષ્નનની ફિલ્મ આવી ખૂબીઓનાં કારણે યાદીમાં સ્થાન પામી છે.


-ક્રમશ: - એકથી દસ નંબરની ફિલ્મો અંગે હવે પછી....


*"અકિલા"માં પ્રકાશિત 

8 comments:

  1. તમે યાર દિલ બાગ બાગ કરી દીધું!!
    ૨૦-૧૦ ના લીસ્ટ માં ભૂલ કાઢવી એટલે ભગવાન ની ભૂલ શોધવા બરોબર છે.

    ReplyDelete
  2. કીન્નરભાઈ! કરેકશન: ટ્રાઈલોજી નું નામ "અપુ ટ્રાઈલોજી" છે, અને વિકિપીડિયા પ્રમાણે અપૂ-ર સંસાર એટલે અપુ નો સંસાર, "પથેર પાંચાલી" અને "અપરાજીતો" એ ટ્રાઈલોજી ની પહેલી બે ફિલ્મો છે.
    Source: http://en.wikipedia.org/wiki/The_Apu_Trilogy

    ReplyDelete
  3. જોરદાર...અસરદાર...મજેદાર...

    ReplyDelete
  4. @Pasham ,
    U r right. correction done. sorry !

    ReplyDelete
  5. Kinnarbhai,
    I have seen your panoramic glimpse on 20 all time great Indian cinemas not only Hindi but chosen from versatile Indian languages. Realy its great job.

    -Gunvant Rajyaguru

    ReplyDelete
  6. કિન્નરભાઇ, ખુબ જ સરસ. હવે ૧૦ થી ૧ ની પ્રતિક્ષા.

    અભિનંદન.

    મિતેષ પાઠક

    ReplyDelete
  7. very very abridged short notes.....

    ReplyDelete